ખંડ ૭
ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર
ચાર ચક્રમ
ચાર ચક્રમ : 1932માં રણજિત મૂવીટોન દ્વારા નિર્મિત હાસ્યરસનું પ્રથમ બોલતું-ગાતું ચિત્રપટ. ફિલ્મની પટકથા જયંત દેસાઈ અને જિતુભાઈ મહેતાની હતી અને તેનું હિન્દી રૂપાંતર એસ. એલ. શ્રીવાસ્તવ ‘અનુજ’ દ્વારા કરાયું હતું. ‘ચાર ચક્રમ’ના નિર્દેશક જયંત દેસાઈ હતા. સંગીતનિર્દેશન ઉસ્તાદ ઝંડેખાંસાહેબનું હતું. ફિલ્મના કલાકારોમાં ઘોરી, ઈ. બીલીમોરિયા, કેકી અડાજણિયા, દીક્ષિત, ઈશ્વરલાલ,…
વધુ વાંચો >ચારણ, અર્જુનદેવ
ચારણ, અર્જુનદેવ (જ. 1954, જોધપુર, રાજસ્થાન) : રાજસ્થાનના જાણીતા નાટ્યકાર, દિગ્દર્શક અને કવિ. તેમને તેમના નાટ્યસંગ્રહ ‘ધરમજુદ્ધ’ માટે 1992ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે રાજસ્થાનીમાં પીએચ.ડી. કર્યું છે અને હાલ જોધપુરમાં જયનારાયણ વ્યાસ યુનિવર્સિટીમાં રાજસ્થાની વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે કામગીરી સંભાળે છે. 1974થી તેમણે નાટ્યલેખનનો પ્રારંભ…
વધુ વાંચો >ચારણ, રેવતદાન ‘કલ્પિત’
ચારણ, રેવતદાન ‘કલ્પિત’ (જ. 1924, મથામિયા મારવાડ, જોધપુર, રાજસ્થાન; અ. 26 એપ્રિલ 1990, જોધપુર ) : રાજસ્થાની કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ઉછાલૌ’ને 1990ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. એમ.એ. તથા કાયદાની સ્નાતક ડિગ્રી તથા સાહિત્યરત્નની ઉપાધિ તેમણે મેળવેલ. તેમણે રાજસ્થાની, હિંદી, અંગ્રેજી તથા ગુજરાતીમાં પ્રાવીણ્ય મેળવ્યું હતું. વ્યવસાયે…
વધુ વાંચો >ચારણી સાહિત્ય
ચારણી સાહિત્ય : ગુજરાત-સૌરાષ્ટ્રમાં વસતા ચારણોએ સાહિત્યક્ષેત્રે કરેલું પ્રદાન. ચારણ શબ્દનો અર્થ કીર્તિ ફેલાવનાર એવો થાય છે. આ કોમનું વર્ણન રામાયણ અને મહાભારતમાં મળે છે. તે પોતાની ઉત્પત્તિ દેવતાઓથી થયાનો દાવો કરે છે અને પોતાને દેવીપુત્રો તરીકે ઓળખાવે છે. ચારણકુલો મધ્ય એશિયામાંથી સ્થળાંતર કરીને હિમાલયની પર્વતમાળામાં આવી વસેલાં. ત્યાંથી કાળક્રમે…
વધુ વાંચો >ચાર મિનાર, હૈદરાબાદ
ચાર મિનાર, હૈદરાબાદ : 1591માં બંધાયેલ કુતુબશાહી સ્થાપત્યનો ઉત્તમ નમૂનો. ચતુર્મુખી દરવાજાના રૂપમાં બંધાયેલ આ ઇમારતના ચાર ખૂણા પર આવેલા ભવ્ય મિનારાને કારણે તે ચાર મિનાર તરીકે પ્રસિદ્ધ છે. વિશાળ ઘેરાવાને કારણે ભવ્ય દેખાતી આ ઇમારતનું સ્થાપત્ય અપ્રતિમ છે. લગભગ 30 મી.ની બાજુઓ તથા 56 મી. ઊંચા મિનારાને કારણે તે…
વધુ વાંચો >ચાર રસ્તા
ચાર રસ્તા : વિરુદ્ધ દિશામાં જતા બે રસ્તાના ચાર છેડા મળતા હોય તે સ્થાન. ખાસ કરીને જૂનાં શહેરોના આયોજનમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણને જોડતા બે મુખ્ય રસ્તાનું આયોજન થતું; તેથી સાધારણ રીતે શહેરનું 4 ભાગમાં વિભાજન થતું. આ મુખ્ય રસ્તા જ્યાં મળે ત્યાં શહેરની ધાર્મિક કે વ્યાપારિક મહત્વની ખાસ ઇમારતો બંધાતી.…
વધુ વાંચો >ચારી, ફણિશાઈ શેષાદ્રિ
