૧૪.૨૧

ભાસથી ભીલસા

ભાસ

ભાસ (ઈ. પૂ. 500 આશરે) સંસ્કૃત ભાષાના પ્રાચીન નાટ્યકાર. ઈ. પૂ. ઘણાં વર્ષો પહેલાં થયેલા આ પ્રાચીન નાટ્યકાર વિશે અત્યારે કશી આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી. અનુશ્રુતિ અનુસાર તેઓ धावक એટલે ધોબીના પુત્ર હતા. તેમણે નાટ્યકાર બનીને ઘણી કીર્તિ મેળવી હતી. તેમણે ઉત્તર અને પૂર્વ ભારતનાં રાજ્યો તથા નગરોનો ઉલ્લેખ કર્યો…

વધુ વાંચો >

ભાસ્કર (ઉપગ્રહ)

ભાસ્કર (ઉપગ્રહ) : ભારતના પ્રાયોગિક કક્ષાના ભૂ-અવલોકન ઉપગ્રહોની પ્રથમ શ્રેણીમાંનો કોઈ પણ ઉપગ્રહ. આ શ્રેણીમાં બે ઉપગ્રહો હતા – ભાસ્કર-1 અને ભાસ્કર-2. ભાસ્કર-1 ઉપગ્રહ સોવિયેત રશિયામાંથી 7 જૂન, 1979ના રોજ 525 કિમી.ની ઊંચાઈ પર લગભગ વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. તેની કક્ષાનો નમનકોણ 51° હતો. ભૂ-અવલોકન માટે તેમાં બે…

વધુ વાંચો >

ભાસ્કરન, પી.

ભાસ્કરન, પી. (જ. 1924) : મલયાળમ લેખક. પ્રગતિશીલ વિચારસરણીના તેઓ અગ્રેસર કવિ હતા. રાજકારણમાં ઝંપલાવ્યું હોવાથી કૉલેજનું શિક્ષણ તેમને અધવચ્ચેથી જ છોડવું પડ્યું. પછી સામ્યવાદી પક્ષના સક્રિય કાર્યકર્તા થયા અને જેલવાસ પણ ભોગવ્યો. સામ્યવાદી પક્ષના દૈનિક ‘દેશાભિમાની’ના તંત્રીમંડળમાં એમણે સેવા આપી. થોડાં વર્ષો પછી એ રાજકારણમાંથી નિવૃત્ત થયા અને સાહિત્યિક…

વધુ વાંચો >

ભાસ્કરાચાર્ય (1)

ભાસ્કરાચાર્ય (1) (ઈ. સ. 600) : આર્યભટ્ટના શિષ્ય. લઘુભાસ્કરીય અને મહાભાસ્કરીય ગ્રંથોના રચયિતા. તેમણે આર્યભટ્ટના ખગોળશાસ્ત્રના સિદ્ધાંતો વિકસાવ્યા અને તેના પર ભાષ્ય રચ્યું. પહેલા પરિમાણના અનિશ્ચિત સમીકરણના ક્ષેત્રમાં તેમનો મોટો ફાળો છે. તેના ખગોળશાસ્ત્રમાં થતા ઉપયોગ અંગેનાં ઉદાહરણ પણ તેમણે આપેલાં છે. તેમના જીવન વિશે વધુ માહિતી મળતી નથી. શિવપ્રસાદ…

વધુ વાંચો >

ભાસ્કરાચાર્ય (2)

ભાસ્કરાચાર્ય (2) (ઈ. સ. 1144–1223) : ભારતીય જ્યોતિષશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી. વેદ, કર્મકાંડ અને સાહિત્યના જ્ઞાતા. પિતાનું નામ મહેશ્વર ભટ્ટ. ગોત્ર શાંડિલ્ય, વંશ ત્રિવિક્રમ. જન્મનું સ્થળ : ભાસ્કરાચાર્યે કરેલા ઉલ્લેખ મુજબ – યાદવોની રાજધાની દેવગિરિ (દોલતાબાદ) પાસે સહ્યાદ્રિ ચાંદવડના પર્વતની પાસે વિજ્જલવિડ. ઉજ્જૈનની વેધશાળાના અધ્યક્ષ હતા અને ત્યાં જ મૃત્યુ પામ્યા.…

