૨.૦૫

આમોણકર, કિશોરીથી આયાતપેઢી

આમોણકર, કિશોરી

આમોણકર, કિશોરી (જ. 10 એપ્રિલ 1931, મુંબઈ; અ. 3 એપ્રિલ 2017, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જયપુર ઘરાનાની વિખ્યાત ગાયિકા. ખયાલ-ગાયકીનાં સિદ્ધહસ્ત કલાકારોમાં તેમની ગણના કરવામાં આવે છે. તેમણે સંગીતની શિક્ષા નાનપણથી પોતાની માતા મોગુબાઈ કુર્ડીકર પાસેથી લીધી હતી. મોગુબાઈ ભારતનાં વિખ્યાત શાસ્ત્રીય સંગીતકાર અલ્લાદિયાખાં સાહેબનાં અગ્રણી શિષ્યા હતાં.…

વધુ વાંચો >

આમ્નાય

આમ્નાય : તાંત્રિક ચર્યાવિધિના મૂળ ગ્રંથો. તંત્રગ્રંથોમાં આમ્નાય છ બતાવ્યા છે. કહે છે ભગવાન સદાશિવે પોતાના એક એક મુખમાંથી એક એક આમ્નાયનો ઉપદેશ આપેલો હતો. શિવને પંચમુખ માનવામાં આવે છે. છઠ્ઠું આમ્નાય એમના ગુપ્ત અંગમાંથી પ્રગટેલું કહેવાય છે. પોતાના સદ્યોજાત નામના પૂર્વ મુખમાંથી તેમણે ‘પૂર્વામ્નાય’નો ઉપદેશ આપેલો હતો, જેમાં ભુવનેશ્વરી,…

વધુ વાંચો >

આમ્રપાલી

આમ્રપાલી (ઈ. સ. પૂ. છઠ્ઠી સદી) : વૈશાલી નગરીની પ્રસિદ્ધ નર્તકી. ઉદ્યાનમાં આમ્રવૃક્ષ નીચેથી તે મળી આવી હતી. તેને ઉદ્યાનના માળીએ ઉછેરી હતી. તેના યૌવનની પૂર્ણકળાએ તેના સૌન્દર્યને પામવા લિચ્છવી રાજપુત્રો અંદરોઅંદર લડવા લાગ્યા; પરંતુ વૈશાલીમાં કાયદો હતો કે સૌન્દર્યવતી યુવતીએ નગરવધૂ બનવું અને અપરિણીત રહેવું. પરિણામે આમ્રપાલી લોકરંજન માટે…

વધુ વાંચો >

આયન

આયન (Ion) : એક કે વધુ ધન કે ઋણ વિદ્યુતભાર ધરાવનાર પરમાણુ કે પરમાણુઓનો સમૂહ. ધનભારવાહી આયનને ધનાયન(cation) અને ઋણભારવાહી આયનને ઋણાયન(anion) કહે છે. તટસ્થ પરમાણુઓ કે અણુઓ ઇલેક્ટ્રૉન ગુમાવીને કે મેળવીને આયનમાં રૂપાંતરિત થાય છે. આયનનું બીજા કણો સાથે જોડાણ થવાથી અથવા સહસંયોજક બંધનું અસમાન વિખંડન થવાથી પણ આયનો…

વધુ વાંચો >

આયનન-કક્ષ

આયનન-કક્ષ (Ionisation Chamber) : વિકિરણ(radiation)ની તીવ્રતા નક્કી કરવા અથવા વિદ્યુતભારયુક્ત કણોની ગણતરી કરવા માટે વપરાતું એક અભિજ્ઞાપક (detector). તેની રચનામાં વાયુથી ભરેલા એક નળાકારની અક્ષની દિશામાંથી પસાર થતો એક તાર હોય છે. તારની સાપેક્ષ નળાકારની દીવાલને ઋણ વોલ્ટતા (voltage) આપીને વિદ્યુતક્ષેત્ર નિભાવવામાં આવે છે. ફોટૉન કે વિદ્યુતભારયુક્ત કણ કક્ષમાં પ્રવેશે…

