૧૦.૩૫

પત્રસાહિત્યથી પદ્યનાટક

પત્રસાહિત્ય

પત્રસાહિત્ય પત્રસ્વરૂપનું સાહિત્ય. બહુધા તે ગદ્યાત્મક હોય છે. આમાં સાહિત્યિક સભાનતાથી લખાયેલા પત્રો ઉપરાંત સાહિત્યિક સભાનતાથી ન લખાયેલા છતાં એવી ગુણવત્તા ને મૂલ્યવત્તા ધરાવતાં પત્રરૂપ લખાણોનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમમાં પત્રસાહિત્ય અંગે – તેની લખાવટ, તેના પ્રકાર અને મૂલ્યાંકન વગેરે વિશે જૂના સમયથી જિજ્ઞાસા, સભાનતા અને વિચારવિમર્શ થતાં રહ્યાં…

વધુ વાંચો >

પત્રહીન નગ્ન ગાછ

પત્રહીન નગ્ન ગાછ (1967) : મૈથિલી કવિ ‘યાત્રી’ (વૈદ્યનાથ મિશ્રા : જ. 1911; અ. 1998)નો કાવ્યસંગ્રહ. ‘યાત્રી’ મૈથિલી સાહિત્યના ગણનાપાત્ર ‘નવકવિ’ છે અને તેમનો અભિગમ પ્રયોગશીલતાનો છે. પ્રયોગશીલતાને તેમણે જે વિકાસ-તબક્કે પહોંચાડી છે ત્યાંથી નવી કવિ-પેઢીએ આગળ પ્રયાણ કર્યું છે. તે આધુનિક કવિ છે, પણ આધુનિકતાવાદી લેશ પણ નથી. તેમનાં…

વધુ વાંચો >

પત્રાત્મક નવલકથા (Epistolary Novel)

પત્રાત્મક નવલકથા (Epistolary Novel) : એક કે તેથી વધુ પાત્રો દ્વારા, પરસ્પરને લખાયેલ પત્રોને આધારે રચાયેલી નવલકથા. સામાન્યત: તેનું સ્વરૂપ પત્રોમાં હોય છે; પરંતુ રોજનીશીમાં કરવામાં આવેલ નોંધ, છાપાની કાપલીઓ અને કેટલાક દસ્તાવેજોને આધારે પણ તે લખાતી હોય છે. હમણાં રેકૉર્ડિંગ્ઝ, રેડિયો, બ્લૉગ્ઝ (blogs) અને ઈ-મેઇલ જેવાં ઇલેક્ટ્રૉનિક મીડિયાનાં સાધનોની…

વધુ વાંચો >

પત્રો

પત્રો : જુઓ, પત્રસાહિત્ય.

વધુ વાંચો >

પથરી, પિત્તજ (gall stones)

પથરી, પિત્તજ (gall stones) પિત્તમાર્ગમાં ખાસ કરીને પિત્તાશય(gall bladder)માં બનતી પથરીઓનો રોગ. ખોરાકમાંના ઘી, તેલ અને ચરબીને પચાવવાનું કાર્ય પિત્ત કરે છે. તે યકૃત(liver)માં બને છે અને પિત્તમાર્ગની નળીઓ દ્વારા પિત્તાશયમાં સંગ્રહાય છે તથા સાંદ્રિત (concentrated) થાય છે. જો પિત્તાશયમાંનું પિત્ત (bile) કૉલેસ્ટીરોલ અને કૅલ્શિયમથી અતિસંતૃપ્ત (supersaturated) થાય તો તેઓ…

વધુ વાંચો >

પથરી, મૂત્રમાર્ગીય

પથરી, મૂત્રમાર્ગીય : મૂત્રપિંડ, મૂત્રપિંડનલિકા, મૂત્રાશય વગેરેમાં પથરી થવી તે. શરીરમાં બનતી પથરીને શાસ્ત્રીય રીતે અશ્મરી (calculus) કહે છે અને તેનાથી થતા વિકારને અશ્મરિતા (lithiasis) કહે છે. મૂત્રમાર્ગમાં પથરી થવાના વિકારને મૂત્રપિંડી અશ્મરિતા (nephrolithiasis) કહે છે. તેનું ઘણું વ્યાપક પ્રમાણ જોવા મળે છે. યુ.એસ.માં 12 % વસ્તી તેનાથી કોક ને…

