ખંડ ૭
ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર
ચઉપ્પન્નમહાપુરિસચરિયં
ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…
વધુ વાંચો >‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)
‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…
વધુ વાંચો >ચકલી
ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…
વધુ વાંચો >ચકોર
ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…
વધુ વાંચો >ચક્કર (vertigo)
ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…
વધુ વાંચો >ચક્ર
ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…
વધુ વાંચો >ચક્ર (ફિલ્મ)
ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…
વધુ વાંચો >ચક્ર અને ધુરા/ધરી
ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…
વધુ વાંચો >ચક્રપાલિત
ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…
વધુ વાંચો >ચક્રફેંક
ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…
વધુ વાંચો >જમીલ મઝહરી મીર કાઝિમ અલી
જમીલ મઝહરી મીર કાઝિમ અલી (જ. 1905, બિહાર; અ. 1980) : ઉર્દૂ કવિ. તેમના પિતાનું નામ સૈયદ ખુરશીદ હુસેન હતું. તેમણે મોટીહારીમાં તેમનું પ્રાથમિક ને માધ્યમિક શિક્ષણ લીધા બાદ કૉલકાતા યુનિવર્સિટીમાંથી 1931માં ફારસીમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે તેમની કારકિર્દી કૉલકાતા દૈનિકમાં પત્રકાર તરીકે શરૂ કરી; પરંતુ બ્રિટિશ શાસન વિરુદ્ધના…
વધુ વાંચો >જમુનાદેવી
જમુનાદેવી (જ. 1917, કૉલકાતા; અ. 24 નવેમ્બર, 2005, દક્ષિણ કૉલકાતા) : જૂની હિંદી ફિલ્મોની નાયિકા. માતાપિતા મૂળ ઉત્તરપ્રદેશનાં વતની, એટલે જમુનાને હિંદી અને બંગાળી બંને ભાષાની એકસરખી ફાવટ હતી. આશરે 17 વર્ષની વયે ફિલ્મક્ષેત્રે પ્રવેશેલાં જમુનાના જીવનમાં ફિલ્મકાર-કલાકાર પી. સી. બરુઆનું સ્થાન વિશિષ્ટ હતું. બરુઆની પ્રથમ ફિલ્મ ‘રૂપલેખા’ સાથે 1934માં…
વધુ વાંચો >જમૈકા
જમૈકા : ઉત્તર અમેરિકા ખંડના અગ્નિખૂણામાં આવેલા ટાપુઓમાંનો એક (ટાપુ)દેશ. ભૌગોલિક સ્થાન 18o 15’ ઉ. અ. 77o 30’ પ. રે. વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓ નામે ઓળખાતા આ સમૂહમાં હવાના, ક્યુબા, જમૈકા, પોર્ટોરિકો, ડોમિનિકન, બહામા તેમજ હૈટી (હૈતી) ટાપુઓનો સમાવેશ થાય છે. ઇટાલીનો વતની ક્રિસ્તોફર કોલંબસ આ ટાપુ પર 1494માં પહોંચ્યો હતો.…
વધુ વાંચો >જમ્પર, જ્હૉન
