૧૪.૨૧

ભાસથી ભીલસા

ભીખાનંદી પંથ

ભીખાનંદી પંથ : ભારતના ઉત્તર પ્રદેશમાં પ્રચલિત અદ્વૈતવાદી ભક્તિસંપ્રદાય. આઝમગઢ(ઉ.પ્ર.)ના ખાનપુર બોહના ગામના સંત ભીખાનંદે (જ. ઈ. સ. 1714; અ. 1792) આ પંથ પ્રવર્તાવ્યો હતો. બ્રાહ્મણ (ચોબે) પરિવારના ભીખાનંદને નાનપણથી જ સાધુસંતોની સંગત પસંદ હતી. 12મે વર્ષે તેમને સંસારમાં જોડવા માટે તેમનાં લગ્ન લેવાયાં ત્યારે તે ઘર છોડીને દેશાટન માટે…

વધુ વાંચો >

ભીમ (1)

ભીમ (1) : મહાભારતનું જાણીતું પાત્ર. ભીમ તે ચંદ્રવંશી રાજા પાંડુની જ્યેષ્ઠ પત્ની કુન્તીના ત્રણમાંનો વચેટ પુત્ર અને પાંચમાંનો દ્વિતીય પાંડવ. વાયુદેવના મંત્રપ્રભાવથી જન્મેલા આ વાયુપુત્રનું શારીરિક બળ અસામાન્ય અને ભયપ્રદ હોવાથી તેને ‘ભીમ’ નામ મળ્યું. અતિપ્રદીપ્ત જઠરાગ્નિને કારણે તેનો આહાર અતિશય હોવાથી તે ‘વૃકોદર’ પણ કહેવાતો. બલરામનો આ શિષ્ય…

વધુ વાંચો >

ભીમ (2)

ભીમ (2) (ઈ. સ. 1410માં હયાત) : મધ્યકાલીન ગુજરાતી ભાષાના ‘રાસયુગ’ અને ‘આદિભક્તિયુગ’ના સંધિકાલે ‘સદયવત્સચરિત’ શીર્ષકથી ‘લૌકિક કથા’-કાવ્ય આપી ગયેલો ભીમ નામનો કથાકવિ. ઈ. સ. 1410માં તે હયાત હતો એવું એના એકમાત્ર ઉપર કહેલા કાવ્યના અંતભાગ ઉપરથી જાણવામાં આવ્યું છે. આ કાવ્યમાંના કેટલાક ઉતારા લઈ કવિની આ ગણ્ય કોટિની રચનાનો…

વધુ વાંચો >

ભીમ (3)

ભીમ (3) (ઈ.સ.ની 15મી સદી) : મધ્યકાલીન ગુજરાતી કવિ અને અનુવાદક. બાણભટ્ટની ‘કાદંબરી’ના ભાલણે મધ્યકાલીન ગુજરાતી ભૂમિકામાં આખ્યાનશૈલીમાં કરેલા અસામાન્ય અનુવાદની પૂર્વે સંસ્કૃત ગ્રંથોનો એવો અનુવાદ આપનારો ભીમ કવિ 1485, 1490ની એની રચેલી બે કૃતિઓ શ્રીમદભાગવતના આખ્યાનાત્મક અનુવાદ ‘હરિલીલાષોડશકલા’ અને અગિયારમી સદીના મગધદેશના કવિ કૃષ્ણના સંસ્કૃત નાટક प्रबोधचंन्द्रोदयની ચોપાઈઓમાં કરેલા…

વધુ વાંચો >

ભીમતાલ

ભીમતાલ : હિમાલયની તળેટીમાં આવેલું એક પ્રાચીન તીર્થસ્થાન. નૈનીતાલથી તે 18 કિમી. દૂર આવેલું છે. તે એક ડુંગરની ખીણમાં રચાયેલું મોટું સરોવર છે અને તેની આસપાસ બીજાં નાનાં-મોટાં 60 જેટલાં સરોવરો આવેલાં છે. સરોવરની મધ્યમાં એક નાનીશી ટેકરી આવેલી છે. સરોવરને કાંઠે ભીમેશ્વર નામનું પ્રસિદ્ધ શિવાલય અને સમીપમાં પુરાણપ્રસિદ્ધ કર્કોટક…

