૧૧.૧૩

પુકારથી પુરાતત્વ (ત્રૈમાસિક)

પુકાર

પુકાર : હિંદી ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1939. અવધિ : 151 મિનિટ. શ્વેત અને શ્યામ. ભાષા : હિંદી. નિર્માણ-સંસ્થા : મિનર્વા મૂવિટોન. દિગ્દર્શક : સોહરાબ મોદી. કથા-ગીતો : કમાલ અમરોહી. છબીકલા : વાય. ડી. સરપોતદાર. સંગીત : મીર સાહિબ. કલાકારો : સોહરાબ મોદી, ચંદ્રમોહન, નસીમબાનુ, શીલા, સરદાર અખ્તર, સાદિક અલી. કમાલ…

વધુ વાંચો >

પુખ્તવય

પુખ્તવય : પુખ્તતા પ્રાપ્ત થઈ હોય તેવી ઉંમર. પુખ્તતાની સંકલ્પના માનસિક તેમજ શારીરિક વિકાસ અને યોગ્યતાપ્રાપ્તિ સાથે જોડાયેલી છે. ઉંમરના વધવા સાથે વ્યક્તિનાં જ્ઞાન અને અનુભવ વધે છે અને તેને આધારે તે વ્યક્તિ સ્વતંત્ર નિર્ણયો લઈ શકે તેવી બની શકે છે. જન્મ પછી પણ શરીરનાં વિવિધ અંગો, અવયવો અને અવયવી…

વધુ વાંચો >

પુટ્ટપ્પા કે. વી. (‘કુવેમ્પુ’)

પુટ્ટપ્પા, કે. વી. (‘કુવેમ્પુ’) (જ. 29 ડિસેમ્બર 1904, હિરેકાડિજ; અ. 11 નવેમ્બર 1994, મૈસૂર) : કન્નડના પ્રતિષ્ઠિત કવિ, નવલકથાકાર, નાટકકાર અને ચરિત્રલેખક. તેમના પિતાએ તેમને કન્નડ ભાષાના ગ્રંથોનો અભ્યાસ કરાવ્યો. તેમણે સૌપ્રથમ તીર્થહલ્લીની સ્થાનિક શાળામાં અને પછી મૈસૂર ખાતે અભ્યાસ કર્યો. તેમણે કન્નડમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી (1929). પાછળથી તે…

વધુ વાંચો >

પુટ્ટાસ્વામૈયા બી.

પુટ્ટાસ્વામૈયા, બી. (જ. 24 મે 1897; અ. 25 જાન્યુઆરી 1984) : કન્નડ સાહિત્યકાર. નવલકથા ને નાટ્યના લેખક ઉપરાંત પત્રકાર અને અનુવાદક તરીકે પણ તેમણે ખ્યાતિ મેળવેલી. નાનપણમાં પિતાજીના અવસાનને કારણે નવમા ધોરણથી આગળ શિક્ષણ લઈ શક્યા નહોતા. તેઓ આપબળે આગળ વધેલા સર્જક હતા. 1925માં તેઓ ‘ન્યૂ માઇસોર’ સાપ્તાહિકમાં જોડાયા. ‘વોક્કાલિંગારા…

વધુ વાંચો >

પુડુકોટ્ટાઈ

પુડુકોટ્ટાઈ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યનો એક જિલ્લો તથા તે જ નામ ધરાવતું મુખ્ય વહીવટી મથક. આ જિલ્લો રાજ્યની પૂર્વ દિશામાં બંગાળના ઉપસાગરના એક ભાગરૂપ પૉલ્કની સામુદ્રધુનીના ઉત્તર કિનારા પર આવેલો છે. ઉત્તર અને ઈશાનમાં તાંજાવુર જિલ્લો, પૂર્વમાં બંગાળનો ઉપસાગર અને તેની કિનારાપટ્ટી, દક્ષિણમાં મુથુરામલિંગમ્ અને રામનાથપુરમ્ જિલ્લા, પશ્ચિમ અને…

વધુ વાંચો >

પુડુવૈપ્પુ સંવત

પુડુવૈપ્પુ સંવત : જુઓ સંવત

વધુ વાંચો >

પુડોફકિન

પુડોફકિન (જ. 6 ફેબ્રુઆરી 1893, પેન્ઝા, રશિયા; અ. 30 જૂન 1953, જર્મેલા, લટેવિયા) : રશિયન ફિલ્મ-દિગ્દર્શક. મૂળ નામ : સ્યેવોલોદ પુડોફકિન. આ ખેડૂત-પુત્ર તેના કુટુંબ સાથે મૉસ્કોમાં વસતો હતો. ત્યાંની યુનિવર્સિટીમાં તેણે ભૌતિક અને રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં અભ્યાસ અધૂરો રહ્યો. 1915ના ફેબ્રુઆરીમાં તે યુદ્ધમાં ઘાયલ થયો…

વધુ વાંચો >

પુણે (જિલ્લો)