જમ્પર, જ્હૉન (Jumper, John) (જ. 1985 લિટલ રૉક, આરકાન્સો, યુ.એસ.એ.) : પ્રોટીનના માળખાના અનુમાન માટે 2024નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ જ્હૉન જમ્પર તથા ડેમિસ હસાબિસને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. પુરસ્કારનો અન્ય અર્ધભાગ ડેવિડ બેકરને પરિકલન અથવા ગાણિતિક પ્રોટીન-રચના (કમ્પ્યુટેશનલ પ્રોટીન ડિઝાઇન) માટે એનાયત થયો હતો. જ્હૉન…
વધુ વાંચો >જમ્મુ
જમ્મુ : જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની શિયાળુ રાજધાની. ભૌ. સ્થાન 32o 44’ ઉ. અ. 74o 52’ પૂ. રે. ચિનાબની ઉપનદી તાવીના કિનારે વસેલું આ નગર કાશ્મીરનું પ્રવેશદ્વાર છે. મંદિરો, મહાલયો, મસ્જિદો ધરાવતું આ નગર એક વિશાળ પહાડી ઉપર (327 મીટર ઊંચાઈ પર) વસેલું છે. આજુબાજુ વળાંક લેતી તાવી નદીના કિનારે…
વધુ વાંચો >જમ્મુ અને કાશ્મીર :
જમ્મુ અને કાશ્મીર : જુઓ કાશ્મીર (જમ્મુ અને કાશ્મીર)
વધુ વાંચો >જયકર, મુકુંદ રામરાવ
જયકર, મુકુંદ રામરાવ (જ. 13 નવેમ્બર 1873, મુંબઈ; અ. 10 માર્ચ 1959 મુંબઈ) : ભારતના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી મુત્સદ્દી, પ્રભાવશાળી વક્તા અને સમાજસેવક. જન્મ પઠારે પ્રભુ જ્ઞાતિના મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. પિતાનું નામ હતું રામરાવ તથા માતાનું નામ સોનબાઈ હતું. પિતાનું મૃત્યુ થવાથી બાળક મુકુંદને દાદા વાસુદેવે ઉછેર્યા હતા. દાદા…
વધુ વાંચો >જયકાન્તન્ દંડપાણિ
જયકાન્તન્ દંડપાણિ (જ. 1934) : તમિળ ભાષાના પ્રસિદ્ધ નવલિકા-લેખક, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, ફિલ્મ-સર્જક. દક્ષિણ તામિલનાડુના કુહલોર ગામમાં કૃષિકાર કુટુંબમાં જન્મ. ત્રીજા ધોરણ સુધી શિક્ષણ લઈ શાળા છોડી દીધેલી. દાદા અને મા સાથે સંવાદ ધરાવતા, પણ કંઈક વિવાદાસ્પદ સ્વભાવવાળા જયકાન્તનને પિતા સાથે મેળ નહોતો. 12 વર્ષની ઉંમરે ઘર છોડી ચાલી નીકળેલા.…
વધુ વાંચો >જયદીપસિંહજી
જયદીપસિંહજી (જ. 24 જૂન 1929, દેવગઢ બારિયા, જિ. દાહોદ; અ. 20 નવેમ્બર 1987, નવી દિલ્હી) : ગુજરાતમાં બારિયારાજ્યના ભૂતપૂર્વ રાજવી. તે પછી રાજકીય નેતા, મંત્રી અને રમતવીર. અગાઉના બારિયા રાજ્યના મહારાજા રણજિતસિંહના પૌત્ર અને યુવરાજ સુભગસિંહના પુત્ર જયદીપસિંહે અજમેરની મેયો કૉલેજમાં અભ્યાસ કરી સિનિયર કેમ્બ્રિજની પરીક્ષા પસાર કરી હતી. તેઓ…
વધુ વાંચો >જયદેવ
જયદેવ (ઈ. સ.ની બારમી સદી) : સંસ્કૃત ભાષાના સુવિખ્યાત કવિ. વૈષ્ણવ સંપ્રદાયના ઉલ્લેખો અનુસાર તેમનો જન્મ બંગાળના વીરભૂમ જિલ્લાના કિન્દુબિલ્વ(કેન્દુલી)માં થયેલો. કિન્દુબિલ્વ જગન્નાથપુરી પાસેનું ગામ હોવાનું ‘ગીતગોવિંદ’ના એક ટીકાકારે નોંધ્યું છે તો અન્ય એક ટીકાકારે કવિને ગુજરાતના કહ્યા છે. કવિની જન્મભૂમિ બિહાર હોવાની પણ એક પરંપરા છે. તેમના પિતા ભોજદેવ…
વધુ વાંચો >