૧૦.૪૧

પરિસર-ઉજ્જ્વલન (limb brightening)થી પર્મેનન્ટ ઇન્ટરનેશનલ પીસ બ્યૂરો

પરિસર-ઉજ્જ્વલન (limb brightening)

પરિસર–ઉજ્જ્વલન (limb brightening) : ખગોળીય પદાર્થના કેન્દ્રથી દૂરની બાજુ પરિસર (limb) તરફ વધતી ઉજ્જ્વળતા, અથવા તેજસ્વિતા. સૂર્યનાં કિરણો જુદી જુદી તરંગલંબાઈનાં વિકિરણો ધરાવે છે. તેમાં રેડિયોતરંગો અને એક્સ-કિરણોનો પણ સમાવેશ થાય છે. આ તરંગલંબાઈના વિસ્તારમાં આ ઘટના જોવા મળે છે. તેનું કારણ એ છે કે આ વિકિરણો મહદંશે સૂર્યના તેજ-કવચ(corona)માંથી…

વધુ વાંચો >

પરિસર-નિસ્તેજન (limb darkening)

પરિસર–નિસ્તેજન (limb darkening) : ખગોળીય પદાર્થના કેન્દ્રથી દૂરની બાજુ – પરિસર (limb) તરફ જોતાં દેખાતી નિસ્તેજનની ઘટના. પ્રકાશીય તરંગ-લંબાઈમાં સૂર્યના તેજાવરણ(photosphere)ની થાળી(disc)નું અવલોકન કરવાથી આ ઘટના જોઈ શકાય છે. તેજાવરણના કેન્દ્રથી દૂરની બાજુ પર ત્રાંસી દિશામાં કરાતા અવલોકનની તુલનામાં, લંબ-દિશામાં કેન્દ્રનું અવલોકન કરવાથી તેજાવરણમાં વધારે ઊંડા અને વધારે ગરમ સ્તરો…

વધુ વાંચો >

પરિસ્થિતિ-અનુકૂલન

પરિસ્થિતિ–અનુકૂલન : વ્યક્તિ અને વાતાવરણ વચ્ચે સમાયોજન (adjustment) સાધવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં વ્યક્તિ કાં તો વાતાવરણને અનુરૂપ થાય છે અથવા તે તેને બદલે છે. એક બાજુ વ્યક્તિની જરૂરિયાતો અને બીજી બાજુ વાતાવરણની માગણીઓ પૂરેપૂરી સંતોષાય તેવી પરિસ્થિતિ એટલે અનુકૂલન. બીજી રીતે કહીએ તો પરિસ્થિતિ-અનુકૂલન એટલે વ્યક્તિ અને તેના સામાજિક પર્યાવરણ…

વધુ વાંચો >

પરિસ્થિતિકીય પિરામિડો

પરિસ્થિતિકીય પિરામિડો : જુઓ નિવસનતંત્ર

વધુ વાંચો >

પરિહૃદ્-કલા (pericardium)

પરિહૃદ્–કલા (pericardium) : હૃદયનું આચ્છાદન બનાવતું તંતુમય (fibrous) આવરણ. તેના વડે બનતા પોલાણને પરિહૃદ્ગુહા (pericardial cavity) કહે છે, જેમાં હૃદય હોય છે. પરિહૃદ્ગુહામાં પ્રવાહી ઝમે છે. તેને પરિહૃદ્-તરલ (પ્રવાહી) કહે છે. તેનું દબાણ કર્ણકમાંના દબાણ કરતાં ઓછું રહે છે. જો તે વધે તો લોહીના પરિભ્રમણમાં ઘણો ઘટાડો થાય છે. પરિહૃદ્-કલાના…

વધુ વાંચો >

પરીક્ષા-ગુરુ (1882)

પરીક્ષા–ગુરુ (1882) : હિંદીની મૌલિક નવલકથા. લેખક શ્રીનિવાસ દત્ત. લેખકે તેને સાંસારિક વાર્તા કહી છે. નવલકથામાં દિલ્હીના કુછંદે ચઢેલા ધનવાનોની અધોગતિ તથા ઉદ્ધાર નિમિત્તે આંગ્લ જીવનશૈલીના પ્રભાવ સામે ભારતીયતાની રક્ષાની સમસ્યા રજૂ કરવામાં આવી છે. મદનમોહન વિદેશી માલ બમણી કે ચારગણી કિંમત ચૂકવીને ખરીદવામાં ગૌરવ માને છે અને પોતાના સ્વાર્થી…

વધુ વાંચો >

પરીક્ષિત

પરીક્ષિત : પાંડવ વંશના અર્જુનનો પૌત્ર અને અભિમન્યુનો પુત્ર. ઉત્તરા એની માતા હતી. પત્નીનું નામ માદ્રવતી અને પુત્રનું નામ જનમેજય હતું. ઇન્દ્રપ્રસ્થના રાજા પરીક્ષિત પ્રજાપાલક ધર્મનિષ્ઠ રાજવી તરીકે પ્રખ્યાત હતા. કલિયુગ પરીક્ષિતના સમયથી અવતરિત થયો. રાજ-ખજાનાની કીમતી વસ્તુઓના નિરીક્ષણ કરતાં તેનું ધ્યાન જરાસંધના મુકુટ પર પડ્યું. એ મુકુટ ધારણ કરવાની…

