૨.૦૫

આમોણકર, કિશોરીથી આયાતપેઢી

આયંગર, એસ. કસ્તુરી

આયંગર, એસ. કસ્તુરી (જ. 15  ડિસેમ્બર 1859 ; અ. 12 ડિસેમ્બર 1923 ) : ‘હિન્દુ’ દૈનિકના પૂર્વ તંત્રી. અડગ નિશ્ચયબળ, ધૈર્ય અને દેશદાઝથી ‘હિન્દુ’ને દેશનું એક અગ્રણી દૈનિક બનાવ્યું. એ દિવસોમાં રાજકીય જાગૃતિનો હજી પ્રારંભકાળ હતો અને વિદેશી હકૂમત અનેક રીતે અખબારોને અંકુશમાં લેવાના પ્રયત્નો કરતી ત્યારે તેમણે અખબારોને આર્થિક…

વધુ વાંચો >

આયંગર, ગોરુરુ રામસ્વામી

આયંગર, ગોરુરુ રામસ્વામી (જ. 1904 , ગોરુરુ, તાલુકો હસન, કર્ણાટક; અ. 1991 ) : અગ્રગણ્ય કન્નડ વિવેચક, નવલકથાકાર, વાર્તાકાર અને જીવનચરિત્રલેખક. 17 વર્ષની વયે અભ્યાસ છોડી અમદાવાદ આવી સ્વાતંત્ર્ય-આંદોલનમાં ભાગ લીધો. તે અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને ગાંધીજી સાથે ઘણી મુસાફરી કરી. તેમણે મૈસૂર રાજ્યમાં ખાદી વસ્ત્રાલય ગ્રામોદ્યોગ સંઘની સ્થાપનામાં…

વધુ વાંચો >

આયંગર, માસ્તિ વ્યંકટેશ, ’શ્રીનિવાસ’

આયંગર, માસ્તિ વ્યંકટેશ, ’શ્રીનિવાસ’ (જ. 6 જૂન 1891, માસ્તિગૉવ, મૈસૂર; અ. 6  જૂન 1986) : કન્નડ વાર્તાના જનક, કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. શાળામાં ભણતા હતા ત્યારથી જ લેખનપ્રવૃત્તિ શરૂ કરેલી. કૉલેજમાં ગયા પછી પણ કૉલેજના સામયિક ઉપરાંત કન્નડનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પણ તેમની કવિતા, વાર્તાઓ તથા નિબંધો પ્રગટ થતાં રહેલાં.…

વધુ વાંચો >

આયંગર, શેષાદ્રિ શ્રીનિવાસ

આયંગર, શેષાદ્રિ શ્રીનિવાસ (જ. 1874 ; અ. 1941 ) : દક્ષિણ ભારતના એક રાષ્ટ્રવાદી નેતા. પિતા રામનાથપુરમના જમીનદાર. મદુરાઈ અને ચેન્નાઈમાં શિક્ષણ લીધું. 1895માં પ્રેસિડેંસી કૉલેજ, ચેન્નાઈમાંથી કાયદાના સ્નાતક બન્યા. 1898થી વકીલાત શરૂ કર્યા બાદ 1920માં ઍડવોકેટ જનરલની જગ્યાનું રાજીનામું. રાજકારણમાં પ્રવેશ બાદ 1926માં ગુવાહાટી કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ થયા. સરકારે…

વધુ વાંચો >

આયંગર, સુષમા

આયંગર, સુષમા (જ. 9 જૂન 1963 વડોદરા) : કચ્છની મહિલાઓના વિકાસ અને સશક્તીકરણ માટે સમર્પિત સમાજસેવિકા. વડોદરા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક થઈ અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી એમ.એસ.ની પદવી મેળવી. કારકિર્દીના આરંભે કયું ક્ષેત્ર હાથ ધરવું તેની વિમાસણમાં હતાં ત્યારે મહિલાસેવાની તીવ્ર આંતરિક ઇચ્છાશક્તિથી પ્રેરાઈ સામાજિક ક્ષેત્રે કામની શરૂઆત કરી. આ માટે તેમણે હસ્તકૌશલ્યમાં…