વધુ વાંચો >

આયનપંપ

આયનપંપ (Ion pump) : પાત્રમાંનું દબાણ 1 નૅનોપાસ્કલ જેટલું નીચું લઈ જવા માટે ઉપયોગમાં લેવાતો એક પ્રકારનો નિર્વાતક પંપ (vacuum pump). આ પંપ 1 માઇક્રોપાસ્કલ જેટલા નીચા દબાણે ઉપયોગી છે. અન્ય રીતો વડે પાત્રમાંનું દબાણ પૂરતું નીચું લાવી અવશેષી (residual) વાયુમાં ઇલેક્ટ્રૉનનો પુંજ (beam) પસાર કરવામાં આવતાં વાયુનું આયનીકરણ થાય…

વધુ વાંચો >

આયનમંડળ

આયનમંડળ (Ionosphere) : વાયુમંડળના અંતર્ગત ભાગરૂપ ઉચ્ચસ્તર, જેમાં ઇલેક્ટ્રૉન તથા આયનો જેવા મુક્ત વીજભારિત કણોનું પ્રમાણ રેડિયોતરંગોના સંચારણ(transmission)ને અસર કરે તેટલું હોય. પૃથ્વીનું આયનમંડળ મહદંશે 60થી 600 કિમી. ઊંચાઈ સુધીના વિસ્તારમાં આવેલું ગણાય છે; જોકે તેની ઉપલી સીમા 1,000 કિમી. કરતાં પણ વધારે ઊંચાઈએ હોય છે. આયનમંડળ D, E, F…

વધુ વાંચો >

આયનયુગ્મ

આયનયુગ્મ (ion pair) : પરસ્પર વિરુદ્ધ (ધન અને ઋણ) વીજભાર ધરાવતા કણો(સામાન્ય રીતે વીજભારિત પરમાણુઓ કે અણુઓ)નું દ્વિક (duplex). ભૌતિકશાસ્ત્રની દૃષ્ટિએ આયનયુગ્મ એટલે તટસ્થ પરમાણુ/અણુને પૂરતી ઊર્જા આપવાથી તેનું સમક્ષણિક રીતે (simultaneously) ધન અને ઋણ વીજભારવાળા બે ટુકડાઓમાં (અનુક્રમે ધનાયન અને ઋણાયનમાં) વિભાજન થઈ, બંનેના એકસાથે રહેવાથી અસ્તિત્વમાં આવતું જોડકું.…

વધુ વાંચો >

આયનવિનિમય

આયનવિનિમય (ion-exchange) : ઘન પદાર્થના ચલાયમાન (mobile) જલયોજિત (hydrated) આયનો અને દ્રાવણમાંના સમાન વીજભારિત આયનો વચ્ચે તુલ્ય-તુલ્ય (equivalent for equivalent) પ્રમાણમાં થતી વિનિમયરૂપ રાસાયણિક પ્રક્રિયા. આયન-વિનિમયકો (exchangers) ત્રિપરિમાણમાં જાળી જેવી રચના ધરાવે છે. વિનિમયકની ઘન આધાત્રી(matrix)ને લાગેલા વીજભારિત સમૂહોનું ચલાયમાન આયનો વડે તટસ્થીકરણ થયેલું હોય છે. વિનિમયકની સ્થાયી સમૂહો ઉપરનો…

વધુ વાંચો >

આયનવિરોધ

આયનવિરોધ (આયન-પ્રતિસ્પર્ધિતા, ion-antagonism) : વિરોધાભાસી આયનોના અસ્તિત્વથી કોષવ્યવહારમાં સધાતું સમતોલપણું. ભાલ પ્રદેશના નળ સરોવરમાં દરિયાનું પાણી ઠલવાય છે અને તેની ઊંડાઈ લગભગ 1-2 મીટર હોય છે. આ ખારા પાણીમાં ડૂબેલી water cactus-Najas marina L-નામની 25 સેમી.થી 50 સેમી. ઊંચાઈવાળી વનસ્પતિની ચાદર પથરાય છે. આ વનસ્પતિ સમુદ્રનાં ખારાં પાણીમાં ખૂબ જ…

