૧૧.૦૯

પાર્થેનિયમથી પાંડ્ય શિલ્પકલા

પાર્થેનિયમ

પાર્થેનિયમ : અમેરિકામાં વિતરણ પામેલી દ્વિદળી વર્ગના એસ્ટરેસી કુળની નાનકડી પ્રજાતિ. તેની એક જાતિ P. hysterophorus Linn.  છે. અમેરિકાથી પી.એલ. 480 હેઠળ ઘઉંની આયાત કરવામાં આવતી હતી ત્યારે  તેનાં બીજ ભેળસેળ રૂપે ભારતમાં પ્રવેશ પામ્યાં હતાં. તે લગભગ 1.0 મી.ની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય જાતિ છે. તેના પ્રકાંડ પર લંબવર્તી…

વધુ વાંચો >

પાર્મિજિયાનીનો ફ્રાન્ચેસ્કો માત્ઝોલા

પાર્મિજિયાનીનો, ફ્રાન્ચેસ્કો માત્ઝોલા (જ. 1503, પાર્મ; અ. 1540, પાર્મ) : ઇટાલિયન રીતિવાદી (mannerist) ચિત્રકારોમાંનો સૌથી વધુ સંવેદનશીલ અને મનોહર ચિત્રકાર. 1522-23માં તેણે સેન્ટ જિયોવાના ઈવૅન્જલિસ્ટ ચર્ચમાં ભીંતચિત્રો ચીતર્યાં. રૅફેલના અવસાન પછી તે રોમમાં આવ્યો અને રૅફેલની કલા-વિશેષતા વધુ વિકસાવી; જેમ કે, સુંદરતા, લાવણ્ય, આલંકારિકતા અને અતિ લાંબી માનવ-આકૃતિઓ. આ રીતે…

વધુ વાંચો >

પાર્વતી

પાર્વતી : હિંદુ ધર્મ-પુરાણઅનુસાર હિમાલય પર્વતની પુત્રી અને શિવની પત્ની. પાર્વતી તે પૂર્વજન્મમાં, બ્રહ્માના માનસપુત્ર દક્ષ-પ્રજાપતિનાં પુત્રી સતી. સંહારના દેવ તરીકે શંકર પ્રત્યે દક્ષને પહેલેથી જ તિરસ્કાર હતો અને પોતાની ઇચ્છા વિરુદ્ધ સતી શંકરને પરણ્યાં, તેથી તે દુર્ભાવ દૃઢતર બન્યો. પોતે આરંભેલા મહાયજ્ઞમાં દક્ષે, એકમાત્ર મહાદેવ સિવાય, સહુને નિમંત્ર્યા. પિતાને…

વધુ વાંચો >

પાર્વતીકુમાર

પાર્વતીકુમાર (જ. 27 ફેબ્રુઆરી 1921, માલવણ, કોંકણ, મહારાષ્ટ્ર; અ. 29 નવેમ્બર, 2012 મુંબઈ) : જાણીતા નૃત્યગુરુ અને નૃત્યનિયોજક. મરાઠી પાંચ ચોપડી ભણ્યા પછી મુંબઈ આવી સ્થાયી થયા. નૃત્ય વિશેની લગનીએ તેમને શહેરના ખ્યાતનામ નૃત્યગુરુઓ પ્રતિ આકર્ષ્યા. તાંજાવુરના મંદિર સાથે સંકળાયેલ દેવદાસીના પુત્ર ગુરુ ચંદ્રશેખર પિલ્લૈ પાસે તેમણે ભરતનાટ્યમની તાલીમ લીધી.…

વધુ વાંચો >

પાર્વતીપરિણય (1400)

પાર્વતીપરિણય (1400) : વામનભટ્ટ બાણે રચેલું સંસ્કૃત નાટક. લેખક વત્સગોત્રના બાણભટ્ટ એવું નામ ધરાવતા હોવાથી કાદંબરીના લેખક બાણભટ્ટ મનાઈ ગયેલા. પાછળથી તેમને આ મહાન લેખકથી જુદા પાડવા વામન એવો શબ્દ ઉમેરવામાં આવ્યો. આ નાટક પાંચ અંકોનું બનેલું છે અને તેમાં શિવ-પાર્વતીનાં લગ્નની વાર્તા વર્ણવાઈ છે. પ્રસ્તાવનામાં નાંદી પછી નાટક અને…

