૧૨.૧૦

પ્રમાણમીમાંસાથી પ્રવાસનભૂગોળ

પ્રમાણમીમાંસા

પ્રમાણમીમાંસા જૈનાચાર્ય હેમચંદ્રે રચેલો તર્કશાસ્ત્રનો ગ્રંથ. તેમાં સૂત્રો રચી તે સૂત્રો ઉપર હેમચંદ્રે પોતે જ વૃત્તિ અર્થાત્ ટીકા લખી છે. ગ્રંથ દ્વિતીય અધ્યાયના પ્રથમ આહ્નિકના 36મા સૂત્રની ઉત્થાનિકા સુધીનો, અધૂરો જ ઉપલબ્ધ છે. હેમચંદ્ર કૃતિ પૂરી કરી શક્યા ન હતા કે કૃતિ પૂરી કરી હોવા છતાં પૂર્ણ રૂપે ઉપલબ્ધ નથી…

વધુ વાંચો >

પ્રમાણસમય (standard time)

પ્રમાણસમય (standard time) : દુનિયાના જુદા જુદા પ્રદેશોમાં વસતા લોકોના રોજિંદા કામકાજમાં વ્યાવહારિક સરળતા જાળવવા ઉપયોગમાં લેવાતી પ્રમાણિત સમય-ગણતરીની પ્રણાલી. એક જ દેશમાં અસંખ્ય શહેરો-નગરો અને ગામડાં આવેલાં હોય છે. દરેક સ્થળ જો પોતાના સ્થાનિક સમય પ્રમાણે ઘડિયાળ ગોઠવે તો એક જ દેશમાં સ્થાનભેદે ઘડિયાળો જુદો જુદો સમય બતાવે; સંદેશાવ્યવહારમાં…

વધુ વાંચો >

પ્રમાપ-સિદ્ધાંત (Gauge Theory)

પ્રમાપ-સિદ્ધાંત (Gauge Theory) : અમુક રૂપાંતરણ (transformation) હેઠળ કોઈ ભૌતિક રાશિના અવિચલન- (invariance)નો તેમજ તે દ્વારા નીપજતા ભૌતિકશાસ્ત્રીય નિષ્કર્ષનો સિદ્ધાંત. આધુનિક ભૌતિકશાસ્ત્રમાં રાશિઓના અવિચલનને તંત્ર કે પ્રણાલી(system)ની કોઈ મૂળભૂત સંમિતિ (symmetry) સાથે સાંકળવામાં આવે છે. તેથી પ્રમાપ-સિદ્ધાંત એક પાયાનો સિદ્ધાંત બની રહે છે. પ્રમાપ-અવિચલન(gauge-invariance)ના એક ઉદાહરણ તરીકે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર…

વધુ વાંચો >

પ્રમુખસ્વામી મહારાજ પરમ પૂજ્ય

પ્રમુખસ્વામી મહારાજ પરમ પૂજ્ય [ જ. (તા. ૭–૧૨–૧૯૨૧ (માગશર સુદ ૮, સંવત ૧૯૭૮) ચાણસદ, જિ. વડોદરા, અક્ષરધામગમન : તા. ૧૩–૮–૨૦૧૬ (શ્રાવણ સુદ ૧૦, સંવત ૨૦૭૨)] : ભારતીય સંસ્કૃતિના પ્રખર જ્યોતિર્ધર અને વિશ્વવંદનીય મહાપુરુષ. ‘બીજાના સુખમાં આપણું સુખ’ અને ‘બીજાના ભલામાં આપણું ભલું’નો જીવનમંત્ર જીવનારા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાધુતા, સમરસતા…

વધુ વાંચો >

પ્રમેય (theorem) અને પ્રમેયિકા (lemma)

પ્રમેય (theorem) અને પ્રમેયિકા (lemma) : ગણિતમાં સ્વીકૃત થયેલી પદ્ધતિ અનુસાર સાબિત થતું મહત્વનું પરિણામ એટલે પ્રમેય અને ઓછા મહત્વનું પરિણામ એટલે પ્રમેયિકા. પ્રમેયની સાબિતી સામાન્ય રીતે તે તે વિષયની પૂર્વધારણાઓ તથા તાર્કિક ક્રમમાં અગાઉ સાબિત થઈ ચૂકેલાં અન્ય પ્રમેયો પરથી તાર્કિક દલીલો વડે અપાય છે. ઘણાંબધાં પ્રમેયો તેમને સૌપ્રથમ…