વધુ વાંચો >

આયાત

આયાત : દેશના વપરાશ માટે પરદેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુ મંગાવવી તે. આંતરિક વપરાશને પહોંચી વળવા માટે જ્યારે કોઈ દેશ વિદેશમાં બનેલી વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત કરે છે ત્યારે ખરીદનાર દેશમાં દાખલ થતી આવી વસ્તુઓ કે સેવાઓમાં તે દેશની આયાત બને છે. આયાત અને નિકાસ આ બે આંતરરાષ્ટ્રીય વ્યાપારનાં અનિવાર્ય પાસાં…

વધુ વાંચો >

આયાત અવેજીકરણ

આયાત અવેજીકરણ : જુઓ આયાતનીતિ, ભારતની

વધુ વાંચો >

આયાતનીતિ ભારતની

આયાતનીતિ, ભારતની : પરદેશમાં ઉત્પન્ન થયેલ વસ્તુઓની દેશની વપરાશ માટે આયાત કરવા અંગેની ભારત સરકારની નીતિ. આઝાદી પછી અને ખાસ કરીને આયોજનની શરૂઆતથી ભારતની આયાતો પર વિવિધ સ્વરૂપે નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. આયાતનીતિ તરીકે રજૂ થતાં એ બધાં નિયંત્રણોની પાછળના ઉદ્દેશો નીચે પ્રમાણે હતા : (1) આયાતો સાપેક્ષ રીતે ઘટાડવી,…

વધુ વાંચો >

આયાતપત્ર

આયાતપત્ર (Bill of Entry) : આયાત-વ્યાપારની પ્રક્રિયાના મહત્વના અંગ રૂપે આયાત-જકાતની વિધિમાંથી આયાત-માલને પસાર કરાવવા માટેનો દસ્તાવેજ. આયાત-પત્ર એક જાહેરાતના સ્વરૂપમાં હોય છે અને તેમાં આયાત-માલ અંગેની વિગતવાર માહિતી-માલનું વર્ણન, જથ્થો, મૂલ્ય, નિકાસકારનું નામ તથા સરનામું, જહાજનું નામ વગેરે દર્શાવવાનાં હોય છે. સામાન્ય રીતે તેની ત્રણ નકલો તૈયાર કરવાની હોય…

વધુ વાંચો >

આયાતપેઢી

આયાતપેઢી (Indent House) : સ્થાનિક આયાતકારોને વિદેશોમાંથી આયાતમાલ મેળવી આપવાની સેવાઓ પૂરી પાડતી પ્રતિનિધિ પેઢી. આયાતપેઢી એક દેશના આયાતકારો પાસેથી આયાતમાલ અંગેની વરદી (ઑર્ડર) એકત્રિત કરે છે. તેમાં આયાતમાલનું સંપૂર્ણ વિગતવાર વર્ણન-જથ્થો, કિંમત, ચુકવણીની શરતો, પૅકિંગ, માર્કિગ, વહન સંબંધી સૂચના, વીમા-વ્યવસ્થા, આયાત-બંદર, આયાતનો સમય વગેરે માહિતીનો સમાવેશ થાય છે. એ…

વધુ વાંચો >

આમોણકર, કિશોરી

Jan 5, 1990

આમોણકર, કિશોરી (જ. 10 એપ્રિલ 1931, મુંબઈ; અ. 3 એપ્રિલ 2017, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જયપુર ઘરાનાની વિખ્યાત ગાયિકા. ખયાલ-ગાયકીનાં સિદ્ધહસ્ત કલાકારોમાં તેમની ગણના કરવામાં આવે છે. તેમણે સંગીતની શિક્ષા નાનપણથી પોતાની માતા મોગુબાઈ કુર્ડીકર પાસેથી લીધી હતી. મોગુબાઈ ભારતનાં વિખ્યાત શાસ્ત્રીય સંગીતકાર અલ્લાદિયાખાં સાહેબનાં અગ્રણી શિષ્યા હતાં.…