વધુ વાંચો >

ભીમદેવ પહેલો

ભીમદેવ પહેલો (અગિયારમી સદી) : ગુજરાતનો પરાક્રમી રાજા. તે ભીમદેવ નાગરાજ અને લક્ષ્મીનો પુત્ર અને દુર્લભરાજનો માનીતો ભત્રીજો હતો. દુર્લભરાજના આગ્રહથી ઈ. સ. 1022માં એનો રાજ્યાભિષેક થયો. ઈ. સ. 1025માં મહમૂદ ગઝનવીએ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પર ચડાઈ કરવા પ્રયાણ કર્યું. તેણે મુલતાનથી લોદ્રવા (જેસલમેર પાસે) અને ચિકલોદર માતાનો ડુંગર…

વધુ વાંચો >

ભીમદેવ બીજો

ભીમદેવ બીજો (જ.  ?; અ. 1242) : ગુજરાતનો સોલંકી વંશનો રાજા. મૂળરાજ બીજા પછી એનો નાનો ભાઈ ભીમદેવ બીજો ઈ. સ. 1178(વિ. સં. 1234)માં યુવાન વયે ગાદીએ આવ્યો અને ઈ. સ. 1242 (વિ. સં. 1298) સુધી એટલે 63 વર્ષ રાજ્ય કર્યું. આ રાજાના અનેક અભિલેખો મળ્યા છે, જેમાંના ઘણા દાનશાસનરૂપે…

વધુ વાંચો >

ભીમબેટકા

ભીમબેટકા : ભોપાલથી 40 કિમી. દક્ષિણે આવેલી પ્રાગૈતિહાસિક કાળનાં ચિત્રો ધરાવતી ગુફાઓ. તેમની સંખ્યા આશરે પાંચસોની છે. તેમાંની બસો ગુફાઓની  બધી જ છતો અને ભીંતો પર સફેદ અને  ગેરુ રંગથી ચિત્રાંકન કરવામાં આવેલ છે. ગેરુ રંગમાં પણ ઘેરા મરુનથી માંડીને કેસરી સુધીની વિવિધ છટાઓ જોવા મળે છે. વિવિધ પુરાતત્વવિદો ભીમબેટકાનાં…

વધુ વાંચો >

ભીમા (નદી)

ભીમા (નદી) : દક્ષિણ ભારતની કૃષ્ણા નદીની મુખ્ય શાખા. તે પશ્ચિમ ઘાટના ભીમાશંકર નામના ઊંચાઈવાળા સ્થળેથી નીકળી મહારાષ્ટ્રમાં 725 કિમી. જેટલા અંતર સુધી અગ્નિકોણ તરફ વહે છે અને પછીથી તે કર્ણાટકમાં પ્રવેશી કૃષ્ણાને મળે છે. ભીમાશંકરમાંથી નીકળતી હોવાથી તેનું નામ ભીમા પડ્યું હોવાનું મનાય છે. તેની મુખ્ય સહાયક નદીઓમાં સીના…

વધુ વાંચો >

ભીલ

ભીલ : એક આદિવાસી જાતિ. ‘ભીલ’ શબ્દ મૂળ દ્રવિડ કુળના ‘બીલ્લુ’ શબ્દ ઉપરથી ઊતરી આવ્યાનું મનાય છે. તેનો અર્થ બાણ અથવા તીર થાય છે. ભીલો પ્રાચીન કાળથી પોતાની સાથે બાણ રાખતા આવ્યા છે. આને કારણે ભીલ નામે ઓળખાયા હોય એવું માનવામાં આવે છે. હાલમાં બાણ-તીર માટે બીલ્ખું શબ્દ વપરાય છે.…

