ખંડ-૨૩

સાગરથી સૈરંધ્રી

સાગર

સાગર (જ. 7 ફેબ્રુઆરી 1883, જંબુસર; અ. 17 ઑગસ્ટ 1936) : મસ્તરંગના ગુજરાતી કવિઓમાંના એક. મૂળ નામ જગન્નાથ. પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ રુક્મિણી. અવટંકે ત્રિપાઠી. અભ્યાસ સાત ધોરણ સુધીનો. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે પણ તેઓ સંકળાયેલા. કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન. બાળપણથી હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય બન્યા પછી…

વધુ વાંચો >

સાગર

સાગર : મધ્યપ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 50´ ઉ. અ. અને 78° 43´ પૂ. રે.ની આજુબાજુનો 10,252 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઝાંસી (ઉ. પ્ર.) જિલ્લો, પૂર્વમાં દમોહ જિલ્લો, દક્ષિણે નરસિંહપુર, નૈર્ઋત્યમાં રાયસેન, પશ્ચિમે વિદિશા, વાયવ્યમાં ગુના…

વધુ વાંચો >

સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો

સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો  : બંગાળમાં સાગરદિગ્ધીમાંથી ધાતુનાં અનુપમ વિષ્ણુશિલ્પો. કૉલકાતાના બંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં સંગૃહીત ષડ્ભુજ વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ભારતીય શિલ્પના વિશિષ્ટ નમૂના તરીકે પ્રખ્યાત છે. ષડ્ભુજ શિલ્પમાં વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા, પદ્મ ઉપરાંત ગરુડધ્વજ અને હાથી ધારણ કરેલ છે. દેવના મુકુટની પાછળ આવેલ આભામંડળમાં સાત નાગપુરુષોનાં શિલ્પો કોતરેલાં છે. દેવના…

વધુ વાંચો >

સાગરનંદિન્

સાગરનંદિન્ (12મી સદી) : પ્રાચીન ભારતીય નાટ્યશાસ્ત્રી અને ‘નાટકલક્ષણરત્નકોશ’ નામના ભારતીય નાટ્યવિવેચન વિશેના ગ્રંથના લેખક. તેમના જીવન વિશે વિગતો મળતી નથી. તેથી તેમના સમય વિશે પણ અનુમાનનો આશ્રય લેવો પડે છે. ‘અમરકોશ’ પરની ‘પદાર્થચંદ્રિકા’ નામની ટીકામાં રાયમુકુટ નામના તેના ટીકાકારે ‘નાટકલક્ષણરત્નકોશ’નો ઉલ્લેખ કર્યો છે. આ ટીકા 1431માં લખાઈ છે, તેથી…

વધુ વાંચો >

સાગર મૂવીટોન

સાગર મૂવીટોન : સ્થાપના 1930. ભારતીય ચલચિત્રનિર્માતા સંસ્થા. ભારતીય ચલચિત્રોનો સવાક યુગ શરૂ થવા આડે માંડ એકાદ વર્ષની વાર હતી ત્યારે સાગર ફિલ્મ કંપનીની સ્થાપના ચિમનલાલ વી. દેસાઈએ કરી હતી. તેમના ભાગીદાર અંબાલાલ પટેલ હતા. ચિમનલાલ દેસાઈ મૂળ તો બૅંગાલુરુમાં કોલસાનો વેપાર કરતા હતા. ચલચિત્રો સાથે આમ કોઈ લેવાદેવા હતી…

વધુ વાંચો >

સાગર, રામાનંદ

સાગર, રામાનંદ (જ. 29 ડિસેમ્બર 1917, અસલ ગુરુ કે નામ, લાહોર ઇલાકો, હવે પાકિસ્તાનમાં; અ. 12 ડિસેમ્બર 2005, મુંબઈ) : ચલચિત્ર અને દૃશ્ય-શ્રાવ્ય ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક તથા પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક. મૂળ નામ ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પક્ષના પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું.…

વધુ વાંચો >

સાગર સંગમે

સાગર સંગમે : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1958. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી. દિગ્દર્શક : દેવકી બોઝ. પટકથા : દેવકી બોઝ, પ્રેમેન્દ્ર મિત્ર. સંગીત : આર. સી. બોરાલ. છબિકલા : બિમલ મુખોપાધ્યાય. મુખ્ય કલાકારો : ભારતી દાસ, મંજુ અધિકારી, નીતેશ મુખોપાધ્યાય, ઝહર રૉય, તુલસી લાહિડી, શૈલેન મુખરજી. બંગાળી ચિત્રજગતમાં નોંધપાત્ર…

