૧૨.૧૬

પ્રાદેશિક જળવિસ્તારથી પ્રીતમ

પ્રિયપ્રવાસ (1914)

પ્રિયપ્રવાસ (1914) : કવિશ્રી અયોધ્યાસિંહ ઉપાધ્યાય ‘હરિઔધ’નું ખડી બોલી હિંદીનું સર્વપ્રથમ પ્રબંધકાવ્ય. ‘પ્રિયપ્રવાસ’નું કથાનક ‘શ્રીમદ્ ભાગવત’માંથી લેવામાં આવ્યું છે. કુલ 17 સર્ગોમાં વિભાજિત વિરહકાવ્યનો મુખ્ય પ્રસંગ છે કૃષ્ણનું મથુરાગમન. કથાનકના સૂક્ષ્મ સૂત્રને કારણે કેટલાક વિદ્વાનો ‘પ્રિયપ્રવાસ’ને મહાકાવ્ય માનતા નથી. અહીં વિરહની વિવિધ ભાવદશાઓનું મુખ્યત્વે ચિત્રણ થયું છે. કાવ્યના આરંભે કૃષ્ણને…

વધુ વાંચો >

પ્રિયંવદા

પ્રિયંવદા : ગુજરાતના સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ નારીશિક્ષણના ઉદ્દેશથી ઈ. સ. 1885ના ઑગસ્ટથી શરૂ કરેલું માસિક. વાર્ષિક લવાજમ માત્ર એક રૂપિયો રાખીને શરૂ કરેલું ‘પ્રિયંવદા’ થોડા સમયમાં જ લોકપ્રિય બની ગયું. એના પ્રથમ અંકના પ્રથમ પાના પર માસિકનો ઉદ્દેશ સ્પષ્ટ રીતે સમજાવતાં લખ્યું છે, ‘‘ ‘પ્રિયંવદા’ પોતાની પ્રિય વદવાની રીતિથી…

વધુ વાંચો >

પ્રિરફાયેલાઇટ બ્રધરહુડ ચિત્રકળા

‘પ્રિરફાયેલાઇટ બ્રધરહુડ’ ચિત્રકળા : 1848માં બ્રિટનમાં ઉદભવેલી અને ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પાંગરેલી ચિત્રશૈલી. ઓગણીસમી સદીની મધ્યમાં સ્થાપિત મૂલ્યો અને સ્વીકૃત પ્રણાલીઓ સામે તેણે ક્રાંતિકારી વાતાવરણ ફેલાવ્યું. તેના સ્થાપકો ત્રણ પ્રખર વિચારકો અને ચિત્રકારો હતા : દાન્તે ગૅબ્રિયલ રૉઝેતી, વિલિયમ હૉલ્માન હન્ટ અને જૉન એવરેટ મિલે. પાછળથી તેમાં ટૉમસ વૂલ્નર, બર્ન…

વધુ વાંચો >

પ્રી-કૅમ્બ્રિયન કાળગાળો

પ્રી-કૅમ્બ્રિયન કાળગાળો પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને કૅમ્બ્રિયનના પ્રારંભ સુધીનો કાળગાળો. આ કાળગાળા દરમિયાન તૈયાર થયેલી ખડકરચનાઓ માટે પણ ‘પ્રી-કૅમ્બ્રિયન રચના’ એવો શબ્દપ્રયોગ ઉપયોગમાં લેવાય છે. અમુક સમય પહેલાં આ કાળની બધી જ રચનાઓને જીવાવશેષરહિત સમજવામાં આવતી હતી, પરંતુ હવે તેમાં રહેલી ઉપરની રચનાઓમાંથી જીવાવશેષ-સામગ્રી મળી આવી છે. કિરણોત્સારી પદ્ધતિથી આ કાળના…

વધુ વાંચો >

પ્રીતમ

પ્રીતમ (જ. 1718, ચૂડા (રાણપુર); અ. 1798) : ભક્તિ તેમજ જ્ઞાનધારાની મધ્યકાલીન ગુજરાતી કવિતામાં મહત્વનું પ્રદાન કરનાર કવિ. નાની ઉંમરે ગૃહત્યાગ કરીને રામાનંદી સાધુ તરીકે દીક્ષા લઈને 1761માં સંદેસર(ચરોતર)ના કાયમી નિવાસી થયા હતા. આ સાધુકવિએ યોગમાર્ગનો પણ અભ્યાસ કર્યો હતો અને શાસ્ત્રજ્ઞાનમાં પણ એમની સારી જાણકારી હતી; તેમ છતાં સંતપરંપરાનો…

