૧૯.૧૮

વર્મા, પવન કે.થી વલભી

વર્મા, પવન કે.

વર્મા, પવન કે. (જ. 5 નવેમ્બર 1953, નાગપુર, મહારાષ્ટ્ર) : ભારતીય અંગ્રેજી લેખક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એ. (ઓનર્સ) અને એલએલ.બી.ની ડિગ્રી મેળવી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર, ન્યૂયૉર્કમાં ભારતીય કાયમી મિશનમાં; મૉસ્કોમાં જવાહરલાલ નહેરુ કલ્ચરલ સેન્ટર, ભારતીય એલચી કચેરીના નિયામક તરીકે ભારતના રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી તરીકે સેવા આપી છે. હાલ તેઓ ભારત…

વધુ વાંચો >

વર્મા, બજરંગ

વર્મા, બજરંગ (જ. 30 જૂન 1930, પટણા, બિહાર) : હિંદી લેખક. તેમણે બિહાર યુનિવર્સિટીમાંથી 1955માં એમ.એ. અને 1989માં ડી.લિટ. તથા 1964માં પટણા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ બિહાર સરકારના સંયુક્ત સચિવપદેથી સેવાનિવૃત્ત થયા. તેમણે બિહાર રાષ્ટ્રભાષા પરિષદના સિનિયર નાયબ નિયામક તરીકે ફરજ બજાવી હતી. તેમણે દક્ષિણ બિહારની ભાષાકીય…

વધુ વાંચો >

વર્મા, બલરાજ

વર્મા, બલરાજ (જ. 10 જાન્યુઆરી 1932, પોસી, જિ. હોશિયારપુર, પંજાબ) : ઉર્દૂના લેખક. પંજાબ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. થોડો વખત મુંબઈના ચલચિત્ર-જગતમાં કામગીરી કર્યા પછી 1945માં કેન્દ્ર સરકારની નોકરીમાં જોડાયા. 1981માં ઉપસચિવ તરીકે નિવૃત્ત. ત્યારબાદ 2 વર્ષ કેન્દ્રીય સંગીત નાટક અકાદમીમાં મદદનીશ સેક્રેટરી તથા ‘સંગીત નાટક’ નામક અંગ્રેજી ત્રૈમાસિકના સંપાદક તરીકે…

વધુ વાંચો >

વર્મા, બંસીલાલ

વર્મા, બંસીલાલ : જુઓ ચકોર.

વધુ વાંચો >

વર્મા, ભગવતીચરણ

વર્મા, ભગવતીચરણ (જ. 1903; અ. 1981) : હિંદી ભાષા-સાહિત્યના જાણીતા સાહિત્યકાર. તેમણે વીસમી સદીના ત્રીજા દાયકાથી સાહિત્ય-સર્જનની શરૂઆત કરી હતી. એમણે સાહિત્ય-સર્જનનો પ્રારંભ કવિ તરીકે કર્યો હતો. છાયાવાદી કવિ તરીકે તેઓ પ્રસિદ્ધિ પામ્યા. પણ પ્રગતિશીલ કાવ્યમાં એમની ‘ભૈંસાગાડી’ કવિતા વિશેષ પ્રસિદ્ધિ પામી. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ સન્ 1932માં ‘મધુકણ’ નામે પ્રકાશિત…

વધુ વાંચો >

વર્મા, મદનલાલ

વર્મા, મદનલાલ [જ. 16 મે 1931, તુલમ્બા, જિ. મુલતાન (હાલ પાકિસ્તાનમાં)] : હિંદી અને સંસ્કૃતના લેખક. તેમણે હિંદી તેમજ સંસ્કૃતમાં એમ.એ.ની, હિંદીમાં પીએચ.ડી. અને સાહિત્યરત્નની પદવીઓ મેળવી. તે પછી અધ્યાપનકાર્યમાં જોડાયા અને સેવાનિવૃત્ત થયા. તેમણે અત્યાર સુધીમાં હિંદી તેમજ સંસ્કૃતમાં 12 ગ્રંથો આપ્યા છે. સંસ્કૃતમાં તેમના ઉલ્લેખનીય ગ્રંથોમાં ‘ગિરિકર્ણિકા’ (ગદ્યપદ્ય…

વધુ વાંચો >

વર્મા, મહાદેવી

વર્મા, મહાદેવી (જ. 1907; અ. 1987) : હિંદીની છાયાવાદી કાવ્યપ્રવૃત્તિનાં પ્રમુખ કવિઓમાંનાં એક. જયશંકર પ્રસાદ, સુમિત્રાનંદન પંત, સૂર્યકાંત ત્રિપાઠી ‘નિરાલા’ અને મહાદેવી વર્મા હિંદીની છાયાવાદી કવિતાના ચાર સ્તંભ છે. મહાદેવી વર્માએ મુખ્યત: ઊર્મિકાવ્યો લખ્યાં છે. એમના પાંચ કાવ્યસંગ્રહ પ્રકાશિત છે : ‘નીહાર’ (1930), ‘રશ્મિ’ (1932), ‘નીરજા’ (1935), ‘સાંધ્યગીત’ (1936) અને…

