૧૫.૦૩

મડીકેરેથી મત્સ્યેંદ્રનાથ

મડીકેરે

મડીકેરે : કર્ણાટક રાજ્યના કોડુગુ (કોડાગુ અથવા કૂર્ગ) જિલ્લાનું વડું વહીવટી મથક. તેનું બીજું નામ મડીકેરે અથવા મધુકેરે છે. ભૌગોલિક સ્થાન : 12o 257´ ઉ. અ. અને 75o 447´ પૂ. રે. તે કર્ણાટક–કેરળ સરહદ નજીક, મૅંગલોરથી અગ્નિકોણમાં, મૅંગલોર–મૈસૂર ધોરી માર્ગ પર, પશ્ચિમ ઘાટની ટેકરીઓમાં 1,16૦ મીટરની ઊંચાઈ પર આવેલું છે.…

વધુ વાંચો >

મણકાની તકતીના રોગો

મણકાની તકતીના રોગો : પીઠમાં આવેલા કરોડસ્તંભના બે મણકાની જોડ વચ્ચે આવેલી તકતીના રોગો. બે મણકાની વચ્ચે આવેલી તકતીને આંતરમણકા તકતી (intervertebral disc) કહે છે. તેના મુખ્ય 3 ભાગ છે : કાસ્થિમય અંતિમ ચકતી (cartilage end-plate), મૃદુનાભિ (neucleus pulposus) અને તંતુમય વલયિકા (annulus fibrosus). કરોડના મણકા અને તકતી વચ્ચે પાતળી…

વધુ વાંચો >

મણકાપટ્ટી ઉચ્છેદન

મણકાપટ્ટી ઉચ્છેદન : જુઓ મણકાની તકતીના રોગો

વધુ વાંચો >

મણકારુગ્ણતા

મણકારુગ્ણતા (spondylosis) : ધીમે ધીમે શરૂ થઈને વધતો જતો કરોડસ્તંભના મણકાનો અપજનનશીલ (degenerative) વિકાર. સામાન્ય રીતે તે ડોકના વિસ્તારમાં કે કમર(કટિ)ના વિસ્તારમાં જોવા મળે છે. ડોકમાં થતી મણકારુગ્ણતાને ગ્રીવાલક્ષી મણકારુગ્ણતા (cervical spondylosis) કહે છે. જ્યારે કેડમાં થતા વિકારને કટિલક્ષી મણકારુગ્ણતા (lumbar spondylosis) કહે છે. (1) ગ્રીવાલક્ષી મણકારુગ્ણતા : સામાન્ય રીતે…

વધુ વાંચો >

મણકાશોથ, બદ્ધસંધિ

મણકાશોથ, બદ્ધસંધિ (ankylosing spondylitis) : સતત વધતો જતો અને સાંધાઓને અક્કડ બનાવતો પીડાકારક સાંધાના સોજા(શોથ)નો વિકાર. તેને મેરી-સ્ટ્રુમ્પેલ(Marie-Strumpell)નો રોગ પણ કહે છે. પીડાકારક સોજો કરતા વિકારને શોથ (inflammation) કહે છે. આ વિકારમાં મુખ્યત્વે કરોડસ્તંભના સૌથી નીચે આવેલા ત્રિકાસ્થિ (sacrum) નામના હાડકા અને નિતંબના હાડકા વચ્ચે આવેલો સાંધો અસરગ્રસ્ત થાય છે.…

વધુ વાંચો >

મણકાશોફ ગ્રીવા

મણકાશોફ ગ્રીવા : જુઓ મણકારુગ્ણતા

વધુ વાંચો >

મણાકુ

મણાકુ (અઢારમી સદીનો પૂર્વાર્ધ; જ. અને અ. ગુલેર, હિમાચલ પ્રદેશ) : પહાડી લઘુચિત્રકલાના પ્રસિદ્ધ ચિત્રકાર. બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા સેઉ અને ભાઈ નયનસુખ પણ પ્રસિદ્ધ પહાડી ચિત્રકારો હતા. ચિત્રકલાનો વ્યવસાય અપનાવ્યો હોવાથી સમગ્ર પરિવારે પોતાને બ્રાહ્મણને બદલે સુથાર ગણાવવાનું પસંદ કર્યું હતું. પરિવારની મૂળ અટક મિશ્રા પણ તેમણે ત્યજી દીધી…

વધુ વાંચો >

મણિપુર

મણિપુર : ભારતના પૂર્વદ્વારે આવેલું નાનું ડુંગરાળ રાજ્ય. તે પ્રાચીન કાળથી ઇતિહાસ અને પુરાણમાં પ્રચલિત છે. આ રાજ્ય ‘રત્નોના પ્રદેશ’ (Land of Gems) તરીકે ઓળખાય છે. એક લોકવાયકા એવી પણ છે કે શિવપાર્વતીનું નૃત્ય નીરખવા માટે સ્વયં અનંત (શેષનાગ) અહીં પધારેલા અને તેમની ફેણમાં રહેલા મણિના તેજથી આખો પ્રદેશ દિવસો…