વધુ વાંચો >

સાગરા, ઈશ્વર

સાગરા, ઈશ્વર (જ. 1936, અમદાવાદ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. અમદાવાદમાં હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરતા મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. બાળપણ અમદાવાદમાં વીત્યું. કલાના કોઈ પણ પ્રકારના વૈધિક અભ્યાસ વિના જ એમણે ચિત્રકલાની સાધના કરી. એમાં એમના મોટાભાઈ અને જાણીતા ચિત્રકાર પિરાજી સાગરાનાં માર્ગદર્શન અને હૂંફ સાંપડ્યાં. ભારતીય-હિન્દુ…

વધુ વાંચો >

સાગરા પિરાજી

સાગરા, પિરાજી (જ. 1931, અમદાવાદ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પકાર. હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરનાર મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળની કલા-શાળા ગુજરાત કલાસંઘમાં કલાની તાલીમ લેવા માટે જોડાયા. 1953માં તેમણે ‘ડ્રૉઇન્ગ ટીચર્સ ડિપ્લોમા’ પ્રાપ્ત કર્યો અને અમદાવાદની…

વધુ વાંચો >

સાગોળ (lime)

સાગોળ (lime) : મકાનના બાંધકામમાં વપરાતા માલસામાનમાં એક અગત્યનો પદાર્થ. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો રહ્યો છે. જ્યારે તે રેતી અને પાણી સાથે યોગ્ય પ્રમાણમાં ભેગો કરવામાં આવે છે ત્યારે સાગોળ કોલ બને છે. તેનો ઉપયોગ બંધક તરીકે પથ્થર, ઈંટ, દીવાલ તથા છતનું પ્લાસ્ટર કરવામાં થાય છે. સાગોળ કૉન્ક્રીટ એ…

વધુ વાંચો >

સિંહનાદ ગૂગળ

Jan 17, 2008

સિંહનાદ ગૂગળ : આયુર્વેદનું એક ઔષધ. આયુર્વેદવિજ્ઞાનમાં વિવિધ જાતનાં દર્દો માટે વિવિધ સ્વરૂપની દવાઓની યોજના છે. તેમાંની કેટલીક દવાઓ ‘ગૂગળ’ને મુખ્ય રાખીને બને છે. આ ગૂગળ આયુર્વેદના મતે વાત-કફદોષ તથા વૃદ્ધાવસ્થાનાશક ઉત્તમ રસાયન-ઔષધિ છે. તે ખાંસી, કૃમિ, વાતોદર, પ્લીહા (બરોળ) જેવા વાયુ કે કફપ્રધાન દર્દો, સોજા અને હરસનો નાશ કરનાર…

વધુ વાંચો >

સિંહ નામવર

Jan 17, 2008

સિંહ, નામવર (જ. 1 મે 1927, જીવણપુર, વારાણસી, ઉત્તરપ્રદેશ) : હિંદીના વિવેચક અને લેખક. તેમના વિવેચનગ્રંથ ‘કવિતા કે નયે પ્રતિમાન’(1968)ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1971ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. ખેડૂત કુટુંબમાં જન્મ. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી હિંદી સાથે એમ.એ. (1951) તથા પીએચ.ડી. (1956). બનારસ તથા સાગર યુનિવર્સિટીમાં અધ્યાપન. નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ…

વધુ વાંચો >

સિંહપુર

Jan 17, 2008

સિંહપુર : ‘પ્રબંધચિંતામણિ’માં જણાવ્યા મુજબ વાળાક દેશની વિકટ ભૂમિમાં વસાવેલ બ્રાહ્મણોનો અગ્રહાર. ઈ. સ. 4થી સદીના ‘દીપવંશ’માં તથા છઠ્ઠી સદીના ‘મહાવંશ’માં સિંહપુરનો ઉલ્લેખ થયો છે. ‘સિંહપુર’ ક્યાં એ વિષયમાં વિદ્વાનોમાં મતભેદ છે. એમાંના એક અભિપ્રાય અનુસાર એ સિંહપુર સૌરાષ્ટ્રના પૂર્વપ્રદેશમાં આવેલું ‘સિહોર’ હોવું સંભવે છે. સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું…

વધુ વાંચો >

સિંહ બંધુ

Jan 17, 2008

સિંહ બંધુ : ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં જાણીતા સરદાર તેજપાલસિંહ અને સરદાર સુરિંદરસિંહ નામના બે બંધુઓ. આ બેલડી હંમેશ સાથે જ ગાયન પ્રસ્તુત કરતી હોય છે. બંનેનો જન્મ ઇજનેર પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ગોવિંદસિંહ હતું. સરદાર તેજપાલસિંહનો જન્મ લાહોરમાં 24 જુલાઈ 1937ના રોજ થયો હતો. તેમણે બાલ્યકાળથી તેમના…

