૧૦.૦૨

નજીબ (જનરલ), મહંમદથી નરનસબંધી અને તેની પુનર્રચના

નજીબ (જનરલ), મહંમદ

નજીબ (જનરલ), મહંમદ (જ. 20 ફેબ્રુઆરી 1901, ખાર્ટુમ (સુદાન); અ. 28 ઑગસ્ટ 1984, કૅરો) : ઇજિપ્તના લશ્કરી અધિકારી અને રાજપુરુષ. 1952માં ઇજિપ્તના રાજવી ફારૂક પહેલાને પદભ્રષ્ટ કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નજીબે ઇઝરાયલની સામે ઇજિપ્તના થયેલ પરાજયના સમયે નોંધપાત્ર કામગીરી બજાવી તથા જમાલ અબ્દેલ નાસરની નેતાગીરી નીચેના રાષ્ટ્રવાદી લશ્કરી…

વધુ વાંચો >

(ડિપ્ટી) નઝીર એહમદ

(ડિપ્ટી) નઝીર એહમદ (જ. 6 ડિસેમ્બર 1836, બિજનોર, ઉત્તરપ્રદેશ; અ. 19 ઑક્ટોબર 2008, અલીગઢ) : ઉર્દૂના વિખ્યાત નવલકથાકાર, દિલ્હી કૉલેજના અરબી ભાષા-સાહિત્યના અધ્યાપક, ભારતીય ફોજદારી ધારો(Indian Penal Code)ના સર્વપ્રથમ ઉર્દૂ-હિન્દી અનુવાદક. પંજાબમાં Deputy Inspector of Schools અને અલ્લાહાબાદમાં Inspector of Schools તથા છેવટે નિઝામ હૈદરાબાદમાં Revenue Officerના ઉચ્ચ હોદ્દા ઉપર…

વધુ વાંચો >

(ડૉ.) નઝીર એહમદ

(ડૉ.) નઝીર એહમદ (જ. 3 જાન્યુઆરી 1915, કોલ્હી ગરીબ ગામ, જિ. ગોન્ડા, ઉત્તરપ્રદેશ; ) : ઉર્દૂ-ફારસીના સંશોધક, પ્રખર વિદ્વાન, વિશાળ દૃષ્ટિ ધરાવતા વિચારક, બુદ્ધિવાન સાહિત્યકાર અને દીર્ઘદૃષ્ટિવાળા વિવચક હતા. તેઓ ઉર્દૂ, ફારસી તથા અંગ્રેજી – ત્રણે ભાષાઓમાં નિપુણતા ધરાવતા હતા. ઉપરાંત અરબી અને હિન્દીમાં કુશળ હતા. તેઓ અરબી, ફારસી, ઉર્દૂ…

વધુ વાંચો >

નઝીર, મોહંમદવલી અકબરાબાદી

નઝીર, મોહંમદવલી અકબરાબાદી (જ. 1740, દિલ્હી; અ. 16 ઑગસ્ટ 1830, આગ્રા) : ઉર્દૂ ભાષાના કવિ. તેમણે પ્રણાલી મુજબ જરૂરી શિક્ષણ મેળવ્યું હતું. અરબી-ફારસી ભાષા તેઓ સારી રીતે સમજતા હતા, છતાં તેમની કવિતા અરબી-ફારસીના પ્રભાવથી મુક્ત રહી છે. તેમણે શિક્ષણ-અધ્યાપનનો વ્યવસાય અપનાવ્યો હતો. નઝીરના વ્યક્તિત્વમાં વિનમ્રતા, હૃદયની વિશાળતા તેમજ ધાર્મિક સદભાવના…

વધુ વાંચો >

નઝીરી નીશાપુરી

નઝીરી નીશાપુરી (જ. – ; અ. 1662, અમદાવાદ) : મુઘલ યુગના ગઝલકાર. કવિનો જન્મ નીશાપુરમાં થયો હતો. મૂળ નામ મુહમ્મદ હુસેન અને કવિનામ ‘નઝીરી’. તેમણે નીશાપુરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને યુવાવસ્થા સુધી તે માદરે વતનમાં જ રહ્યા. પિતાના અવસાન પછી પોતાની મિલકત પોતાના ભાઈઓને સોંપી યુવાવસ્થામાં પ્રવાસે નીકળી પડ્યા.…

