૧૫.૦૩

મડીકેરેથી મત્સ્યેંદ્રનાથ

મત્સ્ય-સંવર્ધન

મત્સ્ય-સંવર્ધન : નદી, તળાવ જેવાં જળાશયોમાંથી મત્સ્યબીજ એકઠાં કરીને, તેમજ અન્ય આંતરપ્રદેશીય જળાશયોમાં મત્સ્ય-બીજનું ઉત્પાદન કરી, બીજના ઉછેરથી પુખ્ત માછલી પ્રાપ્ત કરવાની યોજના. મત્સ્યઉદ્યોગની ર્દષ્ટિએ અગત્યની ગણવામાં આવતી મીઠાં જળાશયોની મોટા ભાગની માછલીઓ સંવનનકાળ દરમિયાન લાખો કે કરોડોની સંખ્યામાં ઈંડાં મૂકતી હોય છે. ઈંડાંનાં ફલનથી વિવિધ જળાશયોમાં જન્મેલાં બચ્ચાંને પકડીને…

વધુ વાંચો >

મત્સ્યાલય

મત્સ્યાલય (aquarium) : શોખને ખાતર અથવા તો પ્રદર્શનાર્થે ખોલવામાં આવતાં જલજીવોનાં સંગ્રહસ્થાનો. આ મત્સ્યાલયો સાવ નાની બરણી (bowl) અને કાચની ટાંકી(glass tanks)ઓથી માંડીને મોટાં જળાશયો કે જળાશયોના સમૂહો ધરાવતાં હોય છે. આમ તો સેંકડો વર્ષોથી માનવી ખોરાક માટે માછલીઓને ખાસ બનાવેલ જળાશયમાં રાખતો આવ્યો છે. અઢારમી સદીની શરૂઆતમાં શોખને ખાતર…

વધુ વાંચો >

મત્સ્યેંદ્રનાથ

મત્સ્યેંદ્રનાથ(નવમી સદી) : નાથ સંપ્રદાયના પ્રવર્તક સિદ્ધયોગી. તેઓ ‘મીનપાલ’, ‘મીનનાથ’, ‘મીનાનાથ’, ‘મચ્છેન્દ્રપા’, ‘મચ્છન્દરનાથ’ના નામે પણ પ્રસિદ્ધ છે. તેમના જીવન વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે. તે પરથી જણાય છે કે તેઓ જાતિએ માછીમાર હતા અને પૂર્વ ભારતમાં કામરૂપ અર્થાત આસામ પ્રદેશમાં સંભવત: ચંદ્રગિરિ કે ચંદ્રદ્વીપની  સમીપ લૌહિત્યનદના તટે રહેતા હતા. આ…

વધુ વાંચો >

મડીકેરે

Jan 3, 2002

મડીકેરે : કર્ણાટક રાજ્યના કોડુગુ (કોડાગુ અથવા કૂર્ગ) જિલ્લાનું વડું વહીવટી મથક. તેનું બીજું નામ મડીકેરે અથવા મધુકેરે છે. ભૌગોલિક સ્થાન : 12o 257´ ઉ. અ. અને 75o 447´ પૂ. રે. તે કર્ણાટક–કેરળ સરહદ નજીક, મૅંગલોરથી અગ્નિકોણમાં, મૅંગલોર–મૈસૂર ધોરી માર્ગ પર, પશ્ચિમ ઘાટની ટેકરીઓમાં 1,16૦ મીટરની ઊંચાઈ પર આવેલું છે.…

વધુ વાંચો >

મણકાની તકતીના રોગો

Jan 3, 2002

મણકાની તકતીના રોગો : પીઠમાં આવેલા કરોડસ્તંભના બે મણકાની જોડ વચ્ચે આવેલી તકતીના રોગો. બે મણકાની વચ્ચે આવેલી તકતીને આંતરમણકા તકતી (intervertebral disc) કહે છે. તેના મુખ્ય 3 ભાગ છે : કાસ્થિમય અંતિમ ચકતી (cartilage end-plate), મૃદુનાભિ (neucleus pulposus) અને તંતુમય વલયિકા (annulus fibrosus). કરોડના મણકા અને તકતી વચ્ચે પાતળી…

વધુ વાંચો >

મણકાપટ્ટી ઉચ્છેદન

Jan 3, 2002

મણકાપટ્ટી ઉચ્છેદન : જુઓ મણકાની તકતીના રોગો

વધુ વાંચો >

મણકારુગ્ણતા

Jan 3, 2002

મણકારુગ્ણતા (spondylosis) : ધીમે ધીમે શરૂ થઈને વધતો જતો કરોડસ્તંભના મણકાનો અપજનનશીલ (degenerative) વિકાર. સામાન્ય રીતે તે ડોકના વિસ્તારમાં કે કમર(કટિ)ના વિસ્તારમાં જોવા મળે છે. ડોકમાં થતી મણકારુગ્ણતાને ગ્રીવાલક્ષી મણકારુગ્ણતા (cervical spondylosis) કહે છે. જ્યારે કેડમાં થતા વિકારને કટિલક્ષી મણકારુગ્ણતા (lumbar spondylosis) કહે છે. (1) ગ્રીવાલક્ષી મણકારુગ્ણતા : સામાન્ય રીતે…

