૧૦.૩૫
પત્રસાહિત્યથી પદ્યનાટક
પદ્મપુરાણ
પદ્મપુરાણ : અઢાર પુરાણોમાંનું એક પુરાણ. પુરાણોમાં પદ્મપુરાણ અને સ્કંદપુરાણ ભૌગોલિક દૃષ્ટિએ સવિશેષ મહત્ત્વ ધરાવે છે. પદ્મપુરાણનો ઘણોખરો ભાગ ઈ. સ. 500ની આસપાસ રચાયો છે. ઉત્તરખંડ નામ પ્રમાણે પરવર્તી અંશ છે, જે ઈ. સ. 1600 પછી રચાયેલો મનાય છે. આ પુરાણના 55,000 શ્લોકો મનાય છે, પરંતુ ઉપલબ્ધ પદ્મપુરાણમાં એટલી સંખ્યા…
વધુ વાંચો >પદ્મપ્રભ
પદ્મપ્રભ : જૈન ધર્મના 24 તીર્થંકરોમાંના છઠ્ઠા તીર્થંકર. પૂર્વજન્મમાં તેઓ અપરાજિત નામના મુનિ હતા. કઠોર તપ કરીને સમાધિપૂર્વક મૃત્યુ પામી ગ્રૈવેયક નામના દેવવિમાનમાં ઉત્પન્ન થયા. દેવનું આયુષ્ય ભોગવીને એ પછી કૌશામ્બી નગરીના રાજા શ્રીધર અને રાણી સુસીમાને ત્યાં પુત્ર તરીકે અવતર્યા. રાણી સુસીમાને 14 મહાસ્વપ્નો એ પહેલાં આવેલાં. માતા સુસીમાનો…
વધુ વાંચો >પદ્મારાણી
પદ્મારાણી (જ. 25 જાન્યુઆરી 1937, પૂના; અ. 25 જાન્યુઆરી 2016 મુંબઈ) : ગુજરાતી નાટકોનાં પ્રસિદ્ધ અભિનેત્રી. પદ્મારાણી મૂળ મરાઠી. એમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કરેલો. પદ્મારાણીનો જન્મ પૂનામાં થયેલો, પણ એમનું બાળપણ વડોદરામાં પસાર થયેલું. એના પિતા ભીમરાવ ભોસલે એક બૅરિસ્ટર હતા તથા માતા કમલાબાઈ રાણે ગોવાનાં હતાં. એમનું…
વધુ વાંચો >પદ્માવત
પદ્માવત (આશરે 1540) : હિંદીના સૂફી કવિ મલિક મુહમ્મદ જાયસીરચિત પ્રેમાખ્યાન. તેને પ્રેમાખ્યાન પરંપરાનું શ્રેષ્ઠ કાવ્ય ગણવામાં આવે છે. તેની સંપૂર્ણ રચના દોહા-ચોપાઈમાં છે. એની શૈલી ફારસીની મસનવી શૈલીને મળતી આવે છે. તેમાં કુલ 657 ખંડ છે. કાવ્યમાં ચિતોડના રાજા રત્નસેન તથા સિંહલની રાજકુમારી પદ્માવતી વચ્ચેનો પ્રેમ, તેમનાં લગ્ન તથા…
વધુ વાંચો >પદ્માવતી
પદ્માવતી : તમિળના શરૂઆતના નવલકથાકાર તરીકે સુપ્રસિદ્ધ ડૉ. માધવૈયા(1874-1926)ની જાણીતી સામાજિક નવલકથા. આ કૃતિ ‘પદ્માવતી ચરિતિરમ્’ તરીકે પણ ઓળખાય છે. એમાં તમિળનાડુની તત્કાલીન સામાજિક પરિસ્થિતિનું તથા તે વખતે વ્યાપ્ત ક્રાન્તિની લહરનું અસરકારક નિરૂપણ છે. એમાં નાગમૈયર, એની પત્ની શાલા, ભાઈ ગોપાલન, પદ્માવતી, સાવિત્રી, સીદૈ અમ્માળ, કલ્યાણી ઇત્યાદિ પુરુષ તથા નારી…
વધુ વાંચો >પદ્માવતી (1)
પદ્માવતી (1) (ઈ. સ.ની પ્રથમ સદી) : ગુજરાતના શક રાજા નહપાનની રાણી. દક્ષમિત્રાની માતા અને ઉષવદત્તની સાસુ. ગુજરાતના સૌપ્રથમ સ્વતંત્ર રાજકીય એકમના શાસકો પશ્ચિમી ક્ષત્રપો તરીકે જાણીતા હતા. શક જાતિના આ શાસકોમાં પહેલું કુળ ક્ષહરાત તરીકે ઓળખાતું હતું. આ કુળનો બીજો અને પ્રાય: છેલ્લો રાજા નહપાન હતો. તેણે ઈ. સ.…
વધુ વાંચો >પદ્માવતી (2)