વધુ વાંચો >

નટઘર

નટઘર : ચંદ્રવદન મહેતાની કલ્પનાનું આદર્શ નાટ્યગૃહ. તેની ઇમારત દૂરથી મોઢેરાના સૂર્યમંદિર જેવી અથવા સોમનાથના સોમમહાલય જેવી ગોળ દેખાતી હોય, તેની બહાર એક ભાગમાં કલાકારીગરી માટેનાં લાકડાંથી માંડી ઝવેરાત સુધીની વિવિધ ઘર-ઉપયોગી વસ્તુઓથી સભર એવો પ્રદર્શનખંડ હોય અને બીજા ભાગમાં ખાવાપીવા માટેનું સ્વચ્છ સ્થાન હોય. અંદરના ભાગમાં પ્રવેશ કરો તો…

વધુ વાંચો >

નટ-નટી

નટ-નટી : નાટકના પાત્રનો અભિનય કરનાર, અભિનેતા – અભિનેત્રી. ‘નાટકના પાત્રના ભાવને પ્રેક્ષકો તરફ (अभि) લઈ જનાર ’. આચાર્ય શંકુક દર્શાવે છે તેમ, નટ નાટકના પાઠનું માત્ર પઠન નથી કરતો (એ માત્ર મિમિક્રી થાય) પણ પાઠનો અભિનય કરે છે. નટ-નટી આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક અભિનય તેમજ રીતિ, વૃત્તિ અને…

વધુ વાંચો >

નટમંડપ / નટમંદિર

નટમંડપ / નટમંદિર : ઉત્તર ભારતની નાગર શૈલીમાં બનેલો ઓરિસાનાં મંદિરોનો એક મંડપ. આ મંદિરોમાં મુખ્ય દેઉલ અર્થાત્ ગર્ભગૃહની આગળ જગમંડપ અને પછી નટમંદિર તથા ભોગમંદિર બનાવાતાં. એક જ ધરી પર બનાવાયેલા આ મંડપોમાંના નટમંદિરનો ઉપયોગ ભગવાન સમક્ષ કરાતાં નૃત્ય વગેરે માટે અને ભોગમંદિરનો ઉપયોગ ભગવાનને ભોગ ધરાવવા માટે કરાતો,…

વધુ વાંચો >

નટમંડળ

નટમંડળ : અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાને ઉપક્રમે સ્થપાયેલું નિયમિત નાટકો ભજવવા માટેનું નટો અને નાટ્યવિદોનું કાયમી જૂથ. લગભગ 1948માં અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના આશ્રયે નાટ્યવિદ્યા મંદિર નામની સંસ્થા શરૂ કરવામાં આવી. આમાં નાટ્યવિદ્યામાં રસ ધરાવનારાં લગભગ પચીસેક ભાઈબહેનોએ હાજરી આપી. આમાં નાટ્યવિદ્યાસંબંધી વિવિધ વિષયો પર તજ્જ્ઞો મારફત વ્યાખ્યાનો તથા પરિસંવાદો યોજવામાં આવતાં…

વધુ વાંચો >

નટરાજ

નટરાજ : શિવનાં અનેક સ્વરૂપોમાંનું એક. શિવ નર્તક રૂપે હોવાથી તે નટરાજ કહેવાય છે. આ સ્વરૂપે તેમણે નૃત્ય-નાટ્યકલા પ્રવર્તાવી. નટરાજ એટલે નૃત્ય-નાટ્યના અધિષ્ઠાતા દેવ. ઈશ્વરસ્વરૂપે તેઓ પોતાના નૃત્યના પ્રેક્ષક પણ છે. બ્રહ્માંડ એ તેમની રંગભૂમિ છે. પુષ્પદંતે તેના શિવમહિમ્ન: સ્તોત્રમાં આ નૃત્યનું તાદૃશ વર્ણન કર્યું છે : मही पादाधाताद् व्रजति…

