ખંડ-૨૩

સાગરથી સૈરંધ્રી

સાગર

સાગર (જ. 7 ફેબ્રુઆરી 1883, જંબુસર; અ. 17 ઑગસ્ટ 1936) : મસ્તરંગના ગુજરાતી કવિઓમાંના એક. મૂળ નામ જગન્નાથ. પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ રુક્મિણી. અવટંકે ત્રિપાઠી. અભ્યાસ સાત ધોરણ સુધીનો. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે પણ તેઓ સંકળાયેલા. કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન. બાળપણથી હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય બન્યા પછી…

વધુ વાંચો >

સાગર

સાગર : મધ્યપ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 50´ ઉ. અ. અને 78° 43´ પૂ. રે.ની આજુબાજુનો 10,252 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઝાંસી (ઉ. પ્ર.) જિલ્લો, પૂર્વમાં દમોહ જિલ્લો, દક્ષિણે નરસિંહપુર, નૈર્ઋત્યમાં રાયસેન, પશ્ચિમે વિદિશા, વાયવ્યમાં ગુના…

વધુ વાંચો >

સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો

સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો  : બંગાળમાં સાગરદિગ્ધીમાંથી ધાતુનાં અનુપમ વિષ્ણુશિલ્પો. કૉલકાતાના બંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં સંગૃહીત ષડ્ભુજ વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ભારતીય શિલ્પના વિશિષ્ટ નમૂના તરીકે પ્રખ્યાત છે. ષડ્ભુજ શિલ્પમાં વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા, પદ્મ ઉપરાંત ગરુડધ્વજ અને હાથી ધારણ કરેલ છે. દેવના મુકુટની પાછળ આવેલ આભામંડળમાં સાત નાગપુરુષોનાં શિલ્પો કોતરેલાં છે. દેવના…

વધુ વાંચો >

સાગરનંદિન્

સાગરનંદિન્ (12મી સદી) : પ્રાચીન ભારતીય નાટ્યશાસ્ત્રી અને ‘નાટકલક્ષણરત્નકોશ’ નામના ભારતીય નાટ્યવિવેચન વિશેના ગ્રંથના લેખક. તેમના જીવન વિશે વિગતો મળતી નથી. તેથી તેમના સમય વિશે પણ અનુમાનનો આશ્રય લેવો પડે છે. ‘અમરકોશ’ પરની ‘પદાર્થચંદ્રિકા’ નામની ટીકામાં રાયમુકુટ નામના તેના ટીકાકારે ‘નાટકલક્ષણરત્નકોશ’નો ઉલ્લેખ કર્યો છે. આ ટીકા 1431માં લખાઈ છે, તેથી…

વધુ વાંચો >

સાગર મૂવીટોન

સાગર મૂવીટોન : સ્થાપના 1930. ભારતીય ચલચિત્રનિર્માતા સંસ્થા. ભારતીય ચલચિત્રોનો સવાક યુગ શરૂ થવા આડે માંડ એકાદ વર્ષની વાર હતી ત્યારે સાગર ફિલ્મ કંપનીની સ્થાપના ચિમનલાલ વી. દેસાઈએ કરી હતી. તેમના ભાગીદાર અંબાલાલ પટેલ હતા. ચિમનલાલ દેસાઈ મૂળ તો બૅંગાલુરુમાં કોલસાનો વેપાર કરતા હતા. ચલચિત્રો સાથે આમ કોઈ લેવાદેવા હતી…

વધુ વાંચો >

સાગર, રામાનંદ

સાગર, રામાનંદ (જ. 29 ડિસેમ્બર 1917, અસલ ગુરુ કે નામ, લાહોર ઇલાકો, હવે પાકિસ્તાનમાં; અ. 12 ડિસેમ્બર 2005, મુંબઈ) : ચલચિત્ર અને દૃશ્ય-શ્રાવ્ય ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક તથા પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક. મૂળ નામ ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પક્ષના પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું.…

વધુ વાંચો >

સાગર સંગમે

સાગર સંગમે : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1958. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી. દિગ્દર્શક : દેવકી બોઝ. પટકથા : દેવકી બોઝ, પ્રેમેન્દ્ર મિત્ર. સંગીત : આર. સી. બોરાલ. છબિકલા : બિમલ મુખોપાધ્યાય. મુખ્ય કલાકારો : ભારતી દાસ, મંજુ અધિકારી, નીતેશ મુખોપાધ્યાય, ઝહર રૉય, તુલસી લાહિડી, શૈલેન મુખરજી. બંગાળી ચિત્રજગતમાં નોંધપાત્ર…

વધુ વાંચો >

સાગરા, ઈશ્વર

સાગરા, ઈશ્વર (જ. 1936, અમદાવાદ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. અમદાવાદમાં હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરતા મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. બાળપણ અમદાવાદમાં વીત્યું. ઈશ્વર સાગરાનું ઍબ્સર્ડ ચિત્ર કલાના કોઈ પણ પ્રકારના વૈધિક અભ્યાસ વિના જ એમણે ચિત્રકલાની સાધના કરી. એમાં એમના મોટાભાઈ અને જાણીતા ચિત્રકાર પિરાજી સાગરાનાં માર્ગદર્શન…

