૧૯.૧૧

લ્યૂક્રીશ્યસથી વજન અને માપપ્રણાલી

લ્યૂક્રીશ્યસ

લ્યૂક્રીશ્યસ (જ. ઈ. પૂ. 99; અ. ઈ. પૂ. 55) : રોમન કવિ. ‘દ રેરમ નેચરા’(‘ઑન ધ નેચર ઑવ્ થિંગ્ઝ’)ના કવિ. પૂરું નામ ટાઇટસ લ્યૂક્રીશ્યસ કારસ. ઉચ્ચ કુટુંબના રોમન નાગરિક. એમના જીવન વિશેની માહિતી માત્ર સેન્ટ જેરોમીના અહેવાલ દ્વારા જ મળે છે. માનસિક અસ્વસ્થતામાં મુકાયા પછી વચગાળાના સારા સમયમાં એમણે લખ્યું…

વધુ વાંચો >

લ્યૂટેશિયમ

લ્યૂટેશિયમ : આવર્તક કોષ્ટકના ત્રીજા (અગાઉના III A) સમૂહમાં આવેલ લૅન્થેનાઇડ શ્રેણી તરીકે ઓળખાતાં તત્વો પૈકીનું છેલ્લું ધાત્વિક તત્વ. સંજ્ઞા Lu. 1907માં જી. ઉર્બેઇને યટર્બિયા (ytterbia) નામના પદાર્થમાંથી બે અંશો (fractions) અલગ પાડ્યા અને તેમને લ્યૂટેશિયા (lutecia) અને નિયોયટર્બિયા નામ આપ્યાં. આ જ સમયે સી. એફ. એ. વૉન વેલ્સબાખે પણ…

વધુ વાંચો >

લ્યૂથર, માર્ટિન

લ્યૂથર, માર્ટિન (જ. 10 નવેમ્બર 1483, આઇસલબેન, જર્મની; અ. 18 ફેબ્રુઆરી 1546, આઇસલબેન) : ખ્રિસ્તી ધર્મના પ્રસિદ્ધ સુધારાવાદી અને પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાયના પ્રવર્તક. તેમના પિતા તાંબાની ખાણમાં કામ કરતા હતા. તેઓ 1502માં બી. એ. અને 1505માં એમ.એ. થયા. તેમના પિતા તેમને ધારાશાસ્ત્રી બનાવવા ઇચ્છતા હતા, પરંતુ માર્ટિનને તો સંન્યસ્ત જીવન પસંદ…

વધુ વાંચો >

લ્યૂના અંતરીક્ષયાન

લ્યૂના અંતરીક્ષયાન : ચંદ્રનાં વિવિધ અન્વેષણો માટે 1959થી 1973 દરમિયાન તત્કાલીન સોવિયેત રશિયાએ પ્રક્ષેપિત કરેલાં માનવવિહીન અંતરીક્ષયાનોની શ્રેણીનું અંતરીક્ષયાન. લ્યૂના (અથવા લૂના) અંતરીક્ષયાનને લ્યૂનિક અથવા Mechta નામ પણ આપવામાં આવ્યાં હતાં. (Lunar અને Sputnik શબ્દો જોડીને Lunik શબ્દ બનાવવામાં આવ્યો છે.) લ્યૂના અંતરીક્ષયાનોની મદદથી કરવામાં આવેલાં ચંદ્રનાં વિવિધ પ્રકારનાં અન્વેષણોની…

વધુ વાંચો >

લ્યૂબેક

લ્યૂબેક : જર્મની-ડેન્માર્કની સરહદ નજીક જર્મનીના સ્લેસ્વિગ-હોલ્સ્ટાઇન વિભાગમાં, બાલ્ટિક સમુદ્રના નૈર્ઋત્ય કાંઠા પર આવેલું મહત્વનું  બંદર. ભૌગોલિક સ્થાન : તે 53° 50´ ઉ. અ. અને 10° 40´ પૂ. રે. પર હૅમ્બર્ગથી ઈશાનમાં 60 કિમી. અંતરે બાલ્ટિક સમુદ્રમાં ઠલવાતી ટ્રાવે નદી પર વસેલું છે. અહીં તે જહાજવાડાનું અને યંત્રસામગ્રીના ઉત્પાદનનું મથક…

