૧૩.૧૪

બાલમનોવિજ્ઞાનથી બાલામણિ અમ્મા

બાલાઘાટ હારમાળા

બાલાઘાટ હારમાળા : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી ટેકરીઓની શ્રેણી. તે પશ્ચિમ ઘાટની હરિશ્ચંદ્ર હારમાળામાંથી શરૂ થઈ, અગ્નિકોણ તરફ 320 કિમી.ના અંતર સુધી વિસ્તરીને કર્ણાટકની સરહદ સુધી જાય છે. તેની પહોળાઈ સ્થાનભેદે 5થી 9 કિમી.ની છે. તેની ઊંચાઈ પશ્ચિમ તરફ વધુ છે, પરંતુ જુદી જુદી જગાએ 550થી 825 મીટર વચ્ચેની ઊંચાઈ જોવા…

વધુ વાંચો >

બાલાચંદર કૈલાસમ્

બાલાચંદર કૈલાસમ્ (જ. 1930, નાન્નીલમ, તંજાવુર, તામિલનાડુ) : તમિળ, તેલુગુ, કન્નડ અને હિન્દી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક. 1951માં વિજ્ઞાનમાં સ્નાતક થયા બાદ એકાઉન્ટન્ટ જનરલની ઑફિસમાં 1964 સુધી નોકરી કરી. નાટ્યલેખક અને રંગમંચના દિગ્દર્શક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. તેમના પ્રખ્યાત નાટક ‘સર્વર સુંદરમ્’ ઉપરથી 1964માં ફિલ્મ બની. હિંદી નાટક ‘મેજર ચંદ્રકાંત’ ઉપરથી 1965માં…

વધુ વાંચો >

બાલા, જિયાકૉમો

બાલા, જિયાકૉમો (જ. 18 જુલાઈ 1871; અ. 1 માર્ચ 1958) : ફ્યૂચરિસ્ટ શૈલીમાં કામ કરનાર આધુનિક ઇટાલિયન ચિત્રકાર. શરૂઆત તેમણે પૅરિસમાં રહીને નવપ્રભાવવાદી શૈલી મુજબ ટપકાં વડે ચિત્રો આલેખવાથી કરી; પણ 1901માં તેઓ રોમ આવ્યા અને આગળ જતાં ભવિષ્યમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર ચિત્રકારો અમ્બર્ટો બૉચિયોની અને જિનો સૅવેરિનીના કલાગુરુ બન્યા.…

વધુ વાંચો >

બાલાટૉન સરોવર

બાલાટૉન સરોવર : મધ્ય યુરોપનું મોટામાં મોટું સરોવર. ભૌગોલિક સ્થાન : તે 46° 45´ ઉ. અ. અને 17° 45´ પૂ. રે.ની આજુબાજુ પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલું છે. તે મધ્ય હંગેરીમાં બુડાપેસ્ટની નૈર્ઋત્યમાં આશરે 80 કિમી.ને અંતરે આવેલું છે. તેનો વિસ્તાર 596 ચોકિમી. જેટલો છે અને હંગેરીના બૅકોની પર્વતોના દક્ષિણ ભાગની તળેટી-ટેકરીઓની ધાર…

વધુ વાંચો >

બાલામણિ અમ્મા

બાલામણિ અમ્મા (જ. 1909, તિરુવંતપુરમ, કેરળ; અ. 1992) : મલયાળમ લેખિકા. એમણે શાળાનું શિક્ષણ લીધું નથી. પરંતુ ઘરમાં જ સંસ્કૃત અને અંગ્રેજીનો અભ્યાસ કર્યો. મલયાળમ પણ એમના નાના નલપ્પા મલયાળમના જાણીતા કવિ મેનન પાસેથી શીખ્યા અને કિશોરાવસ્થામાં જ મલયાળમ પર પ્રભુત્વ મેળવ્યું. ઘરમાં બેઠાં બેઠાં એમના નાનાએ એમને જાતજાતનું વાચન…

વધુ વાંચો >

બાલમનોવિજ્ઞાન

Jan 14, 2000

બાલમનોવિજ્ઞાન જન્મ પૂર્વેના તબક્કાથી માંડીને તરુણાવસ્થાના શરૂઆતના તબક્કા (13–14 વર્ષની ઉંમર) સુધીના શિશુ અને બાળકના વર્તનના સળંગ વિકાસનો અભ્યાસ કરતું વિજ્ઞાન. વીસમી સદીની શરૂઆતમાં તેનો આરંભ થયો. મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. મનુષ્યના અસ્તિત્વને આવરી લેતું સમગ્ર વર્તન. હવે મનુષ્યના સમગ્ર વર્તનનો અભ્યાસ એટલે ગર્ભાધાનથી જન્મ અને જન્મથી મૃત્યુ સુધીના…

વધુ વાંચો >

બાલમિત્ર

Jan 14, 2000

બાલમિત્ર : જુઓ બાલસામયિકો

વધુ વાંચો >

બાલરામાયણ

Jan 14, 2000

બાલરામાયણ : (નવમી સદી) સંસ્કૃત ભાષાના નાટ્યકાર રાજશેખરે રચેલું નાટક. દસ અંકોનું બનેલું આ બૃહત્કાય નાટક રામાયણની કથાને વર્ણવે છે. પ્રથમ અંકમાં મિથિલામાં જનક રાજાએ પુત્રી સીતાને પરણાવવા માટે શિવધનુષ્ય પર બાણ ચડાવવાની શરત મૂકી છે તેથી રાવણ પોતાના પ્રધાન પ્રહસ્ત સાથે ત્યાં આવે છે, પરંતુ શિવધનુષ્યને ફેંકી દે છે.…