વધુ વાંચો >

પ્રાદેશિક જળવિસ્તાર

Feb 16, 1999

પ્રાદેશિક જળવિસ્તાર : નદીરચના દ્વારા જળવહન પામતો સપાટીજળવિસ્તાર. ભૂપૃષ્ઠ પરનું દરેક નદીથાળું જળવિભાજકથી અલગ પડતું હોય છે, પોતાના વિસ્તારના સપાટીજળગ્રહણ તથા તેમાંથી શોષાતા અધોભૌમજળ પૂરતું મર્યાદિત હોય છે. દરેક નદીથાળાનો જળજથ્થો છેવટે તો સરોવર કે સમુદ્ર કે મહાસાગરમાં ઠલવાતો હોય છે. આ પ્રકારના બધા જ જળવિસ્તારો જળશાસ્ત્રના અભ્યાસ માટેનું એક…

વધુ વાંચો >

પ્રાયિયા

Feb 16, 1999

પ્રાયિયા : પશ્ચિમ આફ્રિકાના ડાકરથી પશ્ચિમે આશરે 640 કિમી. અંતરે ઍટલાન્ટિક મહાસાગરમાં આવેલા સાન્ટિયાગો ટાપુના દક્ષિણ કાંઠે આવેલું કૅપ વર્ડે ટાપુસમૂહનું પાટનગર અને બંદરી નગર. ભૌગોલિક સ્થાન : 14° 55´ ઉ. અ. અને 23° 31´ પ. રે. કેપ વર્ડે ટાપુસમૂહમાં મહત્વની ર્દષ્ટિએ તે બીજા ક્રમનું બંદર ગણાય છે. તેનું ભૂપૃષ્ઠ…

વધુ વાંચો >

પ્રાયોગિક મનોવિજ્ઞાન (પ્રાયોગિક પદ્ધતિ સહિત)

Feb 16, 1999

પ્રાયોગિક મનોવિજ્ઞાન (પ્રાયોગિક પદ્ધતિ સહિત) આધુનિક મનોવિજ્ઞાનની અગત્યની શાખા. મનોવિજ્ઞાનમાં એ સત્ય સ્વીકારવામાં આવ્યું છે કે આ જગતમાં જે કાંઈ અસ્તિત્વ ધરાવે છે તે કોઈ ચોક્કસ જથ્થામાં અસ્તિત્વ ધરાવે છે. જેને માપી શકાય છે. ચકાસી શકાય છે, જેની પુન:ચકાસણી કરી શકાય છે. જે કાંઈ અસ્તિત્વ ધરાવે છે તે કોઈ આકસ્મિક…

વધુ વાંચો >

પ્રાયોગિક યોજના (design of experiments)

Feb 16, 1999

પ્રાયોગિક યોજના (design of experiments) ઉદ્દેશ-અનુલક્ષી પૃથક્કરણથી પ્રાયોગિક સમસ્યા અંગેનો યથાર્થ નિષ્કર્ષ મેળવવા માટે પ્રયોગમાં  લેવાતાં પગલાંઓની સમગ્ર હારમાળાનું અગાઉથી કરાયેલું આયોજન. દા.ત.; (i) રક્તચાપ(blood pressure)માં ઘટાડો કરતી કોઈ બે દવાઓ અલગ અલગ કંપનીઓ તૈયાર કરે છે. અહીં પ્રયોગનો ઉદ્દેશ વિવિધ પ્રમાણમાં બે દવાઓ મિશ્ર કરવાથી કોઈ એક સમયમર્યાદામાં રક્તચાપમાં…

વધુ વાંચો >

પ્રાયોન

Feb 16, 1999

પ્રાયોન : નાના પ્રોટીનનો બનેલો રોગજનક ચેપી કણ. તે પારજાંબલી અને આયનકારક (ionizing) વિકિરણનો અત્યંત અવરોધક હોય છે. DNAase કે RNAase જેવા ન્યૂક્લિયેઝ ઉત્સેચકો તેના બંધારણમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. એટલે કે તેમનામાં જનીન-દ્રવ્ય તરીકે DNA કે RNA હોતું નથી. જે વાઇરસનું સૌથી મહત્વનું ઘટક ગણાય છે. વળી, કોઈ…