પદ્માવતી (2) (ઈ. સ. પૂ. 1000 આશરે) : જૈન પરંપરાનુસાર ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુનાં શાસનદેવી. તેમની ઐતિહાસિકતા વિશે કોઈ અન્વેષણ થયાનું જાણમાં નથી, પણ પાર્શ્વનાથનાં સમકાલીન હોવાના નાતે તેમનો કાર્યસમય આશરે ત્રણેક હજાર વર્ષ પૂર્વેનો સૂચવવામાં આવ્યો છે. વિવિધ સ્વરૂપો (ભુવનેશ્વરી, મહાકાલી, ગાયત્રી, વિદ્યા, સાવિત્રી વગેરે) અને વિવિધ નામો(સંકટવિમોચન, વિપદહરી,…
વધુ વાંચો >પદ્માવતી
પદ્માવતી (ઈ. સ.ની ચોથી સદી) : મધ્યપ્રદેશમાં આવેલું નાગવંશનું એક રાજ્ય. નાગવંશના બે શાસકો નાગસેન અને ગણપતિનાગે સમુદ્રગુપ્તની દક્ષિણની દિગ્વિજયયાત્રા પછી, ત્રણ રાજ્યો સ્થાપ્યાં હતાં તેમાં એક પદ્માવતીનું રાજ્ય હતું. આ સ્થળ વર્તમાનમાં જૂના ગ્વાલિયર રાજ્યમાં નરવારની ઉત્તરપૂર્વમાં 40 કિલોમીટરે પદમપવાયા તરીકે જાણીતા સ્થળે હોવાનું જણાય છે. આ ઉપરાંત અન્ય…
વધુ વાંચો >પદ્ય
પદ્ય : સાહિત્યિક અભિવ્યક્તિનો એક પ્રકાર. બીજો પ્રકાર તે ગદ્ય. કાવ્ય ગદ્ય અને પદ્ય બંનેમાં સંભવે; પરંતુ કાવ્યના રસાત્મક ભાવોને વહન કરવામાં ગદ્યની અપેક્ષાએ પદ્ય વિશેષ અનુકૂળ નીવડે છે. પદ્યનો ઉદ્દેશ કાવ્યગત ભાવને લાલિત્ય કે કલારૂપ બક્ષવાનો છે અને પ્રાચીન કાળથી પદ્ય એ હેતુસર કાવ્યરૂપમાં પ્રયોજાતું રહ્યું છે. વાણી સ્વયં…
વધુ વાંચો >પદ્યનાટક
પદ્યનાટક : જુઓ, નાટક
વધુ વાંચો >પત્રસાહિત્ય
પત્રસાહિત્ય પત્રસ્વરૂપનું સાહિત્ય. બહુધા તે ગદ્યાત્મક હોય છે. આમાં સાહિત્યિક સભાનતાથી લખાયેલા પત્રો ઉપરાંત સાહિત્યિક સભાનતાથી ન લખાયેલા છતાં એવી ગુણવત્તા ને મૂલ્યવત્તા ધરાવતાં પત્રરૂપ લખાણોનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમમાં પત્રસાહિત્ય અંગે – તેની લખાવટ, તેના પ્રકાર અને મૂલ્યાંકન વગેરે વિશે જૂના સમયથી જિજ્ઞાસા, સભાનતા અને વિચારવિમર્શ થતાં રહ્યાં…
વધુ વાંચો >પત્રહીન નગ્ન ગાછ
પત્રહીન નગ્ન ગાછ (1967) : મૈથિલી કવિ ‘યાત્રી’ (વૈદ્યનાથ મિશ્રા : જ. 1911; અ. 1998)નો કાવ્યસંગ્રહ. ‘યાત્રી’ મૈથિલી સાહિત્યના ગણનાપાત્ર ‘નવકવિ’ છે અને તેમનો અભિગમ પ્રયોગશીલતાનો છે. પ્રયોગશીલતાને તેમણે જે વિકાસ-તબક્કે પહોંચાડી છે ત્યાંથી નવી કવિ-પેઢીએ આગળ પ્રયાણ કર્યું છે. તે આધુનિક કવિ છે, પણ આધુનિકતાવાદી લેશ પણ નથી. તેમનાં…
વધુ વાંચો >પત્રાત્મક નવલકથા (Epistolary Novel)
પત્રાત્મક નવલકથા (Epistolary Novel) : એક કે તેથી વધુ પાત્રો દ્વારા, પરસ્પરને લખાયેલ પત્રોને આધારે રચાયેલી નવલકથા. સામાન્યત: તેનું સ્વરૂપ પત્રોમાં હોય છે; પરંતુ રોજનીશીમાં કરવામાં આવેલ નોંધ, છાપાની કાપલીઓ અને કેટલાક દસ્તાવેજોને આધારે પણ તે લખાતી હોય છે. હમણાં રેકૉર્ડિંગ્ઝ, રેડિયો, બ્લૉગ્ઝ (blogs) અને ઈ-મેઇલ જેવાં ઇલેક્ટ્રૉનિક મીડિયાનાં સાધનોની…
વધુ વાંચો >પત્રો
પત્રો : જુઓ, પત્રસાહિત્ય.