વધુ વાંચો >

પાર્શ્વચન્દ્રસૂરિ

પાર્શ્વચન્દ્રસૂરિ (જ. 1481; અ. 1546, જોધપુર) : પાર્શ્વચંદ્ર ગચ્છના સ્થાપક જૈનાચાર્ય. તે હમીરપુરના નિવાસી વીસા પોરવાડ જ્ઞાતિના શ્રેષ્ઠી વેલગ શાહના પુત્ર હતા. તેમની માતાનું નામ વિમલાદેવી હતું. તેમણે 1490માં નાગોરી તપાગચ્છના આચાર્યશ્રી સાધુરત્નસૂરિની પાસે દીક્ષા લીધી. તેમણે ટૂંકસમયમાં જ સંસ્કૃત અને પ્રાકૃતનું; ન્યાય અને વ્યાકરણનું અધ્યયન કરી 1498માં ઉપાધ્યાયપદ પ્રાપ્ત…

વધુ વાંચો >

પાર્શ્વદેવ (બારમી સદી)

પાર્શ્વદેવ (બારમી સદી) : સંગીતના અગ્રણી શાસ્ત્રકાર. તેઓ દિગંબર જૈન આચાર્ય હતા. પિતાનું નામ આદિદેવ તથા માતાનું નામ ગૌરી હતું. એમનો સમય બારમી સદીના અંતથી તેરમી સદીની શરૂઆતનો ગણાય છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ એમનો સમય તેરમી સદીનો ઉત્તરાર્ધ છે. એમણે ‘સંગીતસમયસાર’ નામનો સંગીતવિષયક ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. તેમાં…

વધુ વાંચો >

પાર્શ્વનાથ

પાર્શ્વનાથ (જ. ઈ. પૂ. 877, વારાસણી; અ. ઈ. પૂ. 777, બિહાર) : જૈનોના તેવીસમા તીર્થંકર. તેમની માતા વામાદેવી હતાં અને પિતા કાશી રાજ્યના રાજા અશ્ર્વસેન હતા. તે ઉરગવંશના કાશ્યપ ગોત્રના હતા. આર્યેતર વ્રાત્યક્ષત્રિયોની નાગજાતિની સંભવત: એક શાખા ઉરગવંશ હતી. નાની વયમાં જ પાર્શ્ર્વે પોતાના પરાક્રમ અને વીરત્વનો પરિચય કરાવી દીધો…

વધુ વાંચો >

પાર્શ્વનાથ (મૂર્તિવિધાન)

પાર્શ્વનાથ (મૂર્તિવિધાન) : ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ જૈન ધર્મના સૌથી મોટા તીર્થંકરોમાંના એક છે. એમની મૂર્તિઓ લગભગ દરેક દેરાસરમાં દૃષ્ટિગોચર થાય છે. પૂજન માટેની ધાતુમૂર્તિઓ તો સેંકડોની સંખ્યામાં પ્રાપ્ત થાય છે. એમાં પરિકરયુક્ત બેઠેલી એટલે કે આસનસ્થ અન પરિકર સહિત કે પરિકર –રહિત પણ સર્પના છત્રવટાવાળી કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલી પ્રતિમાઓ પણ…

વધુ વાંચો >

પાર્શ્વયક્ષ (ધરણેન્દ્ર) (મૂર્તિવિધાન)

પાર્શ્વયક્ષ (ધરણેન્દ્ર) (મૂર્તિવિધાન) : 23મા તીર્થંકર પાર્શ્વનાથનો યક્ષ. આ યક્ષ સમગ્ર યક્ષસૃષ્ટિમાં મહત્વનું સ્થાન ધરાવે છે. શ્વેતાંબર અને દિંગબર બંને સંપ્રદાયો પ્રમાણે તેનું પ્રતીક સર્પ અને સર્પની ફણાનું છત્ર છે. કૂર્મ તેનું વાહન છે. શ્વેતાંબર પ્રમાણે તેના ચાર હાથમાં નકુલ, સર્પ, બિજોરું અને સર્પ હોય છે. દિગંબર પ્રમાણે સર્પ, પાશ…

