૧૧.૦૭

પાધ્યે, પ્રભાકર આત્મારામથી પારજાતીયતા (transsexualism)

પાધ્યે પ્રભાકર આત્મારામ

પાધ્યે, પ્રભાકર આત્મારામ (જ. 4 જાન્યુઆરી 19૦9, લાંગે, જિલ્લો  રત્નાગિરિ; અ. 1984 પૂણે) : મરાઠી પત્રકાર, વિવેચક અને સૌંદર્યશાસ્ત્રના જ્ઞાતા. શિક્ષણ રત્નાગિરિ, મુંબઈ અને પુણે ખાતે. 1932માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી અર્થશાસ્ત્ર સાથે મેળવી. શિક્ષણકાળથી જ મરાઠી સામયિકોમાં લેખો લખવાની શરૂઆત કરી. 1939માં મરાઠી પત્રકારત્વક્ષેત્રમાં પદાર્પણ કર્યું. 1939-45 દરમિયાન ‘ધનુર્ધારી’…

વધુ વાંચો >

પાધ્યે પ્રભાકર નારાયણ (ભાઉપાધ્યે)

પાધ્યે, પ્રભાકર નારાયણ (ભાઉપાધ્યે) (જ. 29 નવેમ્બર 1926; અ. 1996) : મરાઠી લેખક, પત્રકાર તથા મજૂરનેતા. સમગ્ર શિક્ષણ મુંબઈ ખાતે. 1942માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા તથા 1946માં તે જ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી. થોડાક સમય સુધી શિક્ષકની નોકરી કર્યા પછી પત્રકારત્વનો વ્યવસાય પસંદ કર્યો. સાથોસાથ મજૂર ચળવળમાં સક્રિય રહ્યા.…

વધુ વાંચો >

પાનકથીરી

પાનકથીરી : ખેતીપાકોમાં નુકસાન કરતી જુદી જુદી જીવાતો પૈકી કીટક સિવાયની જીવાતોમાં ચૂસિયા પ્રકારની એક મહત્વની જીવાત. પાનકથીરી એ સંધિપાદ (Arthropoda) સમુદાયનું અષ્ટપદી (Arachnida) વર્ગનું એકેરીના (Acarina) શ્રેણીનું પ્રાણી છે. આ જીવાત અડધા મિમી. જેટલી લંબાઈની પોચા શરીરવાળી અને વિવિધ રંગની હોય છે. તેનું માથું વક્ષ સાથે જોડાયેલું હોય છે.…

વધુ વાંચો >

પાનકોરિયું

પાનકોરિયું : ખેતી-પાકોમાં નુકસાનકર્તા રોમપક્ષ (Lepidoptera), ઢાલપક્ષ (Coleoptera) અને ડિપ્ટેરા (Diptera) શ્રેણીના કેટલાક કીટકો. રોમપક્ષ શ્રેણીની માદા પાનકોરિયા પાનની સપાટી પર છૂટાંછવાયાં ઈંડાં મૂકે છે. જ્યારે ઢાલપક્ષ અને ડિપ્ટેરા શ્રેણીમાં સમાવેશ થતી જાતિમાં માદા કીટક પોતાના તીક્ષ્ણ અંડ-નિક્ષેપક અંગ દ્વારા પાનની પેશીઓમાં ઈંડાં મૂકે છે. ઈંડાં સેવાતાં તેમાંથી નીકળતી નાની…

વધુ વાંચો >

પાન ખાનારી ઇયળ

પાન ખાનારી ઇયળ : પ્રોડેનિયા લિટુરા : પાન ખાઈને પાકને નુકસાન કરતાં રોમપક્ષ શ્રેણીનાં કેટલાંક ફૂદાં. આ રાષ્ટ્રવ્યાપી જીવાતને, પાન ખાનારી ઇયળ ઉપરાંત, પ્રોડેનિયા, તમાકુનાં પાન ખાનારી ઇયળ, કૉટન લીફ વર્મ, થડ કાપી ખાનાર ઇયળ, ટામેટીનાં પાન ખાનાર ઇયળ વગેરે વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. તેનો નોક્ટ્યુઇડે કુળમાં સમાવેશ થયેલ…

વધુ વાંચો >

પાનગૉંગ ત્સો (પૅન્ગૉગ)

પાનગૉંગ ત્સો (પૅન્ગૉગ) : ભારતના લડાખ પ્રદેશમાં આવેલ ખારા પાણીનું સરોવર. તે લડાખના પાટનગર લેહની પૂર્વે 12૦ કિમી. અંતરે 33.45o ઉ. અ. અને 78.43o પૂ. રે. પર આવેલું છે. તેની કુલ લંબાઈ 147 કિમી. અને પહોળાઈ 5થી 7 કિમી. જેટલી છે. આ સરોવરનો  ભાગ ભારતની સીમામાં અને બાકીનો  ભાગ ચીનના…

વધુ વાંચો >

પાનના રોગો

પાનના રોગો : પરોપજીવી ફૂગ, બૅક્ટેરિયા, વિષાણુ, માઇકોપ્લાઝ્મા, સ્પાયરોપ્લાઝ્મા કે રિકેટ્સિયા જેવા પરોપજીવી સજીવોના વનસ્પતિ કે છોડનાં પાન પરના આક્રમણને કારણે તેની દેહધાર્મિક ક્રિયામાં અવરોધ થતાં પેદા થતા રોગો. તેથી આક્રમિત પાન કે પાનના વિસ્તારમાં ડાઘા-ટપકાં  પીળાં ટપકાં કે પીળાં ધાબાં થાય છે. છોડના પાન ઉપર વિકૃત અસર થવાથી છોડની…

