ખંડ ૬(૨)
ગુજરાતથી ઘોળ
ગૌહર, ગુલામનબી
ગૌહર, ગુલામનબી (જ. 26 જૂન 1934, ચરારી શેરીફ, કાશ્મીર; અ. 19 જૂન 2018, બડગાંવ, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી સાહિત્યકાર. આ લેખકની ‘પુન તે પાપ’ નામની કૃતિને ભારતીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ફારસી સાહિત્યમાં એમ. એ.ની ડિગ્રી મેળવવા ઉપરાંત તેમણે પછી એલએલ.બી.ની ડિગ્રી પણ…
વધુ વાંચો >ગૌહર, ગુલામ મોહિઉદ્દીન
ગૌહર, ગુલામ મોહિઉદ્દીન (જ. 1940, સોપોર, કાશ્મીર; અ. 1994) : કાશ્મીરી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘રિખ:’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે મૅટ્રિક થયા બાદ ઉર્દૂમાં ઑનર્સ કર્યું. પબ્લિક સ્કૂલમાં અધ્યાપક થયા પછી વકીલના સહાયક બન્યા. ત્યારબાદ તેમણે સ્વતંત્ર લેખન શરૂ કર્યું. તેઓ કલ્ચરલ ફોરમ,…
વધુ વાંચો >ગૌહરજાન
ગૌહરજાન (જ. 1870, આઝમગઢ; અ. 17 જાન્યુઆરી 1930, મૈસૂર) : ભારતનાં વિખ્યાત શાસ્ત્રીય ગાયિકા. મૂળ એ ઉત્તર પ્રદેશના લખનૌના રહેવાસી હતાં. આર્મેનિયન માતા-પિતાનાં સંતાન. તેમણે સંગીતનું શિક્ષણ રામપુરના ઉસ્તાદ નઝીરખાં તથા પ્યારેસાહેબ પાસેથી ગ્રહણ કર્યું હતું. રિયાઝ અને લગનીના બળે ઉત્તરોત્તર સફળતા પ્રાપ્ત થતી ગઈ. તરુણાવસ્થામાં ગૌહરજાન થોડા સમય માટે…
વધુ વાંચો >ગ્મેલિન લિયો પોલ્ડ (ગુહ-મેલિન)
ગ્મેલિન લિયો પોલ્ડ (ગુહ-મેલિન) (જ. 2 ઑગસ્ટ 1788, ગોટિંજન, જર્મની; અ. 13 એપ્રિલ 1853, હાઇડલબર્ગ, જર્મની) : જર્મન રસાયણશાસ્ત્રી. હાઇડલબર્ગના રસાયણ તથા ઔષધવિજ્ઞાન-(medicine)ના પ્રાધ્યાપક. તેમણે પોટૅશિયમ ફેરિસાઇનાઇડ નામનું અકાર્બનિક લવણ સૌપ્રથમ શોધ્યું હતું. આ ઉપરાંત ખનિજશાસ્ત્ર ઉપર પણ તેમણે લેખો લખ્યા છે. વળી તેમણે પાચનક્રિયા, પિત્તાશય, (gall bladder) તથા રક્ત…
વધુ વાંચો >ગ્રસન (swallowing)
ગ્રસન (swallowing) : ખોરાક તથા પાણીને મોંમાંથી જઠરમાં પહોંચાડવાની ક્રિયા. તેને અંગ્રેજીમાં શાસ્ત્રીય રીતે deglutition કહે છે. આ પ્રક્રિયામાં મોં, ગળું તથા અન્નનળી ભાગ લે છે અને તેને લાળ તથા શ્લેષ્મ (mucus) વડે સરળ બનાવાય છે. તેના ત્રણ તબક્કા વર્ણવવામાં આવેલા છે : (1) ઐચ્છિક તબક્કો, (2) ગ્રસની અથવા ગળા(pharynx)નો…
વધુ વાંચો >ગ્રહ
ગ્રહ : કેન્દ્રસ્થ તારકની આસપાસ પ્રદક્ષિણા ફરતો સ્વપ્રકાશહીન, મોટો વ્યાસ ધરાવનારો ગણનાપાત્ર ખગોલીય પિંડ. ગ્રહ તારક પાર્શ્વભૂની સાપેક્ષમાં ફરતો દેખાય છે એના પરથી એનું અંગ્રેજીમાં નામ ‘પ્લૅનિટ’ planet એટલે ભટકનાર (wanderer) પડ્યું છે. અત્યારે સાંપડતા નિર્દેશ જણાવે છે કે આપણા પાડોશી તારકોમાં કેટલાયને ગ્રહમાળા છે. ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં સોમ (ચંદ્ર), બુધ,…
વધુ વાંચો >ગ્રહ ‘એક્સ’ :
ગ્રહ ‘એક્સ’ : સૂર્યમંડળના આઠમા ગ્રહ નેપ્ચૂનની કક્ષા કરતાં આગળ આવેલો અપેક્ષિત ગ્રહ. વીસમી સદીના પ્રારંભે અમેરિકન ખગોળશાસ્ત્રી પર્સિવલ લોવેલે, યુરેનસ ગ્રહની કક્ષામાં થતા સૂક્ષ્મ ફેરફારોને આધારે ગણતરી કરીને, એવું અનુમાન કર્યું હતું કે સૂર્યમંડળના આઠમા ગ્રહ નેપ્ચૂનની કક્ષાથી આગળ પણ એક ગ્રહ હોવો જોઈએ, અને આ અપેક્ષિત ગ્રહને, તેણે…
વધુ વાંચો >ગ્રહકણિકા (planetoid)
ગ્રહકણિકા (planetoid) : જેમનું સૂર્યપ્રદક્ષિણા-ક્ષેત્ર મુખ્યત્વે કરીને મંગળ અને ગુરુ(ગ્રહો)ની ભ્રમણકક્ષા વચ્ચે આવેલું છે તેવા આપણા સૂર્યમંડળના નાના સભ્યો. તેમને લઘુગ્રહ (minor planets, asteroids) પણ કહે છે. તે પૈકીના લગભગ 90 ટકા જેટલાનું સૂર્યથી સરેરાશ અંતર 2.2 અને 3.3 AUની વચ્ચે છે. 1 કિમી. કરતાં મોટો વ્યાસ ધરાવતા લઘુગ્રહોની કુલ…
