૧૫.૧૪

મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલથી મહાકાલ

મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ

મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ (Cerebrospinal Fluid, CSF) : મગજ અને કરોડરજ્જુ(મેરુરજ્જુ)ની આસપાસ તથા તેમની અંદરના પોલાણમાં વહન કરતું વિશિષ્ટ પ્રકારનું પેશીપ્રવાહી. મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ (મમે-જલ) મુખ્ય 3 કાર્યો કરે છે – મગજને બહારના આંચકાઓ સામે રક્ષણ આપે છે, તેમાંનાં ચયાપચયી શેષ-દ્રવ્યોને દૂર કરે છે અને તેના કોષોને ઑક્સિજન તથા પોષક દ્રવ્યો પૂરાં પાડે છે. તેનાં…

વધુ વાંચો >

મસ્તિષ્કી અંગઘાત

મસ્તિષ્કી અંગઘાત (cerebral palsy) : નવજાત શિશુના વિકસતા મગજને થતી સ્થાયી ઈજાથી થતો લકવા જેવો વિકાર. તે પછીથી વધતો નથી. આમ તે વર્ધનશીલ (progressive) વિકાર હોતો નથી. તેનાં કારણોમાં મગજને ઓછો મળેલો ઑક્સિજનનો પુરવઠો (અનૉક્સિતા, anoxia), મગજમાં લોહી વહી જવું (મસ્તિષ્કી રુધિરસ્રાવ, cerebral haemorrhage) તથા મગજ કે તેના આવરણોમાં લાગેલા…

વધુ વાંચો >

મસ્તિષ્કી આભાસી અર્બુદ

મસ્તિષ્કી આભાસી અર્બુદ (pseudotumour cerebri) : મગજમાં ગાંઠ થયેલી ન હોય, પરંતુ તેના જેવી સ્થિતિ કે લક્ષણો સર્જતો વિકાર. તેમાં ખોપરીની અંદર દબાણ વધે છે માટે તેને અજ્ઞાતમૂલ અંત:કર્પરી અતિદાબ (idiopathic intracranial hypertension) અથવા સૌમ્ય અંત:કર્પરી અતિદાબ (benign intracranial hypertension, BIH) પણ કહે છે. સામાન્ય રીતે તેનું તરતનું કારણ મગજ-કરોડરજ્જુની…

વધુ વાંચો >

મસ્તિષ્કી રુધિરગંઠન

મસ્તિષ્કી રુધિરગંઠન : જુઓ મસ્તિષ્કી રુધિરાભિસરણ અને તેના વિકારો

વધુ વાંચો >

મસ્તિષ્કી રુધિરસ્રાવ

મસ્તિષ્કી રુધિરસ્રાવ : જુઓ મસ્તિષ્કી રુધિરાભિસરણ અને તેના વિકારો

વધુ વાંચો >

મસ્તિષ્કી રુધિરાભિસરણ અને તેના વિકારો

મસ્તિષ્કી રુધિરાભિસરણ અને તેના વિકારો મગજમાં લોહીનું પરિભ્રમણ અને તેના વિકારો થવા તે. મગજને મહાધમની(aorta)ની શાખાઓમાંથી ઉદભવતી 4 ધમનીઓ, ડાબી અને જમણી અંત:શીર્ષગત ધમનીઓ (internal carotid arteries) તથા ડાબી અને જમણી મણિકાગત ધમનીઓ (vertebral arteries) વડે લોહીનો પુરવઠો મળે છે. તે ઑક્સિજન તથા પોષણ લાવે છે તથા તેનો કચરો દૂર…

વધુ વાંચો >

મસ્તિષ્કી વીજાલેખન

મસ્તિષ્કી વીજાલેખન (electroencephalography) : મગજની વિદ્યુત-પ્રક્રિયાઓનો આલેખ નોંધવાની ક્રિયા. તેના આલેખને મસ્તિષ્કી વીજાલેખ (electroencephalogram, EEG) કહે છે. મગજના વિવિધ વિકારોના નિદાનમાં તે સરળ, સસ્તી અને આધારભૂત પદ્ધતિ ગણાય છે. માથા પરના વાળ જ્યાં સામાન્ય રીતે ઊગે તે ભાગને શીર્ષવલ્ક(scalp) કહે છે. મગજની વિદ્યુત-ક્રિયાને નોંધવા માટે શીર્ષવલ્ક પર બે જુદાં જુદાં…

