ખંડ ૯

તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)

ત્રિકલિંગ

ત્રિકલિંગ : ભારતના એક પ્રદેશનું નામ. કોશલ, કલિંગ અને ઉત્કલનાં રાજ્યો સંયુક્ત રીતે ત્રિકલિંગ તરીકે ઓળખાતાં હતાં કે કલિંગ અને દક્ષિણ કોશલ વચ્ચેનો પ્રદેશ ત્રિકલિંગ તરીકે ઓળખાતો હતો એ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી. આ પ્રદેશમાં કાળેશ્વર, શ્રીશૈલ અને ભીમેશ્વરનાં પ્રસિદ્ધ ત્રણ લિંગો આવેલાં હોવાથી એ પ્રદેશ ‘ત્રિલિંગ’ તરીકે ઓળખાતો…

વધુ વાંચો >

ત્રિકૂટ

ત્રિકૂટ : ભારતનો એક પ્રાચીન પર્વત. આ નામનો પર્વત ઉત્તર કોંકણમાં આવેલો છે. એક મંતવ્ય પ્રમાણે તે નાશિક પાસે પણ હોવાનું જણાવાયું છે. આ પર્વતના નામથી ત્રૈકૂટક વંશ અને ત્રૈકૂટક સંવત ઓળખાય છે. ત્રૈકૂટક રાજાઓના સિક્કા ઉપર આ પર્વતનું પ્રતીક છે. ‘કૂટ’ શબ્દનો અર્થ અગ્રભાગ કે પર્વતની ટોચ થાય છે.…

વધુ વાંચો >

ત્રિકોણ

ત્રિકોણ (triangle) : ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી પસાર થતી અને પરસ્પર છેદતી રેખાઓનાં છેદનબિંદુઓથી મળતા રેખાખંડોથી બનતી આકૃતિ. છેદબિંદુઓને ત્રિકોણનાં શિરોબિંદુ (vertex) કહે છે. સમતલ પર આવેલા ત્રિકોણને સમતલ ત્રિકોણ અને ગોલક પર આવેલા ત્રિકોણને  ગોલીય (spherical) ત્રિકોણ કહે છે. સમતલ ત્રિકોણો : સમતલ પરના ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓ A,B…

વધુ વાંચો >

ત્રિકોણમિતિ

ત્રિકોણમિતિ (trigonometry) : ત્રિકોણમિતીય વિધેયની મદદથી ત્રિકોણના સંઘટકો (બાજુઓ અને ખૂણાઓ) શોધવા માટે વપરાતી ગણિતની શાખા. ઇજનેરી, મોજણી, સ્થાપત્ય, વહાણવટું અને ખગોળશાસ્ત્ર જેવાં ક્ષેત્રમાં તે ભારે ઉપયોગી છે. ખગોળમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને તારાઓની ગતિનો અભ્યાસ કરવા અને અન્ય ગણતરીઓ કરવા અત્યંત પ્રાચીન કાળમાં તે શાખાનો ઉદભવ થયો. ગ્રીક ખગોળશાસ્ત્રીઓ…

વધુ વાંચો >

ત્રિ-કોષીય સિદ્ધાંત

ત્રિ-કોષીય સિદ્ધાંત (Tricellular Theory) : પૃથ્વીની સપાટી તથા ઊંચાઈ પરના પવનોની દિશાનું અર્થઘટન કરવા માટે તથા અગાઉના એક-કોષીય સિદ્ધાંતમાં સુધારા કરવા માટે પ્રતિપાદિત કરવામાં આવેલો સિદ્ધાંત. પૃથ્વી પર મળતી સૂર્યની ગરમીનો જથ્થો (budget) તપાસવાથી જણાય છે કે વિષુવવૃત્તીય પ્રદેશો સાહજિક રીતે ગરમી મેળવે છે અને ધ્રુવીય પ્રદેશો સાહજિક રીતે ગરમી…

વધુ વાંચો >

ત્રિક્ (સાહિત્ય)

