૧૧.૦૭

પાધ્યે, પ્રભાકર આત્મારામથી પારજાતીયતા (transsexualism)

પાધ્યે પ્રભાકર આત્મારામ

પાધ્યે, પ્રભાકર આત્મારામ (જ. 4 જાન્યુઆરી 19૦9, લાંગે, જિલ્લો  રત્નાગિરિ; અ. 1984 પૂણે) : મરાઠી પત્રકાર, વિવેચક અને સૌંદર્યશાસ્ત્રના જ્ઞાતા. શિક્ષણ રત્નાગિરિ, મુંબઈ અને પુણે ખાતે. 1932માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી અર્થશાસ્ત્ર સાથે મેળવી. શિક્ષણકાળથી જ મરાઠી સામયિકોમાં લેખો લખવાની શરૂઆત કરી. 1939માં મરાઠી પત્રકારત્વક્ષેત્રમાં પદાર્પણ કર્યું. 1939-45 દરમિયાન ‘ધનુર્ધારી’…

વધુ વાંચો >

પાધ્યે પ્રભાકર નારાયણ (ભાઉપાધ્યે)

પાધ્યે, પ્રભાકર નારાયણ (ભાઉપાધ્યે) (જ. 29 નવેમ્બર 1926; અ. 1996) : મરાઠી લેખક, પત્રકાર તથા મજૂરનેતા. સમગ્ર શિક્ષણ મુંબઈ ખાતે. 1942માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા તથા 1946માં તે જ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી. થોડાક સમય સુધી શિક્ષકની નોકરી કર્યા પછી પત્રકારત્વનો વ્યવસાય પસંદ કર્યો. સાથોસાથ મજૂર ચળવળમાં સક્રિય રહ્યા.…

વધુ વાંચો >

પાનકથીરી

પાનકથીરી : ખેતીપાકોમાં નુકસાન કરતી જુદી જુદી જીવાતો પૈકી કીટક સિવાયની જીવાતોમાં ચૂસિયા પ્રકારની એક મહત્વની જીવાત. પાનકથીરી એ સંધિપાદ (Arthropoda) સમુદાયનું અષ્ટપદી (Arachnida) વર્ગનું એકેરીના (Acarina) શ્રેણીનું પ્રાણી છે. આ જીવાત અડધા મિમી. જેટલી લંબાઈની પોચા શરીરવાળી અને વિવિધ રંગની હોય છે. તેનું માથું વક્ષ સાથે જોડાયેલું હોય છે.…

વધુ વાંચો >

પાનકોરિયું

પાનકોરિયું : ખેતી-પાકોમાં નુકસાનકર્તા રોમપક્ષ (Lepidoptera), ઢાલપક્ષ (Coleoptera) અને ડિપ્ટેરા (Diptera) શ્રેણીના કેટલાક કીટકો. રોમપક્ષ શ્રેણીની માદા પાનકોરિયા પાનની સપાટી પર છૂટાંછવાયાં ઈંડાં મૂકે છે. જ્યારે ઢાલપક્ષ અને ડિપ્ટેરા શ્રેણીમાં સમાવેશ થતી જાતિમાં માદા કીટક પોતાના તીક્ષ્ણ અંડ-નિક્ષેપક અંગ દ્વારા પાનની પેશીઓમાં ઈંડાં મૂકે છે. ઈંડાં સેવાતાં તેમાંથી નીકળતી નાની…

વધુ વાંચો >

પાન ખાનારી ઇયળ

પાન ખાનારી ઇયળ : પ્રોડેનિયા લિટુરા : પાન ખાઈને પાકને નુકસાન કરતાં રોમપક્ષ શ્રેણીનાં કેટલાંક ફૂદાં. આ રાષ્ટ્રવ્યાપી જીવાતને, પાન ખાનારી ઇયળ ઉપરાંત, પ્રોડેનિયા, તમાકુનાં પાન ખાનારી ઇયળ, કૉટન લીફ વર્મ, થડ કાપી ખાનાર ઇયળ, ટામેટીનાં પાન ખાનાર ઇયળ વગેરે વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. તેનો નોક્ટ્યુઇડે કુળમાં સમાવેશ થયેલ…

