૧૦.૪૧

પરિસર-ઉજ્જ્વલન (limb brightening)થી પર્મેનન્ટ ઇન્ટરનેશનલ પીસ બ્યૂરો

પરિસર-ઉજ્જ્વલન (limb brightening)

પરિસર–ઉજ્જ્વલન (limb brightening) : ખગોળીય પદાર્થના કેન્દ્રથી દૂરની બાજુ પરિસર (limb) તરફ વધતી ઉજ્જ્વળતા, અથવા તેજસ્વિતા. સૂર્યનાં કિરણો જુદી જુદી તરંગલંબાઈનાં વિકિરણો ધરાવે છે. તેમાં રેડિયોતરંગો અને એક્સ-કિરણોનો પણ સમાવેશ થાય છે. આ તરંગલંબાઈના વિસ્તારમાં આ ઘટના જોવા મળે છે. તેનું કારણ એ છે કે આ વિકિરણો મહદંશે સૂર્યના તેજ-કવચ(corona)માંથી…

વધુ વાંચો >

પરિસર-નિસ્તેજન (limb darkening)

પરિસર–નિસ્તેજન (limb darkening) : ખગોળીય પદાર્થના કેન્દ્રથી દૂરની બાજુ – પરિસર (limb) તરફ જોતાં દેખાતી નિસ્તેજનની ઘટના. પ્રકાશીય તરંગ-લંબાઈમાં સૂર્યના તેજાવરણ(photosphere)ની થાળી(disc)નું અવલોકન કરવાથી આ ઘટના જોઈ શકાય છે. તેજાવરણના કેન્દ્રથી દૂરની બાજુ પર ત્રાંસી દિશામાં કરાતા અવલોકનની તુલનામાં, લંબ-દિશામાં કેન્દ્રનું અવલોકન કરવાથી તેજાવરણમાં વધારે ઊંડા અને વધારે ગરમ સ્તરો…

વધુ વાંચો >

પરિસ્થિતિ-અનુકૂલન

પરિસ્થિતિ–અનુકૂલન : વ્યક્તિ અને વાતાવરણ વચ્ચે સમાયોજન (adjustment) સાધવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં વ્યક્તિ કાં તો વાતાવરણને અનુરૂપ થાય છે અથવા તે તેને બદલે છે. એક બાજુ વ્યક્તિની જરૂરિયાતો અને બીજી બાજુ વાતાવરણની માગણીઓ પૂરેપૂરી સંતોષાય તેવી પરિસ્થિતિ એટલે અનુકૂલન. બીજી રીતે કહીએ તો પરિસ્થિતિ-અનુકૂલન એટલે વ્યક્તિ અને તેના સામાજિક પર્યાવરણ…

વધુ વાંચો >

પરિસ્થિતિકીય પિરામિડો

પરિસ્થિતિકીય પિરામિડો : જુઓ નિવસનતંત્ર

વધુ વાંચો >

પરિહૃદ્-કલા (pericardium)

પરિહૃદ્–કલા (pericardium) : હૃદયનું આચ્છાદન બનાવતું તંતુમય (fibrous) આવરણ. તેના વડે બનતા પોલાણને પરિહૃદ્ગુહા (pericardial cavity) કહે છે, જેમાં હૃદય હોય છે. પરિહૃદ્ગુહામાં પ્રવાહી ઝમે છે. તેને પરિહૃદ્-તરલ (પ્રવાહી) કહે છે. તેનું દબાણ કર્ણકમાંના દબાણ કરતાં ઓછું રહે છે. જો તે વધે તો લોહીના પરિભ્રમણમાં ઘણો ઘટાડો થાય છે. પરિહૃદ્-કલાના…

વધુ વાંચો >

પરીક્ષા-ગુરુ (1882)

