૧૦.૦૨

નજીબ (જનરલ), મહંમદથી નરનસબંધી અને તેની પુનર્રચના

નજીબ (જનરલ), મહંમદ

નજીબ (જનરલ), મહંમદ (જ. 20 ફેબ્રુઆરી 1901, ખાર્ટુમ (સુદાન); અ. 28 ઑગસ્ટ 1984, કૅરો) : ઇજિપ્તના લશ્કરી અધિકારી અને રાજપુરુષ. 1952માં ઇજિપ્તના રાજવી ફારૂક પહેલાને પદભ્રષ્ટ કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નજીબે ઇઝરાયલની સામે ઇજિપ્તના થયેલ પરાજયના સમયે નોંધપાત્ર કામગીરી બજાવી તથા જમાલ અબ્દેલ નાસરની નેતાગીરી નીચેના રાષ્ટ્રવાદી લશ્કરી…

વધુ વાંચો >

(ડિપ્ટી) નઝીર એહમદ

(ડિપ્ટી) નઝીર એહમદ (જ. 6 ડિસેમ્બર 1836, બિજનોર, ઉત્તરપ્રદેશ; અ. 19 ઑક્ટોબર 2008, અલીગઢ) : ઉર્દૂના વિખ્યાત નવલકથાકાર, દિલ્હી કૉલેજના અરબી ભાષા-સાહિત્યના અધ્યાપક, ભારતીય ફોજદારી ધારો(Indian Penal Code)ના સર્વપ્રથમ ઉર્દૂ-હિન્દી અનુવાદક. પંજાબમાં Deputy Inspector of Schools અને અલ્લાહાબાદમાં Inspector of Schools તથા છેવટે નિઝામ હૈદરાબાદમાં Revenue Officerના ઉચ્ચ હોદ્દા ઉપર…

વધુ વાંચો >

(ડૉ.) નઝીર એહમદ

(ડૉ.) નઝીર એહમદ (જ. 3 જાન્યુઆરી 1915, કોલ્હી ગરીબ ગામ, જિ. ગોન્ડા, ઉત્તરપ્રદેશ; ) : ઉર્દૂ-ફારસીના સંશોધક, પ્રખર વિદ્વાન, વિશાળ દૃષ્ટિ ધરાવતા વિચારક, બુદ્ધિવાન સાહિત્યકાર અને દીર્ઘદૃષ્ટિવાળા વિવચક હતા. તેઓ ઉર્દૂ, ફારસી તથા અંગ્રેજી – ત્રણે ભાષાઓમાં નિપુણતા ધરાવતા હતા. ઉપરાંત અરબી અને હિન્દીમાં કુશળ હતા. તેઓ અરબી, ફારસી, ઉર્દૂ…

વધુ વાંચો >

નઝીર, મોહંમદવલી અકબરાબાદી

નઝીર, મોહંમદવલી અકબરાબાદી (જ. 1740, દિલ્હી; અ. 16 ઑગસ્ટ 1830, આગ્રા) : ઉર્દૂ ભાષાના કવિ. તેમણે પ્રણાલી મુજબ જરૂરી શિક્ષણ મેળવ્યું હતું. અરબી-ફારસી ભાષા તેઓ સારી રીતે સમજતા હતા, છતાં તેમની કવિતા અરબી-ફારસીના પ્રભાવથી મુક્ત રહી છે. તેમણે શિક્ષણ-અધ્યાપનનો વ્યવસાય અપનાવ્યો હતો. નઝીરના વ્યક્તિત્વમાં વિનમ્રતા, હૃદયની વિશાળતા તેમજ ધાર્મિક સદભાવના…

વધુ વાંચો >

નઝીરી નીશાપુરી

નઝીરી નીશાપુરી (જ. – ; અ. 1662, અમદાવાદ) : મુઘલ યુગના ગઝલકાર. કવિનો જન્મ નીશાપુરમાં થયો હતો. મૂળ નામ મુહમ્મદ હુસેન અને કવિનામ ‘નઝીરી’. તેમણે નીશાપુરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને યુવાવસ્થા સુધી તે માદરે વતનમાં જ રહ્યા. પિતાના અવસાન પછી પોતાની મિલકત પોતાના ભાઈઓને સોંપી યુવાવસ્થામાં પ્રવાસે નીકળી પડ્યા.…