વધુ વાંચો >

સાગરા પિરાજી

સાગરા, પિરાજી (જ. 1931, અમદાવાદ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પકાર. હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરનાર મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળની કલા-શાળા ગુજરાત કલાસંઘમાં કલાની તાલીમ લેવા માટે જોડાયા. 1953માં તેમણે ‘ડ્રૉઇન્ગ ટીચર્સ ડિપ્લોમા’ પ્રાપ્ત કર્યો અને અમદાવાદની…

વધુ વાંચો >

સાગોળ (lime)

સાગોળ (lime) : મકાનના બાંધકામમાં વપરાતા માલસામાનમાં એક અગત્યનો પદાર્થ. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો રહ્યો છે. જ્યારે તે રેતી અને પાણી સાથે યોગ્ય પ્રમાણમાં ભેગો કરવામાં આવે છે ત્યારે સાગોળ કોલ બને છે. તેનો ઉપયોગ બંધક તરીકે પથ્થર, ઈંટ, દીવાલ તથા છતનું પ્લાસ્ટર કરવામાં થાય છે. સાગોળ કૉન્ક્રીટ એ…

વધુ વાંચો >

સેંટ બર્નાર્ડ ઘાટ

Feb 2, 2008

સેંટ બર્નાર્ડ ઘાટ : સ્વિસ આલ્પ્સ પર્વતમાળામાં આવેલા આ નામના બે ઘાટ : ગ્રેટ સેંટ બર્નાર્ડ ઘાટ અને લિટલ સેંટ બર્નાર્ડ ઘાટ. રોમનોએ આ બંને ઘાટનો તેમની લશ્કરી હેરફેર માટે ઉપયોગ કરેલો. આજે પણ આ બંને ઘાટ માર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે. અહીં પ્રવાસીઓની સુવિધા જાળવવાના હેતુથી ધર્મશાળા જેવી રહેવાની…

વધુ વાંચો >

સેંત બવ ચાર્લ્સ ઑગસ્તિન

Feb 2, 2008

સેંત બવ, ચાર્લ્સ ઑગસ્તિન (જ. 23 ડિસેમ્બર 1804, બોલોન, ફ્રાન્સ; અ. 13 ઑક્ટોબર 1869, પૅરિસ) : ફ્રેન્ચ સાહિત્યનો ઇતિહાસ લખનાર વિવેચક. રેનૅસાંથી 19મી સદીના ફ્રેન્ચ સાહિત્યની ઝીણામાં ઝીણી વિગતોને તેમણે પ્રમાણભૂત રીતે રજૂ કરી છે. ટેક્સ-અધીક્ષક પિતાનું મૃત્યુ તેમના જન્મ પહેલાં થયું હતું. તેમનું શિક્ષણ પૅરિસમાં. દાક્તરી વિદ્યાનો અભ્યાસ અધૂરો…

વધુ વાંચો >

સૅંદ જ્યૉર્જ

Feb 2, 2008

સૅંદ, જ્યૉર્જ (જ. 1 જુલાઈ 1804, પૅરિસ; અ. 8 જૂન 1876, નૉહા, ફ્રાન્સ) : ફ્રેન્ચ મહિલા નવલકથાકાર, નાટ્યકાર, પ્રવાસકથાકાર, પત્રકાર, પત્રલેખક અને આત્મવૃત્તાંતલેખિકા. મૂળ નામ આમૅન્તાઇન – ઑરોર-લુસિલ દુપિન બૅરોનેસ દુદેવા. પિતા મુરાતના એઇદ-દ-કૅમ્પ હતા. માતા પૅરિસમાં છેલ્લામાં છેલ્લી ઢબના સ્ત્રીપરિધાનનાં નિષ્ણાત હતાં. જ્યૉર્જ માતા અને દાદી વચ્ચેના કલહનું નિમિત્ત…

વધુ વાંચો >

સૈદ અલી મીર

Feb 2, 2008

સૈદ અલી, મીર (જ. 16મી સદી, તબ્રિઝ, ઈરાન; અ. 16મી સદી, ભારત) : ભારતીય મુઘલ લઘુચિત્રકલાના બે સ્થાપક ચિત્રકારોમાંના એક (બીજા તે અબ્દુસ-સમદ). ઈરાનની સફાવીદ ચિત્રકલાના મશહૂર ચિત્રકાર મુસાવ્વીર સોલ્તાનિયે મીરના તે પુત્ર. મુઘલ બાદશાહ હુમાયૂંના આમંત્રણથી 1545માં ચિત્રકાર અબ્દુસ-સમદ સાથે તેઓ કાબુલ થઈને દિલ્હી આવી પહોંચ્યા. હુમાયૂંએ ભારતભરમાંથી દિલ્હી…

