ખંડ ૬(૨)

ગુજરાતથી ઘોળ

ઘારેખાન, ચિન્મય

ઘારેખાન, ચિન્મય (જ. 4 જુલાઈ 1934, ડભોઈ) : ભારતના અગ્રણી રાજદૂત. પિતાનું નામ રજનીનાથ અને માતાનું નામ સુરભિલક્ષ્મી. પ્રાથમિક શિક્ષણ નવસારીમાં મેળવ્યું. 1949માં વડોદરામાં રહી મૅટ્રિક થયા. 1953માં બકિંગ અને એકાઉન્ટન્સીના વિષયો સાથે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરામાંથી બી.કૉમ.ની પદવી પ્રાપ્ત કરી. બકિંગના વિષયમાં પ્રથમ ક્રમે આવી તેમણે ઝાલા પારિતોષિક મેળવ્યું…

વધુ વાંચો >

ઘાલી, બુતરસ બુતરસ

ઘાલી, બુતરસ બુતરસ (જ. 14 નવેમ્બર 1922, કૅરો, ઇજિપ્ત; અ. 16 ફેબ્રુઆરી 2016, કૅરો, ઇજિપ્ત) : ઇજિપ્તના અગ્રણી રાજનીતિજ્ઞ તથા સંયુક્ત રાષ્ટ્રસંઘના છઠ્ઠા મહામંત્રી. ઇજિપ્તની કુલ વસ્તીમાં માત્ર 10 %નું પ્રમાણ ધરાવતી ખ્રિસ્તી લઘુમતી કોમમાં જન્મ. 1946માં કૅરો યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રની પદવી મેળવ્યા પછી 1949માં પૅરિસ યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્ર તથા આંતરરાષ્ટ્રીય કાયદામાં…

વધુ વાંચો >

ઘાવરી, કરસન

ઘાવરી, કરસન (જ. 28 ફેબ્રુઆરી 1951, રાજકોટ) : ભારતીય ટેસ્ટ ક્રિકેટના પૂર્વ સમર્થ ડાબોડી ઑલરાઉન્ડર. 1969–70માં સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રૉફી સ્પર્ધામાં પદાર્પણ કરીને પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ કર્યો. 1972–73 સુધી સૌરાષ્ટ્ર તરફથી રમ્યા પછી 1973–74થી 1981–82 સુધી તે રણજી ટ્રૉફી સ્પર્ધામાં મુંબઈ તરફથી રમ્યા અને 1982–83થી ફરી સૌરાષ્ટ્ર તરફથી રમ્યા.…

વધુ વાંચો >

ઘાસ

ઘાસ : એકદળીય (monocot) પોએસી કુળની વનસ્પતિ. તેની જગતભરમાં 14 જનજાતિઓ (tribes), 600 ઉપરાંત પ્રજાતિઓ (genus) અને 9,000 ઉપરાંત જાતિઓ (species) જોવા મળે છે. ઘાસ માનવીને અત્યંત ઉપયોગી છે. સમગ્ર જગતનાં તૃણભક્ષી પ્રાણીઓ માટે ચારા અને દાણાની કુલ ખપતના લગભગ 53 % જેટલો જથ્થો ઘાસમાંથી મળી રહે છે. એકંદરે જોતાં,…

વધુ વાંચો >

ઘાસચારાના પાકો

ઘાસચારાના પાકો : પશુ-આહાર માટેના પાકો. ગુજરાત રાજ્યમાં થતા ઘાસચારાના વિવિધ પાકો નીચે મુજબ છે. તેની વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે : (ક) ધાન્ય વર્ગ : (1) જુવાર (Sorghum bicolor) : જુવારના પાકને ગુજરાત રાજ્યની દરેક પ્રકારની જમીન અને હવામાન અનુકૂળ આવે છે. ગુજરાતમાં આ પાકનો વિસ્તાર 8.94 લાખ હેક્ટર…

વધુ વાંચો >

ઘાસચારા સંશોધનકેન્દ્ર

ઘાસચારા સંશોધનકેન્દ્ર : ગુજરાત કૃષિ યુનિવર્સિટીના ઉપક્રમે આણંદ ખાતે ચાલતી સંસ્થા. હાલમાં ગુજરાત રાજ્યમાં 8.61 લાખ હેક્ટરમાં ઘાસચારાના પાકોનું વાવેતર થાય છે, જે અંદાજે કુલ ભૌગોલિક વિસ્તારના 4 % જેટલું છે. ઘાસચારા અંગેનું સંશોધનકાર્ય 1963માં ઘાસ સંશોધનયોજના હેઠળ વડોદરા ખાતે શરૂ કરવામાં આવેલ. આ યોજના 1970માં આણંદ ખાતે ખસેડવામાં આવી…

