૧૫.૧૪

મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલથી મહાકાલ

મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ

મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ (Cerebrospinal Fluid, CSF) : મગજ અને કરોડરજ્જુ(મેરુરજ્જુ)ની આસપાસ તથા તેમની અંદરના પોલાણમાં વહન કરતું વિશિષ્ટ પ્રકારનું પેશીપ્રવાહી. મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ (મમે-જલ) મુખ્ય 3 કાર્યો કરે છે – મગજને બહારના આંચકાઓ સામે રક્ષણ આપે છે, તેમાંનાં ચયાપચયી શેષ-દ્રવ્યોને દૂર કરે છે અને તેના કોષોને ઑક્સિજન તથા પોષક દ્રવ્યો પૂરાં પાડે છે. તેનાં…

વધુ વાંચો >

મસ્તિષ્કી અંગઘાત

મસ્તિષ્કી અંગઘાત (cerebral palsy) : નવજાત શિશુના વિકસતા મગજને થતી સ્થાયી ઈજાથી થતો લકવા જેવો વિકાર. તે પછીથી વધતો નથી. આમ તે વર્ધનશીલ (progressive) વિકાર હોતો નથી. તેનાં કારણોમાં મગજને ઓછો મળેલો ઑક્સિજનનો પુરવઠો (અનૉક્સિતા, anoxia), મગજમાં લોહી વહી જવું (મસ્તિષ્કી રુધિરસ્રાવ, cerebral haemorrhage) તથા મગજ કે તેના આવરણોમાં લાગેલા…

વધુ વાંચો >

મસ્તિષ્કી આભાસી અર્બુદ

મસ્તિષ્કી આભાસી અર્બુદ (pseudotumour cerebri) : મગજમાં ગાંઠ થયેલી ન હોય, પરંતુ તેના જેવી સ્થિતિ કે લક્ષણો સર્જતો વિકાર. તેમાં ખોપરીની અંદર દબાણ વધે છે માટે તેને અજ્ઞાતમૂલ અંત:કર્પરી અતિદાબ (idiopathic intracranial hypertension) અથવા સૌમ્ય અંત:કર્પરી અતિદાબ (benign intracranial hypertension, BIH) પણ કહે છે. સામાન્ય રીતે તેનું તરતનું કારણ મગજ-કરોડરજ્જુની…

વધુ વાંચો >

મસ્તિષ્કી રુધિરગંઠન

મસ્તિષ્કી રુધિરગંઠન : જુઓ મસ્તિષ્કી રુધિરાભિસરણ અને તેના વિકારો

વધુ વાંચો >

મસ્તિષ્કી રુધિરસ્રાવ

મસ્તિષ્કી રુધિરસ્રાવ : જુઓ મસ્તિષ્કી રુધિરાભિસરણ અને તેના વિકારો

વધુ વાંચો >

મસ્તિષ્કી રુધિરાભિસરણ અને તેના વિકારો

મસ્તિષ્કી રુધિરાભિસરણ અને તેના વિકારો મગજમાં લોહીનું પરિભ્રમણ અને તેના વિકારો થવા તે. મગજને મહાધમની(aorta)ની શાખાઓમાંથી ઉદભવતી 4 ધમનીઓ, ડાબી અને જમણી અંત:શીર્ષગત ધમનીઓ (internal carotid arteries) તથા ડાબી અને જમણી મણિકાગત ધમનીઓ (vertebral arteries) વડે લોહીનો પુરવઠો મળે છે. તે ઑક્સિજન તથા પોષણ લાવે છે તથા તેનો કચરો દૂર…

વધુ વાંચો >

મસ્તિષ્કી વીજાલેખન

મસ્તિષ્કી વીજાલેખન (electroencephalography) : મગજની વિદ્યુત-પ્રક્રિયાઓનો આલેખ નોંધવાની ક્રિયા. તેના આલેખને મસ્તિષ્કી વીજાલેખ (electroencephalogram, EEG) કહે છે. મગજના વિવિધ વિકારોના નિદાનમાં તે સરળ, સસ્તી અને આધારભૂત પદ્ધતિ ગણાય છે. માથા પરના વાળ જ્યાં સામાન્ય રીતે ઊગે તે ભાગને શીર્ષવલ્ક(scalp) કહે છે. મગજની વિદ્યુત-ક્રિયાને નોંધવા માટે શીર્ષવલ્ક પર બે જુદાં જુદાં…

