ખંડ-૨૩
સાગરથી સૈરંધ્રી
સીતારામૈયા વી.
સીતારામૈયા, વી. (જ. 1899, બુડિગરે, બૅંગલોર; અ. 1983) : કન્નડ કવિ, વિવેચક, નાટ્યકાર અને નિબંધકાર. તેઓ સામાન્ય રીતે વી. સી. તરીકે ઓળખાતા. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અરાલુ-બરાલુ’ બદલ 1973ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. બૅંગલોરમાં અભ્યાસ બાદ મૈસૂર યુનિવર્સિટીમાંથી તેમણે 1922માં અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્ર સાથે એમ.એ.ની પદવી મેળવી, અધ્યાપનકાર્ય…
વધુ વાંચો >સીદી
સીદી : મૂળે પૂર્વ આફ્રિકાના એબિસિનિયા વિસ્તારમાંથી ભારતમાં અંદાજે 17મી સદીમાં મુખ્યત્વે ગુલામો તરીકે મજૂરી કરવા માટે આવેલું નિગ્રો જાતિનાં લક્ષણો ધરાવતું જૂથ. ભારતમાં પશ્ચિમ કિનારાનાં રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ તથા દીવ-દમણમાં પણ તેમની છૂટીછવાઈ વસ્તી જોવા મળે છે. ભારતમાં નોંધપાત્ર વસ્તી ગુજરાતના પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે. સૌરાષ્ટ્રમાં તેમની મુખ્ય…
વધુ વાંચો >સીદી બશીરની મસ્જિદ
સીદી બશીરની મસ્જિદ : સલ્તનતકાલીન ગુજરાતની જાણીતી મસ્જિદ. અમદાવાદના મધ્યકાલીન સ્થપતિ અને સૂફી સંત સીદી બશીરે આ મસ્જિદ બંધાવી હતી. સંત હજરત શાહઆલમ સાહેબના ખલીફાઓમાં તેમને માનભર્યું સ્થાન મળ્યું હતું. અમદાવાદના રેલવે-સ્ટેશનની બાજુમાં સારંગપુર પાણીની ટાંકીની સામે આ મસ્જિદ આવેલી છે. હાલમાં તેનો કમાનવાળો ભાગ તથા મિનારા જ જળવાઈ રહ્યા…
વધુ વાંચો >સીદી સઈદ
સીદી સઈદ (જ. ? હબ્શા, એબિસિનિયા, આફ્રિકા; અ. 24 ડિસેમ્બર 1576) : ગુજરાતની મુઝફ્ફરી સલ્તનતના અંતકાળનો વિદ્યાઉપાસક અમીર. જેમણે સુલતાન મહમૂદશાહ ત્રીજા (1536-1553) અને સુલતાન અહમદશાહ બીજા(1560-1573)નો સમય જોયો હતો. તેમણે અમદાવાદમાં પ્રખ્યાત જાળીવાળી મસ્જિદ બંધાવી હતી. સીદી સઈદ હબ્શાથી યમન આવીને તુર્કોની ફોજમાં જોડાયા હતા અને મુસ્તફાખાન રૂમી નામના…
વધુ વાંચો >સીદી સઈદની મસ્જિદ
સીદી સઈદની મસ્જિદ : જાળીકામ માટે આંતરરાષ્ટ્રીય ખ્યાત અમદાવાદની મસ્જિદ. લાલ દરવાજા પાસે આવેલી આ મસ્જિદ ભારતના કલાત્મક નમૂનાઓમાં સ્થાન પામેલી છે. આ મસ્જિદને ‘સીદી સૈયદની મસ્જિદ’ તરીકે ઓળખવામાં આવે છે તે ખોટું છે; વાસ્તવમાં ‘સીદી સઈદ’ છે. તે સલ્તનતકાલની છે. રાણી સિપ્રીની મસ્જિદની જેમ તે નાની પરંતુ આકર્ષક છે.…
વધુ વાંચો >સીન નદી (Seine)
સીન નદી (Seine) : ફ્રાન્સમાં આવેલી નદી. સીન અને તેની શાખા-નદીઓ ફ્રાન્સનો વેપારી જળમાર્ગ રચે છે. ભૌગોલિક સ્થાન : 49° 26´ ઉ. અ. અને 0° 26´ પૂ. રે.. તે ડી જૉનથી વાયવ્યમાં 29 કિમી. અંતરે આવેલા સ્થળેથી નીકળે છે. ત્યાંથી વાંકાચૂકા માર્ગે વહી, 764 કિમી.નું અંતર પસાર કરીને છેવટે લ…