પુણે (જિલ્લો) : મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : જિલ્લો 17o 54’થી 19o 24′ ઉ. અ. અને 73o 19’થી 75o 10′ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનું કુલ ક્ષેત્રફળ આશરે 15,642 ચોકિમી. જેટલું છે અને તેની કુલ વસ્તી 94,26,959…

વધુ વાંચો >

પુણેકર શંકર મોકાશી

પુણેકર, શંકર મોકાશી (જ. 1928, ધારવાડ, અ. 11 ઑગસ્ટ 2004, કર્ણાટક) : કન્નડ સાહિત્યકાર. તેમની કૃતિ ‘અવધેશ્વરી’ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના 1988ના વર્ષના પુરસ્કારને પાત્ર ઠરી હતી. ધારવાડની કર્ણાટક યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને સંસ્કૃતમાં એમ. એ.ની ડિગ્રી મેળવ્યા પછી 1965માં તેમણે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. બેન્દ્રેની કવિતા તથા યેટ્સના ચિંતનનો તેમના પર ઊંડો…

વધુ વાંચો >

પુણે કરાર

પુણે કરાર (1932) : ઈ. સ. 1919ના મૉન્ટફર્ડ સુધારા પછી અંગ્રેજ-સરકાર નવા બંધારણીય સુધારા જાહેર કરવા ઇચ્છતી હતી; પરંતુ કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભાઓમાં વિવિધ કોમો તથા વર્ગોને કેટલું પ્રતિનિધિત્વ આપવું એની ચર્ચાવિચારણા કરવા માટે બ્રિટિશ હિંદ, દેશી રાજ્યો તથા ઇંગ્લૅન્ડની બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ઇંગ્લૅન્ડમાં ગોળમેજી પરિષદો યોજાઈ. તેમાં સર્વસંમત…

વધુ વાંચો >

પુનર્જનન (Regeneration)

Jan 13, 1999

પુનર્જનન (Regeneration) ગુમાવાયેલા કે ખૂબ ઈજા પામેલા શરીરના ભાગોનું સજીવ દ્વારા પ્રતિસ્થાપન. આ પારિભાષિક શબ્દ વ્યાપક છે અને વિવિધ સજીવોમાં પુન:સ્થાપિત (restorative) થતી પ્રક્રિયાઓના વિશાળ ક્ષેત્રને આવરી લે છે. કેટલાક વિજ્ઞાનીઓ ‘પુનર્જનન’ને બદલે ‘પુનર્રચન’ (reconstituion) શબ્દ પ્રયોજવાનું પસંદ કરે છે. પુનર્જનન વિશે થયેલાં અવલોકનો અને સંશોધનોની એક લાંબી નોંધ છે.…

વધુ વાંચો >

પુનર્નવાદિ ક્વાથ

Jan 13, 1999

પુનર્નવાદિ ક્વાથ : આયુર્વેદિક ઔષધ. પુનર્નવાદિ ક્વાથમાં આવતાં દ્રવ્યો : (1) પુનર્નવા(સાટોડી)નાં મૂળ, (2) દારૂ હરિદ્રા, (3) હળદર, (4) સૂંઠ, (5) હરડે, (6) ગળો, (7) ચિત્રક, (8) ભારંગ મૂળ અને (9) દેવદાર. આ બધાં દ્રવ્યો સરખે ભાગે લઈ, અધકચરાં ખાંડી તેનો વિધિસર ક્વાથ બનાવવામાં આવે છે. (500 ગ્રામ પાણીમાં 25…

વધુ વાંચો >

પુનર્નવાદિ ગૂગળ

Jan 13, 1999

પુનર્નવાદિ ગૂગળ : આયુર્વેદિક ઔષધ. ઔષધ પાઠ : (1) પુનર્નવા(Boerhasvia) (સાટોડી) મૂળ 100 ગ્રામ, (2) એરંડમૂળ 100 ગ્રામ, (3) સૂંઠ 16 ભાગ, (4) જળ (પાણી) 5   ભાગ, (5) શુદ્ધ ગૂગળ 8 ભાગ, (6) એરંડતેલ 4 ભાગ, (7) નસોતર મૂળ-ચૂર્ણ 5 ભાગ, (8) દન્તી-મૂળ   ભાગ, (9) આમળા-ચૂર્ણ 1 ભાગ, (10)…

વધુ વાંચો >

પુનર્નવા મંડૂર (વટી)

Jan 13, 1999

પુનર્નવા મંડૂર (વટી) : આયુર્વેદિક ઔષધ. ઔષધોનું સંયોજન : (ભા. પ્ર.; ર. તં. સા.) સાટોડીનાં મૂળ, નસોતર, સૂંઠ, મરી, પીપર, વાવડિંગ, દેવદાર, કઠ, હળદર, હરડે, બહેડાં, આમળાં, ચિત્રકમૂળ, દંતીમૂળ, ચવક, ઇંદ્રજવ, કડુ, પીપરીમૂળ (ગંઠોડા), નાગરમોથ, કાકડા શિંગ, કલૌંજી જીરું, અજમો અને કાયફળ – આ બધી ઔષધિઓ સરખા વજને લઈ, તેનું…

વધુ વાંચો >

પુનર્વાસ ચિકિત્સા

Jan 13, 1999

પુનર્વાસ ચિકિત્સા : જુઓ વ્યાયામાદિ ચિકિત્સા.