વધુ વાંચો >

પાસણાહચરિઉ

Jan 9, 1999

પાસણાહચરિઉ : જૈન તીર્થંકરોમાંના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વ કે પાર્શ્વનાથનું ચરિત વર્ણવતું મહાકાવ્ય. અપભ્રંશ ભાષામાં આચાર્ય પદ્મકીર્તિએ રચેલું આ કાવ્ય ‘પાસ-પુરાણ’ એવા નામે પણ ઓળખાય છે. તે ઇન્દોરના પ્રફુલ્લકુમાર મોદીએ સંપાદિત કરેલું છે અને પ્રાકૃત ગ્રંથ પરિષદ, વારાણસી દ્વારા 1965માં ‘આયરિય-સિરિ-પઉમકિત્તિ-વિરઇઉ પાસણાહચરિઉ’-એ શીર્ષકથી પ્રકાશિત થયું છે. આચાર્ય પદ્મકીર્તિએ 1077ના અરસામાં આ…

વધુ વાંચો >

પાસણાહચરિય (પાર્શ્વનાથચરિત)

Jan 9, 1999

પાસણાહચરિય (પાર્શ્વનાથચરિત) : પાર્શ્વનાથ તીર્થંકરનું ચરિત વર્ણવતું કાવ્ય. ‘કહારયણકોસ’ના કર્તા ગુણચંદ્રગણિ(1111)એ પ્રાકૃત ગદ્યપદ્યમાં રચેલા આ ચરિતકાવ્યમાં 5 પ્રસ્તાવોમાં ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથના ચરિત્રનું આલેખન છે. સરસ રચનામાં સમાસાન્ત પદાવલિ, છંદોવૈવિધ્ય, સંસ્કૃત શૈલીનો પ્રભાવ અને અનેક સંસ્કૃત સુભાષિતોનાં અવતરણ એે આ કાવ્યની વિશેષતાઓ છે. પ્રથમ પ્રસ્તાવમાં પાર્શ્વનાથના ત્રણ પૂર્વભવોના ઉલ્લેખ છે અને…

વધુ વાંચો >

પાસપૉર્ટ

Jan 9, 1999

પાસપૉર્ટ : આંતરરાષ્ટ્રીય સરહદો ઓળંગવાની પરવાનગી દર્શાવતો અધિકૃત દસ્તાવેજ. દેશના નાગરિક તરીકેની માન્યતા આપતો તથા દેશવિદેશનો પ્રવાસ હાથ ધરવા માટેની કાયદાકીય સુગમતા બક્ષતો આ દસ્તાવેજ જે તે દેશની સરકાર દ્વારા આપવામાં આવતો હોય છે. કોઈ પણ કાયદામાં પાસપૉર્ટની વ્યાખ્યા આપી નથી; પણ ભારતની સર્વોચ્ચ અદાલતે વ્યક્ત કરેલા અભિપ્રાય મુજબ પાસપૉર્ટ…

વધુ વાંચો >

પાસબુક

Jan 9, 1999

પાસબુક : બૅંકર અને ગ્રાહક વચ્ચેના નાણાકીય વ્યવહારોની ચોક્કસ અને પ્રમાણભૂત નોંધ રાખવાનું સાધન. બૅંકને થાપણોની પ્રાપ્તિ મુખ્યત્વે (1) ચાલુ ખાતું, (2) બચત ખાતું અને (3) બાંધી મુદતનું ખાતું – એ ત્રણ દ્વારા થાય છે. તેમાંથી બચત ખાતું કે ચાલુ ખાતું ખોલાવનાર ગ્રાહકને બૅંક તરફથી તેના ખાતાની નકલ તરીકે એક…

વધુ વાંચો >

પાસવાન રામવિલાસ

Jan 9, 1999

પાસવાન, રામવિલાસ (જ. 5 જુલાઈ 1946, શાહરબાની, જિ. ખાગરિયા, બિહાર) : અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત ફાળવવાની બાબતને વરેલા બોલકા દલિત નેતા અને સાંસદ. પિતા જામુન પાસવાન અને માતા રાજકુમારી પાસવાન. તેમણે ખાગરિયાની કોસી કૉલેજમાં અભ્યાસ કરી વિનયનની અનુસ્નાતક પદવી હાંસલ કરી તથા વિદ્યાર્થીકાળ દરમિયાન જ અગ્રણી વિદ્યાર્થી નેતા…

વધુ વાંચો >

પાસ્કલનો નિયમ (Pascal’s Law)

