૧૨.૧૦

પ્રમાણમીમાંસાથી પ્રવાસનભૂગોળ

પ્રમાણમીમાંસા

પ્રમાણમીમાંસા જૈનાચાર્ય હેમચંદ્રે રચેલો તર્કશાસ્ત્રનો ગ્રંથ. તેમાં સૂત્રો રચી તે સૂત્રો ઉપર હેમચંદ્રે પોતે જ વૃત્તિ અર્થાત્ ટીકા લખી છે. ગ્રંથ દ્વિતીય અધ્યાયના પ્રથમ આહ્નિકના 36મા સૂત્રની ઉત્થાનિકા સુધીનો, અધૂરો જ ઉપલબ્ધ છે. હેમચંદ્ર કૃતિ પૂરી કરી શક્યા ન હતા કે કૃતિ પૂરી કરી હોવા છતાં પૂર્ણ રૂપે ઉપલબ્ધ નથી…

વધુ વાંચો >

પ્રમાણસમય (standard time)

પ્રમાણસમય (standard time) : દુનિયાના જુદા જુદા પ્રદેશોમાં વસતા લોકોના રોજિંદા કામકાજમાં વ્યાવહારિક સરળતા જાળવવા ઉપયોગમાં લેવાતી પ્રમાણિત સમય-ગણતરીની પ્રણાલી. એક જ દેશમાં અસંખ્ય શહેરો-નગરો અને ગામડાં આવેલાં હોય છે. દરેક સ્થળ જો પોતાના સ્થાનિક સમય પ્રમાણે ઘડિયાળ ગોઠવે તો એક જ દેશમાં સ્થાનભેદે ઘડિયાળો જુદો જુદો સમય બતાવે; સંદેશાવ્યવહારમાં…

વધુ વાંચો >

પ્રમાપ-સિદ્ધાંત (Gauge Theory)

પ્રમાપ-સિદ્ધાંત (Gauge Theory) : અમુક રૂપાંતરણ (transformation) હેઠળ કોઈ ભૌતિક રાશિના અવિચલન- (invariance)નો તેમજ તે દ્વારા નીપજતા ભૌતિકશાસ્ત્રીય નિષ્કર્ષનો સિદ્ધાંત. આધુનિક ભૌતિકશાસ્ત્રમાં રાશિઓના અવિચલનને તંત્ર કે પ્રણાલી(system)ની કોઈ મૂળભૂત સંમિતિ (symmetry) સાથે સાંકળવામાં આવે છે. તેથી પ્રમાપ-સિદ્ધાંત એક પાયાનો સિદ્ધાંત બની રહે છે. પ્રમાપ-અવિચલન(gauge-invariance)ના એક ઉદાહરણ તરીકે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર…

વધુ વાંચો >

પ્રમુખસ્વામી મહારાજ પરમ પૂજ્ય

પ્રમુખસ્વામી મહારાજ પરમ પૂજ્ય [ જ. (તા. ૭–૧૨–૧૯૨૧ (માગશર સુદ ૮, સંવત ૧૯૭૮) ચાણસદ, જિ. વડોદરા, અક્ષરધામગમન : તા. ૧૩–૮–૨૦૧૬ (શ્રાવણ સુદ ૧૦, સંવત ૨૦૭૨)] : ભારતીય સંસ્કૃતિના પ્રખર જ્યોતિર્ધર અને વિશ્વવંદનીય મહાપુરુષ. ‘બીજાના સુખમાં આપણું સુખ’ અને ‘બીજાના ભલામાં આપણું ભલું’નો જીવનમંત્ર જીવનારા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાધુતા, સમરસતા…

વધુ વાંચો >

પ્રમેય (theorem) અને પ્રમેયિકા (lemma)

પ્રમેય (theorem) અને પ્રમેયિકા (lemma) : ગણિતમાં સ્વીકૃત થયેલી પદ્ધતિ અનુસાર સાબિત થતું મહત્વનું પરિણામ એટલે પ્રમેય અને ઓછા મહત્વનું પરિણામ એટલે પ્રમેયિકા. પ્રમેયની સાબિતી સામાન્ય રીતે તે તે વિષયની પૂર્વધારણાઓ તથા તાર્કિક ક્રમમાં અગાઉ સાબિત થઈ ચૂકેલાં અન્ય પ્રમેયો પરથી તાર્કિક દલીલો વડે અપાય છે. ઘણાંબધાં પ્રમેયો તેમને સૌપ્રથમ…