વધુ વાંચો >

સિંહ, (ડૉ.) મનમોહન

Jan 17, 2008

સિંહ, (ડૉ.) મનમોહન (જ. 26 સપ્ટેમ્બર 1932, ગાહ, પંજાબ (હાલ પાકિસ્તાનમાં); અ. 26 ડિલેમ્બર 2024, નવી દિલ્હી) : વિદ્વાન અધ્યાપક, અર્થશાસ્ત્રી, ભારતમાં આર્થિક ઉદારીકરણની ની પ્રખર પુરસ્કર્તા અને ભારતના પૂર્વ નાણામંત્રી અને વડાપ્રધાન. તેઓ વડાપ્રધાન તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી ફરીથી ચૂંટાયા હોય તેવા જવાહરલાલ નહેરુ પછીના પહેલા વડાપ્રધાન…

વધુ વાંચો >

સિંહ, રાજનાથ

Jan 17, 2008

સિંહ, રાજનાથ (જ. 10 જુલાઈ 1951, બાભોરા, ઉત્તર પ્રદેશ) : ભારતીય જનતા પાર્ટીના 8મા અધ્યક્ષ અને ભારતના 29મા સંરક્ષણ પ્રધાન. તેમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. પિતા રામ બદન સિંહ અને માતા ગુજરાતી દેવી. તેમણે પ્રાથમિક શિક્ષણ તેમના ગામની સ્થાનિક શાળામાંથી મેળવ્યું અને ગોરખપુર યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી મેળવી. તેઓ…

વધુ વાંચો >

સિંહ રામજી

Jan 17, 2008

સિંહ રામજી પ્રો. ડૉ. (જ. 20 ડિસેમ્બર 1931, ઇંદ્રરૂખ, બિહાર) : રાજસ્થાનના લાડનૂ સ્થિત જૈન વિશ્વભારતી યુનિવર્સિટીના પૂર્વકુલપતિ, પૂર્વસાંસદ, ગાંધીયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટડીઝ-વારાણસીના પૂર્વનિર્દેશક. સ્વાતંત્ર્યસેનાની. પદ્મશ્રીથી સન્માનિત લેખક અને સંશોધક. રામજી સિંહનો જન્મ બિહારના મુંગેર જિલ્લામાં આવેલા ઇંદ્રરૂખ ગામમાં થયો હતો. 1942માં ગાંધીજીના ‘અંગ્રેજો ભારત છોડો આંદોલન’માં તેમણે ભાગ લીધો હતો.…

વધુ વાંચો >

સિંહ રાશિ/સિંહ તારામંડળ

Jan 17, 2008

સિંહ રાશિ/સિંહ તારામંડળ (Leo) : – બાર રાશિઓ પૈકીની પાંચમી રાશિ. સિંહ રાશિના તારા ઘણી સહેલાઈથી દેખી શકાય તેવા હોઈ આકાશમાં આ તારામંડળ બહુ સહેલાઈથી ઓળખી શકાય છે. આકાશમાં યથાનામ આકૃતિ ધરાવતાં જે થોડાંઘણાં તારામંડળો (અથવા રાશિઓ) છે તેમાં સિંહનું નામ પણ આવે. તેનામાં સિંહ જેવો આકાર સહેલાઈથી ઊપસી આવતો…

વધુ વાંચો >

સિંહલ

Jan 17, 2008

સિંહલ : લાળ દેશનો રાજા. શ્રીલંકાના પાલિ સાહિત્યમાં આનુશ્રુતિક વૃત્તાંત વર્ણવતા દીપવંસમાં જણાવ્યા મુજબ વંગરાજને સુસીમા નામે કુંવરી હતી. એને સિંહથી સિંહબાહુ નામે પુત્ર અને સીવલી નામે પુત્રી જન્મ્યાં. સિંહબાહુ સોળ વર્ષનો થતાં સિંહની ગુફામાંથી નાસી ગયો. તેણે લાળ દેશમાં સિંહપુર નામે નગર વસાવ્યું અને ત્યાં રાજ્ય કરવા લાગ્યો. મહાવંસમાં…

વધુ વાંચો >

સિંહ, લાલજી

Jan 17, 2008

સિંહ, લાલજી (ડૉ.) (જ. 5 જુલાઈ 1947, જૌનપુર, ભારત; અ. 10 ડિસેમ્બર 2017, વારાણસી, ઉત્તરપ્રદેશ, ભારત) : સેન્ટર ફોર સેલ્યુલર ઍન્ડ મોલેક્યુલર બાયૉલૉજી, હૈદરાબાદના નિર્દેશક. તેઓએ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય, વારાણસીથી એમ.એસસી. તથા પીએચ.ડી.ની પદવીઓ મેળવી હતી. તેઓ લિંગ-નિર્ધારણ કે અણુ-જૈવિક આધાર, ડી.એન.એ. અંગુલિછાપ (finger-print), માનવપ્રકૃતિ વિશ્લેષણ, વન્યજીવ ન્યાયિક વિજ્ઞાન અને…

વધુ વાંચો >