ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

આદિવિષ્ણુ

આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

આધમખાન (આઝમખાન) ( જ. 1531 કાબુલ, અફઘાનિસ્તાન; અ. 16 મે 1562 આગ્રા ફોર્ટ) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, નાલંદા

Jan 8, 1990

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, નાલંદા (બિહાર; સ્થાપના 1917) : પુરાતત્વીય ઉત્ખનનમાંથી મળેલા અવશેષોનો સંગ્રહ. મગધના પ્રાચીન પાટનગર રાજગૃહ તથા તેના ઉપનગર નાલંદા, બોધિગયા, દિનાજપુર અને આસપાસનાં અન્ય સ્થળોએ કરેલ ઉત્ખનનમાંથી મળી આવેલાં સંખ્યાબંધ પાષાણશિલ્પો અને ધાતુશિલ્પો અહીં પ્રદર્શિત કરાયાં છે. માટીની પકવેલી શિલ્પકૃતિઓ (terracotta), મૃત્પાત્રો, વિવિધ સિક્કાઓ અને મુદ્રાઓ મુખ્ય વિભાગમાં સચવાયાં…

વધુ વાંચો >

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, સારનાથ

Jan 8, 1990

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, સારનાથ (ઉત્તર પ્રદેશ; સ્થાપના 1910) : મૌર્ય કાળ(ઈ. પૂ. બીજી સદીથી તેરમી સદી)ની શિલ્પકૃતિઓ અને હાથકારીગરીનો વિપુલ સંગ્રહ. આ મ્યુઝિયમમાં વારાણસી પાસે આવેલા સારનાથના બૌદ્ધ વિહારોના ઉત્ખનનમાંથી મળી આવેલ બારમી સદી સુધીનાં પાષાણશિલ્પો, માટીની પક્વ શિલ્પકૃતિઓ, મૃત્પાત્રો, તકતીલેખો અને મુદ્રાઓ પ્રદર્શિત કરાયાં છે. આ મ્યુઝિયમમાં સ્વતંત્ર ભારતના રાષ્ટ્રપ્રતીક…

વધુ વાંચો >

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, સાંચી

Jan 8, 1990

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, સાંચી (મધ્યપ્રદેશ) (સ્થાપના 1919) : ઈ. પૂ. ત્રીજી સદીથી તેરમી સદીની શિલ્પકલાકૃતિઓની વિપુલ સંખ્યા ધરાવતું સંગ્રહાલયય. સાંચીની ટેકરીઓ પરનાં સ્તૂપો, મંદિરો અને વિહારોના સર જૉન માર્શલે કરેલ ઉત્ખનન અને શોધતપાસમાંથી મળી આવેલ પુરાવશેષોનો સંગ્રહ આ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયો છે. સાંચીના સ્તૂપ-એક અને બેની શિલ્પકળાનાં તોરણો વિશ્વમાં અજોડ છે.…

વધુ વાંચો >

આર્કેડિયા, ધી

Jan 8, 1990

આર્કેડિયા, ધી (1590) : અંગ્રેજી અદભુતરસિક પ્રણયકથા. લેખક સર ફિલિપ સિડની. દક્ષિણ ગ્રીસના ડુંગરાળ પ્રદેશના સંપન્ન ભરવાડોની આ કથા બહુધા ગદ્યમાં અને પ્રસંગોચિત વિવિધ પદ્યરચનાઓ અને ગોપકાવ્યોથી અલંકૃત છે. ‘ધી ઓલ્ડ આર્કેડિયા’ અને ‘ધ ન્યૂ આર્કેડિયા’ એમ બે નામે તે પ્રસિદ્ધ છે. ‘ધી ઓલ્ડ આર્કેડિયા’ 1912માં સિડનીના સમગ્ર સાહિત્યના ગ્રંથોમાં…