વધુ વાંચો >

વર્મા, માણિક

વર્મા, માણિક (જ. 1926, મુંબઈ; અ. 10 નવેમ્બર 1996, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં વિખ્યાત ગાયિકા. મૂળ નામ માણિક દાદરકર, પરંતુ ફિલ્મ ડિવિઝનમાં કાર્યરત ફિલ્મ-નિર્દેશક અમર વર્મા સાથે લગ્ન થતાં માણિક વર્મા તરીકે જાણીતાં થયાં. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. 1946માં મુંબઈ યુનિવર્સિટીની સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેમણે શાસ્ત્રીય સંગીતની શિક્ષા…

વધુ વાંચો >

વર્મા, રામશરણ

વર્મા, રામશરણ (જ. 15 ઑગસ્ટ 1935, દેવબંધ, સહરાનપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી કવિ અને વિવેચક. તેમણે મેરઠ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.ની પદવી મેળવી. તેઓ નેશનલ સોશિયલ સર્વિસ ઑર્ગેનાઇઝેશન(NSSO)માંથી સેવાનિવૃત્ત થયા છે. તેમણે અત્યાર સુધીમાં 3 ગ્રંથો આપ્યા છે. ‘મધુર વિદાય’ (1964); ‘પીડા કે સ્વર’ (1993) અને ‘રાષ્ટ્રીય જાગરણ કે સ્વર’ (1995) તેમના…

વધુ વાંચો >

વર્મા, લક્ષ્મીકાન્ત

વર્મા, લક્ષ્મીકાન્ત (જ. 15 ફેબ્રુઆરી 1922, બસ્તી, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેઓ હિંદી સામયિકો ‘નિકાશ’; ‘નયે પત્તે જાન’; ‘કખગ’ના સંપાદક તથા હિંદી સંસ્થાનના અધ્યક્ષ; સેતુ મંચ, થિયેટર ઑર્ગેનાઇઝેશનના પ્રમુખ રહ્યા છે. તેમણે અત્યાર સુધીમાં લગભગ 50 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘તેરા-કોટા’; ‘તીસરા પ્રસંગ’; ‘સફેદ ચેહરે’ તેમની જાણીતી નવલકથાઓ છે. ‘આતુકાંત’;…

વધુ વાંચો >

વર્મા, વિમલેશ કાન્તિ

Jan 18, 2005

વર્મા, વિમલેશ કાન્તિ (જ. 4 જુલાઈ 1943, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક અને અનુવાદક. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ., ડિ.ફિલ.ની પદવીઓ મેળવી તેમજ દિલ્હી યુનિવર્સિટીમાંથી તેમણે એમ.લિટ. (ભાષાશાસ્ત્ર) અને બલ્ગેરિયનમાં એડવર્ટાઇઝિંગ ડિપ્લોમાની પદવીઓ મેળવી. ત્યારબાદ દિલ્હી યુનિવર્સિટીની પી. જી. દાવ કૉલેજમાં હિંદી વિભાગના રીડર તરીકે તેમણે કામગીરી કરી. 1973-74 દરમિયાન તેઓ…

વધુ વાંચો >

વર્મા, વૃંદાવનલાલ

Jan 18, 2005

વર્મા, વૃંદાવનલાલ (જ. 1884; અ. 1969) : હિંદીના ઐતિહાસિક નવલકથાકાર. બાળપણમાં પૌરાણિક અને ઐતિહાસિક કથાઓ સાંભળવાનો શોખ હતો. ઐતિહાસિક નવલકથાલેખનની પાછળ તેમની આવી રુચિ કારણભૂત હોવાનું અનુમાન થયું છે. તેમણે સાચા અર્થમાં હિંદીમાં ઐતિહાસિક નવલકથાની શરૂઆત કરી. તે પહેલાં કિશોરીલાલ ગોસ્વામીની લગભગ પચાસેક નવલકથાઓ ઐતિહાસિક વાતાવરણની છે; પણ તેમાં ઇતિહાસતત્વ…

વધુ વાંચો >

વર્મા, શિવેન્દ્ર કિશોર

Jan 18, 2005

વર્મા, શિવેન્દ્ર કિશોર (જ. 29 જુલાઈ 1931, પટણા, બિહાર) : અંગ્રેજી અને હિંદીના પંડિત  ભાષાશાસ્ત્રી. તેમણે પટણા યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. અને એડિનબરો યુનિવર્સિટીમાંથી ભાષાશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી. 1951થી 1966 સુધી તેમણે પટણા યુનિવર્સિટી, બિહાર ખાતે અંગ્રેજી વિભાગના અધ્યાપક અને રીડર તરીકે અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ 1967-90 દરમિયાન હૈદરાબાદ ખાતે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ…

વધુ વાંચો >

વર્મા, શેફાલિકા (શ્રીમતી)