વધુ વાંચો >પથરી, પિત્તજ (gall stones)
પથરી, પિત્તજ (gall stones) પિત્તમાર્ગમાં ખાસ કરીને પિત્તાશય(gall bladder)માં બનતી પથરીઓનો રોગ. ખોરાકમાંના ઘી, તેલ અને ચરબીને પચાવવાનું કાર્ય પિત્ત કરે છે. તે યકૃત(liver)માં બને છે અને પિત્તમાર્ગની નળીઓ દ્વારા પિત્તાશયમાં સંગ્રહાય છે તથા સાંદ્રિત (concentrated) થાય છે. જો પિત્તાશયમાંનું પિત્ત (bile) કૉલેસ્ટીરોલ અને કૅલ્શિયમથી અતિસંતૃપ્ત (supersaturated) થાય તો તેઓ…
વધુ વાંચો >પથરી, મૂત્રમાર્ગીય
પથરી, મૂત્રમાર્ગીય : મૂત્રપિંડ, મૂત્રપિંડનલિકા, મૂત્રાશય વગેરેમાં પથરી થવી તે. શરીરમાં બનતી પથરીને શાસ્ત્રીય રીતે અશ્મરી (calculus) કહે છે અને તેનાથી થતા વિકારને અશ્મરિતા (lithiasis) કહે છે. મૂત્રમાર્ગમાં પથરી થવાના વિકારને મૂત્રપિંડી અશ્મરિતા (nephrolithiasis) કહે છે. તેનું ઘણું વ્યાપક પ્રમાણ જોવા મળે છે. યુ.એસ.માં 12 % વસ્તી તેનાથી કોક ને…
વધુ વાંચો >પથેર પાંચાલી (ચલચિત્ર)
પથેર પાંચાલી (ચલચિત્ર) (1955) : ભારતીય ચલચિત્ર પણ વિશ્વના કોઈ પણ દેશના ચલચિત્રની બરાબરી કરી શકે છે એ પુરવાર કરતું, જબ્બર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂકેલું ચલચિત્ર. આ પ્રથમ ચલચિત્રે જ સત્યજિત રાયને વિશ્વના ટોચના ચિત્રસર્જક પ્રસ્થાપિત કરી દીધા. શ્વેત અને શ્યામ, ભાષા : બંગાળી, નિર્માણસંસ્થા : પશ્ચિમ બંગાળ સરકાર, દિગ્દર્શક-પટકથા…
વધુ વાંચો >પથેર પાંચાલી (1928) (નવલકથા)
પથેર પાંચાલી (1928) (નવલકથા) : સુપ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર વિભૂતિભૂષણ બંદ્યોપાધ્યાયની વિશ્વવિખ્યાત નવલકથા. એ ‘વિચિત્રા’ સામયિકમાં હપતાવાર છપાઈ હતી. ખરું જોતાં એક જ કથાવસ્તુની નવલકથાત્રયીમાંની આ પ્રથમ નવલકથા છે. એ ત્રણે નવલકથાઓનો સંપુટ ‘અપુત્રયી’ નામે ઓળખાય છે. ‘પથેર પાંચાલી’નું પ્રથમ પ્રકાશન 1928માં થયું. તે પછી તો તેની સંખ્યાબંધ આવૃત્તિઓ છપાઈ. આ…
વધુ વાંચો >પથ્યાદિ ક્વાથ
પથ્યાદિ ક્વાથ : આંખ, કાન, દાંત વગેરેની પીડામાં, માથા-લમણાંના દુખાવા-આધાશીશીમાં, જીર્ણજ્વર, વિષમજ્વર વગેરેમાં વપરાતી આયુર્વેદિક ઔષધિ. હરડે અને બહેડાંની છાલ, આમળાં, કરિયાતું, હળદર અને લીમડાની ગળો – આ છ ઔષધોને સરખા પ્રમાણમાં લઈ સૂકવી ખાંડણી-દસ્તા વડે અધકચરો ભૂકો તૈયાર કરવામાં આવે છે. આ ભૂકો 20થી 25 ગ્રામ જેટલો લઈ તેમાં…
વધુ વાંચો >પદ
પદ ગુજરાતી સાહિત્યમાં રાગ, ઢાળ, તાલ, પદબંધ અને વિષયવૈવિધ્ય સાથે પ્રાચીન સમયથી પ્રયોજાતો આવેલો એક પદ્યપ્રકાર. તેમાં સંક્ષિપ્ત સઘન કાવ્ય રૂપ, સહજ-સરળ-અભિવ્યક્તિ, ભાવ-વિચારની એકસૂત્રતા, નાટ્યાત્મકતા, સંવાદ-સંબોધન જેવી નિરૂપણરીતિઓ, વર્ણનાત્મકતા, ચિત્રાત્મકતા, ધ્રુવપદ, ધ્રુવપંક્તિ વગેરેનું વૈવિધ્ય, ગેયતાને અનુકૂળ અવનવા પદબંધો જેવાં લક્ષણો ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળતાં હોય છે. ‘પદ’ શબ્દ પહેલાં તમામ…
વધુ વાંચો >