વધુ વાંચો >

આર્કોઝ

Jan 8, 1990

આર્કોઝ (Arkose) : ફેલ્સ્પારયુક્ત રેતીખડક. ઉત્પત્તિ-જળકૃત, કણજન્ય. ક્વાર્ટ્ઝ ઉપરાંત 25 % કે તેથી વધુ (નોંધપાત્ર પ્રમાણમાં) ફેલ્સ્પારના કણ ધરાવતો રેતીખડક. તે ગ્રૅનિટૉઇડ (ગ્રૅનૉઇટિક) કણરચનાવાળા એસિડિક-અગ્નિકૃત ખડકોની વિભંજન-પેદાશમાંથી બનેલો હોય છે; જો 25 %થી ઓછું ફેલ્સ્પાર પ્રમાણ હોય તો તેને ફેલ્સ્પેથિક રેતીખડક કહે છે. રેતીખડકનો આ એક નામસંસ્કરણ પામેલો પ્રકારભેદ જ…

વધુ વાંચો >

આર્કોન

Jan 8, 1990

આર્કોન : પ્રાચીન ગ્રીસના નગરરાજ્યનો ઉચ્ચ વહીવટી અધિકારી. તેના ઉદભવ અને વિકાસ અંગે ચોક્કસ અને નિર્ણીત મંતવ્ય આપવું મુશ્કેલ છે. ઍથેન્સના ઉમરાવશાહી યુગમાં ઈ. પૂ. આઠમી સદીમાં વારસાગત રાજાશાહી ઉપર અંકુશ રાખવાના હેતુથી આ હોદ્દો અસ્તિત્વમાં આવ્યો હશે તેમ મનાય છે. શરૂઆતમાં આર્કોનની નિયુક્તિ જીવન પર્યંતની થતી. ઈ. પૂ. 752થી…

વધુ વાંચો >

આર્ગોન

Jan 8, 1990

આર્ગોન (Argon, Ar) : આવર્ત કોષ્ટકના 18મા (અગાઉના શૂન્ય) સમૂહનું એક પરમાણુક (monatomic) વાયુસ્વરૂપ રાસાયણિક તત્વ. પ. ક્રમાંક 18, પ. ભાર 39.95. ઇલેક્ટ્રૉન વિન્યાસ [Ne]3s23p6. હવાનો 1/120 ભાગ તદ્દન નિષ્ક્રિય ઘટક છે તેમ કૅવેન્ડિશે (1785) દર્શાવ્યું હતું. વાતાવરણમાંનો નાઇટ્રોજન રાસાયણિક પદાર્થોમાંથી મેળવેલ નાઇટ્રોજન કરતાં આશરે 0.5 ટકા ભારે હોવાનું કારણ કોઈ…

વધુ વાંચો >

આર્ગૉસ

Jan 8, 1990

આર્ગૉસ : દક્ષિણ ગ્રીસમાં પેલોપોનેસસના નામથી ઓળખાતા પ્રદેશમાં આવેલું નગર. ગ્રીસના જૂનામાં જૂના શહેર તરીકે તે જાણીતું છે. હોમરના ઇલિયડમાં આર્ગીવ્ઝના મેદાનમાં આવેલી બધી વસાહતો આર્ગૉસના નામથી ઓળખાતી બતાવી છે. આ નગરને મુખ્ય મથક તરીકે રાખી, ડોરિયનોએ પેલોપોનેસસના પ્રદેશ ઉપર પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું. ઈ. પૂ. સાતમી સદીમાં આર્ગૉસના રાજા ફેઇડનના…

વધુ વાંચો >

આર્ચ

Jan 8, 1990

આર્ચ : જુઓ કમાન; તોરણ

વધુ વાંચો >

આર્ચબિશપ

Jan 8, 1990

આર્ચબિશપ : ખ્રિસ્તી દેવળમાં પ્રાંતના અન્ય બિશપોથી અધિક કાર્યક્ષેત્ર ધરાવતા ધર્માધ્યક્ષ. ચોથી સદીમાં પૂર્વીય દેવળમાં કેટલાક બિશપોને સન્માન રૂપે આર્ચબિશપનું પદ અપાતું. પશ્ચિમના દેવળમાં સાતમી સદી સુધી આ પદ બહુ ઓછું જાણીતું હતું, પણ પછી અન્ય બિશપો કરતાં પોતાની શ્રેષ્ઠતા જમાવવા શહેરી બિશપોએ આર્ચબિશપનું પદ ધારણ કરવા માંડેલું. સોળમી સદીમાં…

વધુ વાંચો >