ખંડ ૨
આદિવિષ્ણુથી ઈલાઇટિસ
ઇકેડા હાયાટો
ઇકેડા હાયાટો (જ. 3 ડિસેમ્બર 1899, તાકેહારા, જાપાન; અ. 13 ઑગસ્ટ 1965, ટોક્યો, જાપાન) : જાપાનના વડાપ્રધાન તથા બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં દેશના આર્થિક પુનરુત્થાનના પ્રણેતા. ઇકેડાએ ઇમ્પીરિયલ યુનિવર્સિટી લૉ સ્કૂલમાંથી 1925માં સ્નાતક પદવી પ્રાપ્ત કરીને દેશના નાણાખાતામાં કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી નાણાખાતાના ઉપમંત્રીપદે કામ કર્યું. 1949ની સામાન્ય ચૂંટણીમાં…
વધુ વાંચો >ઇકેબાના
ઇકેબાના (Ikebana) : જીવંત પુષ્પો ગોઠવવાની વિશિષ્ટ પ્રકારની કળા. આ શબ્દ મૂળ જાપાની ભાષાનો છે, આ ગોઠવણીમાં પુષ્પો કે પુષ્પગુચ્છોના ત્રણ સ્પષ્ટ સ્તર પ્રયોજવામાં આવે છે : સૌથી ઉપરનો સ્તર સ્વર્ગનો, વચલો સ્તર પૃથ્વીનો અને નીચલો સ્તર નરકનો સૂચક ગણાય છે. એ સ્તરોની ગોઠવણીમાં એક બાજુ સ્વર્ગ, તેની પછી પૃથ્વી…
વધુ વાંચો >ઇક્ટિનસ
ઇક્ટિનસ (Ictinus) (ઈ. સ. પૂ. પાંચમી સદી) : ગ્રીસના પેરિક્લિસ યુગનો ઇજનેર અને સુપ્રસિદ્ધ સ્થપતિ. ઈરાની શહેનશાહ ઝર્કસિસે એથેન્સને ખંડેર બનાવી દીધું. તે પછી પેરિક્લિસે એથેન્સનું નગરઆયોજનનું કાર્ય તેને સોંપ્યું હતું. તેણે ભવ્ય મંદિરો, મહાલયો અને નાટ્યઘરોનું નિર્માણ કરીને એથેન્સને પુન: શણગાર્યું. એક્રોપોલિસની ટેકરી પર આવેલા પાર્થેનોનના મંદિરનો અને સૌંદર્યની…
વધુ વાંચો >ઇક્વસ
ઇક્વસ (1974) : બ્રિટિશ નાટ્યકાર પીટર શેફરનું પ્રસિદ્ધ નાટક. એક ભ્રમિત ચિત્તવાળા જુવાને ઘોડાના તબેલામાં કરેલા ગુનાથી ન્યાયાધીશોની બેન્ચને આઘાત થયેલો એટલી એક મિત્રે કહેલી વાત પરથી લેખકે આ નાટકના વસ્તુની ગૂંથણી કરી છે. એક અઢારેક વર્ષના છોકરાએ તબેલામાં બાંધેલા તમામ ઘોડાની આંખો ફોડી નાખી હતી. તેનો કૉર્ટમાં મુકદ્દમો ચાલતાં…
વધુ વાંચો >ઇક્વિસિટેલ્સ
ઇક્વિસિટેલ્સ : ત્રિઅંગી વનસ્પતિઓના સ્ફિનોપ્સિડા વર્ગનું એક ગોત્ર. આ ગોત્રમાં ત્રણ કુળ સમાવવામાં આવ્યાં છે : (1) ઍસ્ટરોકૅલેમાઇટેસી, (2) કૅલેમાઇટેસી અને (3) ઇક્વિસિટેસી. ઍસ્ટરોકૅલેમાઇટેસી અને કૅલેમાઇટેસીને કેટલીક વાર અલગ ગોત્ર કૅલેમાઇટેલ્સમાં મૂકવામાં આવે છે; પરંતુ આ બંને કુળ ઇક્વિસિટેસી સાથે અંત:સ્થ રચનાશાસ્ત્ર (anatomy) અને બાહ્યાકારવિદ્યા-(morphology)ની ર્દષ્ટિએ એટલી ગાઢ રીતે સંકળાયેલાં…
વધુ વાંચો >ઇક્વેટોરિયલ ગિની
ઇક્વેટોરિયલ ગિની : મધ્ય આફ્રિકાના પશ્ચિમ કિનારે ગિનીના અખાતમાં આવેલા કેટલાક ટાપુઓનો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : 20 00´ ઉ. અ. અને 90 00´ પૂ. રે.. દેશની મુખ્ય નદીના નામ પરથી મુખ્ય પ્રદેશ રિઓ મુની અથવા મ્બિની(mbini)નામે ઓળખાય છે. ઇક્વેટોરિયલ ગિનીનો વિસ્તાર 28,051 ચોકિમી. છે. તેમાંથી 2,034 ચોકિમી.માં બિયોકો અને…
વધુ વાંચો >ઇક્વેડૉર
ઇક્વેડૉર (Republic of Ecuador) : દક્ષિણ અમેરિકાના નાના દેશોમાં ચોથા ક્રમે આવતો દેશ. ભૌ. સ્થા. : 20 00´ દ. અ. અને 770 30´ પ. રે. વિસ્તાર આશરે 2,83,561 ચોકિમી. ઉત્તરમાં કોલંબિયા તથા પૂર્વ અને દક્ષિણમાં પેરુ દેશો આવેલા છે. વિષુવવૃત્તીય આબોહવા, ક્વિટોનું જાન્યુઆરીનું તાપમાન 150 સે. અને જુલાઈનું 140. વાર્ષિક…
વધુ વાંચો >ઇક્ષ્વાકુ વંશ
ઇક્ષ્વાકુ વંશ : જુઓ આંધ્રભૃત્યો.
વધુ વાંચો >ઇગપ્પિ હેગ્ગડેય વિવાહપ્રહસન
ઇગપ્પિ હેગ્ગડેય વિવાહપ્રહસન (1887) : વિખ્યાત કન્નડ નાટ્યકાર વેંકટરમણ શાસ્ત્રી ઉર્ફે વિઘ્નેશ્વર શાસ્ત્રીસૂરિ(1852-1892)રચિત ‘ઇગપ્પિ હેગ્ગડેય વિવાહપ્રહસન’. કન્નડ ભાષાનું તે કજોડાને લગતું પ્રથમ નાટક છે. કન્નડની કાવ્યક બોલીમાં તે લખાયેલું છે. એમાં કન્યાવિક્રય પર લેખકે કટાક્ષ કર્યો છે. વિષય ગંભીર હોવા છતાં કન્યાવિક્રય કરનાર માબાપ પોતે જ પોતાની જાળમાં કેવાં ફસાય…
વધુ વાંચો >આદિવિષ્ણુ
આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય
આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)
આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…
વધુ વાંચો >આદીશ્વર મંદિર, શત્રુંજય
આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…
વધુ વાંચો >આદું
આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…
વધુ વાંચો >આદ્ય તારકપિંડ
આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…
વધુ વાંચો >આદ્ય રંગાચાર્ય
આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…
વધુ વાંચો >આધ ચાનની (ચાંદની) રાત
આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…
વધુ વાંચો >આધમગઢ (આઝમગઢ)
આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…
વધુ વાંચો >