૧૯.૧૮

વર્મા, પવન કે.થી વલભી

વર્મા, પવન કે.

વર્મા, પવન કે. (જ. 5 નવેમ્બર 1953, નાગપુર, મહારાષ્ટ્ર) : ભારતીય અંગ્રેજી લેખક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એ. (ઓનર્સ) અને એલએલ.બી.ની ડિગ્રી મેળવી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર, ન્યૂયૉર્કમાં ભારતીય કાયમી મિશનમાં; મૉસ્કોમાં જવાહરલાલ નહેરુ કલ્ચરલ સેન્ટર, ભારતીય એલચી કચેરીના નિયામક તરીકે ભારતના રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી તરીકે સેવા આપી છે. હાલ તેઓ ભારત…

વધુ વાંચો >

વર્મા, બજરંગ

વર્મા, બજરંગ (જ. 30 જૂન 1930, પટણા, બિહાર) : હિંદી લેખક. તેમણે બિહાર યુનિવર્સિટીમાંથી 1955માં એમ.એ. અને 1989માં ડી.લિટ. તથા 1964માં પટણા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ બિહાર સરકારના સંયુક્ત સચિવપદેથી સેવાનિવૃત્ત થયા. તેમણે બિહાર રાષ્ટ્રભાષા પરિષદના સિનિયર નાયબ નિયામક તરીકે ફરજ બજાવી હતી. તેમણે દક્ષિણ બિહારની ભાષાકીય…

વધુ વાંચો >

વર્મા, બલરાજ

વર્મા, બલરાજ (જ. 10 જાન્યુઆરી 1932, પોસી, જિ. હોશિયારપુર, પંજાબ) : ઉર્દૂના લેખક. પંજાબ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. થોડો વખત મુંબઈના ચલચિત્ર-જગતમાં કામગીરી કર્યા પછી 1945માં કેન્દ્ર સરકારની નોકરીમાં જોડાયા. 1981માં ઉપસચિવ તરીકે નિવૃત્ત. ત્યારબાદ 2 વર્ષ કેન્દ્રીય સંગીત નાટક અકાદમીમાં મદદનીશ સેક્રેટરી તથા ‘સંગીત નાટક’ નામક અંગ્રેજી ત્રૈમાસિકના સંપાદક તરીકે…

વધુ વાંચો >

વર્મા, બંસીલાલ

વર્મા, બંસીલાલ : જુઓ ચકોર.

વધુ વાંચો >

વર્મા, ભગવતીચરણ

વર્મા, ભગવતીચરણ (જ. 1903; અ. 1981) : હિંદી ભાષા-સાહિત્યના જાણીતા સાહિત્યકાર. તેમણે વીસમી સદીના ત્રીજા દાયકાથી સાહિત્ય-સર્જનની શરૂઆત કરી હતી. એમણે સાહિત્ય-સર્જનનો પ્રારંભ કવિ તરીકે કર્યો હતો. છાયાવાદી કવિ તરીકે તેઓ પ્રસિદ્ધિ પામ્યા. પણ પ્રગતિશીલ કાવ્યમાં એમની ‘ભૈંસાગાડી’ કવિતા વિશેષ પ્રસિદ્ધિ પામી. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ સન્ 1932માં ‘મધુકણ’ નામે પ્રકાશિત…

વધુ વાંચો >

વર્મા, મદનલાલ

વર્મા, મદનલાલ [જ. 16 મે 1931, તુલમ્બા, જિ. મુલતાન (હાલ પાકિસ્તાનમાં)] : હિંદી અને સંસ્કૃતના લેખક. તેમણે હિંદી તેમજ સંસ્કૃતમાં એમ.એ.ની, હિંદીમાં પીએચ.ડી. અને સાહિત્યરત્નની પદવીઓ મેળવી. તે પછી અધ્યાપનકાર્યમાં જોડાયા અને સેવાનિવૃત્ત થયા. તેમણે અત્યાર સુધીમાં હિંદી તેમજ સંસ્કૃતમાં 12 ગ્રંથો આપ્યા છે. સંસ્કૃતમાં તેમના ઉલ્લેખનીય ગ્રંથોમાં ‘ગિરિકર્ણિકા’ (ગદ્યપદ્ય…

વધુ વાંચો >

વર્મા, મહાદેવી

વર્મા, મહાદેવી (જ. 1907; અ. 1987) : હિંદીની છાયાવાદી કાવ્યપ્રવૃત્તિનાં પ્રમુખ કવિઓમાંનાં એક. જયશંકર પ્રસાદ, સુમિત્રાનંદન પંત, સૂર્યકાંત ત્રિપાઠી ‘નિરાલા’ અને મહાદેવી વર્મા હિંદીની છાયાવાદી કવિતાના ચાર સ્તંભ છે. મહાદેવી વર્માએ મુખ્યત: ઊર્મિકાવ્યો લખ્યાં છે. એમના પાંચ કાવ્યસંગ્રહ પ્રકાશિત છે : ‘નીહાર’ (1930), ‘રશ્મિ’ (1932), ‘નીરજા’ (1935), ‘સાંધ્યગીત’ (1936) અને…