Jan 9, 1999

પાસ્કલનો નિયમ (Pascal’s Law) : ભૌતિકવિજ્ઞાનનો એક નિયમ, જે દર્શાવે છે કે કોઈ બંધ પાત્રમાં રહેલ પ્રવાહી (confined fluid) ઉપર બાહ્ય દબાણ લગાડવામાં આવે તો બધી દિશાઓમાં એકસમાન રીતે દબાણનું પ્રેષણ (transmit) થાય છે. આમ બંધ પાત્રમાં રહેલા પ્રવાહી ઉપર લગાડવામાં આવેલું બાહ્ય દબાણ એકસરખી તીવ્રતાથી પ્રવાહીમાં પ્રસારિત થાય છે…

વધુ વાંચો >

પાસ્કલ બ્લેઝ

Jan 9, 1999

પાસ્કલ, બ્લેઝ (જ. 19 જૂન 1623, ક્લેરમૉન્ટ ફરાન્ડ, ફ્રાંસ; અ. 19 ઑગસ્ટ 1662, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, ફિલસૂફ અને ફ્રેંચ ગદ્યના પ્રખર પંડિત. શાળાએ ગયા વગર જ પિતા પાસેથી પ્રાચીન ગ્રીક અને લૅટિન કલા અને સાહિત્ય શીખ્યા હતા. 12 વર્ષના થયા ત્યાં સુધીમાં તેમણે ભૂમિતિનો અભ્યાસ કરી લીધો…

વધુ વાંચો >

પાસ્તરનાક બૉરિસ લિયૉનિદોવિચ

Jan 9, 1999

પાસ્તરનાક, બૉરિસ લિયૉનિદોવિચ (જ. 10 ફેબ્રુઆરી 1890, મૉસ્કો; અ. 30 મે 1960, પેરેડેલ્કિન, મૉસ્કો નજીક) : જગપ્રસિદ્ધ રશિયન કવિ અને નવલકથાકાર. પિતા લિયૉનિદ પ્રાધ્યાપક અને ચિત્રકાર. માતા રોઝાલિયા કૉફમૅન પિયાનોવાદક. ઉછેર ભદ્ર યહૂદી કુટુંબમાં. પિતા લિયો ટૉલ્સ્ટૉયની નવલકથાઓ, રિલ્કાનાં કાવ્યો અને સંગીતકાર સર્ગી રૅચમૅનિનૉફની રચનાઓને આધારે અનેક પાત્રોનું ચિત્રાંકન કરતા.…

વધુ વાંચો >

પાહુડદોહા

Jan 9, 1999

પાહુડદોહા : મુનિ રામસિંહે અપભ્રંશ ભાષામાં રચેલી 220 દોહાઓની કૃતિ. તેમાં પાહુડ એટલે તીર્થંકરોની પ્રાકૃત ભાષામાં રચાયેલા દોહાઓ છે. આ ગ્રંથ દસમી કે અગિયારમી સદીમાં રચાયો છે. 1933માં ડૉ. હીરાલાલ જૈને કારંજા(મહારાષ્ટ્ર)માંથી અંબાદાસ ચવરે દિગંબર જૈન ગ્રંથમાળાના ત્રીજા ગ્રંથ તરીકે ‘પાહુડદોહા’ને પ્રકાશિત કર્યો છે. સાદી ભાષામાં રહસ્યવાદને ગંભીરતાથી રજૂ કરતો…

વધુ વાંચો >

પાહોઈહો લાવા (રજ્જુ-લાવા) (Pahoehoe lava Ropy lava)

Jan 9, 1999

પાહોઈહો લાવા (રજ્જુ–લાવા) (Pahoehoe lava, Ropy lava) : લાવા-પ્રવાહોમાંથી તૈયાર થતી દોરડા જેવી સંરચના. પૃથ્વીના પેટાળમાંથી બહાર નીકળી આવતો મોટાભાગનો લાવા સામાન્યત: પ્રવાહી સ્થિતિવાળો, બેસાલ્ટ બંધારણવાળો તેમજ ઊંચા તાપમાનવાળો હોય છે. તેની સ્નિગ્ધ કે તરલ સ્થિતિ મુજબ બે પ્રકાર પાડવામાં આવેલા છે : (1) ‘આ’ લાવા, જે સ્નિગ્ધ અને ઘટ્ટ…

વધુ વાંચો >