વધુ વાંચો >

પુનશ્ચેતનક્રિયા (resuscitation)

Jan 13, 1999

પુનશ્ચેતનક્રિયા (resuscitation) : હૃદય કે શ્વસનક્રિયા અચાનક અટકી પડે ત્યારે તેને ફરીથી શરૂ કરવાની સારવાર. હૃદયના ધબકારા અચાનક બંધ થઈ જાય તેને હૃદય-સ્તંભન (cardiac arrest) કહે છે. તેનું મુખ્ય કારણ હૃદયના ધબકારા બંધ થઈ જવા તે છે. તેને હૃદય-નિ:સ્પંદતા (cardiac standstill) પણ કહે છે. ક્યારેક હૃદયના સ્નાયુતંતુઓ અલગ અલગ સંકોચાય…

વધુ વાંચો >

પુન:સંયોજક ડીએનએ (Recombinant DNA)

Jan 13, 1999

પુન:સંયોજક ડીએનએ (Recombinant DNA) : બાહ્યસ્થ (foreign) ડીએનએનું જોડાણ વાહક અણુ (vector molecule) સાથે કરવાથી નિર્માણ થયેલ સંયુક્ત ડીએનએનો અણુ. પુન:સંયોજક ડીએનએ જૈવ તકનીકી વડે અન્ય સજીવમાં આવેલ લાભકારક જનીનને અલગ કરી તેનું સંયોજન બૅક્ટેરિયા જેવા સૂક્ષ્મ  જીવોમાં આવેલ પ્લૅસ્મિડ સાથે કરવામાં આવે છે. પુન:સંયોજક ડીએનએના અણુને લીધે આ સૂક્ષ્મજીવ…

વધુ વાંચો >

પુન:સ્ફટિકીકૃત કણરચનાઓ (crystalloblastic textures)

Jan 13, 1999

પુન:સ્ફટિકીકૃત કણરચનાઓ (crystalloblastic textures) : વિકૃત ખડકોમાં સ્ફટિકીકરણ પ્રક્રિયાઓને કારણે તૈયાર થતી વિવિધ લાક્ષણિક કણરચનાઓ. વિકૃત ખડકોમાં સ્ફટિકીકરણની પ્રક્રિયા દરમિયાન સ્ફટિકવિકાસ મોટે ભાગે ઘન માધ્યમમાં થતો હોય છે. તેથી મૅગ્માજન્ય દ્રવમાં મુક્ત રીતે થતા સ્ફટિકીકરણથી પરિણમતી કણરચનાઓની સરખામણીમાં તે સ્પષ્ટપણે જુદી પડી આવે છે. વિકૃતીકરણ દરમિયાન આવશ્યક ખનિજોનું સ્ફટિકીકરણ ક્રમાનુસાર…

વધુ વાંચો >

પુનાતર રતિભાઈ

Jan 13, 1999

પુનાતર, રતિભાઈ (જ. 31 ઑગસ્ટ 1913, જામનગર અ. 14 ડિસેમ્બર 1985, મુંબઈ) : ગુજરાતી ચલચિત્ર-દિગ્દર્શક. મોટાં શહેરોમાં જઈને વસેલા ગુજરાતી પરિવારોની સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને ચલચિત્રોનું સર્જન કરી તેમણે ગુજરાતી ચલચિત્રોને નવી દિશા આપી. રતિભાઈ પુનાતરે ગણ્યાંગાંઠ્યાં જ ગુજરાતી ચિત્રો બનાવ્યાં છે; પણ આ ચિત્રો ગુજરાતી ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બની ગયાં…

વધુ વાંચો >

પુનિત મહારાજ

Jan 13, 1999

પુનિત મહારાજ (જ. 19 મે 1908, ધંધૂકા, સૌરાષ્ટ્ર; અ. 27 ઑગસ્ટ 1962, અમદાવાદ) : ગુજરાતના લોકભજનિક તથા સમાજસેવક. મૅટ્રિક સુધીનો અભ્યાસ. સરસ્વતીબહેન સાથે 13 વર્ષની ઉંમરે લગ્ન. ખૂબ નાની વયે પિતાનું મૃત્યુ. સતત ગરીબી ભોગવતા રહ્યા. તારખાતાની તાલીમ લઈ, અમદાવાદની તારઑફિસમાં નોકરી. માતાથી એ હાડમારી ન જોવાતાં વતન પાછા બોલાવી…

વધુ વાંચો >