વધુ વાંચો >

સૈનિક શાળા  બાલાચડી

Feb 2, 2008

સૈનિક શાળા  બાલાચડી : ગુજરાત રાજ્યની એકમાત્ર સૈનિક શાળા. તે સૌરાષ્ટ્રના જામનગર શહેરથી 32 કિમી. દૂર જામનગર અને રાજકોટ વચ્ચેના ધોરી માર્ગ પર આવેલી છે. લગભગ 426 એકર જેટલો વિશાળ ભૂભાગ તે આવરી લે છે. તેની સ્થાપના 1961માં થયેલી. 1961-64 દરમિયાન તે જામનગર શહેરમાં કાર્યરત હતી અને ત્યારબાદ તે બાલાચડી…

વધુ વાંચો >

સૈની અજીત

Feb 2, 2008

સૈની, અજીત (જ. 23 જુલાઈ 1922, બોલવાલ, જિ. હોશિયારપુર, પંજાબ) : પંજાબી લેખક અને પત્રકાર. પંજાબ યુનિવર્સિટીમાંથી તેમણે એમ.એ.; ગ્યાનીની પદવી મેળવી. તેઓ સ્વાતંત્ર્યસૈનિક હતા; 1943માં ઇન્ડિયન નૅશનલ આર્મી, મલાયામાં અધિકારી; ‘આઝાદ હિંદ’ના સંપાદક; 1945માં ઇન્ડિયન નૅશનલ આર્મીના મુખ્ય મથક હાલના મ્યાનમાર દેશના રંગુન (યાન્ગોંગ) શહેરના પ્રેસ અને રેડિયો સંપર્ક…

વધુ વાંચો >

સૈની પ્રીતમ

Feb 2, 2008

સૈની, પ્રીતમ [જ. 7 જૂન 1926, કરવાલ, જિ. સિયાલકોટ (હાલ પાકિસ્તાન)] : પંજાબી લેખક અને વિવેચક. તેમણે પંજાબ યુનિવર્સિટી, પતિયાળામાંથી એમ.એ., પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. પછી પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી. તેઓ કેન્દ્રીય પંજાબી લેખક સભાના આજીવન સભ્ય; પંજાબી લેખક સભા, સંગરૂરના પ્રમુખ અને યુનિયન ઑવ્ જર્નાલિસ્ટ્સ, સંગરૂરના સિનિયર ઉપપ્રમુખ રહ્યા…

વધુ વાંચો >

સૈની રાજકુમાર

Feb 2, 2008

સૈની, રાજકુમાર (જ. 7 સપ્ટેમ્બર 1942, દિલ્હી) : હિંદી વિવેચક અને લેખક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ. (હિંદી) તથા એલએલ.બી.ની તેમજ ‘સાહિત્યરત્ન’ની પદવી મેળવી, પછી તેઓ ગૃહ-વિષયક બાબતોના મંત્રાલય હેઠળ રાજભાષા વિભાગના નિયામક (સંશોધન) તરીકે જોડાયા. તેઓ રાજભાષા અંગેની સંસદ સમિતિમાં કાર્યકારી સેક્રેટરી; ‘રાજભાષા ભારતી’ અને ‘રાજભાષા પુષ્પમાલા’ના સંપાદક; ફણીશ્વરનાથ રેણુ…

વધુ વાંચો >

સૈન્ધવ રાજ્ય

Feb 2, 2008

સૈન્ધવ રાજ્ય : સૌરાષ્ટ્રમાં 8મી સદીમાં અહિવર્મા 1લાના પુત્ર પુષ્યેણે આશરે ઈ. સ. 711માં સ્થાપેલ રાજવંશ. સૌરાષ્ટ્રના આ સૈન્ધવ વંશમાં કુલ 14 શાસકો થયા હતા, જેનો છેલ્લો શાસક જાઈક 2જો આશરે ઈ. સ. 900થી 920 દરમિયાન સત્તા ઉપર હતો. આ વંશના મૂળપુરુષને સિંધદેશનો માનવામાં આવે છે. આ વંશનો મૂળપુરુષ આરબ…

વધુ વાંચો >

સૈફખાન-1થી 4

Feb 2, 2008

સૈફખાન-1 : તારીખ 5 એપ્રિલ, 1526થી તારીખ 26મી મે, 1526 દરમિયાન ગુજરાત પર શાસન કરનાર સુલતાન સિકંદરખાનને પોતાના જ શયનખંડમાં મારી નાખનારા કાવતરાબાજોમાંનો એક. આ કાવતરાખોરોની ટોળકીમાં બહાઉલ્મુલ્ક, દાર-ઉલ-મુલ્ક, એક હબસી ગુલામ અને કેટલાક તુર્ક ગુલામો સાથે તે પણ સામેલ થયો હતો. સૈફખાન સહિત તમામની માહિતી ‘મિરાતે સિકંદરી’નો કર્તા આપે…

વધુ વાંચો >