વધુ વાંચો >

નટરાજન્, કામાક્ષી

Jan 2, 1998

નટરાજન્, કામાક્ષી (જ. 24 સપ્ટેમ્બર 1868, તંજાવુર, તમિળનાડુ; અ. 29 એપ્રિલ 1948) : કેન્દ્રીય પત્રકાર, સામાજિક સુધારક અને ગાંધીજીના નિકટના અનુયાયી. તેઓ ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેના સાથી પણ હતા. મામલતદાર કામાક્ષી અય્યરને ત્યાં જન્મ. દાદા સ્વામીનાથ અય્યરના વિદ્યા અને સાહિત્યના સંસ્કાર બાળક કામાક્ષીએ ઝીલ્યા. રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં ઉછેર છતાં બાળકે…

વધુ વાંચો >

નડિયાદ

Jan 2, 1998

નડિયાદ : ગુજરાતના ખેડા જિલ્લાના 10 તાલુકાઓ પૈકીનો એક અને તાલુકામથક. આ તાલુકો 22° 35´થી 22° 53´ ઉ. અ. અને 72° 46´થી 73° 10´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ તાલુકાનું ક્ષેત્રફળ 662.3 ચોકિમી. છે. તાલુકામાં નડિયાદ અને વસો એ બે શહેરો અને 100 ગામડાં આવેલાં છે. આ તાલુકો ખેડા…

વધુ વાંચો >

નડૂલના ચાહમાનો

Jan 2, 1998

નડૂલના ચાહમાનો : શાકંભરીના ચાહમાન (ચૌહાણ) રાજવંશ-માંથી ઊતરી આવેલા નડૂલની શાખાના રાજાઓ. નડૂલ નાડોલ તરીકે પણ ઓળખાય છે. તે દક્ષિણ રાજસ્થાનના શિરોહી જિલ્લામાં જોધપુરથી દક્ષિણે આવેલું છે. આ રાજ્યની આસપાસ મારવાડના ભિન્નમાલ, આબુ, શિરોહી, જાલોર અને મંડોર આવેલાં છે. આ વંશનો પૂર્વજ લક્ષ્મણ શાકંભરીના વાક્પતિરાજનો પુત્ર અને સિંહરાજનો નાનો ભાઈ…

વધુ વાંચો >

નડ્ડા, જગત પ્રકાશ

Jan 2, 1998

નડ્ડા, જગત પ્રકાશ (જ. 2 ડિસેમ્બર 1960, પટણા, બિહાર) : ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ, પૂર્વ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, હિમાચલપ્રદેશના પૂર્વ કૅબિનેટ મિનિસ્ટર. તેમનો પરિવાર મૂળ હિમાચલપ્રદેશમાંથી બિહાર રહેવા ગયો હતો. શાળા-કૉલેજનો અભ્યાસ પટણામાં કર્યો હતો અને પછી હિમાચલપ્રદેશ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. કૉલેજકાળમાં…

વધુ વાંચો >

નત્થનખાં

Jan 2, 1998

નત્થનખાં (જ. 1840; અ. 1900) : આગ્રા ઘરાનાના ભારતીય ગાયક. પિતાનું નામ શેરખાં. તેમના પૂર્વજો રાજપૂત હતા, પરંતુ મુસ્લિમ શાસનકાળ દરમિયાન જે હિંદુ પરિવારોનું ધર્માંતર થયું તેમાં તેમના પરિવારનો પણ સમાવેશ થાય છે. નત્થનખાં બે વર્ષના હતા ત્યારે આ પરિવારે પ્રથમ મુંબઈ અને ત્યારબાદ આગ્રા ખાતે સ્થળાંતર કર્યું હતું. ત્યાં…