વધુ વાંચો >

મસ્તિષ્કી શલ્યસ્થાનાંતરતા

મસ્તિષ્કી શલ્યસ્થાનાંતરતા : જુઓ મસ્તિષ્કી રુધિરાભિસરણ અને તેના વિકારો

વધુ વાંચો >

મસ્તિષ્કી સપૂયગડ

મસ્તિષ્કી સપૂયગડ (cerebral abscess) : મગજમાં ગૂમડું થવું તે. મગજમાં પરુ કરતો ચેપ લોહી દ્વારા, આસપાસના અવયવોમાંથી કે ઈજા પછી ફેલાય છે. આશરે 20 % દર્દીઓમાં તેનું મૂળ કારણ જાણી શકાતું નથી. મધ્યકર્ણમાં લાગેલો ચેપ કે ચહેરાના હાડકાનાં અસ્થિવિવરો(sinuses)માંનો ચેપ સીધેસીધો કે તેમની નસો દ્વારા અવળા માર્ગે મગજમાં પહોંચે છે.…

વધુ વાંચો >

મસ્નવી

મસ્નવી : એક કાવ્યપ્રકાર. તે ઉર્દૂ ઉપરાંત ફારસી, તુર્કી તથા એ ભાષાઓથી પ્રભાવિત થયેલી બીજી ભારતીય ભાષાઓમાં પ્રચલિત છે. ‘મસ્નવી’ શબ્દ અરબી છે અને તે ‘સના’ ઉપરથી બન્યો છે. અરબીમાં ‘સના’નો અર્થ બે થાય છે. મસ્નવી કાવ્યપ્રકારમાં દરેક પંક્તિ(બૈત)ના બે ભાગ (મિસરાઓ) સપ્રાસ હોય છે; પરંતુ ગઝલ, કસીદા વગેરેની જેમ…

વધુ વાંચો >

મહત્તમ અને લઘુતમ મૂલ્યો

Jan 14, 2002

મહત્તમ અને લઘુતમ મૂલ્યો (maximum–minimum values) : અપેક્ષિત બિંદુથી તદ્દન નજીકના બિંદુ પરનાં મૂલ્યો કરતાં વધારે કે ઓછાં સ્થાનિક મૂલ્યો. વિધેયનું y મૂલ્ય, અપેક્ષિત બિંદુથી તદ્દન નજીકના (આગળના કે પાછળના) બિંદુ પરનાં મૂલ્યો કરતાં વધારે હોય તો તે મૂલ્ય વિધેયનું સ્થાનિક મહત્તમ (local maximum) મૂલ્ય છે અને વિધેય દર્શાવતા વક્ર…

વધુ વાંચો >

મહત્ – મહાન્

Jan 14, 2002

મહત્ – મહાન્ : સાંખ્યદર્શનમાં બુદ્ધિવાચક શબ્દ. બાહ્ય જગતની દૃષ્ટિએ એ વિરાટ-બીજ છે તેથી તેને મહતત્વ કહે છે. આભ્યંતરિક દૃષ્ટિએ આ એવી બુદ્ધિ છે જે જીવમાત્રમાં વિદ્યમાન રહે છે. અને તે જ્ઞાતા-જ્ઞેયના અન્યોન્ય ભેદાભેદનો નિશ્ચય અને નિર્ણય કરે છે. સાંખ્યદર્શન અનુસાર સૃષ્ટિ-પ્રક્રિયાનું મુખ્ય કારણ મહત્ જ છે. તદનુસાર પ્રકૃતિ અને…

વધુ વાંચો >

મહદૂર, ગુલામ અહમદ

Jan 14, 2002

મહદૂર, ગુલામ અહમદ (જ. 1895, માંગી, પુલબાયા, કાશ્મીર; અ. 1952) : કાશ્મીરી લેખક. મધ્યવર્ગીય પીર કુટુંબમાં જન્મ. એમણે ફારસી તથા અરબી ભાષા શીખી અને કાશ્મીરની બહાર અનેક સ્થળોનો પ્રવાસ કર્યો. 19 વર્ષની વયે તેઓ ગામના તલાટી બન્યા. એમના સમકાલીન કેટલાક ખ્યાતનામ કવિઓ વિશેષત: રસૂલ મીરના સંપર્કમાં આવ્યા અને એમને ગુરુ…

વધુ વાંચો >

મહફૂજ, નજીફ

Jan 14, 2002

મહફૂજ, નજીફ (જ. 1911, જમાલિયા, ઇજિપ્ત) : 1988ના વર્ષના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકવિજેતા ઇજિપ્તવાસી નવલકથાકાર. સનદી અધિકારીના તેઓ સાતમા સંતાન હતા. 1934માં તેઓ કેરો યુનિવર્સિટીમાંથી ફિલસૂફીના વિષયમાં સ્નાતક થયા અને ઇજિપ્તની સનદી સેવાના સાંસ્કૃતિક વિભાગમાં જોડાયા અને 1971માં ત્યાંથી નિવૃત્ત થયા. તેઓ અરબી ભાષામાં લખે છે. તેમની બારેક નવલકથાઓના અંગ્રેજીમાં…

