૧૫.૨૦

મંચુરિયાથી મા આનંદમયી

મંચુરિયા

મંચુરિયા : ચીનના ઈશાન ભાગમાં આવેલો પ્રદેશ. મંચુરિયા એ ઈશાન ચીન વિસ્તાર માટે અપાયેલું યુરોપિયન નામ છે. આજે પણ ચીનમાં મંચુરિયાને માત્ર ‘ઈશાન ભાગ’ એવા ટૂંકા નામથી ઓળખાવવામાં આવે છે. ભૌગોલિક સ્થાન : તે 47° 00´ ઉ. અ. અને 125° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 12,30,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી…

વધુ વાંચો >

મંજીખાં

મંજીખાં (જ. 1888; અ. 1937) : હિંદુસ્તાની સંગીતના જયપુર ઘરાનાના સુપ્રસિદ્ધ ગાયક. તેઓ અગ્રણી સંગીતકાર અલ્લાદિયાખાંસાહેબના પુત્ર હતા. એમના પૂર્વજો હિન્દુ હતા. સ્વામી હરિદાસથી તેમની પરંપરા માનવામાં આવે છે. ઔરંગઝેબના જમાનામાં ધર્મપરિવર્તનને કારણે તેઓ મુસલમાન બન્યા હતા એમ કહેવાય છે. મંજીખાંએ ધ્રુપદ-ગાયકીની તાલીમ સૌપ્રથમ પોતાના કાકા હૈદરખાં પાસેથી મેળવી હતી.…

વધુ વાંચો >

મંજુકેશાનંદ સ્વામી

મંજુકેશાનંદ સ્વામી (જ. અઢારમી સદીનો ઉત્તરાર્ધ, માણાવદર; અ. 1863) : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંતકવિઓ પૈકીના એક. આ સંતકવિના જન્મસમય અને પૂર્વાશ્રમના નામ વિશે કોઈ જ વિગત પ્રાપ્ત થતી નથી. પિતા વાલાભાઈ, માતા જેતબાઈ. મંજુકેશાનંદ તેઓ સદગુરુ સ્વયંપ્રકાશાનંદ સ્વામીના યોગમાં આવ્યા અને તેમની સાથે ગઢપુર પહોંચ્યા. ભગવાન સ્વામિનારાયણે તેમને મહાદીક્ષા આપી…

વધુ વાંચો >

મંજુશ્રી

મંજુશ્રી : બૌદ્ધ ધર્મની મહાયાન શાખાના બોધિસત્વ તરીકે પ્રસિદ્ધ સંત. બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યું છે કે મંજૂશ્રીની પૂજા માનવીમાં ડહાપણ, અપૂર્વ યાદદાસ્ત, બૌદ્ધિકક્ષમતા, વાકચાતુર્ય અને ધાર્મિક રહસ્યને સમજવાની શક્તિ આપે છે. આથી ઘણા લોકો તેમની વિવિધ સ્વરૂપે પૂજા કરે છે. બૌદ્ધ ગ્રંથો એમને શાક્યમુનિ (ગૌતમ બુદ્ધ) સાથે સાંકળે છે. નામસંગીતિ નામના…

વધુ વાંચો >

મંડપ (પલ્લવ)

મંડપ (પલ્લવ) : દક્ષિણ ભારતના પલ્લવ રાજ્યમાં સાતમી સદી દરમિયાન વિકસેલો વિશિષ્ટ સ્થાપત્ય-પ્રકાર. એમાં ડુંગરની અંદર ગુફાની જેમ દેવાલય કંડારવામાં આવે છે. આ શૈલોત્કીર્ણ દેવાલયને ત્યાં સામાન્ય રીતે ‘મંડપમ્’ તરીકે ઓળખવામાં આવે છે. આ શૈલીનો પ્રારંભ પલ્લવનરેશ મહેન્દ્રવર્મા(610–640)એ કરેલો અને તેના ઉત્તરાધિકારી નરસિંહવર્મા(640–668)એ એનો વિકાસ કરેલો. મહેન્દ્રવર્માએ કંડારાવેલ 14 મંડપો…