વધુ વાંચો >

લ્યૂશુન

લ્યૂશુન : ઉત્તર ચીનના લિયોડૉંગ દ્વીપકલ્પના નૈર્ઋત્ય છેડા પર આવેલ સ્થળ. ભૌગોલિક સ્થાન : 38° 48´ ઉ. અ. અને 121° 16´ પૂ. રે.. અગાઉ તે પૉર્ટ આર્થર નામથી ઓળખાતું હતું. લ્યૂશુનના બે વિભાગો પડે છે – એક, જૂનું ચીની શહેર અને બીજું, 1898માં રશિયાએ લ્યૂશુન લઈ લીધા બાદ જે નવું…

વધુ વાંચો >

લ્યૂસાઇટ (ખડક)

લ્યૂસાઇટ (ખડક) : લ્યૂસાઇટ ખનિજથી સમૃદ્ધ પરંતુ, આલ્કલી ફેલ્સ્પારની ત્રુટિ કે અભાવવાળો ખડક. લ્યૂસાઇટધારક ખડકમાં જો આલ્કલી ફેલ્સ્પાર આવદૃશ્યક ઘટક તરીકે હાજર હોય તો તેને ફોનોલાઇટ કે ફેલ્સ્પેથૉઇડયુક્ત સાયનાઇટ કે ફેલ્સ્પેથૉઇડયુક્ત મૉન્ઝોનાઇટ કહે છે. સામાન્ય રીતે આ ખડકો જ્વાળામુખી ઉત્પત્તિજન્ય હોય છે. તે ઘેરા રંગવાળા અને દળદાર દેખાય છે. તેમના…

વધુ વાંચો >

લ્યૂસાઇટ (ખનિજ)

લ્યૂસાઇટ (ખનિજ) : ફેલ્સ્પેથૉઇડ વર્ગનું ખનિજ. ટેક્ટોસિલિકેટ. રાસા.  બં. : KAlSi2O6 અથવા K2O · Al2O3 · 4SiO2 સ્ફ. વ.: ક્યૂબિક (સૂડોક્યૂબિક). નીચા તાપમાને તૈયાર થતું લ્યૂસાઇટ ટેટ્રાગોનલ વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે, પરંતુ આવા સ્ફટિકો 625° સે. સુધી ગરમ થતાં તેમાં ક્રમિક ફેરફાર થતો જઈને ક્યૂબિક વર્ગની સમતામાં ફેરવાય છે. સ્ફ.…

વધુ વાંચો >

લ્યૂસાઇટ (રસાયણશાસ્ત્ર)

લ્યૂસાઇટ (રસાયણશાસ્ત્ર) : ખૂબ ઊંચા અણુભારવાળો સંશ્લેષિત કાર્બનિક બહુલક. તેનાં અન્ય વ્યાપારી છાપ (trade mark) ધરાવતાં નામો પરસ્પેક્સ (perspex) તથા પ્લેક્સિગ્લાસ (plexiglas) છે. રાસાયણિક દૃષ્ટિએ તે પૉલિમિથાઇલ મિથાક્રિલેટ ઍસ્ટર નામના એકલક(monomer)ની લાંબી શૃંખલા(long chain)માં બહુલકીકરણ પ્રવિધિ કરતાં તે મળે છે. આ પ્રવિધિ ઊંચા તાપમાને કે પ્રકાશની હાજરીમાં યોગ્ય ઉદ્દીપકની ઉપસ્થિતિમાં…

વધુ વાંચો >

લ્હાસા (Lhasa)

