ખંડ ૯

તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)

દુ પત્ર

દુ પત્ર (1968) : મૈથિલી સાહિત્યકાર ઉપેન્દ્રનાથ ઝા(જ.1917)ની લઘુનવલ. તેની કથા કેવળ બે પત્રોમાં સમાપ્ત થાય છે. આ પત્રોમાં એક ભારતીય અને બીજી અમેરિકન એમ બે યુવાન નારીની લાગણીઓની મથામણ આલેખાઈ છે. પહેલો પત્ર ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયેલા અને 10 વર્ષથી ત્યાં જ વસતા પતિ સુરેન્દ્રને પત્ની ઇન્દુદેવીએ લખ્યો…

વધુ વાંચો >

દુબઈ

દુબઈ (Dubai; Dubayy) : સંયુક્ત આરબ અમીરાતનું સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 25 18´ ઉ. અ. અને 55 18´ પૂ. રે.ની આજુબાજુનો 3900 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, પરંતુ સમુદ્રના વિસ્તારનું નવીનીકરણ કર્યું હોવાથી તેનો વિસ્તાર 4,110 ચો.કિમી. થવા જાય છે. ભૂપૃષ્ઠ–આબોહવા : આ શહેર આશરે 16 મીટરની સમુદ્ર…

વધુ વાંચો >

દુબચેક, ઍલેક્ઝાન્ડર

દુબચેક, ઍલેક્ઝાન્ડર [જ. 27 નવેમ્બર 1921, ચૅકોસ્લોવૅકિયા (હાલનું સ્લોવાકિયા); અ. 7 નવેમ્બર 1992, પ્રાગ (હાલનું ચૅક રિપબ્લિક)] : ચૅકોસ્લોવૅકિયાના રાજપુરુષ તથા ચૅકોસ્લોવૅકિયાના સામ્યવાદી પક્ષના પ્રથમ મંત્રી (5 જાન્યુઆરી, 1968થી 17 એપ્રિલ, 1969). ચૅકોસ્લોવૅકિયાને આર્થિક-રાજકીય સુધારાઓ અને ઉદારીકરણના માર્ગે અગ્રેસર કરનાર આ મુત્સદ્દીએ પ્રાથમિક શિક્ષણ સોવિયેત મધ્ય એશિયાના કિરગીઝિયા ખાતે લીધું…

વધુ વાંચો >

દુબે, કુંજિલાલ

દુબે, કુંજિલાલ (જ. 18 માર્ચ 1896, આમગાંવ, નરસિંહપુર જિલ્લો, મધ્યપ્રદેશ; અ. 2 જૂન, 1970) : મધ્યપ્રદેશના સ્વાતંત્ર્યસેનાની, કેળવણીકાર અને વિધાનસભાના અધ્યક્ષ. બી.એ., એલએલ.બી. સુધીના અભ્યાસ બાદ જબલપુરમાં વકીલાત. શરૂમાં મદનમોહન માલવિયા તથા લાલા લજપતરાય અને તે પછી ગાંધીજીથી પ્રભાવિત. તેઓ રવિશંકર શુક્લ, ડી. પી. મિશ્ર અને શેઠ ગોવિંદદાસના સંપર્કમાં આવ્યા.…

વધુ વાંચો >

દુરાની, સલીમ અઝીઝ

દુરાની, સલીમ અઝીઝ (જ. 15 ઑગસ્ટ 1935, કરાંચી) : ક્રિકેટની રમતમાં ભારતનો ડાબોડી ટેસ્ટ ઑલરાઉન્ડર. ઊંચો અને છટાદાર સલીમ દુરાની આગવી શૈલી ધરાવતો ડાબોડી બૅટ્સમૅન, ધીમો પણ અસરકારક ડાબોડી સ્પિનર અને કુશળ વિકેટકીપર ગણાતો હતો. 1953થી ’54માં નિશાળમાં અભ્યાસ કરતો હતો ત્યારે સૌરાષ્ટ્ર તરફથી ગુજરાત સામે પહેલી રણજી ટ્રૉફી મૅચ…

વધુ વાંચો >

દુરેમાત, ફ્રેડરિચિ

દુરેમાત, ફ્રેડરિચિ (જ. 5 જાન્યુઆરી 1921, બેર્ન; અ. 14 ડિસેમ્બર 1990) : જર્મન સાહિત્યકાર. જન્મે સ્વિસ. તેમનો જન્મ બેર્નના કોનોલ્ફિન્ગેનમાં થયો હતો. યુનિવર્સિટી ઑફ ઝુરિકમાં અભ્યાસ પ્રારંભ્યો અને 1941માં યુનિવર્સિટી ઑફ બેર્નમાં ગયા, પરંતુ 1943માં લેખક અને નાટ્યકાર થઈ અભ્યાસ છોડ્યો. વિશ્વયુદ્ધ પછીનાં વર્ષોમાં ખ્યાતનામ બનેલા નાટ્યકાર મૅક્સ ફ્રિસ્ચના સમકાલીન.…