વધુ વાંચો >

પથેર પાંચાલી (ચલચિત્ર)

પથેર પાંચાલી (ચલચિત્ર) (1955) : ભારતીય ચલચિત્ર પણ વિશ્વના કોઈ પણ દેશના ચલચિત્રની બરાબરી કરી શકે છે એ પુરવાર કરતું, જબ્બર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂકેલું ચલચિત્ર. આ પ્રથમ ચલચિત્રે જ સત્યજિત રાયને વિશ્વના ટોચના ચિત્રસર્જક પ્રસ્થાપિત કરી દીધા. શ્વેત અને શ્યામ, ભાષા : બંગાળી, નિર્માણસંસ્થા : પશ્ચિમ બંગાળ સરકાર, દિગ્દર્શક-પટકથા…

વધુ વાંચો >

પથેર પાંચાલી (1928) (નવલકથા)

પથેર પાંચાલી (1928) (નવલકથા) : સુપ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર વિભૂતિભૂષણ વંદ્યોપાધ્યાયની વિશ્વવિખ્યાત નવલકથા. એ ‘વિચિત્રા’ સામયિકમાં હપતાવાર છપાઈ હતી. ખરું જોતાં એક જ કથાવસ્તુની નવલકથાત્રયીમાંની આ પ્રથમ નવલકથા છે. એ ત્રણે નવલકથાઓનો સંપુટ ‘અપુત્રયી’ નામે ઓળખાય છે. ‘પથેર પાંચાલી’નું પ્રથમ પ્રકાશન 1928માં થયું. તે પછી તો તેની સંખ્યાબંધ આવૃત્તિઓ છપાઈ. આ…

વધુ વાંચો >

પથ્યાદિ ક્વાથ

પથ્યાદિ ક્વાથ : આંખ, કાન, દાંત વગેરેની પીડામાં, માથા-લમણાંના દુખાવા-આધાશીશીમાં, જીર્ણજ્વર, વિષમજ્વર વગેરેમાં વપરાતી આયુર્વેદિક ઔષધિ. હરડે અને બહેડાંની છાલ, આમળાં, કરિયાતું, હળદર અને લીમડાની ગળો – આ છ ઔષધોને સરખા પ્રમાણમાં લઈ સૂકવી ખાંડણી-દસ્તા વડે અધકચરો ભૂકો તૈયાર કરવામાં આવે છે. આ ભૂકો 20થી 25 ગ્રામ જેટલો લઈ તેમાં…

વધુ વાંચો >

પદ

પદ ગુજરાતી સાહિત્યમાં રાગ, ઢાળ, તાલ, પદબંધ અને વિષયવૈવિધ્ય સાથે પ્રાચીન સમયથી પ્રયોજાતો આવેલો એક પદ્યપ્રકાર. તેમાં સંક્ષિપ્ત સઘન કાવ્ય રૂપ, સહજ-સરળ-અભિવ્યક્તિ, ભાવ-વિચારની એકસૂત્રતા, નાટ્યાત્મકતા, સંવાદ-સંબોધન જેવી નિરૂપણરીતિઓ, વર્ણનાત્મકતા, ચિત્રાત્મકતા, ધ્રુવપદ, ધ્રુવપંક્તિ વગેરેનું વૈવિધ્ય, ગેયતાને અનુકૂળ અવનવા પદબંધો જેવાં લક્ષણો ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળતાં હોય છે. ‘પદ’ શબ્દ પહેલાં તમામ…

વધુ વાંચો >

પદમસી, અકબર

Feb 4, 1998

પદમસી, અકબર (જ. 12 એપ્રિલ 1928, મુંબઈ; અ. 6 જાન્યુઆરી 2020, કોઈમ્બતુર) : ભારતીય ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં અભ્યાસ કરી તે પૅરિસ ગયા. ત્યાં તેમણે ચિત્રો અને પ્રદર્શનો કર્યાં. તે મુંબઈમાં રહેતા હતા અને જૂહુ પર તેમનો સ્ટુડિયો હતો. તેમનાં પ્રારંભિક ચિત્રોમાંની માનવ-આકૃતિઓ ભારતના શાસ્ત્રીય શિલ્પવિધાન…

