ખંડ-૨૩
સાગરથી સૈરંધ્રી
સાગર
સાગર (જ. 7 ફેબ્રુઆરી 1883, જંબુસર; અ. 17 ઑગસ્ટ 1936) : મસ્તરંગના ગુજરાતી કવિઓમાંના એક. મૂળ નામ જગન્નાથ. પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ રુક્મિણી. અવટંકે ત્રિપાઠી. અભ્યાસ સાત ધોરણ સુધીનો. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે પણ તેઓ સંકળાયેલા. કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન. બાળપણથી હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય બન્યા પછી…
વધુ વાંચો >સાગર
સાગર : મધ્યપ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 50´ ઉ. અ. અને 78° 43´ પૂ. રે.ની આજુબાજુનો 10,252 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઝાંસી (ઉ. પ્ર.) જિલ્લો, પૂર્વમાં દમોહ જિલ્લો, દક્ષિણે નરસિંહપુર, નૈર્ઋત્યમાં રાયસેન, પશ્ચિમે વિદિશા, વાયવ્યમાં ગુના…
વધુ વાંચો >સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો
સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો : બંગાળમાં સાગરદિગ્ધીમાંથી ધાતુનાં અનુપમ વિષ્ણુશિલ્પો. કૉલકાતાના બંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં સંગૃહીત ષડ્ભુજ વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ભારતીય શિલ્પના વિશિષ્ટ નમૂના તરીકે પ્રખ્યાત છે. ષડ્ભુજ શિલ્પમાં વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા, પદ્મ ઉપરાંત ગરુડધ્વજ અને હાથી ધારણ કરેલ છે. દેવના મુકુટની પાછળ આવેલ આભામંડળમાં સાત નાગપુરુષોનાં શિલ્પો કોતરેલાં છે. દેવના…
વધુ વાંચો >સાગરનંદિન્
સાગરનંદિન્ (12મી સદી) : પ્રાચીન ભારતીય નાટ્યશાસ્ત્રી અને ‘નાટકલક્ષણરત્નકોશ’ નામના ભારતીય નાટ્યવિવેચન વિશેના ગ્રંથના લેખક. તેમના જીવન વિશે વિગતો મળતી નથી. તેથી તેમના સમય વિશે પણ અનુમાનનો આશ્રય લેવો પડે છે. ‘અમરકોશ’ પરની ‘પદાર્થચંદ્રિકા’ નામની ટીકામાં રાયમુકુટ નામના તેના ટીકાકારે ‘નાટકલક્ષણરત્નકોશ’નો ઉલ્લેખ કર્યો છે. આ ટીકા 1431માં લખાઈ છે, તેથી…
વધુ વાંચો >સાગર મૂવીટોન
સાગર મૂવીટોન : સ્થાપના 1930. ભારતીય ચલચિત્રનિર્માતા સંસ્થા. ભારતીય ચલચિત્રોનો સવાક યુગ શરૂ થવા આડે માંડ એકાદ વર્ષની વાર હતી ત્યારે સાગર ફિલ્મ કંપનીની સ્થાપના ચિમનલાલ વી. દેસાઈએ કરી હતી. તેમના ભાગીદાર અંબાલાલ પટેલ હતા. ચિમનલાલ દેસાઈ મૂળ તો બૅંગાલુરુમાં કોલસાનો વેપાર કરતા હતા. ચલચિત્રો સાથે આમ કોઈ લેવાદેવા હતી…
વધુ વાંચો >સાગર, રામાનંદ
સાગર, રામાનંદ (જ. 29 ડિસેમ્બર 1917, અસલ ગુરુ કે નામ, લાહોર ઇલાકો, હવે પાકિસ્તાનમાં; અ. 12 ડિસેમ્બર 2005, મુંબઈ) : ચલચિત્ર અને દૃશ્ય-શ્રાવ્ય ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક તથા પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક. મૂળ નામ ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પક્ષના પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું.…
વધુ વાંચો >સાગર સંગમે