પરીક્ષા–ગુરુ (1882) : હિંદીની મૌલિક નવલકથા. લેખક શ્રીનિવાસ દત્ત. લેખકે તેને સાંસારિક વાર્તા કહી છે. નવલકથામાં દિલ્હીના કુછંદે ચઢેલા ધનવાનોની અધોગતિ તથા ઉદ્ધાર નિમિત્તે આંગ્લ જીવનશૈલીના પ્રભાવ સામે ભારતીયતાની રક્ષાની સમસ્યા રજૂ કરવામાં આવી છે. મદનમોહન વિદેશી માલ બમણી કે ચારગણી કિંમત ચૂકવીને ખરીદવામાં ગૌરવ માને છે અને પોતાના સ્વાર્થી…

વધુ વાંચો >

પરીક્ષિત

પરીક્ષિત : પાંડવ વંશના અર્જુનનો પૌત્ર અને અભિમન્યુનો પુત્ર. ઉત્તરા એની માતા હતી. પત્નીનું નામ માદ્રવતી અને પુત્રનું નામ જનમેજય હતું. ઇન્દ્રપ્રસ્થના રાજા પરીક્ષિત પ્રજાપાલક ધર્મનિષ્ઠ રાજવી તરીકે પ્રખ્યાત હતા. કલિયુગ પરીક્ષિતના સમયથી અવતરિત થયો. રાજ-ખજાનાની કીમતી વસ્તુઓના નિરીક્ષણ કરતાં તેનું ધ્યાન જરાસંધના મુકુટ પર પડ્યું. એ મુકુટ ધારણ કરવાની…

વધુ વાંચો >

પરીખ, અરવિંદ

પરીખ, અરવિંદ (જ. 19 ઑક્ટોબર, 1927, અમદાવાદ ) : ભારતના અગ્રણી સિતારવાદક. અમદાવાદના સમૃદ્ધ કુટુંબમાં જન્મ. માતા સિતાર વગાડતાં; તેથી બાળપણથી તેમના પર શાસ્ત્રીય સંગીતના સંસ્કાર પડેલા. 7થી 8 વર્ષની વયે દિલરુબા વગાડતાં શીખ્યા અને ત્યારબાદ વાયોલિન, જલતરંગ, બાંસરી તથા મેન્ડોલિન જેવાં વાદ્યો પર પણ પ્રભુત્વ મેળવ્યું. 14 વર્ષની વયે…

વધુ વાંચો >

પરીખ, ઇષિરા

પરીખ, ઇષિરા (જ. 11 માર્ચ 1962, અમદાવાદ) : કથક નૃત્યશૈલીનાં જાણીતાં કલાકાર. તેમણે સમગ્ર શિક્ષણ તથા નૃત્યની તાલીમ અમદાવાદ ખાતે લીધી છે. પિતાનું નામ સુબંધુ અને માતાનું નામ સાધના, જેઓ અમદાવાદની હરિવલ્લભદાસ કાળીદાસ આર્ટ્સ કૉલેજમાં મનોવિજ્ઞાન વિષયનાં અધ્યાપિકા હતાં. પિતા વ્યવસાયે કૉન્ટ્રેક્ટર છે. ઇષિરાના દાદા રસિકલાલ છોટાલાલ પરીખ ગુજરાતના જાણીતા…

વધુ વાંચો >

પરીખ, ઉત્સવભાઈ શંકરલાલ

પરીખ, ઉત્સવભાઈ શંકરલાલ (જ. 12 ડિસેમ્બર, 1912, આંતરસૂબા, જિ. ખેડા; અ. 23 જૂન, 1985) : સ્વાતંત્ર્ય-સૈનિક, જાહેર જીવનના આગેવાન, ગુજરાત રાજ્યના માજી મંત્રી. પ્રાથમિક શિક્ષણ આંતરસૂબામાં. માધ્યમિક શિક્ષણ મુંબઈમાં લઈને 1929માં મૅટ્રિક. તે પછી વિલ્સન કૉલેજમાં દાખલ થઈ ઉચ્ચ શિક્ષણ મેળવતા હતા તે દરમિયાન 1930માં સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ થતાં…