વધુ વાંચો >

પાનગૉંગ ત્સો (પૅન્ગૉગ)

પાનગૉંગ ત્સો (પૅન્ગૉગ) : ભારતના લડાખ પ્રદેશમાં આવેલ ખારા પાણીનું સરોવર. તે લડાખના પાટનગર લેહની પૂર્વે 12૦ કિમી. અંતરે 33.45o ઉ. અ. અને 78.43o પૂ. રે. પર આવેલું છે. તેની કુલ લંબાઈ 147 કિમી. અને પહોળાઈ 5થી 7 કિમી. જેટલી છે. આ સરોવરનો  ભાગ ભારતની સીમામાં અને બાકીનો  ભાગ ચીનના…

વધુ વાંચો >

પાનના રોગો

પાનના રોગો : પરોપજીવી ફૂગ, બૅક્ટેરિયા, વિષાણુ, માઇકોપ્લાઝ્મા, સ્પાયરોપ્લાઝ્મા કે રિકેટ્સિયા જેવા પરોપજીવી સજીવોના વનસ્પતિ કે છોડનાં પાન પરના આક્રમણને કારણે તેની દેહધાર્મિક ક્રિયામાં અવરોધ થતાં પેદા થતા રોગો. તેથી આક્રમિત પાન કે પાનના વિસ્તારમાં ડાઘા-ટપકાં  પીળાં ટપકાં કે પીળાં ધાબાં થાય છે. છોડના પાન ઉપર વિકૃત અસર થવાથી છોડની…

વધુ વાંચો >

પાનબાઈ

પાનબાઈ : જુઓ ભગત કહળસંગ

વધુ વાંચો >

પાનરવો (પાંડેરવો)

પાનરવો (પાંડેરવો) : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના ફેબેસી કુળમાં આવેલા પૅપિલિયોનૉઇડી (પલાશાદિ) ઉપકુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Erythrina variegata Linn. var. orientalis (Linn.) Merrill syn. E. indica Lam. (સં. મંદાર, પારિભદ્ર, રક્તકેસર, પારિજાત; હિં. દાદપ, મંદાર, ફરહદ, જલનીમ; બ. પલિતામંદાર, પાલિદામાર, પલિતુ-મુદાર; મ. પાંગરા, મંદાર; ગુ. પાનરવો, પાંડેરવો, તમ. કલ્યાણ-મુરુક્કુ, મરુક્કુ;…

વધુ વાંચો >

પાનલૌવા (Painted Snipe)

પાનલૌવા (Painted Snipe) : ભારતમાં ચોમાસામાં પ્રમાણમાં ઓછું જોવા મળતું પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Rastratula benghalensis. તેનું કદ તેતરથી નાનું, 25 સેમી.નું હોય છે. આ પંખીમાં નર ઝાંખો, તેનું માથું અને છાતી લીલાશ પડતાં રાખોડી હોય છે, ઉપરનો ભાગ લીલો હોય છે. તે માદા કરતાં કદમાં નાનો હોય…

વધુ વાંચો >

પાન વાળનારી ઇયળો

Jan 7, 1999

પાન વાળનારી ઇયળો : પાન વાળીને પાકને નુકસાન કરે એવા રોમપક્ષ (lepidoptera) શ્રેણીનાં કેટલાંક ફૂદાં અને પતંગિયાં. ડાંગરનાં પાન વાળનારી ઇયળ : ડાંગરના પાકમાં પાન વાળીને નુકસાન કરતી આ જીવાતનું વૈજ્ઞાનિક નામ નેફેલોક્રોસિસ મેડિનાલીસ છે. તે એક ફૂદું છે અને તેનો સમાવેશ પાયરેલિડે કુળમાં કરવામાં આવેલો છે. તે પીળાશ પડતું…