Jan 18, 2005

વર્મા, શેફાલિકા (શ્રીમતી) (જ. 9 ઑગસ્ટ 1943, બારગાંવ, જિ. સહારા, બિહાર) : મૈથિલી લેખિકા. તેમણે 1981માં ભાગલપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને 1987માં પટણા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી હતી. એ. એન. કૉલેજ, પટણામાં હિંદીનાં રીડર તરીકે તેમણે કામ કર્યું છે. 1993-97 દરમિયાન સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના મૈથિલી માટેના સલાહકાર બૉર્ડનાં તેઓ…

વધુ વાંચો >

વર્મા, શ્યામજી કૃષ્ણ

Jan 18, 2005

વર્મા, શ્યામજી કૃષ્ણ (જ. 4 ઑક્ટોબર 1857, માંડવી, જિ. કચ્છ; અ. 31 માર્ચ 1930, જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ) : વિદેશમાં ભારતીય ક્રાંતિકારી ચળવળના આદ્ય સ્થાપક. શ્યામજી હિંદુ ભાનુશાળી (ભણશાળી) કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતા મુંબઈમાં વેપારીની પેઢીમાં નોકરી કરીને જીવનનિર્વાહ ચલાવતા હતા. શ્યામજીએ પ્રાથમિક શાળાનો અભ્યાસ માંડવીમાં કર્યો. તેજસ્વી વિદ્યાર્થી હોવાથી ભાટિયા…

વધુ વાંચો >

વર્મા, શ્રીકાંત

Jan 18, 2005

વર્મા, શ્રીકાંત (જ. 1931, વિલાસપુર, મધ્યપ્રદેશ; અ. 1986) : હિંદીના અગ્રણી સાહિત્યકાર. તેમની કૃતિ ‘મગધ’ને 1987ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે વિલાસપુરમાં શિક્ષણ લીધું હતું. 1956માં તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. તેમણે તેમની પત્રકારત્વની કારકિર્દીનો પ્રારંભ 1955માં કર્યો હતો. 1958 સુધી તેઓ ‘ભારતીય શ્રમિક’ સાથે…

વધુ વાંચો >

વર્મા, શ્રીરામ

Jan 18, 2005

વર્મા, શ્રીરામ (જ. 18 જુલાઈ 1935, પત્નાઈ, જિ. માઉ, ઉત્તરપ્રદેશ) : હિંદી કવિ તથા લેખક. તેમણે 1961માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને 1986માં ગોરખપુર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ આઝમગઢની ડી. એ. વી. પી. જી. કૉલેજમાંથી હિંદીના રીડર તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ ‘મધ્યમ’ માસિકના સંપાદક તેમજ ઉત્તરપ્રદેશ હિંદી ગ્રંથ અકાદમીના…

વધુ વાંચો >

વર્મા, સત્યભૂષણ

Jan 18, 2005

વર્મા, સત્યભૂષણ (જ. 4 ડિસેમ્બર 1932, રાવલપિંડી, હાલ પાકિસ્તાનમાં) : હિંદી લેખક અને જાપાની ભાષાના વિદ્વાન. તેમણે 1954માં દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ.; 1950માં પંજાબ યુનિવર્સિટીમાંથી ‘પ્રભાકર’; 1959માં વિશ્વભારતીમાંથી બંગાળી અને જાપાની ભાષામાં ડિપ્લોમા; 1969માં જાપાનીમાં પોસ્ટ ગ્રૅજ્યુએટ (ટોકિયો); 1969માં ચીની ભાષામાં સર્ટિફિકેટ અને 1981માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી…

વધુ વાંચો >

વર્મા, સત્યેન્દ્ર

Jan 18, 2005

વર્મા, સત્યેન્દ્ર (જ. 15 ઑક્ટોબર 1941, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. તેઓ નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ, નવી દિલ્હીમાં રીડર(માનવવિદ્યા)-પદેથી સેવાનિવૃત્ત થયા. 1965-69 દરમિયાન તેઓ હિંદી સાહિત્ય સંમેલન, અલ્લાહાબાદના સંપાદક અને 15 વર્ષ સુધી નૅશનલ પ્રાઇઝ કૉમ્પિટિશન ફૉર ચિલ્ડ્રન્સ…

વધુ વાંચો >

વર્મા, સુરેન્દર

Jan 18, 2005

વર્મા, સુરેન્દર (જ. 5 મે 1945, સિરસા, હરિયાણા) : હિંદી કવિ. તેમણે સંગીતમાં માસ્ટર; પીએચ.ડી., તથા સાહિત્યરત્નની પદવીઓ મેળવી. તેમણે ભારતી નિકેતન, સિરસામાં આચાર્ય તરીકે અધ્યાપનકાર્ય કર્યું હતું. તેમણે અત્યાર સુધીમાં 11 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘છૂક છૂક ચલતી રેલ’ (1979); ‘હાથી બિલ્લી પહુંચે દિલ્લી’ (1983); ‘ઐસા હિંદુસ્તાન બને’ (1985)…

વધુ વાંચો >