વધુ વાંચો >

પરીખ, ઊર્મિ રસિકલાલ

Feb 10, 1998

પરીખ, ઊર્મિ રસિકલાલ (જ. 29 માર્ચ 1948, અમદાવાદ, ગુજરાત, અ. 8 એપ્રિલ 2007, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતનાં મહિલા ચિત્રકાર. ગુજરાતના અગ્રગણ્ય ચિત્રકાર રસિકલાલ પરીખનાં એ પુત્રી. બાળપણથી જ કલાશિક્ષક પિતા પાસેથી ચિત્રની તાલીમ લેવી શરૂ કરી. મૅટ્રિક પછી અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાં ચિત્રકળાના ડિપ્લોમા માટે અભ્યાસ કર્યો.…

વધુ વાંચો >

પરીખ, દિલીપ રમણલાલ

Feb 10, 1998

પરીખ, દિલીપ રમણલાલ (જ. 14 ફેબ્રુઆરી 1937, મુંબઈ) : ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. તેઓ ગુજરાત યુનિવર્સિટીની બી.એ. (અર્થશાસ્ત્ર) તથા એલએલ.બી.ની પદવીઓ ધરાવે છે. તેમણે ગુજરાત વેપારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન, પ્લાસ્ટિક ઍન્ડ રબર ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત ચેમ્બર ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ જેવી રાજ્યની અગ્રણી ઉદ્યોગ અને…

વધુ વાંચો >

પરીખ, ધીરુ

Feb 10, 1998

પરીખ, ધીરુ (ભાઈ) (જ. 31 ઑગસ્ટ, 1933, વીરમગામ; અ. 9 મે, 2021, અમદાવાદ) : ગુજરાતી સાહિત્યકાર અને સાહિત્યિક પત્રકાર. પિતાનું નામ ઈશ્વરલાલ, જેઓ ગાંધીવાદી વિચારસરણીને વરેલા હતા અને વીરમગામમાં ડૉક્ટરનો વ્યવસાય કરતા હતા. તેમણે આઝાદીની લડતમાં પણ ભાગ લીધો હતો. માતાનું નામ ડાહીબહેન. પત્ની કમળાબહેન અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં…

વધુ વાંચો >

પરીખ, નરહરિભાઈ દ્વારકાદાસ

Feb 10, 1998

પરીખ, નરહરિભાઈ દ્વારકાદાસ (જ. 7 ઑક્ટોબર, 1891, કઠલાલ, જિ. ખેડા; અ. 15 જુલાઈ, 1957, બારડોલી) : ગાંધીવાદી બુનિયાદી શિક્ષણના હિમાયતી, કેળવણીકાર, સ્વાતંત્ર્ય-સૈનિક અને લેખક. પિતા દ્વારકાદાસ મોતીલાલ પરીખ વડોદરા રાજ્યમાં વકીલ હતા. પછી અમદાવાદમાં વસવાટ કર્યો. તેઓ ગુજરાતના એક નાના દેશી રાજ્યના દીવાન પણ હતા. નરહરિભાઈ કિશોરવયથી દેશનેતાઓ લાલા લજપતરાય,…

વધુ વાંચો >

પરીખ, પ્રવીણચન્દ્ર ચિમનલાલ

Feb 10, 1998

પરીખ, પ્રવીણચન્દ્ર ચિમનલાલ (જ. 26 માર્ચ 1937, ખેડા) : ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્વ, લિપિવિદ્યા, સ્થાપત્ય, શિલ્પ અને સિક્કાશાસ્ત્રના પ્રતિષ્ઠિત વિદ્વાન. તેમના પિતાશ્રી આબુરોડ સ્ટેશને પોસ્ટમાસ્ટર તરીકેની સેવા આપતા હતા. પિતાશ્રીના અવસાન બાદ વિધવા માતા શાંતાબહેને સંતાનો સાથે મહેમદાવાદ મુકામે નિવાસ કર્યો. પ્રવીણચંદ્રે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ મહેમદાવાદમાં લીધું હતું. 1955માં…

