ખંડ ૬(૨)

ગુજરાતથી ઘોળ

ઘનાકારો (solid shapes)

ઘનાકારો (solid shapes) : પ્રિઝમ, બહુફલક (polyhedron), પિરામિડ, શંકુ (cone), નળાકાર અને ગોલક (sphere) વગેરે નિયમિત (regular) અને અનિયમિત ઘન પદાર્થો. પ્રિઝમ : બે સમાંતર સમતલોમાં આવેલા અને સમસ્થિતિમાં હોય (similarly situated) તેવા એકરૂપ બહુકોણનાં અનુરૂપ શિરોબિંદુઓ(vertices)ને જોડવાથી બનતી ઘનાકૃતિ પ્રિઝમ છે. તેનાં અનુરૂપ શિરોબિંદુઓને જોડવાથી બનતી રેખાઓ સમાંતર હોય…

વધુ વાંચો >

ઘરઘંટી (વીજચાલિત)

ઘરઘંટી (વીજચાલિત) : અનાજ અથવા મસાલાને બારીક દળવાનું ગૃહઉપયોગી વીજળિક સાધન. શરૂઆતમાં માનવ જંગલમાંથી ફળફૂલ વગેરે વસ્તુઓ લાવીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતો. તે વસ્તુઓના ભાગ કરવા માટે અથવા તો તેને બારીક કરવા માટે પથ્થરનો ઉપયોગ કરતો અને પથ્થરથી તોડીને, દબાવીને અને કચડીને પોતાની જરૂરિયાત સંતોષતો. ત્યારબાદ મનુષ્યજાતિનો વિકાસ થતો…

વધુ વાંચો >

ઘરનો દીવો

ઘરનો દીવો : ત્રિઅંકી ગુજરાતી નાટક (1952). જૂની અને નવી રંગભૂમિના સેતુરૂપ મનાતા નાટ્યકાર પ્રાગજી ડોસા(1908)નું એક સફળ નાટક. એમાં તત્કાલીન આર્થિક પરિબળોમાં ગૂંચવાતાં, ગૂંગળાતાં પાત્રોનું ચિત્રણ છે અને નારીગૌરવનું યથાર્થ મૂલ્ય નિરૂપાયું છે. સમગ્ર નાટકમાં પ્રતીતિજનક, જીવંત અને ગંભીર કથાવસ્તુની સમાંતર નર્મ-મર્મનો પ્રવાહ નોંધપાત્ર છે. પ્રવીણ, હસમુખ, સુરેશ, પસાકાકા,…

વધુ વાંચો >

ઘરમાખી

ઘરમાખી : ચેપી રોગોનો ફેલાવો કરી માનવોને અત્યંત પરેશાન કરનાર, શ્રેણી દ્વિપક્ષ(diptera)ના musidae કુળનો કીટક. શાસ્ત્રીય નામ, Musca domestica. એ વિશ્વના દરેક દેશમાં જોવા મળતો અગત્યનો કીટક છે. માખીના વક્ષનો રંગ ભૂખરો અને પીળાશ પડતો હોય છે. તેના ઉપર ચાર કાળા પટ્ટા હોય છે. ઉદરપ્રદેશનો રંગ પીળાશ પડતો હોય છે.…

વધુ વાંચો >

ઘરાય

ઘરાય : મૈત્રકકાલીન વહીવટી વડું મથક. વલભીના મૈત્રક રાજા ધરસેન બીજા(લગભગ ઈ. સ. 570–595)ના નામના એક બનાવટી દાનશાસન(શક વર્ષ 400)નું બીજું પતરું મળ્યું છે, જે ખરેખર અનુ-મૈત્રક(ઈ. સ. 788–942) કાલના આરંભિક ભાગ દરમિયાન રાષ્ટ્રકૂટ દાનશાસનોના આધારે ઉપજાવાયું લાગે છે. એમાં ઘરાય વિષયનો ઉલ્લેખ આવે છે. આ વિષય(જિલ્લા)નું વડું મથક ઘરાય…

વધુ વાંચો >

ઘરેણાં

ઘરેણાં : ભારતીય સંસ્કૃતિમાં કલાસૌંદર્ય, ઉત્સવો અને પર્વો એકબીજાની હારોહાર ચાલ્યાં છે. લોકસમાજના વિકસતા જતા કલાપ્રેમે સૌષ્ઠવયુક્ત શણગારોને જન્મ આપ્યો છે. ‘પ્રવીણ-સાગર’ ગ્રંથમાં નારીનાં 12 આભરણ અને 16 શણગારનો ઉલ્લેખ છે. દેહને ભૂષિત કરે તે આભૂષણ. સંસ્કૃતમાં એને માટે ‘અલંકાર’, ‘આભૂષણ’, ‘ભૂષણ’, ‘શૃંગારક’ ઇત્યાદિ શબ્દો મળે છે. ગુજરાતી ભાષામાં ‘ઘરેણું’,…

વધુ વાંચો >

ઘરે ફેરાર દિન (1962)