વધુ વાંચો >

ઘાસિયા જડાનો રોગ

ઘાસિયા જડાનો રોગ : સૂક્ષ્મ રસ(microplasm)થી શેરડીમાં થતો રોગ. તેનાથી રોગિષ્ઠ છોડની વૃદ્ધિ અટકી જાય છે અને તે નાના – વામણા રહી જાય છે. આવા છોડમાંથી પુષ્કળ પ્રમાણમાં વામણા પીલા નીકળે છે, જે કેટલીક વાર 50થી 60 જેટલા હોય છે. આને પરિણામે સમગ્ર શેરડીનું જડિયું ઘાસના ભોથા કે થૂમડા જેવું…

વધુ વાંચો >

ઘી

ઘી : માખણને તાવવાથી પ્રાપ્ત થતો ચરબીજ ખાદ્ય પદાર્થ. ખોરાક તરીકે વપરાશમાં લેવાતું ઘી ગાય કે ભેંશના દૂધમાંથી મેળવવામાં આવે છે. માખણને તાવવાથી તેમાંનું પાણી બાષ્પીભવનથી દૂર થતાં જે બગરી સિવાયનું ચોખ્ખું પ્રવાહી રહે છે તેને ઘી કહેવામાં આવે છે. ઘીને આ રીતે ભેજ અને જીવાણુમુક્ત કરવામાં આવે છે. ભારત…

વધુ વાંચો >

ઘુડખર

ઘુડખર : જુઓ ગધેડું.

વધુ વાંચો >

ઘુમરિયો પ્રવાહ (eddy current)

ઘુમરિયો પ્રવાહ (eddy current) : ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ધાતુ પરિભ્રમણ કરે અથવા તેને વર્તુળાકાર (circular) ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે ત્યારે તેમાં ઉદભવતો પ્રેરિત વિદ્યુતપ્રવાહ (induced current). ધાતુને ચુંબકીય ક્ષેત્રમાં ઘુમાવવામાં આવે અથવા ચુંબકીય ક્ષેત્ર ઘૂમતું હોય ત્યારે આવા વિદ્યુતપ્રવાહનું પ્રેરણ થતું હોવાથી તેને ઘુમરિયો પ્રવાહ કહે છે. તેનો ખ્યાલ નીચેના…

વધુ વાંચો >

ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)

Feb 1, 1994

ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…

વધુ વાંચો >

ગુજરાત (ઇતિહાસ)

Feb 2, 1994

ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…

વધુ વાંચો >

ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

Feb 3, 1994

ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…

વધુ વાંચો >

ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)

Feb 4, 1994

ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…

વધુ વાંચો >

ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)

Feb 5, 1994

ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

Feb 6, 1994

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગુજરાત (રમતગમત અને યુવાપ્રવૃત્તિથી પરિશિષ્ટ)

Feb 7, 1994

ગુજરાત રમતગમત અને યુવાપ્રવૃત્તિ રમતગમત પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી…

વધુ વાંચો >

ગુજરાત (પાક્ષિક)

Feb 8, 1994

ગુજરાત (પાક્ષિક) : ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું સામયિક. 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ સરકારની કામગીરી આમજનતા સુધી પહોંચે એ હેતુથી આ સામયિકનો પ્રારંભ થયેલો. આજે એ પાક્ષિક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. માહિતી કમિશનર આ સામયિકના તંત્રીની જવાબદારી સંભાળે છે. આથી આજ…

વધુ વાંચો >

ગુજરાત (માસિક)

Feb 8, 1994

ગુજરાત (માસિક) : મહદ્ અંશે સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું માસિક. એમાં અવારનવાર તત્કાલીન સામાજિક-રાજકીય વિગતો આમેજ થતી. વિ. સં. 1978ના ચૈત્ર અર્થાત્ ઈ. સ. 1922ના એપ્રિલ માસથી એ માસિક શરૂ થયું હતું. સાહિત્ય સંસદના મુખપત્ર રૂપે એ પ્રત્યેક માસની આખરે પ્રસિદ્ધ થતું. એના તંત્રી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી સાહિત્યના મોટા…

વધુ વાંચો >

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ

Feb 8, 1994

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા આર્થિક સમસ્યાઓ પ્રત્યે ચર્ચા-વિચારણા દ્વારા સભાનતા કેળવતી સંસ્થા. સ્થાપના 1969. ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. સી. એન. વકીલ તેના સ્થાપક પ્રમુખ હતા. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા પણ તેના પ્રમુખ ચૂંટાયા હતા. મંડળના ઉદ્દેશોમાં આર્થિક બાબતોને સ્પર્શતું સંશોધન કરવું, ચર્ચાસભાઓ, પરિષદો તથા ઓપ…

વધુ વાંચો >