સાગર સંગમે : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1958. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી. દિગ્દર્શક : દેવકી બોઝ. પટકથા : દેવકી બોઝ, પ્રેમેન્દ્ર મિત્ર. સંગીત : આર. સી. બોરાલ. છબિકલા : બિમલ મુખોપાધ્યાય. મુખ્ય કલાકારો : ભારતી દાસ, મંજુ અધિકારી, નીતેશ મુખોપાધ્યાય, ઝહર રૉય, તુલસી લાહિડી, શૈલેન મુખરજી. બંગાળી ચિત્રજગતમાં નોંધપાત્ર…
વધુ વાંચો >સાગરા, ઈશ્વર
સાગરા, ઈશ્વર (જ. 1936, અમદાવાદ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. અમદાવાદમાં હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરતા મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. બાળપણ અમદાવાદમાં વીત્યું. ઈશ્વર સાગરાનું ઍબ્સર્ડ ચિત્ર કલાના કોઈ પણ પ્રકારના વૈધિક અભ્યાસ વિના જ એમણે ચિત્રકલાની સાધના કરી. એમાં એમના મોટાભાઈ અને જાણીતા ચિત્રકાર પિરાજી સાગરાનાં માર્ગદર્શન…
વધુ વાંચો >સાગરા પિરાજી
સાગરા, પિરાજી (જ. 1931, અમદાવાદ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પકાર. હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરનાર મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળની કલા-શાળા ગુજરાત કલાસંઘમાં કલાની તાલીમ લેવા માટે જોડાયા. 1953માં તેમણે ‘ડ્રૉઇન્ગ ટીચર્સ ડિપ્લોમા’ પ્રાપ્ત કર્યો અને અમદાવાદની…
વધુ વાંચો >સાગોળ (lime)
સાગોળ (lime) : મકાનના બાંધકામમાં વપરાતા માલસામાનમાં એક અગત્યનો પદાર્થ. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો રહ્યો છે. જ્યારે તે રેતી અને પાણી સાથે યોગ્ય પ્રમાણમાં ભેગો કરવામાં આવે છે ત્યારે સાગોળ કોલ બને છે. તેનો ઉપયોગ બંધક તરીકે પથ્થર, ઈંટ, દીવાલ તથા છતનું પ્લાસ્ટર કરવામાં થાય છે. સાગોળ કૉન્ક્રીટ એ…
વધુ વાંચો >સિયેરા લેયોન (Sierra Leon)
સિયેરા લેયોન (Sierra Leon) : પશ્ચિમ આફ્રિકાના આટલાંટિક કાંઠા પર આવેલો દેશ. તે આશરે 6° 55´થી 10° 00´ ઉ. અ. અને 10° 15´થી 13° 20´ પ. રે. વચ્ચેનો 71,740 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વમાં ગિની તથા અગ્નિ અને દક્ષિણ તરફ લાઇબેરિયા દેશો આવેલા છે; તેની…
વધુ વાંચો >સિયોન નદી (Seone River)
સિયોન નદી (Seone River) : પૂર્વ ફ્રાન્સમાં આવેલી નદી. રહોનની મહત્ત્વની સહાયક નદી. ભૌગોલિક સ્થાન : 40° 10´ ઉ. અ. અને 4° 50´ પૂ. રે.. આ નદી વૉસ્જિસ પર્વતના તળેટી ભાગમાંથી નીકળે છે અને 431 કિમી.ની લંબાઈમાં વહ્યા પછી લિયૉન ખાતે રહોન નદીને મળે છે. તે મહત્ત્વના જળમાર્ગ તરીકે ઉપયોગમાં…
વધુ વાંચો >સિરકીર કોયલ (Sirkeer cuckoo)
સિરકીર કોયલ (Sirkeer cuckoo) : ઊડતા નોળિયા જેવું સામાન્ય પંખી. માથાથી પૂંછડી સુધી આખું ખૂલતા બદામી રંગનું 42.5 સેમી. કદનું પંખી. પીઠ પર ઘેરો, દાઢી પર સફેદ જેવો રંગ અને પેટાળ ઘેરા ચૉકલેટી રંગનું હોય છે. તેની ચાંચ પોપટ જેવી લાલચટક, છેડે પીળી અને અણીદાર હોય છે. આંખ ઉપરની પાંપણો…
વધુ વાંચો >સિર ક્રીક સીમા-વિસ્તાર