વધુ વાંચો >

ભાંગ

ભાંગ : દ્વિદળી વર્ગમાં આવેલા કૅનાબિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cannabis sativa Linn. (સં. विजया; બં., ગુ., મ., હિં. ભાંગ, ચરસ, ગાંજા; ફા. ફિન્નાવિષ, વરકુલ ખયાલ, શવનવંગ; અં. ઇંડિયન હેમ્પ) છે. તે પશ્ચિમ હિમાલયમાં ‘વન્ય’ તરીકે થાય છે અને ભારતના મોટાભાગના પ્રદેશોમાં ‘પલાયન’ (escape) જાતિ તરીકે પુષ્કળ પ્રમાણમાં…

વધુ વાંચો >

ભાંગરો

ભાંગરો : દ્વિદળી વર્ગમાં આવેલા કુળ ઍસ્ટરેસીની  એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Echipta alba (Linn.) Hassk. (સં. भृंगराज भार्कव, केशराज; हिं, भांगरा; બં. ભીમરાજ; મ. માકા; ગુ. ભાંગરો; ક. ગરક; તે. ગુંટકલ, ગરચેટુ; મલા. કુન્ન; ફા. જમર્દર) છે. તે ટટ્ટાર અથવા ભૂપ્રસારી (prostrate), બહુશાખિત, નતરોમી (strigose) અને એકવર્ષાયુ (annual) શાકીય…

વધુ વાંચો >

ભાંડારકર, દેવદત્ત રામકૃષ્ણ

ભાંડારકર, દેવદત્ત રામકૃષ્ણ (જ. 19 નવેમ્બર 1875; અ. 30 મે 1950) : સુપ્રસિદ્ધ ભારતીય વિદ્યાવિદ અને પુરાવસ્તુશાસ્ત્રી. પિતા રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર પ્રસિદ્ધ વિદ્વાન હતા. દેવદત્ત પુણેની ડેક્કન કૉલેજમાંથી 1896માં બી.એ. થયા અને કાયદો ભણવા માંડ્યા. એવામાં ભગવાનલાલ ઇંદ્રજી સુવર્ણચંદ્રક અને એ નામના પ્રાઇઝ માટેની સંશોધન-નિબંધસ્પર્ધા યોજાતાં તેમાં ભાગ લઈ ‘એ…

વધુ વાંચો >

ભાંડારકર, મધુર

ભાંડારકર, મધુર (જ. 26 ઑગસ્ટ 1968, મુંબઈ) : હિંદી ચલચિત્રોના વિખ્યાત દિગ્દર્શક અને પટકથા તથા કથાલેખક. તેમનો જન્મ મહારાષ્ટ્રીય સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો છે. તેમનું સમગ્ર શિક્ષણ મુંબઈમાં. ચલચિત્ર વ્યવસાયમાં દાખલ થયા તે પૂર્વે મુંબઈના ઉપનગર ખાર ખાતે તેઓ ભરણપોષણના સાધન તરીકે વીડિયો કૅસેટનું સંગ્રહાલય (library) ચલાવતા હતા, જેના માધ્યમથી…

વધુ વાંચો >

ભાંડારકર, રામકૃષ્ણ ગોપાળ

ભાંડારકર, રામકૃષ્ણ ગોપાળ (જ. 5 જુલાઈ 1837, માલવણ, જિ. રત્નાગિરિ; અ. 24 ઑગસ્ટ 1925, પુણે) : પ્રખર વિદ્વાન, સંશોધક, સમાજસુધારક, ભાષાશાસ્ત્રી અને ઇતિહાસવેત્તા. પિતા મામલતદાર કચેરીના અવલ કારકુન હતા. માતાનું નામ રમાબાઈ. મૂળ અટક પત્કી, પણ પૂર્વજો સરકારી ખજાનાનું કામ સંભાળતા હોઈ ‘ભાંડારકર’ અટક પ્રચલિત થઈ. પ્રાથમિક શિક્ષણ માલવણની સ્થાનિક…