વધુ વાંચો >

પાનવિભ્રમ

Jan 7, 1999

પાનવિભ્રમ : નિયમ અને માત્રાનો વિચાર કર્યા વિના કરેલ મદ્યપાનથી – તેના અતિરેકથી જે ખાસ પ્રકારના ભ્રમ-વિભ્રમ(ચક્કર)નો રોગ થાય છે તે. સુશ્રુતસંહિતાના ઉત્તર તંત્રના 47મા ‘પાનાત્યયપ્રતિષેધ’ નામના અધ્યાયમાં આ રોગનું વર્ણન છે. સુશ્રુતાચાર્યે ‘પાનવિભ્રમ’ રોગનાં લક્ષણો આ મુજબ વર્ણવ્યાં છે : “હૃદય અને શરીરમાં સોય ચૂભવા જેવી પીડા, ઊલટી થવી,…

વધુ વાંચો >

પાનસરે ગોવિંદ પી. (‘કૉમરેડ’)

Jan 7, 1999

પાનસરે, ગોવિંદ પી. (‘કૉમરેડ’) (જ. 26 નવેમ્બર 1933, કોલ્હાર, મહારાષ્ટ્ર; અ. 21 ફેબ્રુઆરી 2૦15, મુંબઈ) : મહારાષ્ટ્રના અગ્રણી સામ્યવાદી (CPI) નેતા, વિચારક તથા નીડર લેખક. પિતાનું નામ પંઢરીનાથ, જે પરિવારના ભરણપોષણ માટે સામાન્ય કક્ષાની રોજગારીમાં વ્યસ્ત રહેતા. માતાનું નામ હરણાબાઈ, જે પાંચ સંતાનોના ઉછેર માટે ખેતીમાં મજૂરી કરતાં. અગાઉ દેવાના…

વધુ વાંચો >

પાનાત્યય

Jan 7, 1999

પાનાત્યય : આયુર્વેદ અનુસાર નિયમરહિત અતિ મદ્ય(શરાબ)પાનથી થયેલ ખાસ રોગસ્થિતિ. કોઈ પણ મદ્ય (શરાબ, દારૂ, મદિરા) જો તેના નિયમો પાળીને, ઔષધ રૂપે, વય મુજબ યોગ્ય માત્રામાં, જરૂર હોય ને લેવાય તો તે ‘ઔષધ’ બની શકે છે; પરંતુ જો તે ખાલી પેટે, નિયમરહિત, વધુ માત્રામાં અને વ્યસન રૂપે વારંવાર કે રોજ…

વધુ વાંચો >

પાપ

Jan 7, 1999

પાપ : હિન્દુ માન્યતા મુજબ ધર્મશાસ્ત્ર કે નીતિશાસ્ત્રમાં વખોડવામાં આવેલું, આ લોક અને પરલોકમાં અશુભ ફળ આપે અને મનુષ્યનું અધ:પતન કરે એવું આચરણ. પાપકર્મ કરવાથી પછીનો જન્મ ખરાબ મળે છે અને દુ:ખ ભોગવવું પડે છે તેવું માનવામાં આવે છે. મનુષ્યનું પતન કરનારા કર્મને ‘પાતક’ એવા શબ્દથી ઓળખવામાં આવે છે, પરંતુ…