વધુ વાંચો >

પદમસી, અલેક

Feb 4, 1998

પદમસી, અલેક (જ. 5 માર્ચ 1931; અ. 17 નવેમ્બર 2018) : ભારતમાં પ્રવૃત્ત અંગ્રેજી રંગભૂમિના તથા વિજ્ઞાપનક્ષેત્રના રાષ્ટ્રીય કક્ષાના અગ્રણી. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી વિજ્ઞાપનક્ષેત્રે ઝંપલાવ્યું. લિન્ટાસ, લંડન ખાતે ફિલ્મ ટૅક્નિકનું પ્રશિક્ષણ મેળવ્યું. 1955-57માં જે. વૉલ્ટર ટૉમ્પસન નામની વિજ્ઞાપન કંપનીના ફિલ્મ્સ-એક્ઝિક્યુટિવ તરીકે, 1969માં લિન્ટાસ લિમિટેડ નામની વિજ્ઞાપન કંપનીના ક્રિયેટિવ…

વધુ વાંચો >

પદાર્થચિત્ર

Feb 4, 1998

પદાર્થચિત્ર : નાની નાની અને નજીવી જણાતી ચીજવસ્તુઓને એકલી કે સમૂહમાં આલેખવાનો એક ખાસ પશ્ચિમી ચિત્રપ્રકાર. પ્રાચીન વિશ્વમાં ગ્રીક અને રોમન કલાઓમાં પદાર્થચિત્રો મળી આવે છે અને તે ક્યારેક મોટાં મોઝેક સ્વરૂપે હોય છે. તે પછી મધ્યયુગની બાઇઝૅન્ટાઇન, રોમનેસ્ક, પ્રારંભિક ખ્રિસ્તી અને ગૉથિક શૈલીની કલાઓમાં પદાર્થચિત્ર લોપ પામ્યું. સોળમી સદીમાં…

વધુ વાંચો >

પદુકોણ દીપિકા

Feb 4, 1998

પદુકોણ દીપિકા (જ. 5 જાન્યુઆરી 1986, કોપનહેગન, ડેન્માર્ક –) : જાણીતાં અભિનેત્રી. દીપિકા પદુકોણ એ જાણીતા બૅડમિન્ટન ખેલાડી પ્રકાશ પદુકોણની મોટી પુત્રી છે. એમનાં માતાનું નામ ઉજ્જ્વલા પદુકોણ. સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ. કોંકણી બોલી બોલે છે. દીપિકાનું બાળપણ અને યુવાની બૅંગાલુરુમાં પસાર થયાં. પિતાની જેમ તે પણ સ્કૂલ–કૉલેજના દિવસોમાં…

વધુ વાંચો >

પદુકોણે, પ્રકાશ રમેશ

Feb 4, 1998

પદુકોણે, પ્રકાશ રમેશ (જ. 10 જૂન 1955, બૅંગાલુરુ) : વિશ્વના ઉત્કૃષ્ટ ખેલાડીઓમાં ગણના પામેલો બૅડમિન્ટનની રમતનો ભારતનો સર્વશ્રેષ્ઠ ખેલાડી. બૅંગાલુરુના માલેશ્વરમની નજીક આવેલા કેનેરા યુનિયન ક્લબના અત્યંત સામાન્ય સિમેન્ટ કૉર્ટ પર રમવાની શરૂઆત કરી. છ વર્ષની વયે પ્રકાશ પદુકોણેએ ખેલવાનો પ્રારંભ કર્યો. 1962ની 22મી સપ્ટેમ્બરે મૈસૂર રાજ્યની સબજુનિયર ચૅમ્પિયનશિપમાં પ્રકાશ…