સિર ક્રીક સીમા–વિસ્તાર : ભારતની પશ્ચિમે કચ્છની સીમાનો છેલ્લો સત્તાવાર થાંભલો નં. 1175 (જે લખપતની બરાબર સામે આવેલો છે.), ત્યાંથી પશ્ચિમે 322 કિમી. લાંબી પટ્ટી ધરાવતી જમીનની સરહદ અને 99 કિમી. સુધી એટલે કે સિર ક્રીકના મુખ સુધીનો ખાડી-વિસ્તાર. કચ્છના રાજા અને સિંધ પ્રાંત વચ્ચે 1913માં કરાર થયા પછી થાંભલા…
વધુ વાંચો >સિરમોર
સિરમોર : હિમાચલ પ્રદેશનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 30° 22´ 30´´થી 31° 01´ 20´´ ઉ. અ. અને 77° 01´ 12´´થી 77° 49´ 40´´ પૂ. રે. વચ્ચેનો 2,825 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની પૂર્વ-પશ્ચિમ મહત્તમ લંબાઈ 77 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ પહોળાઈ 80 કિમી. જેટલી છે. તેની…
વધુ વાંચો >સિરસા
સિરસા : હરિયાણા રાજ્યમાં પશ્ચિમ તરફના છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 14´થી 29° 59´ ઉ. અ. અને 74° 27´થી 75° 18´ પૂ. રે. વચ્ચેનો 4,277 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ પંજાબ રાજ્ય, પૂર્વમાં હિસાર જિલ્લો…
વધુ વાંચો >સિરાજુદ્દીન અલીખાન ‘આરઝૂ’
સિરાજુદ્દીન અલીખાન ‘આરઝૂ’ (જ. 1689, આગ્રા; અ. 1756, લખનૌ) : ફારસીના કવિ અને સમીક્ષક. તેમના પિતા હુસામુદ્દીન એક પ્રતિષ્ઠિત કવિ અને વિદ્વાન હતા. સિરાજુદ્દીને તેમના પિતા પાસેથી ધાર્મિક ગ્રંથોના અભ્યાસ દ્વારા કાવ્યશાસ્ત્ર અને ભાષાશાસ્ત્રમાં નિપુણતા મેળવી. અમીર ખુસરો પછી ફારસીના મહાન કવિ અને સમીક્ષક તરીકે તેમની પ્રતિભા સર્વસ્વીકૃત બની હતી.…
વધુ વાંચો >સિરાજુદ્દૌલા
સિરાજુદ્દૌલા (જ. આશરે 1729; અ. 2/3 જુલાઈ 1757) : બંગાળનો નવાબ. બંગાળના નવાબ (સૂબેદાર) અલીવર્દીખાનના મૃત્યુ બાદ તેનો દૌહિત્ર સિરાજુદ્દૌલા એપ્રિલ, 1756માં નવાબ બન્યો. તેના મુખ્ય હરીફ, તેની માસીના દીકરા શોકતજંગને હરાવીને તેણે મારી નાખ્યો. તેના સમયમાં અંગ્રેજોએ તેમના રક્ષણ માટે કાયદા વિરુદ્ધ કિલ્લેબંધી કરી અને તેની પાસે મોટી ખાઈ…
વધુ વાંચો >સિરાનો દ બર્ગરેક
સિરાનો દ બર્ગરેક (જ. 1619, પૅરિસ; અ. 1655) : ફ્રેંચ સૈનિક, કટાક્ષલેખક અને નાટ્યકાર. તેમનું જીવન ઘણી રોમાંચક દંતકથાઓનો સ્રોત બની ગયેલું. એડમન્ડ રોસ્ટાન્દ (1868-1918) નામના ફ્રેંચ નાટ્યકારે પણ તે નામનું પદ્યનાટક રચેલું (1897, અં. અનુ. 1937). બર્ગરેકની સાહસિક યાત્રાઓ અંગેની બે કૃતિઓ તેમના મૃત્યુ બાદ પ્રસિદ્ધ થયેલી : ‘વૉયેજ…
વધુ વાંચો >સિરિચિંધકવ્વ (શ્રીચિહ્નકાવ્ય)
સિરિચિંધકવ્વ (શ્રીચિહ્નકાવ્ય) : પ્રાકૃત ભાષામાં કૃષ્ણલીલાશુકે રચેલું મહાકાવ્ય. વરરુચિના ‘પ્રાકૃતપ્રકાશ’ અને ત્રિવિક્રમના ‘પ્રાકૃત વ્યાકરણ’ના નિયમોને સમજાવવા ઈ. સ.ની 13મી શતાબ્દીમાં કેરળના કૃષ્ણલીલાશુકે આ ‘શ્રીચિહનકાવ્ય’ની રચના કરી છે. ભટ્ટિ કવિએ ‘અષ્ટાધ્યાયી’નાં સૂત્રોનાં ઉદાહરણોને ક્રમ મુજબ કાવ્યમાં મૂકીને ‘ભટ્ટિકાવ્ય’(રાવણવધ)ની રચના કરી છે અને હેમચંદ્રાચાર્યે ‘સિદ્ધહેમ વ્યાકરણ’નાં સૂત્રોનાં ઉદાહરણો અનુક્રમે ગોઠવી ‘દ્વયાશ્રય’ની રચના…
વધુ વાંચો >