ચારી, ફણિશાઈ શેષાદ્રિ (જ. 11 નવેમ્બર 1955, વલસાડ, દક્ષિણ ગુજરાત) : નાટ્યવિદ અને શ્રેષ્ઠ દિગ્દર્શક. વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી તેમણે એમ.પી.એ.(નાટ્ય)ની ડિગ્રી પ્રાપ્ત કરી પછી બૅંકમાં જોડાયા. સંગીતની ટૂંકા ગાળાની તાલીમ લીધા બાદ તેમણે 1987થી 1990 સુધી મ. સ. યુનિવર્સિટીના નાટ્યવિભાગમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવા આપી. તેમને 1995માં માનવ સંસાધન…
વધુ વાંચો >ચારુતર વિદ્યામંડળ
ચારુતર વિદ્યામંડળ : ખેડા જિલ્લાના હાર્દ સમા ચરોતર પ્રદેશમાં કરમસદ, બાકરોલ અને આણંદના ત્રિભેટે આવેલી નિર્જન અને ભેંકાર વગડાની ભૂમિ ઉપર વલ્લભવિદ્યાનગર નામના એક વિરલ વિદ્યાધામનો 1946માં ઉદય થયો. ગ્રામસમાજના પુનરુત્થાન તથા સર્વાંગી વિકાસના સ્વપ્નને સાકાર કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી બાહોશ ઇજનેર ભાઈલાલભાઈ દ્યાભાઈ પટેલ (ભાઈકાકા) અને નિષ્ઠાવાન…
વધુ વાંચો >ચારુલતા
ચારુલતા : ‘ભારતરત્ન’ અને ઑસ્કાર એવૉર્ડ વિભૂષિત સત્યજિત રાયનું ચલચિત્ર. 1964માં રજૂઆત પામેલ આ બંગાળી ચલચિત્રને રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક, શ્રેષ્ઠ નિર્દેશન માટેનો બર્લિન પુરસ્કાર, શ્રેષ્ઠ ચલચિત્ર તરીકેનો 1965નો અકાપુલ્કોનો પુરસ્કાર અને બર્લિનનો કૅથલિક પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. સત્યજિત રાય રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યથી પ્રભાવિત હતા. તેમણે ‘ઘરે બાહિરે’, ‘ચારુલતા’, ‘તીન કન્યા’ અને…
વધુ વાંચો >ચારોળી
ચારોળી : દ્વિદળી વર્ગમાં આવેલા એનાકાર્ડિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Buchanania Lanzan spreng. syn. B. latifolia Roxb. (સં. ચાર, રાજાદન, અજકર્ણ; બં. પિયાલ, આસના, પિયાશાલ; હિં. ચિરૌંજી; મ. ચાર, ચારોળી; ક. મોરાંપ્ય, મોરવે, મોરટી, ચાર્વાલ; તા. કારપ્યારૂક્કુ-પ્યુ; મલા. મુરળ; તે. ચારુપય્યુ, ચારુમામિંડી; ફા. બુકલે ખાજા; અ. હબુસ્સમીના; અં. આલ્મંડેટ…
વધુ વાંચો >ચઉપ્પન્નમહાપુરિસચરિયં
ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…
વધુ વાંચો >‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)
‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…
વધુ વાંચો >ચકલી
ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…
વધુ વાંચો >ચકોર
ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…
વધુ વાંચો >ચક્કર (vertigo)
ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…
વધુ વાંચો >ચક્ર
ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…
વધુ વાંચો >ચક્ર (ફિલ્મ)
ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…
વધુ વાંચો >ચક્ર અને ધુરા/ધરી
ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…
વધુ વાંચો >ચક્રપાલિત
ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…
વધુ વાંચો >ચક્રફેંક
ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…
વધુ વાંચો >