વધુ વાંચો >

મસ્તિષ્કી શલ્યસ્થાનાંતરતા

મસ્તિષ્કી શલ્યસ્થાનાંતરતા : જુઓ મસ્તિષ્કી રુધિરાભિસરણ અને તેના વિકારો

વધુ વાંચો >

મસ્તિષ્કી સપૂયગડ

મસ્તિષ્કી સપૂયગડ (cerebral abscess) : મગજમાં ગૂમડું થવું તે. મગજમાં પરુ કરતો ચેપ લોહી દ્વારા, આસપાસના અવયવોમાંથી કે ઈજા પછી ફેલાય છે. આશરે 20 % દર્દીઓમાં તેનું મૂળ કારણ જાણી શકાતું નથી. મધ્યકર્ણમાં લાગેલો ચેપ કે ચહેરાના હાડકાનાં અસ્થિવિવરો(sinuses)માંનો ચેપ સીધેસીધો કે તેમની નસો દ્વારા અવળા માર્ગે મગજમાં પહોંચે છે.…

વધુ વાંચો >

મસ્નવી

મસ્નવી : એક કાવ્યપ્રકાર. તે ઉર્દૂ ઉપરાંત ફારસી, તુર્કી તથા એ ભાષાઓથી પ્રભાવિત થયેલી બીજી ભારતીય ભાષાઓમાં પ્રચલિત છે. ‘મસ્નવી’ શબ્દ અરબી છે અને તે ‘સના’ ઉપરથી બન્યો છે. અરબીમાં ‘સના’નો અર્થ બે થાય છે. મસ્નવી કાવ્યપ્રકારમાં દરેક પંક્તિ(બૈત)ના બે ભાગ (મિસરાઓ) સપ્રાસ હોય છે; પરંતુ ગઝલ, કસીદા વગેરેની જેમ…

વધુ વાંચો >

મહમ્મદ અલી

Jan 14, 2002

મહમ્મદ અલી (જ. 17 જાન્યુઆરી 1942, લુઈવિલ, કેન્ટકી, યુ.એસ.) : પોતાને ગર્વથી ‘સર્વશ્રેષ્ઠ’ ઘોષિત કરનાર વીસમી સદીનો નોંધપાત્ર, અમેરિકી હબસી મુક્કાબાજ. તે જન્મે ખ્રિસ્તી હતો. કૅસિયસ માર્સેલસ ક્લે, જુનિયર–નામધારી આ હબસી બાળકને મુક્કાબાજીમાં રસ પડ્યો. તેણે ઝડપથી તેમાં કૌશલ્ય કેળવ્યું. 1960માં રોમમાં ઑલિમ્પિક રમતોમાં લાઇટ-હેવી વેઇટમાં તેણે સુવર્ણચંદ્રક મેળવી આંતરરાષ્ટ્રીય…

વધુ વાંચો >

મહમ્મદ-ઇબ્ન-મૂસા-અલ-ખ્વારિઝ્મી

Jan 14, 2002

મહમ્મદ-ઇબ્ન-મૂસા-અલ-ખ્વારિઝ્મી (જ. 780, ઇરાક; અ. 850, બગદાદ) : અરબી ગણિતશાસ્ત્રી. તે અલ-મામુ અને અલ-મુઆઝીમ ખલીફના શાસનકાળ એટલે કે ઇસ્લામિક વિજ્ઞાનના સુવર્ણયુગ દરમિયાન થઈ ગયો. અલ-ખ્વારિઝ્મીએ હિંદુ અંકોનો અરબસ્તાન મારફતે યુરોપના દેશોને પરિચય કરાવ્યો. વળી શૂન્ય તેમજ સંખ્યા દર્શાવવા માટેની હિંદુ અરબ દશાંકપદ્ધતિનો પણ પરિચય કરાવ્યો. કિતાબ-અલજબ્ર-વા-અલમુકાબલા (The book on Integration…

વધુ વાંચો >

મહમ્મદ રફી

Jan 14, 2002

મહમ્મદ રફી (જ. 4 ડિસેમ્બર 1924, કોટા સુલતાનસિંહ – હવે પાકિસ્તાનમાં; અ. 3 જુલાઈ 1980, મુંબઈ) : ભારતીય ચલચિત્ર-જગતના વિખ્યાત પાર્શ્વગાયક. પિતાનું નામ હાજી અલીમહમ્મદ તથા માતાનું નામ અલ્લારખી. ચૌદ વર્ષની વયે 1938માં લાહોર ગયા અને ત્યાં ખાન અબ્દુલ વહીદખાં, જીવણલાલ મટ્ટો અને ગુલામઅલીખાં પાસેથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી.…

વધુ વાંચો >

મહલ (ચલચિત્ર)