વધુ વાંચો >

નટઘર

નટઘર : ચંદ્રવદન મહેતાની કલ્પનાનું આદર્શ નાટ્યગૃહ. તેની ઇમારત દૂરથી મોઢેરાના સૂર્યમંદિર જેવી અથવા સોમનાથના સોમમહાલય જેવી ગોળ દેખાતી હોય, તેની બહાર એક ભાગમાં કલાકારીગરી માટેનાં લાકડાંથી માંડી ઝવેરાત સુધીની વિવિધ ઘર-ઉપયોગી વસ્તુઓથી સભર એવો પ્રદર્શનખંડ હોય અને બીજા ભાગમાં ખાવાપીવા માટેનું સ્વચ્છ સ્થાન હોય. અંદરના ભાગમાં પ્રવેશ કરો તો…

વધુ વાંચો >

નટ-નટી

નટ-નટી : નાટકના પાત્રનો અભિનય કરનાર, અભિનેતા – અભિનેત્રી. ‘નાટકના પાત્રના ભાવને પ્રેક્ષકો તરફ (अभि) લઈ જનાર ’. આચાર્ય શંકુક દર્શાવે છે તેમ, નટ નાટકના પાઠનું માત્ર પઠન નથી કરતો (એ માત્ર મિમિક્રી થાય) પણ પાઠનો અભિનય કરે છે. નટ-નટી આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક અભિનય તેમજ રીતિ, વૃત્તિ અને…

વધુ વાંચો >

નટમંડપ / નટમંદિર

નટમંડપ / નટમંદિર : ઉત્તર ભારતની નાગર શૈલીમાં બનેલો ઓરિસાનાં મંદિરોનો એક મંડપ. આ મંદિરોમાં મુખ્ય દેઉલ અર્થાત્ ગર્ભગૃહની આગળ જગમંડપ અને પછી નટમંદિર તથા ભોગમંદિર બનાવાતાં. એક જ ધરી પર બનાવાયેલા આ મંડપોમાંના નટમંદિરનો ઉપયોગ ભગવાન સમક્ષ કરાતાં નૃત્ય વગેરે માટે અને ભોગમંદિરનો ઉપયોગ ભગવાનને ભોગ ધરાવવા માટે કરાતો,…

વધુ વાંચો >

નટમંડળ

નટમંડળ : અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાને ઉપક્રમે સ્થપાયેલું નિયમિત નાટકો ભજવવા માટેનું નટો અને નાટ્યવિદોનું કાયમી જૂથ. લગભગ 1948માં અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના આશ્રયે નાટ્યવિદ્યા મંદિર નામની સંસ્થા શરૂ કરવામાં આવી. આમાં નાટ્યવિદ્યામાં રસ ધરાવનારાં લગભગ પચીસેક ભાઈબહેનોએ હાજરી આપી. આમાં નાટ્યવિદ્યાસંબંધી વિવિધ વિષયો પર તજ્જ્ઞો મારફત વ્યાખ્યાનો તથા પરિસંવાદો યોજવામાં આવતાં…

વધુ વાંચો >

નટરાજ

નટરાજ : શિવનાં અનેક સ્વરૂપોમાંનું એક. શિવ નર્તક રૂપે હોવાથી તે નટરાજ કહેવાય છે. આ સ્વરૂપે તેમણે નૃત્ય-નાટ્યકલા પ્રવર્તાવી. નટરાજ એટલે નૃત્ય-નાટ્યના અધિષ્ઠાતા દેવ. ઈશ્વરસ્વરૂપે તેઓ પોતાના નૃત્યના પ્રેક્ષક પણ છે. બ્રહ્માંડ એ તેમની રંગભૂમિ છે. પુષ્પદંતે તેના શિવમહિમ્ન: સ્તોત્રમાં આ નૃત્યનું તાદૃશ વર્ણન કર્યું છે : मही पादाधाताद् व्रजति…