વધુ વાંચો >

પ્રમેહ

પ્રમેહ : આયુર્વેદ અનુસાર અપથ્ય સેવનથી થતો ત્રિદોષજ રોગ. આ રોગમાં વારંવાર, અધિક પ્રમાણમાં ડહોળા (आविल) મૂત્ર(પેશાબ)ની પ્રવૃત્તિ જોવા મળે છે. આયુર્વેદ પ્રમેહને અપથ્ય સેવનથી થતો ત્રિદોષજ વ્યાધિ માને છે. પ્રમેહનો રોગી નીચે દર્શાવેલ ચાર લક્ષણો ધરાવે છે : (1) અતિ ડહોળા મૂત્રનો ત્યાગ કરવો, (2) ભૂખ અધિક લાગે, તરસ…

વધુ વાંચો >

પ્રયાગ

પ્રયાગ : જુઓ અલ્લાહાબાદ

વધુ વાંચો >

પ્રયુક્ત મનોવિજ્ઞાન

પ્રયુક્ત મનોવિજ્ઞાન વાસ્તવિક જીવનના પ્રશ્નોના ઉકેલ માટે પ્રયોજાતું મનોવિજ્ઞાન. સાચા વૈજ્ઞાનિક વિજ્ઞાનક્ષેત્રની શુદ્ધ પ્રવૃત્તિઓમાં નિષ્ઠાપૂર્વક પ્રવૃત્ત રહી નવા નવા સિદ્ધાંતો શોધીને વિજ્ઞાનને સમૃદ્ધ બનાવે છે; પણ આખરે આ બધું કોના માટે ? આવો પ્રશ્ન જેના મનમાં ઉત્પન્ન થયો તે વૈજ્ઞાનિકો માનવતાવાદી વૈજ્ઞાનિકો થયા. છેલ્લાં વર્ષોમાં માનવતાવાદી ર્દષ્ટિબિંદુ વધુ ને વધુ…

વધુ વાંચો >

પ્રયોગવાદ

પ્રયોગવાદ : સ્થગિતતા સામેની પ્રતિક્રિયા રૂપે આવિષ્કાર પામેલો સાહિત્યિક અભિગમ. ‘પ્રયોગ’ સંજ્ઞા અહીં વિજ્ઞાનક્ષેત્રમાં જે અર્થમાં વપરાય છે એ અર્થમાં નથી વપરાયેલી, પણ જે કાંઈ સ્થગિત છે, જે કાંઈ સ્થિર છે, એનાથી છૂટા પડવા માટે અને ગતિશીલતાને સૂચવવા માટે વપરાયેલી છે. કોઈ પણ સાહિત્યનો ઇતિહાસ દર્શાવે છે કે ઉત્ક્રાંતિના ક્રમમાં…

વધુ વાંચો >

પ્રયોગશાળા-ઉપકરણન (laboratory instrumentation)

પ્રયોગશાળા-ઉપકરણન (laboratory instrumentation) : વિજ્ઞાન તેમજ ઇજનેરી પ્રયોગશાળાઓમાં વપરાતાં વિવિધ ઉપકરણો કે સાધનોના સામૂહિક અભ્યાસનું ક્ષેત્ર. નૈસર્ગિક વિજ્ઞાનનો જન્મ કુદરતી ઘટનાઓનાં બારીક નિરીક્ષણોથી થયો, પરંતુ એ ઘટનાઓને સમજવા માટે તેમનું પ્રાયોગિક પરિસ્થિતિમાં અમુક નિયંત્રણ હેઠળ પુનરાવર્તન કરવું પડે છે. વળી, એ ઘટનાઓ પાછળનાં વૈજ્ઞાનિક તથ્યો કે નિયમો તારવવા માટે ભૌતિક…

વધુ વાંચો >

પ્રવાસનભૂગોળ

Feb 10, 1999

પ્રવાસનભૂગોળ : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે પ્રવાસન-ભૂગોળનું ક્ષેત્ર મુખ્યત્વે લાંબીટૂંકી રજાઓના ઉદ્યોગ પર કેન્દ્રિત થયું છે. ઘરની બહાર મળતાં મનોરંજનના સંદર્ભમાં પર્યટન અંગેના અભ્યાસો ઘરઆંગણે થવા લાગ્યા છે. પ્રવાસનના ફેલાવા સાથે જુદાં જુદાં પાસાંઓને અનુલક્ષીને ભૂગોળશાસ્ત્રીઓએ આ ક્ષેત્રને ખેડવા માંડ્યું છે. આમાં લોકો દ્વારા વિવિધ દેશોમાં થતું સ્થળાંતર, વાહનવ્યવહારમાં સાધનોનો…

વધુ વાંચો >