વધુ વાંચો >

મહમૂદ ગઝ્નવી

Jan 14, 2002

મહમૂદ ગઝ્નવી (જ. 971; અ. 1030, ગઝ્ના, અફઘાનિસ્તાન) : ભારત ઉપર સત્તર જેટલી ચડાઈઓ કરનાર ગઝ્નવી વંશનો ગઝ્નાનો સુલતાન. તેણે યુદ્ધની તાલીમ લીધી અને તેના પિતા સબુક્તેગીનની ભારત ઉપરની ચડાઈઓમાં તે ભાગ લેતો હતો. પિતાના અવસાન (998) સમયે તે ખુરાસાનનો હાકેમ હતો. ભાઈ ઇસ્માઈલને લડાઈમાં હરાવી તે ગઝ્નાની ગાદીએ બેઠો.…

વધુ વાંચો >

મહમૂદ ગાવાન

Jan 14, 2002

મહમૂદ ગાવાન (જ. 1411, જીલાન, ઈરાન; અ. 14 એપ્રિલ 1481, બિદર, દક્ષિણ ભારત) : બહમની રાજ્યનો મુખ્ય વજીર. (વકીલુસ્ સલ્તનત). આશરે ઈ. સ. 1452માં બહમની રાજ્યના સુલતાન અલાઉદ્દીન અહમદશાહ બીજા(1435–1458)ના શાસન દરમિયાન તે વેપાર કરવા ભારતમાં આવ્યો હતો. પરિસ્થિતિ જોઈને તેણે રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માંડ્યો. તેની કુશળતા, મુત્સદ્દીગીરી અને…

વધુ વાંચો >

મહમૂદ શર્કી

Jan 14, 2002

મહમૂદ શર્કી (ઈ. સ. 1440–1457) : ઉત્તરપ્રદેશમાં વારાણસીથી વાયવ્યમાં 55 કિમી. દૂર આવેલ જૉનપુરનો શર્કી વંશનો સુલતાન. તેનો પિતા ઇબ્રાહીમશાહ શક્તિશાળી, બુદ્ધિશાળી અને બહુમુખી પ્રતિભા ધરાવતો હતો. તેણે જૉનપુરને ઇસ્લામી વિદ્યાનું કેન્દ્ર બનાવ્યું હતું. મહમૂદશાહે પિતાની નીતિનો અમલ કર્યો. તેણે ચુનારમાં થયેલો બળવો કચડી નાખી તે પ્રદેશનો મોટો ભાગ જીતી…

વધુ વાંચો >

મહમૂદશાહ

Jan 14, 2002

મહમૂદશાહ (ઈ. સ. 1436–1469) : માળવાનો સુલતાન અને માળવામાં ખલજી વંશનો સ્થાપક. માળવાના વિલાસી અને શરાબી સુલતાન મોહમ્મદશાહ(1435–1436)ને તેના વજીર મહમૂદ ખલજીએ ઝેર અપાવી મારી નંખાવ્યો. તે પછી ગાદીએ બેસનાર તેના તેર વરસના પુત્ર મસઊદને હરાવી, મહમૂદ ખલજી સુલતાન બન્યો. તે મહત્વાકાંક્ષી અને બહાદુર સિપાહસાલાર (સેનાપતિ) હતો. તેણે ગુજરાત, રાજસ્થાન…

વધુ વાંચો >

મહમૂદશાહ સુલતાન પહેલો (બેગડો)

Jan 14, 2002

મહમૂદશાહ સુલતાન પહેલો (બેગડો) (જ. 1446, અમદાવાદ; અ. 23 નવેમ્બર 1511, અમદાવાદ) : ગુજરાતનો બહાદુર અને મહત્વાકાંક્ષી સુલતાન. તે સુલતાન મુહમ્મદશાહ બીજાનો નાનો પુત્ર ફતેહખાન હતો. તે 13 વર્ષની ઉંમરે ગાદીએ બેઠો અને તેણે ‘અબુલફત્હ મહમૂદશાહ’ ઇલકાબ ધારણ કર્યો. તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હોવાથી ઇતિહાસમાં ‘બેગડો’…

વધુ વાંચો >

મહમૂદશાહ સુલતાન ત્રીજો

Jan 14, 2002

મહમૂદશાહ સુલતાન ત્રીજો (જ. 1525; અ. 15 ફેબ્રુઆરી, 1554, મહેમદાવાદ, જિ. ખેડા) : ગુજરાતનો સુલતાન. તે સુલતાન બહાદુરશાહના ભાઈ લતીફખાનનો પુત્ર હતો. ખાનદેશના સુલતાન મુહમ્મદશાહ ત્રીજાની દેખરેખ હેઠળ રાજકેદી તરીકે તેનો ઉછેર થયો હતો. તેને અમદાવાદ લાવીને 8 ઑગસ્ટ, 1537ના રોજ તખ્તનશીન કરવામાં આવ્યો. સુલતાન સગીર વયનો હોવાથી અમીર દરિયાખાનહુસેન…

વધુ વાંચો >