વધુ વાંચો >

આયનવૃતિક વીજધ્રુવો

Jan 5, 1990

આયનવૃતિક વીજધ્રુવો (ion-selectiveelectrodes, ISE) : વિવિધ આયનો પ્રત્યે વરણાત્મક (selective) સંવેદનશીલતા ધરાવતા વીજધ્રુવો. શરૂઆતમાં આ વીજધ્રુવોને ‘વિશિષ્ટ આયન વીજધ્રુવો’ (specific-ion electrodes) કહેવામાં આવતા હતા; પણ આવા વીજધ્રુવો કોઈ એક આયન માટે વિશિષ્ટ (specific) ન હોતાં બીજા આયનોની સરખામણીમાં તે કોઈ એક આયન પ્રત્યે વરણક્ષમતા (વૃતિકતા, લક્ષિતા) (selectivity) ધરાવતા હોવાથી તેમને…

વધુ વાંચો >

આયનિક પ્રબળતા

Jan 5, 1990

આયનિક પ્રબળતા (Ionic Strength) : દ્રાવણમાંના આયનોને લીધે ઉત્પન્ન થતા વૈદ્યુત ક્ષેત્રનું માપ દર્શાવતું ફલન. સંજ્ઞા I અથવા μ. આયનિક દ્રાવણોના ઘણા ગુણધર્મો આયનિક વીજભારો વચ્ચેની સ્થિરવૈદ્યુત (electrostatic) પારસ્પરિક ક્રિયા(interaction)ને કારણે ઉદભવતા હોય છે. આ ફલન એ દ્રાવણમાં રહેલા વિદ્યુતીય પર્યાવરણનું માપ છે. 1921માં લૂઈસ અને રૅન્ડલે સક્રિયતાગુણાંક અને દ્રાવ્યતા…

વધુ વાંચો >

આયનિક બંધ

Jan 5, 1990

આયનિક બંધ (Ionic Bond) : વિરુદ્ધ વીજભારવાળા બે આયનો સ્થિરવૈદ્યુત (electrostatic) બળ દ્વારા પરસ્પર આકર્ષાઈ એકબીજા સાથે જોડાય ત્યારે ઉદભવતો બંધ. એક તરફ ધનવિદ્યુતીય ધાતુઓ જેવી કે આલ્કલી ધાતુઓ, આલ્કેલાઇન મૃદ્ (earth) ધાતુઓ કે લેન્થેનાઇડ ધાતુઓ અને બીજી બાજુ હેલોજન, ઑક્સિજન, સલ્ફર વગેરે ઋણવિદ્યુતી અધાતુઓ આયનિક બંધ દ્વારા સંયોજનો આપે…

વધુ વાંચો >

આયનિક સંતુલન

Jan 5, 1990

આયનિક સંતુલન (Ionic Equilibrium) : ઓછામાં ઓછી એક આયની જાતિ (ionic species)ઉત્પન્ન થાય, વપરાય કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં સ્થાનાંતરિત થાય તેવી સંતુલિત રાસાયણિક પ્રક્રિયા. આયનિક સંતુલન નીચે દર્શાવેલ બાબતોમાં રાસાયણિક સંતુલનને મળતું આવે છે. (1) જો આયનીકરણ ઉષ્માશોષક હોય તો લ શેટેલિયરના સિદ્ધાંત અનુસાર તાપમાનમાં વધારો થતાં આયનીકરણની માત્રામાં…

વધુ વાંચો >

આયનીકરણ

Jan 5, 1990

આયનીકરણ (ionization) : આયનીકરણ એટલે વિદ્યુતભારયુક્ત પરમાણુ કે અણુનું નિર્માણ. પરમાણુના કેન્દ્રમાંના પ્રોટૉન ઉપરનો ધન વિદ્યુતભાર અને કેન્દ્રકબાહ્ય (extranuclear) ઇલેક્ટ્રૉન ઉપરનો ઋણ વિદ્યુતભાર સરખા હોઈ પરમાણુ સમગ્ર રીતે તટસ્થ હોય છે. આથી ઇલેક્ટ્રૉન ગુમાવતાં તે ધનભારિત અને ઇલેક્ટ્રૉન ઉમેરાતાં તે ઋણભારિત બને છે. ઇલેક્ટ્રૉન દૂર કરવા માટેની જરૂરી ઊર્જાનો આયનીકરણ-વિભવ…