વધુ વાંચો >

મંડલ પંચ

મંડલ પંચ : 1977 બાદ કેન્દ્રમાં સત્તા પર આવેલી જનતા પાર્ટી-(મોરારજી દેસાઈ – વડાપ્રધાન)ની સરકારે ડિસેમ્બર 1978માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો(અન્ય પછાત વર્ગો અથવા અધર બૅકવર્ડ ક્લાસિઝ – OBC)ની સ્થિતિની તપાસ કરવા અને તેમના ઉત્કર્ષ તેમજ કલ્યાણ માટે જરૂરી ઉપાયો સૂચવવા માટે બિન્દેશ્વરીપ્રસાદ મંડલના અધ્યક્ષપદે નીમેલું એક પંચ.…

વધુ વાંચો >

મંડલા

મંડલા : સ્થાન-સીમા-વિસ્તાર : મધ્યપ્રદેશના જબલપુર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 45´ ઉ. અ. અને 80° 45´ પૂ. રે.ની આજુબાજુનો 13,269 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વમાં શાહડોલ જિલ્લો, પૂર્વ અને અગ્નિ તરફ બિલાસપુર અને રાજનંદગાંવ જિલ્લા,…

વધુ વાંચો >

મંડળ (ગણિત)

મંડળ (ગણિત) : પૂર્ણાંકોની જેમ જેમાં સરવાળા, બાદબાકી અને ગુણાકારની ક્રિયાઓ છૂટથી થઈ શકે તે ગણ. મંડળમાં સંખ્યાઓ જ હોય તે જરૂરી નથી. મંડળો શ્રેણિકોથી પણ બની શકે, સતત વિધેયો પણ મંડળ રચી શકે અને મંડળના સભ્યો બહુપદીઓ પણ હોઈ શકે. આ કારણે ઉપર સરવાળા, બાદબાકી અને ગુણાકારનો ઉલ્લેખ છે…

વધુ વાંચો >

મંડળ (aureole) ભૂસ્તર

મંડળ (aureole) ભૂસ્તર : ગ્રૅનાઇટ, ગ્રૅનોડાયોરાઇટ કે અન્ય આગ્નેય અંતર્ભેદકોની આજુબાજુ તેની ગરમી તથા ઉષ્ણબાષ્પીય પ્રક્રિયાની અસર હેઠળ આવેલા પ્રાદેશિક ખડકમાંથી તૈયાર થયેલો સંસર્ગ-વિકૃતિજન્ય પરિવર્તિત વિભાગ. તે સંપર્કમંડળ કે વિકૃતિજન્ય મંડળ તરીકે ઓળખાય છે. અંતર્ભેદકની સર્વપ્રથમ અસર પ્રાદેશિક ખડકની કણરચના અને ખનિજઘટકો પર થતી હોય છે. સંપર્કસીમા પર વધુમાં વધુ…

વધુ વાંચો >

મંડી

મંડી : હિમાચલ પ્રદેશની લગભગ મધ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 31° 13´ 50´´થી 32° 04´ 30´´ ઉ. અ. અને 76° 37´ 20´´થી 77° 23´ 15´´ પૂ. રે. વચ્ચેનો 3,950 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં કાંગરા જિલ્લો, પૂર્વમાં…