વધુ વાંચો >

પરીખ, પ્રિયકાન્ત કાન્તિલાલ

Feb 10, 1998

પરીખ, પ્રિયકાન્ત કાન્તિલાલ (જ. 1 જાન્યુઆરી 1937, રાજપીપળા, જિ. નર્મદા; અ. 2 ઑક્ટોબર 2011, વડોદરા) : ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર. માતાનું નામ ગજરાબા. 1957માં બી.એ., 1960માં એમ.એ. તથા 1980માં એમ.ફિલ.. મુંબઈની જી. ટી. હાઈસ્કૂલથી શરૂ કરી, હાલોલ, ડભોઈ વગેરે સ્થળોએ શિક્ષક તરીકે સેવા બજાવી. 1961થી 1969 દરમિયાન સંખેડા, ગોધરા, રાજપીપળા,…

વધુ વાંચો >

પરીખ, મુકુન્દ ભાઈલાલ

Feb 10, 1998

પરીખ, મુકુન્દ ભાઈલાલ (જ. 26 જાન્યુઆરી 1934, નદીસર, જિ. પંચમહાલ) : ગુજરાતના નવલકથાકાર, વાર્તાકાર, એકાંકીકાર અને કવિ. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વાડાસિનોર(બાલાસિનોર)માં લીધું. 1957માં અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. અને 1980માં એલએલ.બી.ની ડિગ્રી મેળવી. 1954થી 1980 દરમિયાન પ્રૉવિડંટ ફંડ કમિશનરની કચેરીમાં કામગીરી કરી. 1981થી ખાસ કરીને મજૂર-કાયદાઓ વિશે વકીલાતનો વ્યવસાય…

વધુ વાંચો >

પરીખ, મોહનભાઈ નરહરિભાઈ

Feb 10, 1998

પરીખ, મોહનભાઈ નરહરિભાઈ (જ. 24 ઑગસ્ટ 1922, અમદાવાદ; અ. 14 ઑક્ટોબર 1991, યુનાઇટેડ સ્ટેટ્સ) : ભૂદાન કાર્યકર, સૂર્યકૂકરના અને કૃષિ-ઓજારોના સંશોધક. તેમના પિતા નરહરિભાઈ પરીખ પ્રસિદ્ધ સ્વાતંત્ર્યસેનાની અને ગાંધીવાદી લોકસેવક હતા. મોહનભાઈએ પ્રાથમિક શિક્ષણ ગૂજરાત વિદ્યાપીઠમાં લીધું હતું. અમદાવાદમાં 1941માં કોમી હુલ્લડ થયું ત્યારે રવિશંકર મહારાજ સાથે મૃતાત્માઓની દુર્ગંધવાળી લાશો…

વધુ વાંચો >

પરીખ રસિકલાલ (રાજવૈદ્ય)

Feb 10, 1998

પરીખ રસિકલાલ (રાજવૈદ્ય) (જ. અ. 14 નવેમ્બર 1989) : અમદાવાદની પ્રખ્યાત સંજીવની હૉસ્પિટલના સંચાલક વૈદ્ય. ગુજરાતભરમાં તેઓ શુદ્ધ આયુર્વેદના હિમાયતી તરીકે સુપ્રસિદ્ધ હતા. ‘ચરક’ નામનું માસિક પત્ર તેઓ પ્રકાશિત કરતા હતા. ગઢડાવાળા પ્રભાશંકર વૈદ્યના તેઓ પટ્ટશિષ્ય હતા. તન, મન, ધનથી આયુર્વેદની સેવા કરનારાઓમાં એમનું સ્થાન સર્વોપરી ગણાતું. ધૂની હોઈ પૈસા સામે…

વધુ વાંચો >

પરીખ, રસિકલાલ છોટાલાલ

Feb 10, 1998

પરીખ, રસિકલાલ છોટાલાલ (જ. 20 ઑગસ્ટ, 1897, સાદરા; અ. 1 નવેમ્બર, 1982, અમદાવાદ) : કવિ, નાટ્યલેખક, બહુશ્રુત વિદ્વાન, ઇતિહાસવિદ સંશોધક, વિવેચક, અનુવાદક અને સંપાદક. ઉપનામ ‘મૂસિકાર’ અને ‘સંજય’. એમણે પ્રાથમિક શિક્ષણ સાદરામાં, માધ્યમિક શિક્ષણ અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં અને ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં લીધેલું. કૉલેજમાં તેમણે સંસ્કૃત નાટક તેમ જ…

વધુ વાંચો >