વધુ વાંચો >

ભાસ

Jan 21, 2001

ભાસ (ઈ. પૂ. 500 આશરે) સંસ્કૃત ભાષાના પ્રાચીન નાટ્યકાર. ઈ. પૂ. ઘણાં વર્ષો પહેલાં થયેલા આ પ્રાચીન નાટ્યકાર વિશે અત્યારે કશી આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી. અનુશ્રુતિ અનુસાર તેઓ धावक એટલે ધોબીના પુત્ર હતા. તેમણે નાટ્યકાર બનીને ઘણી કીર્તિ મેળવી હતી. તેમણે ઉત્તર અને પૂર્વ ભારતનાં રાજ્યો તથા નગરોનો ઉલ્લેખ કર્યો…

વધુ વાંચો >

ભાસ્કર (ઉપગ્રહ)

Jan 21, 2001

ભાસ્કર (ઉપગ્રહ) : ભારતના પ્રાયોગિક કક્ષાના ભૂ-અવલોકન ઉપગ્રહોની પ્રથમ શ્રેણીમાંનો કોઈ પણ ઉપગ્રહ. આ શ્રેણીમાં બે ઉપગ્રહો હતા – ભાસ્કર-1 અને ભાસ્કર-2. ભાસ્કર-1 ઉપગ્રહ સોવિયેત રશિયામાંથી 7 જૂન, 1979ના રોજ 525 કિમી.ની ઊંચાઈ પર લગભગ વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. તેની કક્ષાનો નમનકોણ 51° હતો. ભૂ-અવલોકન માટે તેમાં બે…

વધુ વાંચો >

ભાસ્કરન, પી.

Jan 21, 2001

ભાસ્કરન, પી. (જ. 1924) : મલયાળમ લેખક. પ્રગતિશીલ વિચારસરણીના તેઓ અગ્રેસર કવિ હતા. રાજકારણમાં ઝંપલાવ્યું હોવાથી કૉલેજનું શિક્ષણ તેમને અધવચ્ચેથી જ છોડવું પડ્યું. પછી સામ્યવાદી પક્ષના સક્રિય કાર્યકર્તા થયા અને જેલવાસ પણ ભોગવ્યો. સામ્યવાદી પક્ષના દૈનિક ‘દેશાભિમાની’ના તંત્રીમંડળમાં એમણે સેવા આપી. થોડાં વર્ષો પછી એ રાજકારણમાંથી નિવૃત્ત થયા અને સાહિત્યિક…

વધુ વાંચો >

ભાસ્કરાચાર્ય (1)

Jan 21, 2001

ભાસ્કરાચાર્ય (1) (ઈ. સ. 600) : આર્યભટ્ટના શિષ્ય. લઘુભાસ્કરીય અને મહાભાસ્કરીય ગ્રંથોના રચયિતા. તેમણે આર્યભટ્ટના ખગોળશાસ્ત્રના સિદ્ધાંતો વિકસાવ્યા અને તેના પર ભાષ્ય રચ્યું. પહેલા પરિમાણના અનિશ્ચિત સમીકરણના ક્ષેત્રમાં તેમનો મોટો ફાળો છે. તેના ખગોળશાસ્ત્રમાં થતા ઉપયોગ અંગેનાં ઉદાહરણ પણ તેમણે આપેલાં છે. તેમના જીવન વિશે વધુ માહિતી મળતી નથી. શિવપ્રસાદ…

વધુ વાંચો >

ભાસ્કરાચાર્ય (2)

Jan 21, 2001

ભાસ્કરાચાર્ય (2) (ઈ. સ. 1144–1223) : ભારતીય જ્યોતિષશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી. વેદ, કર્મકાંડ અને સાહિત્યના જ્ઞાતા. પિતાનું નામ મહેશ્વર ભટ્ટ. ગોત્ર શાંડિલ્ય, વંશ ત્રિવિક્રમ. જન્મનું સ્થળ : ભાસ્કરાચાર્યે કરેલા ઉલ્લેખ મુજબ – યાદવોની રાજધાની દેવગિરિ (દોલતાબાદ) પાસે સહ્યાદ્રિ ચાંદવડના પર્વતની પાસે વિજ્જલવિડ. ઉજ્જૈનની વેધશાળાના અધ્યક્ષ હતા અને ત્યાં જ મૃત્યુ પામ્યા.…