વધુ વાંચો >

પરીખ, અરવિંદ

પરીખ, અરવિંદ (જ. 19 ઑક્ટોબર, 1927, અમદાવાદ ) : ભારતના અગ્રણી સિતારવાદક. અમદાવાદના સમૃદ્ધ કુટુંબમાં જન્મ. માતા સિતાર વગાડતાં; તેથી બાળપણથી તેમના પર શાસ્ત્રીય સંગીતના સંસ્કાર પડેલા. 7થી 8 વર્ષની વયે દિલરુબા વગાડતાં શીખ્યા અને ત્યારબાદ વાયોલિન, જલતરંગ, બાંસરી તથા મેન્ડોલિન જેવાં વાદ્યો પર પણ પ્રભુત્વ મેળવ્યું. 14 વર્ષની વયે…

વધુ વાંચો >

પરીખ, ઇષિરા

પરીખ, ઇષિરા (જ. 11 માર્ચ 1962, અમદાવાદ) : કથક નૃત્યશૈલીનાં જાણીતાં કલાકાર. તેમણે સમગ્ર શિક્ષણ તથા નૃત્યની તાલીમ અમદાવાદ ખાતે લીધી છે. પિતાનું નામ સુબંધુ અને માતાનું નામ સાધના, જેઓ અમદાવાદની હરિવલ્લભદાસ કાળીદાસ આર્ટ્સ કૉલેજમાં મનોવિજ્ઞાન વિષયનાં અધ્યાપિકા હતાં. પિતા વ્યવસાયે કૉન્ટ્રેક્ટર છે. ઇષિરાના દાદા રસિકલાલ છોટાલાલ પરીખ ગુજરાતના જાણીતા…

વધુ વાંચો >

પરીખ, ઉત્સવભાઈ શંકરલાલ

પરીખ, ઉત્સવભાઈ શંકરલાલ (જ. 12 ડિસેમ્બર, 1912, આંતરસૂબા, જિ. ખેડા; અ. 23 જૂન, 1985) : સ્વાતંત્ર્ય-સૈનિક, જાહેર જીવનના આગેવાન, ગુજરાત રાજ્યના માજી મંત્રી. પ્રાથમિક શિક્ષણ આંતરસૂબામાં. માધ્યમિક શિક્ષણ મુંબઈમાં લઈને 1929માં મૅટ્રિક. તે પછી વિલ્સન કૉલેજમાં દાખલ થઈ ઉચ્ચ શિક્ષણ મેળવતા હતા તે દરમિયાન 1930માં સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ થતાં…

વધુ વાંચો >

પરીખ, રસિકલાલ નરસિંહદાસ

Feb 10, 1998

પરીખ, રસિકલાલ નરસિંહદાસ (જ. 16 મે 1910, વાલિયા, રાજપીપળા; અ. 23 જૂન 1982, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી ચિત્રકાર અને ચિત્રશિક્ષક. બાળપણથી જ તેમને રમકડાં, શિલ્પ અને ચિત્રો બનાવવાની લગની હોવાથી 1929માં અમદાવાદમાં કલાગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્રનો અભ્યાસ શરૂ કર્યો. પછી 1931માં તેઓ દેવીપ્રસાદ રાયચૌધરી પાસે કલાશિક્ષણ લેવા ચેન્નાઈ…

વધુ વાંચો >

પરીખ, રામલાલ ડાહ્યાભાઈ

Feb 10, 1998

પરીખ, રામલાલ ડાહ્યાભાઈ (જ. 18 એપ્રિલ, 1927, વડોદરા; અ. 21 નવેમ્બર 1999, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી કેળવણીકાર. જન્મ મધ્યમ વર્ગના કુટુંબમાં. માતાનું નામ હસુબહેન. પિતા ડાહ્યાભાઈ કારકુન હતા. નાનપણમાં જ પિતાનું છત્ર ગુમાવ્યું. મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના વિષય સાથે તેઓ એમ.એ. થયા. વિદ્યાર્થીકાળથી જ શાળાના શિક્ષણ ઉપરાંત…

વધુ વાંચો >

પરીખ, વસંતરાય ગિરધરદાસ

Feb 10, 1998

પરીખ, વસંતરાય ગિરધરદાસ (જ. 17 માર્ચ 1933, શિહોર) : સંસ્કૃતના વિદ્વાન પ્રાધ્યાપક. શામળદાસ કૉલેજ, ભાવનગરમાં અભ્યાસ કરી બી.એ.માં કણિયા પ્રાઇઝ મેળવ્યું હતું. સંસ્કૃત વિષયમાં 1956માં એમ.એ.ની પદવી મેળવી. 1968માં ન્યાયવૈશેષિકમાં પીએચ.ડી.ની પદવી મેળવી. પ્રતાપરાય આર્ટ્સ કૉલેજ, અમરેલીમાં ક્રમશ: સંસ્કૃતના અધ્યાપક, અધ્યક્ષ અને અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ તરીકે કુલ તેત્રીસ વર્ષ સેવાઓ…