વધુ વાંચો >

મણિપુરી નૃત્ય

મણિપુરી નૃત્ય : ભારતના ઈશાન પ્રદેશનું વિશિષ્ટટ શૈલી ધરાવતું શાસ્ત્રીય નૃત્ય. ભારતના ઈશાન સીમાડા પરના મણિપુર રાજ્યના વીસ હજાર ચોકિમી.ના વિસ્તારમાં ડુંગરો અને પહાડો છે. આથી તેની 2⁄3 વસ્તી બાકીના સપાટ-ખીણ પ્રદેશમાં વસે છે. આ પ્રદેશ તેના કુદરતી સૌંદર્યને લીધે શોભે છે તેથી જ કદાચ તેનું નામ ‘મણિપુર’ પડ્યું હશે.…

વધુ વાંચો >

મણિપુરી ભાષા અને સાહિત્ય

મણિપુરી ભાષા અને સાહિત્ય : સિનોટિબેટન ભાષાકુળની બે મહત્વની શાખાઓ, તેમાંની એક તે ટિબેટો-બર્મન જૂથ, તેની સાથે મણિપુરી સંકળાયેલી છે. બ્રાયન હૉટન હૉજ્સને આ ભાષાનો પ્રથમ અભ્યાસ કર્યો. તે પછી જ્યૉર્જ ગ્રિયર્સને મણિપુરીનાં મૂળ અને તેની વિલક્ષણતાઓ વિશે અભ્યાસ કર્યો. મણિપુરીને કાચીનમાં બોલાતી ભાષા સાથે સૌથી ગાઢ નાતો હોવાનું તેણે…

વધુ વાંચો >

મત્તવિલાસપ્રહસનમ્

Jan 3, 2002

મત્તવિલાસપ્રહસનમ્ : સંસ્કૃતમાં મહેન્દ્રવિક્રમે રચેલું પ્રહસન પ્રકારનું રૂપક. એમાં થયેલા ઉલ્લેખ મુજબ પલ્લવ વંશના રાજા સિંહવિષ્ણુવર્માના પુત્ર મહેન્દ્રવિક્રમવર્મા (પ્રથમ) આ પ્રહસનના લેખક છે. સિંહવિષ્ણુવર્મા સમય 575થી 6૦૦ સુધીનો મનાય છે. વિવિધ શિલાલેખોના પરીક્ષણથી મહેન્દ્રવિક્રમ રાજાનાં ‘ગુણભર’, ‘શત્રુમલ્લ’, ‘મત્તવિલાસ’, ‘અવનિભંજન’ વગેરે ઉપનામો મળી આવે છે; જેનો ઉલ્લેખ આ પ્રહસનમાં થયેલો છે.…

વધુ વાંચો >

મત્તાનચેરી

Jan 3, 2002

મત્તાનચેરી : કેરળ રાજ્યમાં અરબી સમુદ્રકાંઠે, કોચીન પાસે આવેલું એક જૂનું નગર. 197૦માં આ નગરને કોચીનમાં ભેળવી દેવામાં આવેલું છે. આ નગર વિશેષે કરીને તો યહૂદી કોમના ‘પરદેશી દેવળ’ તેમજ કોચીનના રાજાઓના મહેલ માટે જાણીતું છે. આ પરદેશી દેવળ 1568માં બાંધવામાં આવેલું. 1664માં પૉર્ટુગીઝો દ્વારા તેના કેટલાક ભાગનો નાશ થયેલો,…

વધુ વાંચો >

મત્સરી

Jan 3, 2002

મત્સરી : જુઓ ભાવક

વધુ વાંચો >

મત્સ્ય (અવતાર)

Jan 3, 2002

મત્સ્ય (અવતાર) : ભારતીય પુરાણો મુજબ ભગવાન વિષ્ણુના દસ મુખ્ય અવતારોમાંનો પ્રથમ અવતાર. તેને લીલાવતાર પણ કહે છે. પુરાણો મુજબ, વિષ્ટણુના 24 અવતારો છે. શ્રીમદભાગવત આમાંથી દશને મુખ્ય ગણે છે. વિષ્ણુએ આ અવતાર ધારણ કર્યો, ત્યારે જે પુરાણનું કથન કર્યું હતું, તે ‘મત્સ્યપુરાણ’ કહેવાય છે. અઢાર મહાપુરાણોમાં ક્રમમાં તે સોળમું…

વધુ વાંચો >

મત્સ્ય (પ્રદેશ)

