ત્રિતાલ : ભારતીય સંગીત અંતર્ગતનો તાલ. તે 16 માત્રાનો છે. તેમાં ચાર ચાર માત્રાના ચાર વિભાગો આવે છે. તાલના બોલ તથા માત્રાસમૂહોની વહેંચણી નીચે પ્રમાણે હોય છે. પ્રચારમાંના બે પ્રકારના બોલ નીચે મુજબ છે :

શાસ્ત્રીય સંગીતની ઘણી બંદિશો ત્રિતાલમાં બદ્ધ છે. આ તાલ વિલંબિત, મધ્ય અને દ્રુત – આમ ત્રણ લયમાં સાંભળવા મળે છે. પ્રચાર પામેલો આ તાલ કંઠ્ય તથા વાદ્યસંગીતમાં સાંભળવા મળે છે.

ત્રિતાલ ઉપરાંત 16 માત્રાના બીજા તાલ તિલવાડા, પંજાબી પુશ્તો અને અધ્ધો છે.

હ્રષિકેશ પાઠક