વધુ વાંચો >

પ્રમેહ

પ્રમેહ : આયુર્વેદ અનુસાર અપથ્ય સેવનથી થતો ત્રિદોષજ રોગ. આ રોગમાં વારંવાર, અધિક પ્રમાણમાં ડહોળા (आविल) મૂત્ર(પેશાબ)ની પ્રવૃત્તિ જોવા મળે છે. આયુર્વેદ પ્રમેહને અપથ્ય સેવનથી થતો ત્રિદોષજ વ્યાધિ માને છે. પ્રમેહનો રોગી નીચે દર્શાવેલ ચાર લક્ષણો ધરાવે છે : (1) અતિ ડહોળા મૂત્રનો ત્યાગ કરવો, (2) ભૂખ અધિક લાગે, તરસ…

વધુ વાંચો >

પ્રયાગ

પ્રયાગ : જુઓ અલ્લાહાબાદ

વધુ વાંચો >

પ્રયુક્ત મનોવિજ્ઞાન

પ્રયુક્ત મનોવિજ્ઞાન વાસ્તવિક જીવનના પ્રશ્નોના ઉકેલ માટે પ્રયોજાતું મનોવિજ્ઞાન. સાચા વૈજ્ઞાનિક વિજ્ઞાનક્ષેત્રની શુદ્ધ પ્રવૃત્તિઓમાં નિષ્ઠાપૂર્વક પ્રવૃત્ત રહી નવા નવા સિદ્ધાંતો શોધીને વિજ્ઞાનને સમૃદ્ધ બનાવે છે; પણ આખરે આ બધું કોના માટે ? આવો પ્રશ્ન જેના મનમાં ઉત્પન્ન થયો તે વૈજ્ઞાનિકો માનવતાવાદી વૈજ્ઞાનિકો થયા. છેલ્લાં વર્ષોમાં માનવતાવાદી ર્દષ્ટિબિંદુ વધુ ને વધુ…

વધુ વાંચો >

પ્રયોગવાદ

પ્રયોગવાદ : સ્થગિતતા સામેની પ્રતિક્રિયા રૂપે આવિષ્કાર પામેલો સાહિત્યિક અભિગમ. ‘પ્રયોગ’ સંજ્ઞા અહીં વિજ્ઞાનક્ષેત્રમાં જે અર્થમાં વપરાય છે એ અર્થમાં નથી વપરાયેલી, પણ જે કાંઈ સ્થગિત છે, જે કાંઈ સ્થિર છે, એનાથી છૂટા પડવા માટે અને ગતિશીલતાને સૂચવવા માટે વપરાયેલી છે. કોઈ પણ સાહિત્યનો ઇતિહાસ દર્શાવે છે કે ઉત્ક્રાંતિના ક્રમમાં…

વધુ વાંચો >

પ્રયોગશાળા-ઉપકરણન (laboratory instrumentation)

પ્રયોગશાળા-ઉપકરણન (laboratory instrumentation) : વિજ્ઞાન તેમજ ઇજનેરી પ્રયોગશાળાઓમાં વપરાતાં વિવિધ ઉપકરણો કે સાધનોના સામૂહિક અભ્યાસનું ક્ષેત્ર. નૈસર્ગિક વિજ્ઞાનનો જન્મ કુદરતી ઘટનાઓનાં બારીક નિરીક્ષણોથી થયો, પરંતુ એ ઘટનાઓને સમજવા માટે તેમનું પ્રાયોગિક પરિસ્થિતિમાં અમુક નિયંત્રણ હેઠળ પુનરાવર્તન કરવું પડે છે. વળી, એ ઘટનાઓ પાછળનાં વૈજ્ઞાનિક તથ્યો કે નિયમો તારવવા માટે ભૌતિક…