ત્રિક્ (સાહિત્ય) : કાશ્મીરના શૈવ સાહિત્યને ‘ત્રિક’ કહે છે. એમાં આગમશાસ્ત્ર, સ્પન્દશાસ્ત્ર અને પ્રત્યભિજ્ઞશાસ્ત્રનો બોધ થાય છે. સાથોસાથ પરા, અપરા અને પરાત્પરા – આ ત્રણ અવસ્થાનો પણ બોધ થાય છે. એમાં શૈવદર્શનના અભેદ, ભેદ અને ભેદાભેદ – આ ત્રણે પક્ષો પણ પ્રતિબિંબિત થાય છે. એમાં ઇચ્છા, જ્ઞાન અને ક્રિયા-શક્તિઓ તેમજ…

વધુ વાંચો >

ત્રિગુણી રસી

ત્રિગુણી રસી (tripple vaccine) : નવજાત શિશુ તેમજ નાનાં બાળકોને રોગપ્રતિકાર માટે અપાતી ડી.પી.ટી. (DPT – diphtheria, pertussis અને tetanus મિશ્રિત) રસી. તેમાં ત્રણ રોગો, ડિફ્થેરિયા, ઊંટાટિયું (whooping cough) અને ધનુર (tetanus) સામે રોગ પ્રતિકારકશક્તિ – પ્રતિરક્ષા (immunity) મળે તેવી ત્રણ રસીઓનું મિશ્રણ હોય છે. તેનું અંત:ક્ષેપણ (injection) એક માસથી…

વધુ વાંચો >

ત્રિચુર

ત્રિચુર (ત્રિશુર) : કેરળ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. જિલ્લાનો કુલ વિસ્તાર 3032 ચોકિમી. તથા તેની કુલ વસ્તી 3,15,596 (2011) છે. જિલ્લા મથક 10° 03´ ઉત્તર અક્ષાંશ અને 76° 13´ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તેની ઈશાને પાલઘાટ તથા કોઇમ્બતુર અને દક્ષિણમાં એર્નાકુલમ નગરો આવેલાં છે. એર્નાકુલમથી…

વધુ વાંચો >

ત્રિજ્ય વેગ

ત્રિજ્ય વેગ (radial velocity) : અવલોકનકારની ર્દષ્ટિરેખા (line of sight) ઉપર કોઈ પણ ખગોલીય પદાર્થના વેગનો ઘટક. અવકાશમાં સૂર્યથી તારાના અંતરમાં દર સેક્ધડે જે ફેરફાર થાય છે તેને સૂર્યની સાપેક્ષ તારાનો અરીય વેગ કહેવાય છે. આ વેગને ρ (રૉ) વડે દર્શાવવામાં આવે છે. તારાની નિજી ગતિ(proper motion)માંથી અરીય વેગ સરળતાથી…

વધુ વાંચો >

ત્રિતાલ

ત્રિતાલ : ભારતીય સંગીત અંતર્ગતનો તાલ. તે 16 માત્રાનો છે. તેમાં ચાર ચાર માત્રાના ચાર વિભાગો આવે છે. તાલના બોલ તથા માત્રાસમૂહોની વહેંચણી નીચે પ્રમાણે હોય છે. પ્રચારમાંના બે પ્રકારના બોલ નીચે મુજબ છે : શાસ્ત્રીય સંગીતની ઘણી બંદિશો ત્રિતાલમાં બદ્ધ છે. આ તાલ વિલંબિત, મધ્ય અને દ્રુત – આમ…

વધુ વાંચો >

તેલવાહક જહાજ

Mar 1, 1997

તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…

વધુ વાંચો >

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક

Mar 1, 1997

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…

વધુ વાંચો >

તેલંગાણા

Mar 1, 1997

તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…

વધુ વાંચો >

તેલંગાણા આંદોલન

Mar 1, 1997

તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…

વધુ વાંચો >

તેલિકા મંદિર, ગ્વાલિયર

Mar 1, 1997

તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…

વધુ વાંચો >

તેલી

Mar 1, 1997

તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો

વધુ વાંચો >

તેલીબિયાંના પાક

Mar 1, 1997

તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…

વધુ વાંચો >

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ

Mar 1, 1997

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…

વધુ વાંચો >

તેલુગુદેશમ્ પક્ષ

Mar 1, 1997

તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…

વધુ વાંચો >

તેલુગુ ભાષા અને સાહિત્ય

Mar 1, 1997

તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…

વધુ વાંચો >