લ્હાસા (Lhasa) : ચીનના આધિપત્ય હેઠળ રહેલા તિબેટનું પાટનગર તેમજ બૌદ્ધ ધર્મનું પવિત્ર શહેર. ભૌગોલિક સ્થાન : 29° 40´ ઉ. અ. અને 91° 09´ પૂ. રે.. આ શહેર ત્સાંગપો (બ્રહ્મપુત્ર નદીના ઉપરવાસના ભાગનું નામ) નદીની સહાયક નદી લ્હાસાહેના જમણા કાંઠા પર વસેલું છે. ભગવાન બુદ્ધના સમય પછીથી તે બૌદ્ધ ધર્મનું…

વધુ વાંચો >

વક્રીભવન

Jan 11, 2005

વક્રીભવન : પ્રકાશનું કિરણ બે માધ્યમના અંતરાપૃષ્ઠ આગળ દાખલ થતાં કિરણની દિશા બદલાવાની ઘટના અથવા એક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રકાશનું કિરણ દાખલ થતાં માધ્યમની સપાટી આગળ તેની વાંકા વળવાની ઘટના. પ્રકાશ ઉપરાંત ઉષ્મા અને અવાજના તરંગો પણ આવી ઘટના અનુભવે છે. પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય…

વધુ વાંચો >

વક્રીભવનાંક-વક્રીભવનાંક વિશેષ (તફાવત) (Refractive Index, Birefringence)

Jan 11, 2005

વક્રીભવનાંક-વક્રીભવનાંક વિશેષ (તફાવત) (Refractive Index, Birefringence) : જુદા જુદા પારદર્શક માધ્યમમાંથી પસાર થતાં પ્રકાશ-કિરણોના આપાતકોણ અને વક્રીભવન-કોણ વચ્ચેનો ગુણોત્તર. મહત્તમ અને લઘુતમ વક્રીભવનાંક વચ્ચેનો તફાવત. જ્યારે પ્રકાશ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પસાર થાય છે ત્યારે આપાતકોણ અને વક્રીભવન-કોણ વચ્ચે અચલ ગુણોત્તર પ્રવર્તે છે. આ અચલાંક (constant) સમીકરણ દ્વારા…

વધુ વાંચો >

વક્રો (curves)

Jan 11, 2005

વક્રો (curves) અવકાશમાં ગતિ કરતા બિંદુનો માર્ગ તે વક્ર. સામાન્ય અર્થમાં પેન્સિલ ઉપાડ્યા સિવાય કાગળ ઉપર લસરકો મારવાથી આલેખાયેલી આકૃતિ તે વક્ર છે. વૈકલ્પિક રીતે વક્રને સંવૃત અંતરીત(internal)ના સતત રૂપાંતરણને પરિણામે ઉદભવેલાં બિંદુઓના ગણ તરીકે ગણવામાં આવે છે. યામપદ્ધતિનો ઉપયોગ કરી યામો દ્વારા વક્રને સમીકરણના સ્વરૂપમાં વ્યક્ત કરવામાં આવે છે.…

વધુ વાંચો >

વક્રોક્તિ

Jan 11, 2005

વક્રોક્તિ : પ્રાચીન ભારતીય સાહિત્યશાસ્ત્રનો એક સિદ્ધાન્ત. કાવ્યમાં  પ્રધાન તત્વ કયું છે એ વિશે કુંતક કે કુંતલ નામના આચાર્ય(950)નો મત એવો છે કે કાવ્યનો આત્મા વક્રોક્તિ છે. કુંતકના મતે અલંકાર, રસ, ગુણ, રીતિ, ધ્વનિ – એ બધાં તત્વોનો સમાહાર વક્રોક્તિમાં થઈ જાય છે. કુંતકના શબ્દોમાં વક્રોક્તિ એટલે કવિકર્મના કૌશલની શોભાભરી…