Jan 14, 2002

મહલ (ચલચિત્ર) (1949) : હિંદી ચિત્રોમાં પુનર્જન્મના કથાનકવાળાં ચિત્રો માટે પ્રેરણાસ્રોત ગણાતું પ્રશિષ્ટ રહસ્યચિત્ર. શ્વેત અને શ્યામ. ભાષા : હિંદી. નિર્માણ સંસ્થા : બૉમ્બે ટૉકિઝ. દિગ્દર્શક-કથા-પટકથા-સંવાદ : કમાલ અમરોહી. ગીત : નક્શાબ. છબિકલા : જૉસેફ વિર્ચિંગ. સંગીત : ખેમચંદ પ્રકાશ. મુખ્ય કલાકારો : અશોકકુમાર, મધુબાલા, કુમાર, વિજયલક્ષ્મી, કનુ રાય. દિગ્દર્શક…

વધુ વાંચો >

મહંત, કેશવ

Jan 14, 2002

મહંત, કેશવ (જ. 1926, મિજિકાજન ચા-બગીચા, શોણિતપુર, આસામ) : અસમિયા કવિ. તેમને ‘મોર જે કિમાન હેયાહ’ નામક ગીત-સંગ્રહ માટે ભારતીય સાહિત્ય અકાદમીનો 1993ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. શાળાના વિદ્યાર્થીકાળ દરમિયાન 1930ના દશકામાં તેમણે વાર્તાઓ લખવાથી શરૂઆત કર્યા પછી કવિતા તથા ગીતો લખવા માંડ્યાં. અસમિયાના શંકરદેવ, લક્ષ્મીનાથ બેજબરુઆ, જ્યોતિપ્રસાદ અગ્રવાલ તથા…

વધુ વાંચો >

મહંમદ પેગંબર

Jan 14, 2002

મહંમદ પેગંબર (જ. 29 ઑગસ્ટ 570, મક્કા, અરબસ્તાન; અ. 12 જૂન, 632, મદીના) : ઇસ્લામના સ્થાપક અને પેગંબર. મક્કાના હાકેમ તથા મુહાફિઝ અને કાબાના પવિત્ર ધામના મુખી બની હાશિમના નામે ઓળખાતા અબ્દમુનાફના કુરેશ કુટુંબમાં તેઓ જન્મ્યા હતા. તેમના પિતાનું નામ અબ્દુલ્લા તથા માતાનું નામ અમીના હતું. તેમના જન્મ અગાઉ પિતા…

વધુ વાંચો >

મહંમદ યૂનુસ

Jan 14, 2002

મહંમદ યૂનુસ (જ. 28 જૂન 1940, બથુઆ, હાથાઝારી, ચિતાગોંગ) : 2006ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારવિજેતા, પ્રથમ અને એકમાત્ર બાંગ્લાદેશી (નોબેલ પુરસ્કાર મહંમદ યૂનુસ અને ગ્રામીણ વિકાસ બૅંકને સરખે હિસ્સે આપવામાં આવ્યો.) પિતા હાજી દુલામિયાં સોદાગર અને માતા સુફિયા ખાતૂન. પિતાનો આભૂષણોનો વ્યવસાય હતો. તેમનાં પત્નીનું નામ છે આફ્રોજી. તેમની બે…

વધુ વાંચો >

મહંમદી, નસરીન

Jan 14, 2002

મહંમદી, નસરીન (જ. 1937, કરાંચી; અ. 1990, વડોદરા) : ભારતીય મહિલા ચિત્રકાર. પિતા અશરફ અને માતા ઝૈનબનું સાતમું સંતાન. કરાંચી અને મુંબઈમાં શાળાનો અભ્યાસ કર્યા પછી 1954માં લંડન જઈ નસરીને સેંટ માર્ટિન સ્કૂલ ઑવ્ આર્ટમાંથી 1957માં ચિત્રકલાનો અને ડિઝાઇનનો ડિપ્લોમા મેળવ્યો. આ પછી એક વરસના બહેરીનના વસવાટના પરિણામે ત્યાંની મરુભૂમિ…

વધુ વાંચો >

મહાકાલ

Jan 14, 2002

મહાકાલ : ગુજરાતનું એક જાણીતું આધ્યાત્મિક માસિક. શ્રીમન્નૃસિંહાચાર્યે ઈ.સ. 1882માં ‘શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ’ની સ્થાપના કરી. વર્ગના વિદ્વાન સાધકો છોટાલાલ જીવણલાલ માસ્તર (વિશ્વવંદ્ય), નર્મદાશંકર મહેતા, નગીનદાસ સંઘવી વગેરેને લાગ્યું કે આર્ય સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાન્તોના પ્રસાર માટે, ધર્મક્ષેત્રમાં પ્રવર્તતી અણસમજ કે ગેરસમજણને દૂર કરવા માટે તથા અધ્યાત્મજીવનનાં મૂલ્યોનું સંમાર્જન કરવા…

વધુ વાંચો >