વધુ વાંચો >

મંડેલા, (ડૉ.) નેલ્સન રોલિલાહલા

Jan 20, 2002

મંડેલા, (ડૉ.) નેલ્સન રોલિલાહલા (જ. 18 જુલાઈ 1918, કૂનુ, ઉમટાટા, ટ્રાન્સકી, દક્ષિણ આફ્રિકા) : રંગભેદ વિરુદ્ધ અશ્વેત પ્રજાના સ્વાતંત્ર્ય અને અધિકારોની લડતના શક્તિશાળી નેતા, રાજનીતિજ્ઞ, ધારાશાસ્ત્રી અને રંગભેદમુક્ત દક્ષિણ આફ્રિકાના પ્રથમ પ્રમુખ. તેમના પિતા સ્થાનિક થેમ્બુ (Thembu) જાતિના મુખી હતા. તેમણે થેમ્બુ રૉયલ લિનિયેજ સંસ્થામાં અભ્યાસ કર્યો. વિદ્યાર્થી-રાજકારણમાં ભાગ લેતાં…

વધુ વાંચો >

મંડોવર

Jan 20, 2002

મંડોવર : ગુજરાતના સોલંકી શૈલીના મંદિરમાં ગર્ભગૃહના પીઠની ઉપર ચણવામાં આવતી દીવાલનો અલંકૃત ભાગ. એની રચના અનેકવિધ સમતલ થરો દ્વારા થતી હોય છે. મહામંદિરોમાં સાધારણ રીતે આ થરોમાં નીચેથી ઉપરના ક્રમે જોતાં ખુરક, કુંભક, કલશ, કપોતાલી (કેવાલ), મંચિકા, જંઘા, ઉદગમ, ભરણી, શિરાવટી, મહાકેવાલ અને કૂટછાદ્ય નામે ઓળખાતા થરો જોવામાં આવે…

વધુ વાંચો >

મંત્ર

Jan 20, 2002

મંત્ર : સંસ્કૃત ભાષાના ચમત્કારિક અક્ષર, પદ કે વાક્ય, જે ઉચ્ચારવાથી ઇષ્ટસાધક અને અનિષ્ટનિવારક અસર ઉત્પન્ન કરે. વળી જેનું મનન કરવાથી મનુષ્યનું રક્ષણ થાય તેને પણ ‘મંત્ર’ કહેવાય છે. ખાસ કરીને વેદની ઋચાઓને ‘મંત્ર’ શબ્દથી ઓળખવામાં આવે છે. આ વૈદિક મંત્રો (1) પ્રગીત અને (2) અપ્રગીત – એમ બે પ્રકારના…

વધુ વાંચો >

મંથન (ચલચિત્ર)

Jan 20, 2002

મંથન (ચલચિત્ર) (1976) : સહકારી ડેરી-પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખીને બનાવાયેલું ચલચિત્ર. એક પ્રકારનું પ્રચારાત્મક ચિત્ર હોવા છતાં અને માત્ર દસ્તાવેજી ચિત્ર બની રહેવાની પૂરી સંભાવના ધરાવતું હોવા છતાં રસપ્રદ કથા અને કુશળ દિગ્દર્શનને કારણે તે મનોરંજક ચિત્ર બની રહે છે. ભાષા : હિન્દી-ગુજરાતી મિશ્ર. રંગીન. નિર્માણ-સંસ્થા : સહ્યાદ્રિ ફિલ્મ્સ. દિગ્દર્શક :…

વધુ વાંચો >

મંથરા

Jan 20, 2002

મંથરા : વાલ્મીકિના રામાયણનું ગૌણ પાત્ર. ભગવાન રામના પિતા દશરથની ત્રીજી પત્ની કૈકેયીની તે દાસી હતી. કૈકેયીના પિયરથી તે તેની સાથે આવેલી. કૈકયનો પ્રદેશ હાલના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આવેલો મનાય છે. પૂર્વજન્મમાં મંથરા દુંદુભિ નામની ગંધર્વસ્ત્રી હતી. શરીરે ત્રણ ઠેકાણેથી તે વાંકી હોવાથી તેનું બીજું નામ ‘ત્રિવક્રા’ પણ હતું. મંથરા…