વધુ વાંચો >

પ્રવક્તા

Feb 10, 1999

પ્રવક્તા : રેડિયો નાટક આદિમાં સૂત્રધારની જેમ નાટ્યસંચાલન તેમ સંકલનકાર્ય કરતું મહત્વનું પાત્ર. રંગભૂમિ પર ભજવાતાં કેટલાંક નાટકોમાં પ્રવક્તા સૂત્રધાર કે પાત્રરૂપે પ્રવેશ લેતો હોય છે અને તેનું કાર્ય બજાવતો હોય છે (જેમ કે, અર્વાચીન નાટકોમાં ‘સુમનલાલ ટી. દવે’માં સૂત્રધાર, ‘પીળું ગુલાબ અને હું’માં સ્ત્રીનિર્માતા, ‘નજીક’માં રામદયાલ); પણ રેડિયોનાટકમાં પ્રવક્તા(narrator)ની…

વધુ વાંચો >

પ્રવચનસારોદ્ધાર

Feb 10, 1999

પ્રવચનસારોદ્ધાર : જૈન ધર્મની અનેક બાબતો ચર્ચતો જૈન ધર્મનો સર્વસંગ્રહ કે વિશ્વકોશ જેવો વિપુલ ગ્રંથ. મૂળ પ્રાકૃત નામ ‘પવયણસારુદ્ધારો’. રચયિતા નેમિચન્દ્રસૂરિ (અગિયારમું શતક), ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ની સંસ્કૃત ટીકા અને ‘મહાવીરચરિય’ના લેખક. આ રચના કુલ 1,599 ગાથાઓ અને 276 દ્વારમાં વહેંચાયેલી છે. સિદ્ધસેનસૂરિ(બારમું–તેરમું શતક)એ તેના ઉપર ‘તત્વજ્ઞાનવિકાશિની’ કે ‘તત્વપ્રકાશિની’ નામની સંસ્કૃત વૃત્તિ લખી…

વધુ વાંચો >

પ્રવર

Feb 10, 1999

પ્રવર : બ્રાહ્મણ જે વંશમાં જન્મ્યો હોય તે વંશના સર્વપ્રથમ ઋષિઓનાં નામો. વૈદિક યુગમાં પોતાની ઓળખાણ આપવા માટે ગોત્ર અને પ્રવર કહેવામાં આવતાં. ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ગુરુનાં ગોત્ર અને પ્રવર વડે પોતાની ઓળખાણ આપતા. બાળક ગુરુ પાસે ભણવા જાય ત્યારે અને સંધ્યા, યજ્ઞ વગેરે ધાર્મિક વિધિ વખતે ગોત્ર અને…

વધુ વાંચો >

પ્રવરપુર

Feb 10, 1999

પ્રવરપુર : દખ્ખણમાં વાકાટક વંશના રાજાઓનું પાટનગર. વાકાટક વંશની જ્યેષ્ઠ શાખાના રાજા દામોદરસેન ઉર્ફે પ્રવરસેન બીજા(ઈ. સ. 420–450)એ પ્રવરપુર નામના નવા નગરની સ્થાપના કરી હતી. પાછળથી આ નગરને તેણે પોતાની રાજધાની બનાવી. વર્ધા જિલ્લામાં વર્ધાથી 6 કિમી. દૂર ધામ નદીના કિનારા પર આવેલ પવનાર નામનું ગામ પ્રાચીન પ્રવરપુર હોવાનું ત્યાંથી…

વધુ વાંચો >

પ્રવરસેન પ્રથમ

Feb 10, 1999

પ્રવરસેન પ્રથમ (જ. ?; અ. ઈ.સ. 330) : ઈ. સ.ની ત્રીજી-ચોથી સદીમાં થયેલ વાકાટક વંશનો શ્રેષ્ઠ રાજવી. વાકાટક વંશના સ્થાપક પ્રથમ રાજા વિન્ધ્યશક્તિ પછી તેનો પુત્ર પ્રવરસેન પહેલો ગાદીએ આવ્યો. તે વિષ્ણુ વૃદ્ય ગોત્રનો બ્રાહ્મણ હતો. એ વાકાટક વંશનો સર્વશ્રેષ્ઠ રાજા હતો. તેણે ‘સમ્રાટ’નું બિરુદ ધારણ કર્યું હતું. એણે પોતાના…