વધુ વાંચો >

નરક

Jan 2, 1998

નરક : ધર્મશાસ્ત્ર અનુસાર મનુષ્યે કરેલાં પાપકર્મોની સજા ભોગવવાનું સ્થળ. ક્યારેક આ જગતમાં ખરાબ કાર્ય કરવા પીડા સહેવી પડે તો તે પીડાને પણ નરક કહે છે. ધર્મશાસ્ત્ર મુજબ મનુષ્ય પુણ્યકાર્યો કરે તો સ્વર્ગનાં સુખો મળે છે; પરંતુ પાપ કરે તો નરકનાં દુ:ખો ભોગવવાં પડે છે. ધર્મશાસ્ત્ર અને પુરાણો માને છે…

વધુ વાંચો >

નરગિસ

Jan 2, 1998

નરગિસ (જ. 1 જૂન 1929, અલ્લાહાબાદ; અ. 3 મે 1981, મુંબઈ) : ભારતીય રજતપટની યશસ્વી તારિકા. મૂળ નામ ફાતિમા રશીદ. પિતાનું નામ મોહનબાબુ. માતાનું  નામ જદ્દનબાઈ. પાંચ વર્ષની વયે ‘તલાશે હક’ ફિલ્મથી અભિનય શરૂ કરેલો. ફિલ્મ ‘તકદીર’માં મહેબૂબખાને મુખ્યપાઠમાં 1943માં ‘નરગિસ’ નામ સાથે રૂપેરી પરદે રજૂ કરી. નરગિસની અંતિમ ફિલ્મ…

વધુ વાંચો >

નરગિસ મોહમ્મદી

Jan 2, 1998

નરગિસ મોહમ્મદી (જ. 21 એપ્રિલ, 1972, ઈરાન) : 2023ના વર્ષનાં શાંતિ નોબેલ પારિતોષિકવિજેતા દ્વિતીય ઈરાની મહિલા. પશ્ચિમ એશિયામાં ક્ષેત્રફળ અને વસ્તીની દૃષ્ટિએ ઈરાન સૌથી મોટો દેશ છે. આર્યાની એવો ઈરાન ચર્ચામાં છે. ઈરાનની ફારસી ભાષા તેના લાલિત્ય માટે જાણીતી છે. આ પ્રાચીન દેશને 1963ની શ્ર્વેત-ક્રાંતિ હેઠળ આધુનિક બનાવવાનો પ્રયાસ તેના…

વધુ વાંચો >

નરજાતીય અંત:સ્રાવો (androgens)

Jan 2, 1998

નરજાતીય અંત:સ્રાવો (androgens) : પુરુષની વિશિષ્ટ શારીરિક અને લૈંગિક વૃદ્ધિ અને વિકાસ કરવા તથા જાળવી રાખવા માટે શરીરમાં બનતા અંત:સ્રાવો (hormones). તે શુક્રપિંડ અથવા વૃષણ(testicles)માં બને છે અને તેમાંથી સીધા લોહીમાં પ્રવેશીને શરીરનાં વિવિધ અંગોના કાર્યને અસર કરે છે. સામાન્ય શુક્રપિંડ 3.5થી 5.5 સેમી. લાંબો અને 2થી 3 સેમી. પહોળો…

વધુ વાંચો >

નરનસબંધી અને તેની પુનર્રચના

Jan 2, 1998

નરનસબંધી અને તેની પુનર્રચના : કુટુંબનિયોજન માટે પુરુષોની શુક્રપિંડનલિકા(vasdeferance)ને કાપવી તથા પાછળથી જરૂર પડ્યે સાંધીને ફરીથી કાર્યક્ષમ કરવી તે. કુટુંબનિયોજન કરીને કુટુંબને નાનું રાખવા માટે કાયમી વંધ્યીકરણ (sterilization) કરવાનું સૂચવાય છે. તે માટેની શસ્ત્રક્રિયા સ્ત્રીઓ તથા પુરુષો બંનેમાં થાય છે. સ્ત્રીઓની અંડનલિકા અથવા અંડવાહિની(fallopian tube)ને કાપવાની ક્રિયાને અંડનલિકા-પૂર્ણછેદન (tubectomy) કહે…

વધુ વાંચો >