વધુ વાંચો >

વર્મા, માણિક

વર્મા, માણિક (જ. 1926, મુંબઈ; અ. 10 નવેમ્બર 1996, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં વિખ્યાત ગાયિકા. મૂળ નામ માણિક દાદરકર, પરંતુ ફિલ્મ ડિવિઝનમાં કાર્યરત ફિલ્મ-નિર્દેશક અમર વર્મા સાથે લગ્ન થતાં માણિક વર્મા તરીકે જાણીતાં થયાં. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. 1946માં મુંબઈ યુનિવર્સિટીની સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેમણે શાસ્ત્રીય સંગીતની શિક્ષા…

વધુ વાંચો >

વર્મા, રામશરણ

વર્મા, રામશરણ (જ. 15 ઑગસ્ટ 1935, દેવબંધ, સહરાનપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી કવિ અને વિવેચક. તેમણે મેરઠ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.ની પદવી મેળવી. તેઓ નેશનલ સોશિયલ સર્વિસ ઑર્ગેનાઇઝેશન(NSSO)માંથી સેવાનિવૃત્ત થયા છે. તેમણે અત્યાર સુધીમાં 3 ગ્રંથો આપ્યા છે. ‘મધુર વિદાય’ (1964); ‘પીડા કે સ્વર’ (1993) અને ‘રાષ્ટ્રીય જાગરણ કે સ્વર’ (1995) તેમના…

વધુ વાંચો >

વર્મા, લક્ષ્મીકાન્ત

વર્મા, લક્ષ્મીકાન્ત (જ. 15 ફેબ્રુઆરી 1922, બસ્તી, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેઓ હિંદી સામયિકો ‘નિકાશ’; ‘નયે પત્તે જાન’; ‘કખગ’ના સંપાદક તથા હિંદી સંસ્થાનના અધ્યક્ષ; સેતુ મંચ, થિયેટર ઑર્ગેનાઇઝેશનના પ્રમુખ રહ્યા છે. તેમણે અત્યાર સુધીમાં લગભગ 50 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘તેરા-કોટા’; ‘તીસરા પ્રસંગ’; ‘સફેદ ચેહરે’ તેમની જાણીતી નવલકથાઓ છે. ‘આતુકાંત’;…

વધુ વાંચો >

વલ

Jan 18, 2005

વલ : વેદમાં ઉલ્લેખાયેલ અસુર કે રાક્ષસ. ઋગ્વેદમાં ઇન્દ્ર મુખ્યત્વે યોદ્ધાના રૂપમાં આવે છે. એમના શત્રુઓની સામાન્યત: બે શ્રેણીઓ છે : (1) કોઈક સૂક્ષ્મ તત્વનું પ્રતીક હોય અને ઇન્દ્રશત્રુ તરીકે પ્રતિષ્ઠિત થઈ જાય; જેમ કે વૃત્ર, અહિ વગેરે; (2) પાર્થિવ હોય, વ્યક્તિવાચક હોય, ઇન્દ્રશત્રુ તરીકે પ્રતિષ્ઠિત થઈ જાય જેમકે, શંબર.…

વધુ વાંચો >

વલણ (મનોવલણ) (attitude)

Jan 18, 2005

વલણ (મનોવલણ) (attitude) : માણસના અન્ય લોકો સાથેના વ્યવહારો કે જૂથોમાં તેની આંતરક્રિયા. સાંસ્કૃતિક ઘટકો સાથે આદાનપ્રદાનના સંબંધો; વ્યક્તિઓ, વિચારો કે ઘટનાઓ પ્રત્યેના તેના પ્રતિભાવો  બધું જ, આ દરેકના સંદર્ભમાં તેનામાં બંધાયેલાં વલણોનું પરિણામ હોય છે. મનોવૈજ્ઞાનિક રીતે કોઈ પણ વ્યક્તિ જન્મથી જ રૂઢિવાદી કે સુધારાવાદી, કોમવાદી કે લોકશાહીવાદી, નસબંધવાદી…

વધુ વાંચો >

વલણ-પૃથક્કરણ

Jan 18, 2005

વલણ-પૃથક્કરણ : નિશ્ચિત સમયગાળા દરમિયાન બનેલી શ્રેણીબંધ ઘટનાઓએ પકડેલા માર્ગનું વિશ્લેષણ. જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ કેટલીક ઘટનાઓની હારમાળા સર્જાય છે અને તે એક તરફની ચોક્કસ દિશા પકડે છે. દા. ત., કોઈ એક ચીજના એક નંગના ભાવ ત્રણ વર્ષ દરમિયાન પહેલા વર્ષે રૂ. 5, બીજા વર્ષે…

વધુ વાંચો >

વલભી

Jan 18, 2005

વલભી : સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવેલી પ્રસિદ્ધ પ્રાચીન નગરી અને મૈત્રકોની રાજધાની વલભી. ઈ. સ. 470ના અરસામાં મૈત્રક રાજ્યની રાજધાની બની તે અગાઉ પણ અસ્તિત્વ ધરાવતી હતી. ‘બૃહત્કથામંજરી’ તથા ‘કથાસરિત્સાગર’ની કથાઓમાં વલભીનો ઉલ્લેખ વાણિજ્ય તથા વિદ્યાના કેન્દ્ર તરીકે થયો છે. તેથી વલભી પ્રથમ સદી જેટલી પ્રાચીન ગણાય. જૈન આગમગ્રંથોની વાચના…

વધુ વાંચો >