વધુ વાંચો >

પ્રવરસેન બીજો

Feb 10, 1999

પ્રવરસેન બીજો : વાકાટક વંશનો રાજવી. આ વંશમાં પ્રવરસેન દ્વિતીય નામના બે રાજા થયા હતા. આ વંશની વત્સગુલ્મ શાખામાં વિન્ધ્યશક્તિ બીજાનો પુત્ર પ્રવરસેન બીજો (ઈ. સ. 400થી 410) રાજા થયો. તેના રાજ્યકાલ વિશે વધુ માહિતી મળતી નથી. અજંતાના લેખમાં જણાવ્યા મુજબ તે ઉત્કૃષ્ટ અને ઉદાર રાજ્યશાસન માટે વિખ્યાત હતો. આ…

વધુ વાંચો >

પ્રવર્ધક પરિપથ (amplifying circuit)

Feb 10, 1999

પ્રવર્ધક પરિપથ (amplifying circuit) : નિવેશિત વિદ્યુતસંકેતની પ્રબળતા વધારીને બહાર પાડે તેવી પ્રયુક્તિ માટેનો પરિપથ. વ્યવહારમાં મળતા અલ્પ માત્રાના વિદ્યુતસંકેતને કોઈ સાધન (meter) વડે સીધેસીધો માપી શકાતો નથી. જો તેમ કરવું હોય તો તેની વૃદ્ધિ કરવી પડે છે અથવા તેના વડે કોઈ અર્થપૂર્ણ કામ લેવું હોય તો તેની માત્રામાં વૃદ્ધિ…

વધુ વાંચો >

પ્રવાલખડકો (coral reefs)

Feb 10, 1999

પ્રવાલખડકો (coral reefs) : પરવાળાંના દૈહિક માળખામાંથી તૈયાર થયેલા ખડકો. સમુદ્ર અને મહાસાગરોમાં જુદા જુદા સમુદાયનાં પ્રાણીઓ અસ્તિત્વ ધરાવે છે. દરિયાઈ પ્રાણીઓ પૈકી કોષ્ઠાંત્ર સમુદાયમાં પરવાળાંનો સમાવેશ થાય છે. પરવાળાં એકાકી કે સમૂહમાં રહે છે. આ પ્રાણીઓની શરીરરચનામાં ચૂનેદાર માળખું અને કેટલાક નરમ અવયવો હોય છે. તેમના મૃત્યુ બાદ ચૂનેદાર…

વધુ વાંચો >

પ્રવાલ-શૈલસૃષ્ટિ

Feb 10, 1999

પ્રવાલ-શૈલસૃષ્ટિ : દરિયામાં થતાં પરવાળાં અને લીલના સહજીવનથી બનતું વિશિષ્ટ નિવસનતંત્ર. તે પૃથ્વી પર જોવા મળતાં અનેક નિવસનતંત્રો પૈકીનું એક અનોખું નિવસનતંત્ર છે, જેમાં પરવાળાં અને લીલ ઉપરાંત ઘણાં પ્રાણીઓ અને વનસ્પતિઓ સંકળાયેલાં હોય છે. ટી. વૅલેંડ વૉઘન(1917)ના મંતવ્ય પ્રમાણે, પ્રવાલ-શૈલ દરિયાની સપાટી નજીક આવેલા ચૂનાના ખડકો છે. તે મુખ્યત્વે…

વધુ વાંચો >

પ્રવાસન-ઉદ્યોગ

Feb 10, 1999

પ્રવાસન-ઉદ્યોગ : વ્યક્તિઓના સમૂહને જુદાં જુદાં મહત્વનાં સ્થળોનું નિરીક્ષણ કરવા માટે જવા-આવવાની સુવિધાજનક સેવાઓ પૂરી પાડતો ઉદ્યોગ. વિશ્વપ્રવાસન સંઘ, મેડ્રિડ, સ્પેનનાં ધોરણો અનુસાર સામાન્ય ઘરેડવાળી જીવનશૈલીમાંથી ઉદભવતો કંટાળો દૂર કરવા માટે પોતાના રહેવાના અથવા કામ કરવાના સ્થળેથી 24 કલાકથી ઓછા નહિ અને 1 વર્ષથી વધારે નહિ તેટલા સમય સુધી દૂર…

વધુ વાંચો >