વધુ વાંચો >

મંદ દ્રાવણો

Jan 20, 2002

મંદ દ્રાવણો (dilute solutions) : દ્રાવક(solvent)ની સરખામણીમાં દ્રાવ્ય (solute) (ઓગળેલો પદાર્થ) ઓછા જથ્થામાં હાજર હોય તેવી પ્રણાલી. આવાં દ્રાવણો માટેના સામાન્ય નિયમો કોઈ પણ મંદ દ્રાવણ (વાયુ + પ્રવાહી; પ્રવાહી + પ્રવાહી, ……. વગેરે) માટે વાપરી શકાય છે; પરંતુ સામાન્ય રીતે ઘન પદાર્થના પ્રવાહીમાંનાં દ્રાવણ માટે તેમનો વધુ ઉપયોગ થાય…

વધુ વાંચો >

મંદસૌર

Jan 20, 2002

મંદસૌર : મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગમાં ઇન્દોર વિભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 24° 04´ ઉ. અ. અને 75° 04´ પૂ. રે.ની આજુબાજુનો 9,791 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ તરફ રાજસ્થાનના ચિતોડગઢ, ભીલવાડા, કોટા અને ઝાલાવાડ જિલ્લા તથા દક્ષિણ તરફ…

વધુ વાંચો >

મંદારમરંદચંપૂ

Jan 20, 2002

મંદારમરંદચંપૂ : ભારતીય અલંકારશાસ્ત્ર વિશે કૃષ્ણકવિએ લખેલો કાવ્યગ્રંથ. કૃષ્ણકવિનો જન્મ સોળમી સદીના અંતભાગમાં ગુહપુરમાં થયેલો અને તેમણે પોતાનું જીવન ત્યાં જ ગાળેલું. તેમના ગુરુનું નામ વાસુદેવ યોગીન્દ્ર (કે યોગીશ્વર) હતું. તેમના ગુરુ વાસુદેવ આઠ ભાષાઓમાં રસભરી કવિતા રચવામાં કુશળ હતા. ‘મંદારમરંદચંપૂ’ નિર્ણયસાગર પ્રેસે પ્રગટ કર્યો છે. તેની બીજી આવૃત્તિ 1924માં…

વધુ વાંચો >

મંદિર-સ્થાપત્ય

Jan 20, 2002

મંદિર-સ્થાપત્ય કોઈ પણ દેવતાની પૂજા-ઉપાસના કે પ્રાર્થના માટેનું પવિત્ર વસ્તુ કે પ્રતીકો ધરાવતું વિશિષ્ટ સ્થાપત્ય. આવું સ્થાપત્ય સાધારણ રીતે કોઈ ધર્મ-સંપ્રદાય સાથે સંકળાયેલું હોય છે. રચના પરત્વે એમાં નાના, સાદા એકાદા ખંડ કે મઢૂલીથી માંડીને શિખર કે મિનારાબંધ ભવ્ય પ્રાસાદ-સ્વરૂપનાં બાંધકામો જોવામાં આવે છે. એમાંનાં ઘણાં દેવતાની મૂર્તિ કે ચિત્ર…

વધુ વાંચો >

મા આનંદમયી

Jan 20, 2002

મા આનંદમયી (જ. 30 એપ્રિલ 1896, ખેવડા, ત્રિપુરા; અ. 27 ઑગસ્ટ 1982) : વર્તમાન ભારતનાં અગ્રણી મહિલા સંતોમાંનાં એક. પિતા બિપિનબિહારી ભટ્ટાચાર્ય વિદ્યાકૂટ(હવે બાંગલાદેશમાં)ના ઈશ્વરભક્ત બ્રાહ્મણ કવિ હતા. માતા મોક્ષદાસુંદરી આદર્શ આર્ય ગૃહિણી હતાં. માનું બાળપણનું નામ નિર્મલાસુંદરી. બાળપણમાં જ તેમનામાં આધ્યાત્મિક લક્ષણો પ્રગટવા લાગ્યાં. તેજસ્વી સૌંદર્યવાળાં, પ્રેમભાજન, આજ્ઞાંકિત, સહાય…

વધુ વાંચો >