વધુ વાંચો >

ભાંગ

Jan 21, 2001

ભાંગ : દ્વિદળી વર્ગમાં આવેલા કૅનાબિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cannabis sativa Linn. (સં. विजया; બં., ગુ., મ., હિં. ભાંગ, ચરસ, ગાંજા; ફા. ફિન્નાવિષ, વરકુલ ખયાલ, શવનવંગ; અં. ઇંડિયન હેમ્પ) છે. તે પશ્ચિમ હિમાલયમાં ‘વન્ય’ તરીકે થાય છે અને ભારતના મોટાભાગના પ્રદેશોમાં ‘પલાયન’ (escape) જાતિ તરીકે પુષ્કળ પ્રમાણમાં…

વધુ વાંચો >

ભાંગરો

Jan 21, 2001

ભાંગરો : દ્વિદળી વર્ગમાં આવેલા કુળ ઍસ્ટરેસીની  એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Echipta alba (Linn.) Hassk. (સં. भृंगराज भार्कव, केशराज; हिं, भांगरा; બં. ભીમરાજ; મ. માકા; ગુ. ભાંગરો; ક. ગરક; તે. ગુંટકલ, ગરચેટુ; મલા. કુન્ન; ફા. જમર્દર) છે. તે ટટ્ટાર અથવા ભૂપ્રસારી (prostrate), બહુશાખિત, નતરોમી (strigose) અને એકવર્ષાયુ (annual) શાકીય…

વધુ વાંચો >

ભાંડારકર, દેવદત્ત રામકૃષ્ણ

Jan 21, 2001

ભાંડારકર, દેવદત્ત રામકૃષ્ણ (જ. 19 નવેમ્બર 1875; અ. 30 મે 1950) : સુપ્રસિદ્ધ ભારતીય વિદ્યાવિદ અને પુરાવસ્તુશાસ્ત્રી. પિતા રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર પ્રસિદ્ધ વિદ્વાન હતા. દેવદત્ત પુણેની ડેક્કન કૉલેજમાંથી 1896માં બી.એ. થયા અને કાયદો ભણવા માંડ્યા. એવામાં ભગવાનલાલ ઇંદ્રજી સુવર્ણચંદ્રક અને એ નામના પ્રાઇઝ માટેની સંશોધન-નિબંધસ્પર્ધા યોજાતાં તેમાં ભાગ લઈ ‘એ…

વધુ વાંચો >

ભાંડારકર, મધુર

Jan 21, 2001

ભાંડારકર, મધુર (જ. 26 ઑગસ્ટ 1968, મુંબઈ) : હિંદી ચલચિત્રોના વિખ્યાત દિગ્દર્શક અને પટકથા તથા કથાલેખક. તેમનો જન્મ મહારાષ્ટ્રીય સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો છે. તેમનું સમગ્ર શિક્ષણ મુંબઈમાં. ચલચિત્ર વ્યવસાયમાં દાખલ થયા તે પૂર્વે મુંબઈના ઉપનગર ખાર ખાતે તેઓ ભરણપોષણના સાધન તરીકે વીડિયો કૅસેટનું સંગ્રહાલય (library) ચલાવતા હતા, જેના માધ્યમથી…

વધુ વાંચો >

ભાંડારકર, રામકૃષ્ણ ગોપાળ

Jan 21, 2001

ભાંડારકર, રામકૃષ્ણ ગોપાળ (જ. 5 જુલાઈ 1837, માલવણ, જિ. રત્નાગિરિ; અ. 24 ઑગસ્ટ 1925, પુણે) : પ્રખર વિદ્વાન, સંશોધક, સમાજસુધારક, ભાષાશાસ્ત્રી અને ઇતિહાસવેત્તા. પિતા મામલતદાર કચેરીના અવલ કારકુન હતા. માતાનું નામ રમાબાઈ. મૂળ અટક પત્કી, પણ પૂર્વજો સરકારી ખજાનાનું કામ સંભાળતા હોઈ ‘ભાંડારકર’ અટક પ્રચલિત થઈ. પ્રાથમિક શિક્ષણ માલવણની સ્થાનિક…

વધુ વાંચો >