વધુ વાંચો >

ભિખારીદાસ

Jan 21, 2001

ભિખારીદાસ (અઢારમી સદીમાં હયાત. ટ્રયોંગા, જિ. પ્રતાપગઢ, ઉત્તર ભારત) : હિંદી સાહિત્યના રીતિકાલીન આચાર્ય. કવિઓમાં સર્વાધિક આદરણીય કવિ. કાયસ્થ પરિવારમાં જન્મ. સને 1725–1760નો સમયગાળો તેમની કાવ્યરચનાનો ગાળો માનવામાં આવે છે. કેટલોક સમય તેમણે પ્રતાપગઢના રાજા પૃથ્વીસિંહના ભાઈ હિંદુપતિસિંહના દરબારમાં ગાળ્યો હતો. ભિખારીદાસના રચેલા 7 ગ્રંથો મળે છે : ‘રસસારાંશ’, ‘કાવ્યનિર્ણય’,…

વધુ વાંચો >

ભિખ્ખુ

Jan 21, 2001

ભિખ્ખુ : બૌદ્ધ ધર્મનો સાધુ. તે નમ્ર, ગુરુની આજ્ઞાનો પાલક, કષ્ટ અને વિઘ્ન સહન કરનારો, પવિત્ર અંત:કરણવાળો, સ્થિર મનનો અને બીજાએ આપેલ ભોજનથી જીવન વિતાવનારો હોય છે. ભિક્ષુઓમાં સંન્યાસી, બ્રહ્મચારી, વિદ્યાર્થી, ગુરુનું પોષણ કરનાર, પ્રવાસી અને પરાન્નભોજી એવા 6 પ્રકારો હોય છે. બ્રહ્મદેશમાં તેને પુંગી કહે છે અને તે લોકોની…

વધુ વાંચો >

ભિન્ડ

Jan 21, 2001

ભિન્ડ : મધ્યપ્રદેશના ચંબલ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 25° 25´થી 26° 48´ ઉ. અ. અને 78° 12´થી 79° 05´ પૂ. રે. વચ્ચેનો 4,459 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઈશાનમાં અને પૂર્વમાં ઉત્તર પ્રદેશના આગ્રા, ઇટાવાહ, જાલોન જિલ્લા; દક્ષિણે રાજ્યના…

વધુ વાંચો >

ભિન્નતા

Jan 21, 2001

ભિન્નતા (variation) : એક જ જાતના હોવા છતાં તેના કોઈ પણ બે સભ્યો વચ્ચે અમુક અંશે દેખાતી વિવિધતા. સજીવોના શરીરમાં આવેલા જુદા જુદા પ્રકારનાં જનીન સંકુલો, સજીવના વિકાસ દરમિયાન સંકળાયેલો પાર્યાવરણિક તફાવત, ભૌગોલિક વિસ્તાર, આનુવંશિકતાની ક્રિયાવિધિ, અલગીકરણ (isolation) એમ અનેક કારણોસર ભિન્નતા ઉદભવે છે. ભિન્નતા પ્રત્યે સૌપ્રથમ ધ્યાન સજીવોની ઉત્ક્રાંતિના…

વધુ વાંચો >

ભિન્નતાલક્ષી મનોવિજ્ઞાન

Jan 21, 2001

ભિન્નતાલક્ષી મનોવિજ્ઞાન (differential psychology) : વર્તનમાં રહેલા વ્યક્તિગત (અને કેટલાક જૂથગત) ભેદોનું વસ્તુલક્ષી ગુણાત્મક અને સંખ્યાત્મક અન્વેષણ કરતું વિજ્ઞાન. માણસોની ભિન્નતાઓ બે પ્રકારની હોય છે : (1) એક વ્યક્તિ અને બીજી વ્યક્તિ વચ્ચેના તફાવતો અને (2) એક જ વ્યક્તિમાં જુદા જુદા સમયે પ્રગટતા તફાવતો. ચહેરાનો આકાર, કે વ્યક્તિત્વ-લક્ષણો ગુણાત્મક ભેદો…