વધુ વાંચો >

વક્રોક્તિજીવિત

Jan 11, 2005

વક્રોક્તિજીવિત (ઈ. સ. 925 આસપાસ) : ભારતીય કાવ્યશાસ્ત્રનો આચાર્ય કુંતકે રચેલો વક્રોક્તિ વિશેનો અપૂર્ણ ગ્રંથ. આ ગ્રંથ ચાર ઉન્મેષોમાં વહેંચાયેલો છે. ચોથા ઉન્મેષમાં વચ્ચે વચ્ચે અને અંતે કેટલાક ફકરા પ્રાપ્ત થતા નથી. આ ગ્રંથમાં 165 કારિકાઓ પર સમજૂતી આપવામાં આવી છે. એમાં 500થી વધુ ઉદાહરણો આપવામાં આવ્યાં છે. પ્રથમ ઉન્મેષમાં…

વધુ વાંચો >

વઘઈવાલા, વેરા

Jan 11, 2005

વઘઈવાલા, વેરા (જ. 30 જુલાઈ 1923) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી 1947માં ચિત્રકલાનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યો. અમૂર્ત અભિવ્યક્તિ માટે જાણીતા વઘઈવાલા પીંછીના ઋજુ લસરકા વડે ઋજુ સ્પંદનોનું ઉદ્દીપન કરવામાં સક્ષમ છે. આ દૃષ્ટિએ તેમની કલાને અલ્પતમવાદી (minimalist) કહી શકાય. તેમણે ‘બૉમ્બે ડાઇન્ગ’માં ટેક્સ્ટાઇલ ડિઝાઇનર…

વધુ વાંચો >

વચનચિઠ્ઠી

Jan 11, 2005

વચનચિઠ્ઠી : જુઓ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટ.

વધુ વાંચો >

વચનામૃત

Jan 11, 2005

વચનામૃત : ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરનાર સ્વામી સહજાનંદે (1781-1830) પોતાના શિષ્યો અને અનુયાયીઓને ઉદ્દેશીને કહેલાં બોધવચનો. ઓગણીસમી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક નવજાગૃતિ(renaissance)નો યુગ બેઠો તેનાં પ્રથમ કિરણો સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ફૂટ્યાં હતાં. ઈ. સ. 1800માં ખ્રિસ્તી ધર્મપ્રચારકો ગુજરાતમાં પ્રવેશહક્ક મેળવવા મથી રહ્યા હતા ત્યારે અયોધ્યા નજીક છપૈયા ગામના વતની…

વધુ વાંચો >

વચલો માણસ (middle man)

Jan 11, 2005

વચલો માણસ (middle man) : વેચનારાઓ અને ખરીદનારાઓ વચ્ચે મધ્યવર્તી તરીકે વિવિધ પ્રકારની સેવાઓ આપીને કમાણી કરતી વ્યક્તિ કે પેઢી. આ વર્ગમાં વેપારીઓ, દલાલો, એજન્ટો વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મોટો વર્ગ વેપારીઓનો છે. ખેતરો અને કારખાનાંમાં પેદા થતી ચીજોને તેમના અંતિમ ગ્રાહકો સુધી પહોંચાડવાની કામગીરી તેઓ બજાવે છે. તેમાં…

વધુ વાંચો >

વછનાગ

Jan 11, 2005

વછનાગ : દ્વિદળી વર્ગમાં આવેલા રેનન્કયુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aconitum ferox Wall. exser (સં. વત્સનાભ, હિં. બચનાગ, સિગિયાવિષ, બં. કાટબિષ, મ. બચનાગ, ગુ. વછનાગ, ક. મલ. વત્સનાભી, ત. વશનાબી, તે. અતિવસનાભી) છે. તે કાશ્મીર, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, ગડવાઈ, દાર્જીલિંગ અને નેપાળમાં 3,600 મી.ની ઊંચાઈ સુધી વન્ય બહુવર્ષાયુ…

વધુ વાંચો >