વધુ વાંચો >

આયનીકરણ-ઊર્જા

Jan 5, 1990

આયનીકરણ-ઊર્જા અથવા આયનીકરણ વિભવ (IonizationEnergy or Ionization Potential) : નિરપેક્ષ શૂન્ય (T = 0K) તાપમાને ભૂતલ અવસ્થામાં રહેલા કોઈ એક વિનિર્દિષ્ટ (specified) પરમાણુમાંથી એક ઇલેક્ટ્રૉનને એટલે દૂર લઈ જવા માટે જોઈતી ઊર્જા કે જેથી આયન અને ઇલેક્ટ્રૉન વચ્ચે સ્થિરવૈદ્યુત (electrostatic) પારસ્પરિક ક્રિયા (interaction) ન હોય. સંજ્ઞા IM (અથવા IE અથવા…

વધુ વાંચો >

આયપ્પન, આઈનીપલ્લી

Jan 5, 1990

આયપ્પન, આઈનીપલ્લી (જ. 5  ફેબ્રુઆરી 1905 , કેરાળા; અ. 28  જૂન 1988)  : ભારતના વિખ્યાત માનવશાસ્ત્રવિશારદ. તેઓ મૂળ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી હતા. મદ્રાસ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો ડિપ્લોમા 1926માં અને અનુસ્નાતકની પદવી 1927 માં પ્રાપ્ત કરેલ. 1937 માં લંડન સ્કૂલ ઓફ ઇકૉનૉમિક્સમાં સમાજમાનવશાસ્ત્રની પીએચ.ડી.ની પદવી માટે સમાજમાનવશાસ્ત્રના વિખ્યાત વિદ્વાનો બી. મેલિનૉવસ્કી અને આર.…

વધુ વાંચો >

આયર, મેજર વિન્સેન્ટ (1811–1881 A. D.)

Jan 5, 1990

આયર, મેજર વિન્સેન્ટ (1811–1881 A. D.) : બંગાળના અંગ્રેજ તોપખાનાના અફસર. 1828માં નિયુક્તિ પામતાં ભારત આવ્યા. 1839–42 દરમિયાન કાબૂલ પર અંગ્રેજોએ કરેલા આક્રમણમાં સક્રિય ભાગ લીધો. ત્યારબાદ બંગાળથી બદલી કરીને તેમને બર્મા (મ્યાનમાર) મોકલવામાં આવ્યા. ભારતમાં 1857નો પ્રથમ સ્વાધીનતા સંગ્રામ શરૂ થતાં તેમને પાછા બોલાવી લેવામાં આવ્યા. આવતાંની સાથે જગદીશપુરના…

વધુ વાંચો >

આયર, વંચી

Jan 5, 1990

આયર, વંચી (જ. આશરે 1880, શેનકોટા, તામિલનાડુ; અ. 11 જૂન 1911, મણિયાચી, તિરુનેલ્વેલી જિલ્લો) : દેશભક્ત ક્રાંતિકાર. તે બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા. કિશોરાવસ્થામાં વંચી આયર ભારતી, વી. વી. એસ. આયર અને નીલકંઠ બ્રહ્મચારી જેવા ક્રાંતિકારોથી પ્રભાવિત થયા હતા. તેમની પાસેથી આયરે ક્રાંતિકારનો જુસ્સો આત્મસાત્ કર્યો. તે એમ માનવા લાગ્યા કે…

વધુ વાંચો >

આયર, વી. વી. સુબ્રમણ્ય

Jan 5, 1990

આયર, વી. વી. સુબ્રમણ્ય : (2 એપ્રિલ 1881, તિરુચિરાપલ્લી જિલ્લો, તમિળનાડુ; અ. 3 જૂન 1925, ચેન્નાઈ) : તમિળના લેખક તથા દેશભક્ત ક્રાંતિકાર. આખું નામ વરાહનેરી વેંકટેશ સુબ્રમણ્ય આયર. તેમનો જન્મ તિરુચિરાપલ્લીના એક ગામમાં મધ્યમ વર્ગના રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા વેંકટેશ આયર શાળાઓના નિરીક્ષક હતા. પછાત જ્ઞાતિના હિંદુઓના …

વધુ વાંચો >