વધુ વાંચો >

આમ્નાય

Jan 5, 1990

આમ્નાય : તાંત્રિક ચર્યાવિધિના મૂળ ગ્રંથો. તંત્રગ્રંથોમાં આમ્નાય છ બતાવ્યા છે. કહે છે ભગવાન સદાશિવે પોતાના એક એક મુખમાંથી એક એક આમ્નાયનો ઉપદેશ આપેલો હતો. શિવને પંચમુખ માનવામાં આવે છે. છઠ્ઠું આમ્નાય એમના ગુપ્ત અંગમાંથી પ્રગટેલું કહેવાય છે. પોતાના સદ્યોજાત નામના પૂર્વ મુખમાંથી તેમણે ‘પૂર્વામ્નાય’નો ઉપદેશ આપેલો હતો, જેમાં ભુવનેશ્વરી,…

વધુ વાંચો >

આમ્રપાલી

Jan 5, 1990

આમ્રપાલી (ઈ. સ. પૂ. છઠ્ઠી સદી) : વૈશાલી નગરીની પ્રસિદ્ધ નર્તકી. ઉદ્યાનમાં આમ્રવૃક્ષ નીચેથી તે મળી આવી હતી. તેને ઉદ્યાનના માળીએ ઉછેરી હતી. તેના યૌવનની પૂર્ણકળાએ તેના સૌન્દર્યને પામવા લિચ્છવી રાજપુત્રો અંદરોઅંદર લડવા લાગ્યા; પરંતુ વૈશાલીમાં કાયદો હતો કે સૌન્દર્યવતી યુવતીએ નગરવધૂ બનવું અને અપરિણીત રહેવું. પરિણામે આમ્રપાલી લોકરંજન માટે…

વધુ વાંચો >

આયન

Jan 5, 1990

આયન (Ion) : એક કે વધુ ધન કે ઋણ વિદ્યુતભાર ધરાવનાર પરમાણુ કે પરમાણુઓનો સમૂહ. ધનભારવાહી આયનને ધનાયન(cation) અને ઋણભારવાહી આયનને ઋણાયન(anion) કહે છે. તટસ્થ પરમાણુઓ કે અણુઓ ઇલેક્ટ્રૉન ગુમાવીને કે મેળવીને આયનમાં રૂપાંતરિત થાય છે. આયનનું બીજા કણો સાથે જોડાણ થવાથી અથવા સહસંયોજક બંધનું અસમાન વિખંડન થવાથી પણ આયનો…

વધુ વાંચો >

આયનન-કક્ષ

Jan 5, 1990

આયનન-કક્ષ (Ionisation Chamber) : વિકિરણ(radiation)ની તીવ્રતા નક્કી કરવા અથવા વિદ્યુતભારયુક્ત કણોની ગણતરી કરવા માટે વપરાતું એક અભિજ્ઞાપક (detector). તેની રચનામાં વાયુથી ભરેલા એક નળાકારની અક્ષની દિશામાંથી પસાર થતો એક તાર હોય છે. તારની સાપેક્ષ નળાકારની દીવાલને ઋણ વોલ્ટતા (voltage) આપીને વિદ્યુતક્ષેત્ર નિભાવવામાં આવે છે. ફોટૉન કે વિદ્યુતભારયુક્ત કણ કક્ષમાં પ્રવેશે…