વધુ વાંચો >

પદ્મન

Feb 4, 1998

પદ્મન : દક્ષિણ ભારતીય સ્થાપત્યમાં પ્રચલિત કમળાકાર ઘાટ. ખાસ કરીને દીવાલના નીચલા થરના ઘાટ કમળની પાંખડીઓના આકારમાં કંડારવામાં આવતા અને તેથી આ થરને પદ્મન કહેવામાં આવતો. કમળ અને તેના ફૂલના બીજકોશનું ભારતીય સ્થાપત્યમાં ઘણું મહત્ત્વ છે અને તેને સર્જન સાથે સાંકળવામાં આવે છે. આથી સ્તંભો, દીવાલના નીચલા થર અથવા પીઠના…

વધુ વાંચો >

પદ્મનાભ

Feb 4, 1998

પદ્મનાભ (1456માં હયાત) : મધ્યકાલીન ગુજરાતી કવિ. ઇતિહાસનો આધાર લઈને ગુજરાતી ભાષામાં રચાયેલાં કાવ્ય ઓછાં મળે છે. એમાં પણ જૈનેતર કવિઓએ લખેલાં તો થોડાં જ મળે છે. શ્રીધર વ્યાસના ‘રણમલ્લ છંદ’ પછી ગુજરાતી ભાષાના મધ્યકાલીન સ્વરૂપને સંપૂર્ણ રીતે સાચવી રાખતું તેમજ ઇતિહાસની કેટલીક વિગતોને બરોબર નોંધી રાખતું અને સાથોસાથ તત્કાલીન…

વધુ વાંચો >

પદ્મનાભન્, ટી.

Feb 4, 1998

પદ્મનાભન્, ટી. (જ. 5 ફેબ્રુઆરી 1931, પલ્લીકુન્નુ, કુન્નુર, કેરળ) : મલયાળમના સાહિત્યકાર. ટૂંકી વાર્તા અને નિબંધનાં સ્વરૂપોમાં તેમનું પ્રદાન. શિક્ષણ મૅંગલોર આર્ટ્સ કૉલેજ તથા મદ્રાસ લૉ કૉલેજમાં. કુન્નુરમાં એક દશકો વકીલાતના વ્યવસાયમાં. ત્યારપછી ઉદ્યોગસંચાલનમાં જોડાયા. કેરળ ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ (ત્રાવણકોર) લિમિટેડમાં ઉપ-મહાપ્રબંધકના પદેથી તેઓ પછી સ્વેચ્છાએ નિવૃત્ત થયા. ‘મખ્ખન સિંહિન્ટે…

વધુ વાંચો >

પદ્મનાભપુરમ્ મહેલ

Feb 4, 1998

પદ્મનાભપુરમ્ મહેલ : તમિળનાડુમાં કેરળની સરહદ પાસે આવેલ ત્રાવણકોરના રાજવીઓનો મહેલ. આ પ્રદેશની સમૃદ્ધ કાષ્ઠ-સ્થાપત્યકલાનો તે ઉત્કૃષ્ટ નમૂનો છે. આ મહેલનું બાંધકામ ક્યારે શરૂ થયું એ વિશે કોઈ પ્રમાણભૂત નોંધ નથી, પણ એમાંની જૂની ઇમારતો 1400થી 1500માં બંધાઈ હોવાનું મનાય છે. કાળક્રમે રાજવંશના જુદા જુદા રાજવીઓ દ્વારા એમાં ઉમેરો થતો…

વધુ વાંચો >

પદ્મપુરાણ

Feb 4, 1998

પદ્મપુરાણ : અઢાર પુરાણોમાંનું એક પુરાણ. પુરાણોમાં પદ્મપુરાણ અને સ્કંદપુરાણ ભૌગોલિક દૃષ્ટિએ સવિશેષ મહત્ત્વ ધરાવે છે. પદ્મપુરાણનો ઘણોખરો ભાગ ઈ. સ. 500ની આસપાસ રચાયો છે. ઉત્તરખંડ નામ પ્રમાણે પરવર્તી અંશ છે, જે ઈ. સ. 1600 પછી રચાયેલો મનાય છે. આ પુરાણના 55,000 શ્લોકો મનાય છે, પરંતુ ઉપલબ્ધ પદ્મપુરાણમાં એટલી સંખ્યા…

વધુ વાંચો >