વધુ વાંચો >

દુર્ખીમ, એમિલ

દુર્ખીમ, એમિલ (જ. 15 એપ્રિલ 1858, એપિનલ, ફ્રાન્સ; અ. 15 નવેમ્બર 1917) : સમાજશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વનું પ્રદાન કરનાર ફ્રાંસના સમાજશાસ્ત્રી. વીસમી સદીની શરૂઆતમાં આધુનિક સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોના ઘડવૈયાઓમાં ફ્રાંસના એમિલ દુર્ખીમ અને જર્મનીના મૅક્સવેબરનો સમાવેશ થાય છે. દુર્ખીમનો જન્મ યહૂદી કુટુંબમાં થયો હતો. દુર્ખીમના પરિવારમાં યહૂદીઓના પુરોહિત…

વધુ વાંચો >

દુર્ગ

દુર્ગ : નગરના રક્ષણ અર્થે બાંધવામાં આવતો કિલ્લો. પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં દુર્ગ-નિર્માણને રાજ્યના અનિવાર્ય અંગ તરીકે લેખવામાં આવેલ છે. દુર્ગ વિનાના રાજાને ઝેરવિહીન સર્પ કે દંતશૂળવિહીન હાથી સાથે સરખાવવામાં આવ્યો છે. એક હજાર હાથી અને એક લાખ ઘોડા જેટલું બળ રાજા એક દુર્ગ દ્વારા પ્રાપ્ત કરી શકે છે એવું…

વધુ વાંચો >

દુર્ગ (નગર)

દુર્ગ (નગર) : ભારતમાં છત્તીસગઢ રાજ્યનો જિલ્લો તથા તે જિલ્લાનું મહત્વનું ઔદ્યોગિક નગર. તે 20° 13´થી 22° ઉ. અ. અને 80° 47’થી 82° 02’ પૂ. રે. વચ્ચેનો 8702 ચોકિમી જેટલો વિસ્તાર ધરાવે છે. નાગપુરથી તે 230 કિમી. પૂર્વે સીઓનાય નદીને પૂર્વ કાંઠે વસેલું છે. અહીંના પ્રાચીન કાળના માટીના બનેલા કિલ્લાને…

વધુ વાંચો >

દુર્ગા

દુર્ગા : હિંદુ ધર્મ મુજબ આદ્યશક્તિ પાર્વતી દેવીનું કાલી, ચંડી, ભૈરવી વગેરે જેવું ઉગ્ર રૂપ. દુર્ગાનો જન્મ આદ્યશક્તિથી થયો છે. ‘સુપ્રભેદાગમ’ નામના ગ્રંથમાં દુર્ગાને વિષ્ણુની નાની બહેન કહી છે. શૈવ–આગમો દુર્ગાનાં નવ રૂપો ગણાવે છે; જેમાં (1) નીલકંઠી, (2) ક્ષેમંકરી, (3) હરસિદ્ધિ, (4) રુદ્રાંશદુર્ગા, (5) વનદુર્ગા, (6) અગ્નિદુર્ગા, (7) જયદુર્ગા,…

વધુ વાંચો >

તેલવાહક જહાજ

Mar 1, 1997

તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…

વધુ વાંચો >

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક

Mar 1, 1997

તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…

વધુ વાંચો >

તેલંગાણા

Mar 1, 1997

તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…

વધુ વાંચો >

તેલંગાણા આંદોલન

Mar 1, 1997

તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…

વધુ વાંચો >

તેલિકા મંદિર, ગ્વાલિયર

Mar 1, 1997

તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…

વધુ વાંચો >

તેલી

Mar 1, 1997

તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો

વધુ વાંચો >

તેલીબિયાંના પાક

Mar 1, 1997

તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…

વધુ વાંચો >

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ

Mar 1, 1997

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…

વધુ વાંચો >

તેલુગુદેશમ્ પક્ષ

Mar 1, 1997

તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…

વધુ વાંચો >

તેલુગુ ભાષા અને સાહિત્ય

Mar 1, 1997

તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…

વધુ વાંચો >