વધુ વાંચો >

ભિન્નમાલ

Jan 21, 2001

ભિન્નમાલ : પ્રાચીન ગુર્જરદેશનું પાટનગર. સાતમી સદીમાં શ્રીમાલ-ભિલ્લમાલ-ભિન્નમાલની આસપાસનો પ્રદેશ ગુર્જરદેશ કહેવાતો. આ પ્રદેશ હાલ આબુના વાયવ્યે, આજના રાજસ્થાનના નૈર્ઋત્ય ભાગમાં આવેલો છે. પ્રાચીન ગુર્જરદેશનું પહેલું રાજકીય તથા સાંસ્કૃતિક પાટનગર શ્રીમાલ કે ભિલ્લમાલ ગણાય છે. ભિલ્લમાલ અંગે શ્રીમાલપુરાણ કે શ્રીમાલમાહાત્મ્ય રચાયું છે. આ પુરાણમાં એના નામ પડવા અંગેની કથા આપેલી…

વધુ વાંચો >

ભિલાઈ

Jan 21, 2001

ભિલાઈ : છત્તીસગઢ રાજ્યના દુર્ગ જિલ્લામાં આવેલું નગર અને દેશનું મહત્ત્વનું લોખંડ-પોલાદનું ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 21° 13´ ઉ. અ. અને 81° 26´ પૂ. રે. તે દુર્ગ નગરથી પૂર્વ તરફ થોડાક અંતરે દક્ષિણ–પશ્ચિમ રેલવિભાગમાં આવેલું છે. વ્યવસ્થિત યોજના કરીને નગરને બાંધવામાં આવેલું છે તેમાં શહેરના દસ વિભાગ (sectors) પાડેલા…

વધુ વાંચો >

ભિલામો

Jan 21, 2001

ભિલામો : દ્વિદળી વર્ગમાં આવેલા એનાકાર્ડિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Semecarpus anacardium Linn. f. (સં. भल्लातक; હિં. भेला, भीलावा; મ. बीबा; ગુ. ભિલામો; બં. ભેલા; અં. માર્કિંગ નટ્ટ) છે. તે 12 મી.થી 15 મી. ઊંચું, મધ્યમ કદનું, પર્ણપાતી વૃક્ષ છે. તેના થડનો ઘેરાવો લગભગ 1.25 મી. જેટલો હોય છે.…

વધુ વાંચો >

ભિવાની

Jan 21, 2001

ભિવાની : હરિયાણા રાજ્યનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 22´થી 29° 4´ 35´´ ઉ. અ. અને 75° 28´થી 76° 28´ 45´´ પૂ.રે. વચ્ચેનો 5140 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હિસ્સાર જિલ્લો, ઈશાન અને પૂર્વ તરફ રોહતક જિલ્લો; દક્ષિણ તરફ મહેન્દ્રગઢ જિલ્લો…

વધુ વાંચો >

ભિંડરાનવાલે, જરનૈલસિંઘ

Jan 21, 2001

ભિંડરાનવાલે, જરનૈલસિંઘ (જ. 1947, પંજાબ; અ. 4 જૂન 1984, અમૃતસર) : પંજાબના ખાલિસ્તાનવાદી કટ્ટર નેતા. શીખ ખેડૂત કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તેમણે શીખ ધર્મનું શિક્ષણ દમદમી તકસાલમાં મેળવ્યું અને ત્યારબાદ ત્યાં જ શીખ ધર્મગુરુ નિમાયા. 1971માં તેઓ મુખ્ય ધર્મગુરુ બન્યા. આ સમયે તેમને ભિંડરાનવાલે અટક મળી. શીખ ધર્મ ઉત્તમ…

વધુ વાંચો >