વધુ વાંચો >ગ્રહણ
ગ્રહણ : ખગોલીય પિંડના તેજનું અન્ય ખગોલીય પિંડ દ્વારા આંશિક કે પૂર્ણતયા કપાઈ જવું. સૂર્ય જેવા જ્યોતિની સામે સ્વતેજવિહીન અપારદર્શક ગ્રહ કે ઉપગ્રહ આવે તો તેના પડછાયામાંથી જોનારને જ્યોતિબિંબનું તેજ ઓછું થતું અથવા ઢંકાઈ જતું દેખાય છે. સૂર્ય-પૃથ્વી રેખામાં ચંદ્ર આવે ત્યારે આપણી ર્દષ્ટિરેખામાં આવી પહોંચેલા ચંદ્રબિંબને કારણે, સૂર્યગ્રહણ થાય…
વધુ વાંચો >ગ્રહણકારી તારાઓ
ગ્રહણકારી તારાઓ (eclipsing binaries) : યુગ્મતારાઓ(binary stars)નો એક પ્રકાર. અવકાશમાં આવેલા કરોડો તારા પૈકીના ઘણાબધા સૂર્ય જેવા એકલ (single) તારાઓ છે, જ્યારે ઘણાબધા બે કે તેથી વધુના જૂથમાં એકબીજાના ગુરુત્વાકર્ષણના પ્રભાવ નીચે ઘૂમતા હોય છે. આવા તારાઓમાં બે તારાઓના જોડકાવાળા યુગલ કે યુગ્મતારા અગત્યના છે. આ પ્રકારના બન્ને તારાઓ તેમના…
વધુ વાંચો >ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)
ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…
વધુ વાંચો >ગુજરાત (ઇતિહાસ)
ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…
વધુ વાંચો >ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)
ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું. તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…
વધુ વાંચો >ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)
ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…
વધુ વાંચો >ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)
ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…
વધુ વાંચો >ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)
ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…
વધુ વાંચો >ગુજરાત (રમતગમત અને યુવાપ્રવૃત્તિથી પરિશિષ્ટ)
ગુજરાત રમતગમત અને યુવાપ્રવૃત્તિ રમતગમત પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી…
વધુ વાંચો >ગુજરાત (પાક્ષિક)
ગુજરાત (પાક્ષિક) : ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું સામયિક. 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ સરકારની કામગીરી આમજનતા સુધી પહોંચે એ હેતુથી આ સામયિકનો પ્રારંભ થયેલો. આજે એ પાક્ષિક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. માહિતી કમિશનર આ સામયિકના તંત્રીની જવાબદારી સંભાળે છે. આથી આજ…
વધુ વાંચો >ગુજરાત (માસિક)
ગુજરાત (માસિક) : મહદ્ અંશે સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું માસિક. એમાં અવારનવાર તત્કાલીન સામાજિક-રાજકીય વિગતો આમેજ થતી. વિ. સં. 1978ના ચૈત્ર અર્થાત્ ઈ. સ. 1922ના એપ્રિલ માસથી એ માસિક શરૂ થયું હતું. સાહિત્ય સંસદના મુખપત્ર રૂપે એ પ્રત્યેક માસની આખરે પ્રસિદ્ધ થતું. એના તંત્રી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી સાહિત્યના મોટા…
વધુ વાંચો >ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ
ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા આર્થિક સમસ્યાઓ પ્રત્યે ચર્ચા-વિચારણા દ્વારા સભાનતા કેળવતી સંસ્થા. સ્થાપના 1969. ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. સી. એન. વકીલ તેના સ્થાપક પ્રમુખ હતા. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા પણ તેના પ્રમુખ ચૂંટાયા હતા. મંડળના ઉદ્દેશોમાં આર્થિક બાબતોને સ્પર્શતું સંશોધન કરવું, ચર્ચાસભાઓ, પરિષદો તથા ઓપ…
વધુ વાંચો >