Jan 3, 2002

મત્સ્ય (પ્રદેશ) : સપ્તસિંધુ-પ્રદેશમાં આવેલો એક ભૂ-ખંડ. હાલનો પૂર્વ રાજસ્થાનનાં ભરતપુર, અલવર, ધૌલપુર અને કરૌલીનો પ્રદેશ પ્રાચીન કાળમાં મત્સ્યદેશ કહેવાતો. 1948માં તે મત્સ્ય યુનિયન કહેવાયો અને પછી સાર્વભૌમ ભારતમાં મળી ગયો. ઋગ્વેદ(VII/18/6)માં વર્ણવાયેલા દાશરાજ્ઞ યુદ્ધમાં મત્સ્ય જાતિનો ઉલ્લેખ છે. તેઓ સુદાસના પ્રતિપક્ષમાં હતા. કુરુક્ષેત્ર, પાંચાલ, શૂરસેન અને મત્સ્ય પ્રદેશોને બ્રહ્મર્ષિના…

વધુ વાંચો >

મત્સ્ય ગરુડ

Jan 3, 2002

મત્સ્ય ગરુડ (Pallas’s Fishing Eagle) : ભારતનું વતની, પરંતુ ફક્ત શિયાળાનું મહેમાન પંખી. તેનું લૅટિન નામ Haliaeetus leucoryphus છે. તે Falconoformes વર્ગનું, Accipityidae કુળનું છે. ગોત્ર Aquila. તેનું કદ ગીધથી નાનું, 76થી 84 સેમી. જેટલું હોય છે. તે અત્યંત વેધક નજરવાળું પંખી છે. છેડે કાળા પટ્ટાવાળી સફેદ પૂંછડીથી તે ઓળખાય…

વધુ વાંચો >

મત્સ્યર્દષ્ટિ લેન્સ

Jan 3, 2002

મત્સ્યર્દષ્ટિ લેન્સ : પોતાની સમક્ષ આવેલા ર્દષ્ટિક્ષેત્ર(field of vision)ની સંપૂર્ણપણે છબી લઈ શકે તેવો, 18૦° સુધીનું વિશાળ ર્દષ્ટિ-ક્ષેત્ર ધરાવતો, વિશિષ્ટ પ્રકારનો વિસ્તૃતર્દષ્ટિ (wide-angle) લેન્સ. કોઈ પણ કૅમેરાલેન્સ માટે બે અગત્યના ગુણાંક છે  એક તેનો ફોકલ અંક (focal ratio) અને બીજો તેનું કોણીય ર્દષ્ટિક્ષેત્ર. ફોકલ અંક એ લેન્સની ફોકલ લંબાઈ અને…

વધુ વાંચો >

મત્સ્યન્યાય

Jan 3, 2002

મત્સ્યન્યાય : રાજ્ય અથવા શાસક (રાજા) ન હોય ત્યારે જે પરિસ્થિતિ પ્રવર્તતી હોય તે દર્શાવવા માટે ભારતીય પ્રાચીન ચિંતનમાં થતો શબ્દપ્રયોગ. તેનો અર્થ છે, મોટી માછલી નાની માછલીને ગળી જાય એવી પરિસ્થિતિ. તેને મત્સ્યગલાગલ કહે છે. ‘બળિયાના બે ભાગ’ અથવા ‘મારે તેની તલવાર’ અથવા ‘શેરને માથે સવા શેર’ જેવી ગુજરાતી…

વધુ વાંચો >

મત્સ્યપુરાણ

Jan 3, 2002

મત્સ્યપુરાણ : અઢાર પુરાણોમાંનું એક પુરાણ. તેના 291 અધ્યાયો અને લગભગ 14,૦૦૦ શ્લોકો છે. નારદીય પુરાણના મતે તેના 15,૦૦૦ શ્લોકો છે, અપરાર્કના મતે 13,૦૦૦ શ્લોકો અને દેવીભાગવતના મતે 19,૦૦૦ શ્લોકો છે. ડૉ. વી. રાઘવને મત્સ્યપુરાણની ઉપલબ્ધ પ્રતોમાંથી 3૦ હસ્તપ્રતો પસંદ કરી તેમનું પૂર્વોત્તરીય, પૂર્વીય, પશ્ચિમોત્તરીય, ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય,…

વધુ વાંચો >

મત્સ્યભોજ

Jan 3, 2002

મત્સ્યભોજ (Osprey) : હિમાલયનું વતની અને શિયાળાનું યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ Pandion haliaetus. વર્ગ : Falconiformes; કુળ: Pandionidae. કદ સમળીથી નાનું, 56 સેમી. ઉપરનું શરીર ઘેરું બદામી. પેટાળ સફેદ. છાતી પર આડા બદામી પટાને લીધે ગળે હાર પહેર્યો હોય તેવું લાગે. માથે સફેદ નાની કલગી. ઊડે ત્યારે સફેદ પેટાળમાં…

વધુ વાંચો >