વધુ વાંચો >

પ્રારંભકાલીન ખ્રિસ્તી કળા

Feb 16, 1999

પ્રારંભકાલીન ખ્રિસ્તી કળા : ખ્રિસ્તી ધર્મના શરૂઆતના તબક્કાની કળા. ઈસવી સનની પ્રારંભિક સદીઓમાં રોમન સામ્રાજ્યનો ધ્વંસ થઈ રહ્યો હતો ત્યારે મધ્યપૂર્વમાંથી પ્રચાર દ્વારા આવેલા ખ્રિસ્તી ધર્મે યુરોપમાં પકડ જમાવી. ખ્રિસ્તી કળાનો ઉદભવ રોમન સામ્રાજ્યમાં ભળેલા કેટલાક એશિયાઈ દેશોનાં સાંસ્કૃતિક પરિબળો, સામાજિક-આધ્યાત્મિક ખ્યાલો અને પ્રતિભાવોમાંથી થયેલો છે. એશિયાઈ દેશો સુધી વિસ્તરેલા…

વધુ વાંચો >

પ્રારંભિક સંવર્ધન

Feb 16, 1999

પ્રારંભિક સંવર્ધન : પ્રયોગશાળાઓમાં સૂક્ષ્મ જીવો માટે કરવામાં આવતું પ્રાથમિક પ્રકારનું સંવર્ધન. આવા સંવર્ધન માટે વપરાતા માધ્યમ(medium)માં જૈવસંશ્લેષણ માટે અગત્યના પ્રક્રિયાર્થી ઘટકો અને યોગ્ય પર્યાવરણિક જાળવણી અગત્યનો ભાગ ભજવે છે. પાણી એક એવું સૌથી અગત્યનું ઘટક છે. પ્રવાહી માધ્યમમાં નિલંબિત અવસ્થામાં અથવા તો વસાહતી (colonial) સજીવો તરીકે તેમનો ઉછેર ઘન…

વધુ વાંચો >

પ્રાર્થના

Feb 16, 1999

પ્રાર્થના : દરરોજ ઈશ્વરની સ્તુતિ કરીને મનુષ્ય ઈશ્વર પાસેથી કશુંક માગે તે. જગતના બધા ધર્મોમાં એક યા બીજા સ્વરૂપમાં પ્રાર્થનાનો સ્વીકાર કરવામાં આવેલો છે. પ્રાર્થના શબ્દ સંસ્કૃત ઉપસર્ગ प्र + अर्थ् ધાતુમાંથી બન્યો છે. પ્રાર્થના એટલે માગવું, ઇચ્છા કરવી, વિનંતી કરવી. આપણો સામાન્ય ખ્યાલ એવો છે કે પ્રાર્થના ધન, સંપત્તિ,…

વધુ વાંચો >

પ્રાર્થનાસમાજ

Feb 16, 1999

પ્રાર્થનાસમાજ : એક સમાજસુધારક સંસ્થા. આ સંસ્થાની સ્થાપના મુંબઈ મુકામે 31 માર્ચ 1867ના રોજ થઈ હતી. તેના સ્થાપક ડૉ. આત્મારામ પાંડુરંગ હતા. બીજા વર્ષે રામકૃષ્ણ ગોપાલ ભાંડારકર, મહાદેવ ગોવિંદ રાનડે અને ચંદાવરકર તેના મુખ્ય નેતાઓ બનવાથી સંસ્થાને બળ મળ્યું. પ્રાર્થનાસમાજ નાત-જાતના ભેદભાવ દૂર કરવા અને હિંદુ સમાજની અનેક કુરૂઢિઓ નાબૂદ…

વધુ વાંચો >

પ્રાંતિજ

Feb 16, 1999

પ્રાંતિજ : ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં આવેલું શહેર. સ્થાન : 23° 30´ ઉ. અ. અને 72° 55´ પૂ. રે. તાલુકાનું વહીવટી મથક. તેની પશ્ચિમે સાબરમતી, વાયવ્યમાં હાથમતી અને અગ્નિમાં ખારી નદી વહે છે. અમદાવાદથી તે ઈશાન કોણમાં અમદાવાદ–ખેડબ્રહ્મા રેલવે-લાઇન પર આશરે 66 કિમી. દૂર આવેલું છે. અહીં માર્કંડેશ્વર મહાદેવનું પુરાણું…

વધુ વાંચો >