ઘરે ફેરાર દિન (1962) : અમીય ચક્રવર્તી(જ. (1901)નો બંગાળી કાવ્યસંગ્રહ. તેને માટે એમને 1963નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ કૃતિનાં 72 કાવ્યો, એ યુરોપનું ભ્રમણ કરી આવ્યા તે પછી રચાયેલાં છે. એમનાં પ્રારંભિક કાવ્યોમાં રવીન્દ્રનાથના પ્રભાવને કારણે સૃષ્ટિનું રહસ્ય સમજવા માટે એમણે બાહ્ય ભૌતિક સૃષ્ટિને બદલે માનવીની…

વધુ વાંચો >

ઘરે બાહિરે (1919)

ઘરે બાહિરે (1919) : રવીન્દ્રનાથ ઠાકુરની બંગભંગ આંદોલનની ભૂમિકા પર રચાયેલી નવલકથા. બંગભંગ આંદોલનનો જે અંશ રવીન્દ્રનાથને અરુચિકર લાગ્યો તેનું એમાં નિરૂપણ થયું છે. નવલકથામાં ત્રણ મુખ્ય પાત્રો છે — સંદીપ, નિખિલ અને નિખિલની પત્ની વિમલા. બંગભંગ આંદોલનનું વરવું રૂપ એમણે સંદીપના પાત્ર દ્વારા આલેખ્યું છે. એ બંગભંગના આંદોલનનો ઉપયોગ…

વધુ વાંચો >

ઘર્ષણક્રિયા (abrasion)

ઘર્ષણક્રિયા (abrasion) : નદીજળ દ્વારા થતી વહનક્રિયામાં ખનિજકણોની પરસ્પર ભૌતિક અથડામણથી થતો ઘસારો. આ પ્રકારના પરિબળથી કણોના પરિમાણમાં ક્રમશ: ઘટાડો થતો જાય છે, કણો ગોળાકાર બને છે અને ક્યારેક તેમનું ચૂર્ણમાં રૂપાંતર પણ થાય છે. પવન દ્વારા વેગથી ઊડી આવતા કણો જ્યારે આ જ રીતે પરસ્પર અથડાઈને ઘસાય ત્યારે તે…

વધુ વાંચો >

ઘર્ષણાદિ વિદ્યા (tribology)

ઘર્ષણાદિ વિદ્યા (tribology) : સરકતી સપાટીઓ(sliding surfaces)ની વચ્ચે થતી પારસ્પરિક ક્રિયાનો અભ્યાસ. તેમાં ઘર્ષણ(friction), નિઘર્ષણ (wear) અને ઊંજણ(lubrication) – એ ત્રણ વિષયોનો સમાવેશ થાય છે. ઘર્ષણનો અભ્યાસ ભૌતિકશાસ્ત્ર અથવા યાંત્રિક ઇજનેરીમાં કરવામાં આવે છે, નિઘર્ષણનો અભ્યાસ ધાતુક્રિયા (metallurgy) એટલે કે દ્રવ્યવિજ્ઞાન(material science)માં સમાવિષ્ટ છે અને ઊંજણ રસાયણશાસ્ત્રનો વિષય છે. આથી…

વધુ વાંચો >

ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)

Feb 1, 1994

ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…

વધુ વાંચો >

ગુજરાત (ઇતિહાસ)

Feb 2, 1994

ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…

વધુ વાંચો >

ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

Feb 3, 1994

ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…

વધુ વાંચો >

ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)

Feb 4, 1994

ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…

વધુ વાંચો >

ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)

Feb 5, 1994

ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

Feb 6, 1994

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગુજરાત (રમતગમત અને યુવાપ્રવૃત્તિથી પરિશિષ્ટ)

Feb 7, 1994

ગુજરાત રમતગમત અને યુવાપ્રવૃત્તિ રમતગમત પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી…

વધુ વાંચો >

ગુજરાત (પાક્ષિક)

Feb 8, 1994

ગુજરાત (પાક્ષિક) : ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું સામયિક. 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ સરકારની કામગીરી આમજનતા સુધી પહોંચે એ હેતુથી આ સામયિકનો પ્રારંભ થયેલો. આજે એ પાક્ષિક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. માહિતી કમિશનર આ સામયિકના તંત્રીની જવાબદારી સંભાળે છે. આથી આજ…

વધુ વાંચો >

ગુજરાત (માસિક)

Feb 8, 1994

ગુજરાત (માસિક) : મહદ્ અંશે સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું માસિક. એમાં અવારનવાર તત્કાલીન સામાજિક-રાજકીય વિગતો આમેજ થતી. વિ. સં. 1978ના ચૈત્ર અર્થાત્ ઈ. સ. 1922ના એપ્રિલ માસથી એ માસિક શરૂ થયું હતું. સાહિત્ય સંસદના મુખપત્ર રૂપે એ પ્રત્યેક માસની આખરે પ્રસિદ્ધ થતું. એના તંત્રી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી સાહિત્યના મોટા…

વધુ વાંચો >

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ

Feb 8, 1994

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા આર્થિક સમસ્યાઓ પ્રત્યે ચર્ચા-વિચારણા દ્વારા સભાનતા કેળવતી સંસ્થા. સ્થાપના 1969. ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. સી. એન. વકીલ તેના સ્થાપક પ્રમુખ હતા. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા પણ તેના પ્રમુખ ચૂંટાયા હતા. મંડળના ઉદ્દેશોમાં આર્થિક બાબતોને સ્પર્શતું સંશોધન કરવું, ચર્ચાસભાઓ, પરિષદો તથા ઓપ…

વધુ વાંચો >