વધુ વાંચો >

પાપક્ષયવાદ

Jan 7, 1999

પાપક્ષયવાદ : મોક્ષ માટે પાપકર્મોના નાશ વિશેનો અભિપ્રાય કે મત. કર્મનો એક અર્થ છે મનવચનકાયાની પ્રવૃત્તિ. પ્રવૃત્તિ એટલે ક્રિયા ક્ષણિક હોવાથી તેના ક્ષયનો પ્રશ્ન નથી. કર્મનો બીજો અર્થ છે પ્રવૃત્તિરૂપ કર્મનો આત્મામાં પડતો સંસ્કાર. આ સંસ્કારને કર્મસંસ્કાર, કર્મવાસના, કર્માશય, ધર્માધર્મ, અપૂર્વ, અષ્ટ કે કર્મ કહેવામાં આવે છે. હવે કર્મના મુખ્ય…

વધુ વાંચો >

પાપડી(વાલ)

Jan 7, 1999

પાપડી(વાલ) : દ્વિદળી (મેગ્નેલિયોપ્સીડા) વર્ગમાં આવેલા લેગ્યુમિનોઝી (શિંબી) કુળના ઉપકુળ પૅપિલિયોનૉઇડી(ફેબેસી; પલાશાદિ)ની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lablab purpureus(L) Sweet syn. Dolichos lablab L, D. purpureus L; Vigna aristata Piper (સં. નિષ્પાવ, વલ્લ, રાજશિંબ, શ્વેતશિંબિક, હિં. સેમ. સેબી; બં. બોરા, વરવટી; મ. ધેવડા, વાલ પાપડી; ગુ. વાલ, વાલોળ, વાલ પાપડી, પાપડી;…

વધુ વાંચો >

પાપલેટ (pomfret)

Jan 7, 1999

પાપલેટ (pomfret) : મત્સ્યાહારીઓને પ્રિય અત્યંત સ્વાદિષ્ટ ગણાતી માછલી. પાપલેટના શરીરમાં આવેલાં હાડકાં સહેલાઈથી દૂર કરી શકાય તેમ હોવાથી મત્સ્યાહારીઓમાં તેનો ઉપાડ મોટા પ્રમાણમાં થાય છે.  પાપલેટ એક અસ્થિ-મીન (Bony fish) છે અને તેની ગણના Osteichthyes વર્ગની, શ્રેણી Perciformesના Stromatidae કુળમાં થાય છે. ભારતના દરિયામાં પાપલેટની ત્રણ જાત ઉપલબ્ધ છે…

વધુ વાંચો >

પાપુઆ ન્યૂ ગિની

Jan 7, 1999

પાપુઆ ન્યૂ ગિની : ઑસ્ટ્રેલિયાની ઉત્તરે પૅસિફિક મહાસાગરના પશ્ચિમ ભાગમાં આવેલા ટાપુસમૂહોથી બનેલું સ્વતંત્ર રાષ્ટ્ર. તે ૦oથી દક્ષિણ 11o 4૦’ અક્ષાંશ, 13૦o પૂ.થી 16૦o પૂ. રે. વચ્ચે આવેલું છે. તે પાપુઆ ન્યૂ ગિનીમાં ન્યૂ ગિની ટાપુનો પૂર્વ તરફનો વિસ્તાર તથા બિસ્માર્ક લુસીઆડી અને દ – ઑન્ત્રેકાસ્ટા દ્વીપસમૂહો તેમજ સૉલોમન ટાપુઓના…

વધુ વાંચો >

પાપોડાપુલાસ જ્યૉર્જ

Jan 7, 1999

પાપોડાપુલાસ, જ્યૉર્જ (જ. 5 મે, 1919; અ. 27 જૂન 1999) : ગ્રીક કર્નલ અને રાજકીય નેતા. વ્યવસાયી સેના-અધિકારી તથા લશ્કરી ટોળકી(junta)ના નેતા-સરમુખત્યાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેમની આગેવાની નીચે જમણેરી લશ્કરી અધિકારીઓના જૂથે 21 એપ્રિલ, 1967ના રોજ લોકશાહી સરકારને ઉથલાવીને સત્તા હાંસલ કરી અને ગ્રીસના રાજા કૉન્સ્ટેનટાઇનના નામે નવી સરકારને શપથ…

વધુ વાંચો >