વધુ વાંચો >

મણકાશોથ, બદ્ધસંધિ

Jan 3, 2002

મણકાશોથ, બદ્ધસંધિ (ankylosing spondylitis) : સતત વધતો જતો અને સાંધાઓને અક્કડ બનાવતો પીડાકારક સાંધાના સોજા(શોથ)નો વિકાર. તેને મેરી-સ્ટ્રુમ્પેલ(Marie-Strumpell)નો રોગ પણ કહે છે. પીડાકારક સોજો કરતા વિકારને શોથ (inflammation) કહે છે. આ વિકારમાં મુખ્યત્વે કરોડસ્તંભના સૌથી નીચે આવેલા ત્રિકાસ્થિ (sacrum) નામના હાડકા અને નિતંબના હાડકા વચ્ચે આવેલો સાંધો અસરગ્રસ્ત થાય છે.…

વધુ વાંચો >

મણકાશોફ ગ્રીવા

Jan 3, 2002

મણકાશોફ ગ્રીવા : જુઓ મણકારુગ્ણતા

વધુ વાંચો >

મણાકુ

Jan 3, 2002

મણાકુ (અઢારમી સદીનો પૂર્વાર્ધ; જ. અને અ. ગુલેર, હિમાચલ પ્રદેશ) : પહાડી લઘુચિત્રકલાના પ્રસિદ્ધ ચિત્રકાર. બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા સેઉ અને ભાઈ નયનસુખ પણ પ્રસિદ્ધ પહાડી ચિત્રકારો હતા. ચિત્રકલાનો વ્યવસાય અપનાવ્યો હોવાથી સમગ્ર પરિવારે પોતાને બ્રાહ્મણને બદલે સુથાર ગણાવવાનું પસંદ કર્યું હતું. પરિવારની મૂળ અટક મિશ્રા પણ તેમણે ત્યજી દીધી…

વધુ વાંચો >

મણિપુર

Jan 3, 2002

મણિપુર : ભારતના પૂર્વદ્વારે આવેલું નાનું ડુંગરાળ રાજ્ય. તે પ્રાચીન કાળથી ઇતિહાસ અને પુરાણમાં પ્રચલિત છે. આ રાજ્ય ‘રત્નોના પ્રદેશ’ (Land of Gems) તરીકે ઓળખાય છે. એક લોકવાયકા એવી પણ છે કે શિવપાર્વતીનું નૃત્ય નીરખવા માટે સ્વયં અનંત (શેષનાગ) અહીં પધારેલા અને તેમની ફેણમાં રહેલા મણિના તેજથી આખો પ્રદેશ દિવસો…

વધુ વાંચો >

મણિપુરી નૃત્ય

Jan 3, 2002

મણિપુરી નૃત્ય : ભારતના ઈશાન પ્રદેશનું વિશિષ્ટટ શૈલી ધરાવતું શાસ્ત્રીય નૃત્ય. ભારતના ઈશાન સીમાડા પરના મણિપુર રાજ્યના વીસ હજાર ચોકિમી.ના વિસ્તારમાં ડુંગરો અને પહાડો છે. આથી તેની 2⁄3 વસ્તી બાકીના સપાટ-ખીણ પ્રદેશમાં વસે છે. આ પ્રદેશ તેના કુદરતી સૌંદર્યને લીધે શોભે છે તેથી જ કદાચ તેનું નામ ‘મણિપુર’ પડ્યું હશે.…

વધુ વાંચો >

મણિપુરી ભાષા અને સાહિત્ય

Jan 3, 2002

મણિપુરી ભાષા અને સાહિત્ય : સિનોટિબેટન ભાષાકુળની બે મહત્વની શાખાઓ, તેમાંની એક તે ટિબેટો-બર્મન જૂથ, તેની સાથે મણિપુરી સંકળાયેલી છે. બ્રાયન હૉટન હૉજ્સને આ ભાષાનો પ્રથમ અભ્યાસ કર્યો. તે પછી જ્યૉર્જ ગ્રિયર્સને મણિપુરીનાં મૂળ અને તેની વિલક્ષણતાઓ વિશે અભ્યાસ કર્યો. મણિપુરીને કાચીનમાં બોલાતી ભાષા સાથે સૌથી ગાઢ નાતો હોવાનું તેણે…

વધુ વાંચો >