વધુ વાંચો >

આયનપંપ

Jan 5, 1990

આયનપંપ (Ion pump) : પાત્રમાંનું દબાણ 1 નૅનોપાસ્કલ જેટલું નીચું લઈ જવા માટે ઉપયોગમાં લેવાતો એક પ્રકારનો નિર્વાતક પંપ (vacuum pump). આ પંપ 1 માઇક્રોપાસ્કલ જેટલા નીચા દબાણે ઉપયોગી છે. અન્ય રીતો વડે પાત્રમાંનું દબાણ પૂરતું નીચું લાવી અવશેષી (residual) વાયુમાં ઇલેક્ટ્રૉનનો પુંજ (beam) પસાર કરવામાં આવતાં વાયુનું આયનીકરણ થાય…

વધુ વાંચો >

આયનમંડળ

Jan 5, 1990

આયનમંડળ (Ionosphere) : વાયુમંડળના અંતર્ગત ભાગરૂપ ઉચ્ચસ્તર, જેમાં ઇલેક્ટ્રૉન તથા આયનો જેવા મુક્ત વીજભારિત કણોનું પ્રમાણ રેડિયોતરંગોના સંચારણ(transmission)ને અસર કરે તેટલું હોય. પૃથ્વીનું આયનમંડળ મહદંશે 60થી 600 કિમી. ઊંચાઈ સુધીના વિસ્તારમાં આવેલું ગણાય છે; જોકે તેની ઉપલી સીમા 1,000 કિમી. કરતાં પણ વધારે ઊંચાઈએ હોય છે. આયનમંડળ D, E, F…

વધુ વાંચો >

આયનયુગ્મ

Jan 5, 1990

આયનયુગ્મ (ion pair) : પરસ્પર વિરુદ્ધ (ધન અને ઋણ) વીજભાર ધરાવતા કણો(સામાન્ય રીતે વીજભારિત પરમાણુઓ કે અણુઓ)નું દ્વિક (duplex). ભૌતિકશાસ્ત્રની દૃષ્ટિએ આયનયુગ્મ એટલે તટસ્થ પરમાણુ/અણુને પૂરતી ઊર્જા આપવાથી તેનું સમક્ષણિક રીતે (simultaneously) ધન અને ઋણ વીજભારવાળા બે ટુકડાઓમાં (અનુક્રમે ધનાયન અને ઋણાયનમાં) વિભાજન થઈ, બંનેના એકસાથે રહેવાથી અસ્તિત્વમાં આવતું જોડકું.…

વધુ વાંચો >

આયનવિનિમય

Jan 5, 1990

આયનવિનિમય (ion-exchange) : ઘન પદાર્થના ચલાયમાન (mobile) જલયોજિત (hydrated) આયનો અને દ્રાવણમાંના સમાન વીજભારિત આયનો વચ્ચે તુલ્ય-તુલ્ય (equivalent for equivalent) પ્રમાણમાં થતી વિનિમયરૂપ રાસાયણિક પ્રક્રિયા. આયન-વિનિમયકો (exchangers) ત્રિપરિમાણમાં જાળી જેવી રચના ધરાવે છે. વિનિમયકની ઘન આધાત્રી(matrix)ને લાગેલા વીજભારિત સમૂહોનું ચલાયમાન આયનો વડે તટસ્થીકરણ થયેલું હોય છે. વિનિમયકની સ્થાયી સમૂહો ઉપરનો…

વધુ વાંચો >

આયનવિરોધ

Jan 5, 1990

આયનવિરોધ (આયન-પ્રતિસ્પર્ધિતા, ion-antagonism) : વિરોધાભાસી આયનોના અસ્તિત્વથી કોષવ્યવહારમાં સધાતું સમતોલપણું. ભાલ પ્રદેશના નળ સરોવરમાં દરિયાનું પાણી ઠલવાય છે અને તેની ઊંડાઈ લગભગ 1-2 મીટર હોય છે. આ ખારા પાણીમાં ડૂબેલી water cactus-Najas marina L-નામની 25 સેમી.થી 50 સેમી. ઊંચાઈવાળી વનસ્પતિની ચાદર પથરાય છે. આ વનસ્પતિ સમુદ્રનાં ખારાં પાણીમાં ખૂબ જ…

વધુ વાંચો >