વધુ વાંચો >

પરૂળેકર, ગોદાવરી

Feb 10, 1998

પરૂળેકર, ગોદાવરી (જ. 14 ઑગસ્ટ 1907, પુણે; અ. 8 ઑક્ટોબર 1996) : મરાઠી લેખિકા. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ પુણેમાં લીધું. એમણે એલએલ.બી.ની પદવી 1932માં મેળવી. જાણીતા સામ્યવાદી શામરાવ પરૂળેકર સાથે લગ્ન થયાં અને પતિની જોડે થાણાના આદિવાસી ક્ષેત્રમાં સેવાકાર્યમાં જોડાઈ ગયાં. ગોપાળ કૃષ્ણ દેવધરની પ્રેરણાથી તેમણે સમાજસેવાનું ક્ષેત્ર અપનાવ્યું. પાછળથી…

વધુ વાંચો >

પરેઝ, એસ્કવિલ ઍડૉલ્ફ

Feb 10, 1998

પરેઝ, એસ્કવિલ ઍડૉલ્ફ (જ. 26, નવેમ્બર, 1931, બુનોઝ એર્સ, આર્જેન્ટીના) : 1980ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા તથા માનવ-અધિકારોના પ્રખર પુરસ્કર્તા. તેમના પિતા સાધારણ માછીમાર હતા. આર્જેન્ટાઇન નૅશનલ સ્કૂલ ઑવ્ ફાઇન આર્ટ્સમાં 1968માં તેઓ પ્રાધ્યાપક નિમાયા ત્યારે શિલ્પકાર તરીકે પણ જાણીતા બની ચૂક્યા હતા. વિવિધ અહિંસક સંગઠનોની પ્રવૃત્તિઓનું સંચાલન કરવા…

વધુ વાંચો >

પરોક્ષ નમનકોણ

Feb 10, 1998

પરોક્ષ નમનકોણ : જુઓ, નમન, નમનકોણ (dip), નમનદિશા

વધુ વાંચો >

પરોક્ષ શોષણ

Feb 10, 1998

પરોક્ષ શોષણ : કોષમાં ક્ષારોનું થતું અચયાપચયિક (non-metabolic) શોષણ. વનસ્પતિકોષને ક્ષારોના નીચી સાંદ્રતાવાળા માધ્યમમાંથી ઊંચી સાંદ્રતા ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે આયનોનું શરૂઆતમાં ઝડપથી શોષણ થાય છે અને ત્યાર પછી ચયાપચયિક નિયમન હેઠળ એકધારું ધીમું શોષણ થાય છે. આરંભિક ઝડપી શોષણ પર તાપમાન કે ચયાપચયિક અવરોધકોની અસર થતી નથી એટલે…

વધુ વાંચો >

પરોપજીવી પ્રાણીઓ

Feb 10, 1998

પરોપજીવી પ્રાણીઓ : જીવવા માટે અન્ય સજીવો પર અવલંબિત એવાં પ્રાણીઓનો સમૂહ. આમાંનાં કેટલાંક પ્રાણીઓ આખી જિંદગી દરમિયાન એક યા એક કરતાં વધારે સજીવોના શરીરમાં વાસ કરી પરજીવી જીવન પસાર કરતાં હોય છે (દા. ત., મલેરિયા જંતુ). કેટલાંક પ્રાણીઓ અંશત: અથવા તો અન્ય સજીવોના શરીર પર ચોંટીને (દા. ત., ઇતરડી)…

વધુ વાંચો >

પરોલ (પેરોલ)

Feb 10, 1998

પરોલ (પેરોલ) : ન્યાયાલય દ્વારા કેદની સજા ભોગવતા કેદીને વાજબી કારણસર અપાતી કામચલાઉ શરતી મુક્તિ. કેદીને ફરમાવવામાં આવેલ કુલ સજામાંથી અમુક સજા ભોગવ્યા પછી જ તેને પરોલ પર છોડવામાં આવે છે. આવી રીતે છોડવામાં આવેલ કેદીએ પરોલ દરમિયાન કારાવાસની બહાર સારા વર્તનની બાંયધરી આપવાની હોય છે. તે માટે ઘડવામાં આવેલા…

વધુ વાંચો >

પર્કિન, વિલિયમ હેન્રી (સર)

Feb 10, 1998

પર્કિન, વિલિયમ હેન્રી (સર) (જ. 12 માર્ચ 1838, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 14 જુલાઈ 1907, સડબરી, મિડલસેક્સ, ઇંગ્લૅન્ડ) : એનીલીન રંગકોના શોધક અને કાર્બનિક રસાયણ ઉદ્યોગના સ્થાપક. બ્રિટિશ રસાયણવિદ. પિતા થૉમસ પર્કિનનાં સાત સંતાનોમાં સૌથી નાના પુત્ર. પિતાની નામરજી છતાં પર્કિન 1853માં રૉયલ કૉલેજ ઑવ્ કેમિસ્ટ્રી (હવે ઇમ્પિરિયલ કૉલેજનો એક વિભાગ),…

વધુ વાંચો >