વધુ વાંચો >

પાનબાઈ

પાનબાઈ : જુઓ ભગત કહળસંગ

વધુ વાંચો >

પાનરવો (પાંડેરવો)

પાનરવો (પાંડેરવો) : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના ફેબેસી કુળમાં આવેલા પૅપિલિયોનૉઇડી (પલાશાદિ) ઉપકુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Erythrina variegata Linn. var. orientalis (Linn.) Merrill syn. E. indica Lam. (સં. મંદાર, પારિભદ્ર, રક્તકેસર, પારિજાત; હિં. દાદપ, મંદાર, ફરહદ, જલનીમ; બ. પલિતામંદાર, પાલિદામાર, પલિતુ-મુદાર; મ. પાંગરા, મંદાર; ગુ. પાનરવો, પાંડેરવો, તમ. કલ્યાણ-મુરુક્કુ, મરુક્કુ;…

વધુ વાંચો >

પાનલૌવા (Painted Snipe)

પાનલૌવા (Painted Snipe) : ભારતમાં ચોમાસામાં પ્રમાણમાં ઓછું જોવા મળતું પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Rastratula benghalensis. તેનું કદ તેતરથી નાનું, 25 સેમી.નું હોય છે. આ પંખીમાં નર ઝાંખો, તેનું માથું અને છાતી લીલાશ પડતાં રાખોડી હોય છે, ઉપરનો ભાગ લીલો હોય છે. તે માદા કરતાં કદમાં નાનો હોય…

વધુ વાંચો >

પાયોનિયર અંતરીક્ષયાનો

Jan 7, 1999

પાયોનિયર અંતરીક્ષયાનો : આંતરગ્રહીય અંતરીક્ષના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલ અમેરિકન અન્વેષી યાનોની પ્રથમ શ્રેણી. 1 ઑક્ટોબર, 1958ના રોજ ચંદ્રની કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવેલા પાયોનિયર-1 સિવાયનાં અન્ય અન્વેષી યાનો સૌરમંડળના ગ્રહોના અન્વેષણ તથા આંતરગ્રહીય કણ અને ચુંબકીય ક્ષેત્રની વિવિધ અસરો માપવા માટે મોકલવામાં આવ્યાં હતાં. ઉદાહરણ તરીકે પાયોનિયર-6 (1965) પૃથ્વી…

વધુ વાંચો >

પાર (1984)

Jan 7, 1999

પાર (1984) : હિંદી ચલચિત્ર. નિર્માણસંસ્થા : ઑર્ચિડ ફિલ્મ્સ પ્રા. લિ. દિગ્દર્શન, સંગીત અને છબીકલા : ગૌતમ ઘોષ. સંકલન : પ્રશાંત ડે. કલાકારો : શબાના આઝમી, નસીરુદ્દીન શાહ, મોહન અગાશે, ઉત્પલ દત્ત, અનિલ ચૅટરજી, ઓમ્ પુરી. અવધિ : 12૦ મિનિટ. બિહારના એક ગામમાં હરિજન વસ્તીમાં કેટલાક લોકો આગ ચાંપી દે…

વધુ વાંચો >

પારગમ્ય અને અર્ધપારગમ્ય પડદા

Jan 7, 1999

પારગમ્ય અને અર્ધપારગમ્ય પડદા : દ્રાવણમાં રહેલા ઘન કણો સિવાયના પ્રવાહીને પસાર થવા દે તે પારગમ્ય અને પરાસરણ (osmosis) વિધિમાં દ્રાવક જેવા બારીક અણુઓને પસાર થવા દે, પણ મોટા દ્રાવ્ય અણુઓને પસાર ન થવા દે તે અર્ધપારગમ્ય પડદા. અર્ધપારગમ્ય પડદા છિદ્રાળુ પાત્ર કે તારની જાળી ઉપર સેલ્યુલોઝ જેવા પદાર્થની ફિલ્મ…

વધુ વાંચો >

પારગમ્યતા (permeability)

Jan 7, 1999

પારગમ્યતા (permeability) : બહુકોષીય સજીવોમાં કોઈ એક કોષના રસપડમાંથી પાસેના કોષમાં થતું પદાર્થોનું પ્રસરણ. પારગમ્યતાને લીધે પર્યાવરણ અને સજીવોના કોષો વચ્ચે પણ પદાર્થોની આપલે થતી હોય છે. સામાન્યપણે પ્રવાહીમાં રહેલા રાસાયણિક ઘટકો સંકેંદ્રિત દ્રાવણોમાંથી ઓછા સંકેંદ્રણવાળા દ્રાવણ તરફ વહેતા હોય છે. દાખલા તરીકે, ખાંડનું પ્રમાણ વધુ હોય તેવા દ્રાવણને ખાંડનું…

વધુ વાંચો >

પારજાતીયતા (transsexualism)

Jan 7, 1999

પારજાતીયતા (transsexualism) : જાતિપરિવર્તન-અભિમુખતા. પોતાની જાતિ (sex) સાથેના તાદાત્મ્યની વિકૃતિ તેમાં પરિણમે છે. એમાં વ્યક્તિ પોતાની જાતીય ભૂમિકાને અને જાતિને ઉલટાવવા માગે છે. તેની દેહરચના અને જનનાંગો પોતાની જાતિ મુજબનાં સામાન્ય હોય છે, છતાં વ્યક્તિને એવું લાગે છે કે પોતે સામી જાતિની છે. પુરુષનો દેહ ધરાવનાર પારજાતીય વ્યક્તિ માને છે…

વધુ વાંચો >