વધુ વાંચો >

બાલવાડી

Jan 14, 2000

બાલવાડી : પ્રાથમિક શિક્ષણના ઔપચારિક આરંભ પૂર્વે બાળકને સ્વાભાવિક રીતે શિક્ષણાભિમુખ કરવાની વિશિષ્ટ પ્રવૃત્તિ તથા તે સંબંધી સંસ્થા. આવી સંસ્થાઓ વિવિધ નામે ઓળખાય છે. તેમાં બાલવાડી એક છે. જર્મનીના ફ્રીડરિખ ફ્રૉબેલ (1782–1852) અને ઇટાલીનાં મારિયા મૉન્ટેસૉરી(1870–1952)એ બાલવાડીની સંકલ્પના આપી. બાલવાડી નાનકડી શાળા કે શાળાનો વિશેષ વર્ગ છે. ત્રણથી પાંચ વર્ષની…

વધુ વાંચો >

બાલશિક્ષણ

Jan 14, 2000

બાલશિક્ષણ : જુઓ પ્રાથમિક શિક્ષણ

વધુ વાંચો >

બાલસંભાળ (માનવ)

Jan 14, 2000

બાલસંભાળ (માનવ) બાળકના ઉછેર વખતે રખાતી કાળજી. બાળકની જરૂરિયાત સંતોષાય ત્યારે તેનો સૌથી વધુ વિકાસ થાય છે. શિશુ તથા બાળકની સારી રીતે સંભાળ ન લેવાય તો તે રોગો અને માંદગીનો ભોગ બને છે. વળી તેની બહુ અવગણના થાય તો તેની સાંભળવાની કે જોવાની શક્તિ પણ જોખમાય છે. કુપોષણ અને માંદગીનો…

વધુ વાંચો >

બાલસંભાળ (માનવેતર)

Jan 14, 2000

બાલસંભાળ (માનવેતર) (parental care) : સ્વતંત્ર રીતે જીવવા અસમર્થ એવાં બાળકોની પ્રજનકો વડે લેવાતી યોગ્ય કાળજી. બાળક સ્વતંત્ર રીતે જીવવાનું સામર્થ્ય કેળવે ત્યાં સુધી પ્રજનકો પાલનપોષણની જવાબદારી ઉપાડે છે. સામાન્યપણે બાલસંભાળની વૃત્તિ પ્રાણીઓની પ્રજનનશક્તિ સાથે સંકળાયેલી છે. મોટી સંખ્યામાં ઈંડાં મૂકનાર પ્રાણીઓ બાલસંભાળ જેવા કાર્યમાં પોતાની શક્તિનો વ્યય કરતાં નથી.…

વધુ વાંચો >

બાલસામયિકો (ગુજરાતી)

Jan 14, 2000

બાલસામયિકો (ગુજરાતી) બાળકોને અનુલક્ષીને પ્રગટ થતાં સમયબદ્ધ પત્રો. બાળકોના ઉચ્ચ સંસ્કારઘડતર માટે, તેમની જિજ્ઞાસાને સંતોષે અને તેમની કલ્પનાશક્તિને ખીલવે એ માટે ખાસ પ્રકારનું સાહિત્ય અને સામયિકો હોય છે. બાલસાહિત્યનું કામ દેખાય છે તેટલું સહેલું-સરળ નથી. એ માટે બાલસાહિત્યકાર પાસે વિશેષ પ્રકારની સજ્જતા અપેક્ષિત હોય છે. બાલસાહિત્યના સર્જન માટે બાલસાહિત્યકારોને પ્રેરવા…

વધુ વાંચો >

બાલસાહિત્ય (ગુજરાતી)

Jan 14, 2000

બાલસાહિત્ય (ગુજરાતી) બાળક જેનો ભાવક છે, બાળમાનસને જે વ્યક્ત કરે છે અને તેને સંતોષે-આનંદે છે તેવું બાલભોગ્ય ભાષામાં લખાયેલ સાહિત્ય. લોકસાહિત્ય, પૌરાણિક સાહિત્ય, પંચતંત્ર-હિતોપદેશ આદિની સામગ્રી પર આધારિત એવી મૌખિક પરંપરા દ્વારા બાળકને સતત સાહિત્યનો સ્વાદ મળતો રહ્યો હશે. તે ક્યારેય સાહિત્ય વગરનું રહ્યું નહિ હોય. આજે જેને આપણે બાલસાહિત્ય…

વધુ વાંચો >

બાલાઘાટ

Jan 14, 2000

બાલાઘાટ : મધ્યપ્રદેશના જબલપુર વિભાગમાં અગ્નિકોણ તરફ આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક તથા નગર. ભૌગોલિક સ્થાન : તે 22° 10´ ઉ. અ. અને 80° 25´ પૂ. રે.ની આજુબાજુનો 9,229 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માંડલા જિલ્લો, પૂર્વમાં રાજનાંદગાંવ જિલ્લો, દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યનો ભંડારા જિલ્લો…

વધુ વાંચો >