વધુ વાંચો >

નથમલની હવેલી, જેસલમેર

Jan 2, 1998

નથમલની હવેલી, જેસલમેર : રાજસ્થાનના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જેસલમેરની પથ્થરના સ્થાપત્યની બેનમૂન ઇમારત. જેસલમેર રાજસ્થાનના પશ્ચિમ વિસ્તારમાં આવેલ એક અત્યંત સુંદર કિલ્લેબંધ નગર છે; ત્યાંનું પથ્થરથી બંધાયેલ સ્થાપત્ય અપ્રતિમ લાક્ષણિકતા ધરાવે છે. કિલ્લાની બહાર વસેલા ભાગમાં તત્કાલીન શ્રીમંત લોકોની હવેલીઓ અદભુત કારીગરીનાં બેનમૂન ઉદાહરણો છે. પટવા અને નથમલની હવેલીઓ આમાંનાં…

વધુ વાંચો >

નદવી, અબુઝફર અબુહબીબ

Jan 2, 1998

નદવી, અબુઝફર અબુહબીબ (જ. 1889, દસના, બિહાર; અ. 28 મે. 1958, દસના) : ઇતિહાસકાર અને અરબી, ફારસીના વિદ્વાન. તેમણે માધ્યમિક શિક્ષણ વતન દસનામાં તથા ઉચ્ચ શિક્ષણ લખનૌની કૉલેજમાં મેળવીને ‘નદવી’ની પદવી પ્રાપ્ત કરી. તે ધર્મે સુન્ની મુસ્લિમ હતા. તેમણે ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં તથા રવીન્દ્રનાથ ટાગોર પ્રસ્થાપિત શાંતિનિકેતનમાં અરબી-ફારસીના અધ્યાપક…

વધુ વાંચો >

નદવી, અબ્દુસ્સલામ

Jan 2, 1998

નદવી, અબ્દુસ્સલામ (જ. 1882; અ. 1956, આઝમગઢ) :  અલનદવામાં તાલીમ પામેલા અને દારુલ મુસન્નિફીનમાં આજીવન સેવા આપનારા વિદ્વાન. કોઈ એક સંસ્થામાં મન મૂકીને નિષ્ઠાપૂર્વક સાહિત્ય-સંશોધનના કામમાં વ્યસ્ત રહેનારા લોકોમાં તેમનું નામ યાદગાર રહેશે. તેમણે ઉર્દૂ કાવ્યના ઇતિહાસ વિશે સદૃષ્ટાંત સમીક્ષાના બે ગ્રંથો લખ્યા છે. વિષયની દૃષ્ટિએ તે ખૂબ ઉપયોગી નીવડ્યા…

વધુ વાંચો >

નદવી, સૈયદ સુલેમાન

Jan 2, 1998

નદવી, સૈયદ સુલેમાન (જ. 22 નવેમ્બર 1884, બિહાર; અ. 22 નવેમ્બર 1953, કરાંચી) : ઉર્દૂભાષા અને સાહિત્યના વિદ્વાન. તત્કાલીન પરંપરા મુજબ શરૂઆતની તાલીમ ઘરઆંગણે લીધા પછી તે 1901માં વિખ્યાત મદરેસા નદવતુલઉલેખાંમાં દાખલ થયા. ત્યાં તે ઇતિહાસકાર, લેખક અને કવિ અલ્લામા શિબ્લી નોંમાનીના સંપર્કમાં આવ્યા અને પોતે તેમના કાબેલ અનુગામી પુરવાર…

વધુ વાંચો >

નદી

Jan 2, 1998

નદી ભૂપૃષ્ઠ પરના પહાડી પ્રદેશોમાંથી નાનાંમોટાં ઝરણાં રૂપે નીકળી તળેટીપ્રદેશમાં ઢોળાવ-આધારિત વહનપથ પરથી એકધારો વહીને ઘણુંખરું સમુદ્રમાં ભળી જતો જળપ્રવાહ. ઘસારો, વહનક્રિયા અને નિક્ષેપક્રિયા દ્વારા ભૂપૃષ્ઠ પર મોટા પાયા પરના ફેરફારો માટે નદી ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ નદી ઊંચાણવાળા ભૂમિભાગમાંથી નીચાણવાળા પ્રદેશ તરફ વહેતી હોય છે, પરંતુ…

વધુ વાંચો >