વધુ વાંચો >સીનેબાર
સીનેબાર : પારાનું મુખ્ય ખનિજ. રાસા. બં. : HgS. સ્ફ. વર્ગ : હૅક્ઝાગોનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો રહોમ્બોહેડ્રલથી માંડીને જાડા મેજ-આકાર; નાજુકથી માંડીને મજબૂત પ્રિઝમેટિક સ્વરૂપો પણ મળે; મોટેભાગે દળદાર, સૂક્ષ્મદાણાદાર; સ્ફટિકમય પોપડીઓ કે ચૂર્ણમય આચ્છાદનો રૂપે પણ મળે. યુગ્મતા (0001) ફલક પર, ઘણી વાર યુગ્મોમાં આંતરગૂંથણી પણ હોય. દેખાવ…
વધુ વાંચો >સીપી (CP) ઉલ્લંઘન
સીપી (CP) ઉલ્લંઘન : સંયુક્તપણે વિદ્યુતભાર (C) અને સમતા (P)ના સંરક્ષણના નિયમનો ભંગ થતો હોય તેવી ન્યૂક્લિયર પ્રક્રિયા. તમામ ન્યૂક્લિયર પ્રક્રિયાઓમાં વિદ્યુતભાર(charge)નું સંરક્ષણ થાય છે અને તેમાં કોઈ અપવાદ હજુ સુધી જોવા મળ્યો નથી. સમતા(parity)નો સિદ્ધાંત દર્શાવે છે કે જગત (world) અને તેના દર્પણ-પ્રતિબિંબ (mirror image) વચ્ચે સમમિતિ (symmetry) પ્રવર્તે…
વધુ વાંચો >સી.પી.એમ. (CPM – critical path method)
સી.પી.એમ. (CPM – critical path method) : આલોચક માર્ગપદ્ધતિ. જે પરિયોજના પૂર્ણ કરવાનો સમય અગાઉથી નિ:શંક જ્ઞાત છે તેને કુશળતાપૂર્વક પૂરી પાડવા માટેનું વિશ્લેષણાત્મક માળખું. ધંધાકીય એકમનું ભાવિ આયોજન અને અંકુશ પર આધારિત છે. આયોજન ભવિષ્યમાં અને અંકુશ ભૂતકાળમાં જુએ છે. એ બેની વચ્ચે ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ હોય છે. આયોજન…
વધુ વાંચો >સી-પ્લેન (Sea Plane)
સી–પ્લેન (Sea Plane) : પાણી ઉપરથી સીધું હવામાં ઉડાણ ભરી શકે તથા પાણીમાં જ ઉતરાણ કરી શકે તેવું ઍરોપ્લેન. આવાં સી-પ્લેન બે પ્રકારનાં હોય છે : (1) તરતાં ઍરોપ્લેન તથા (2) ઊડતી હોડી જેવાં ઍરોપ્લેન (flying boats). તરતાં ઍરોપ્લેન (float plane) સામાન્ય ઍરોપ્લેન જેવાં જ હોય છે, પરંતુ પ્લેનનાં પૈડાંને…
વધુ વાંચો >સાગર
સાગર (જ. 7 ફેબ્રુઆરી 1883, જંબુસર; અ. 17 ઑગસ્ટ 1936) : મસ્તરંગના ગુજરાતી કવિઓમાંના એક. મૂળ નામ જગન્નાથ. પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ રુક્મિણી. અવટંકે ત્રિપાઠી. અભ્યાસ સાત ધોરણ સુધીનો. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે પણ તેઓ સંકળાયેલા. કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન. બાળપણથી હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય બન્યા પછી…
વધુ વાંચો >સાગર
સાગર : મધ્યપ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 50´ ઉ. અ. અને 78° 43´ પૂ. રે.ની આજુબાજુનો 10,252 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઝાંસી (ઉ. પ્ર.) જિલ્લો, પૂર્વમાં દમોહ જિલ્લો, દક્ષિણે નરસિંહપુર, નૈર્ઋત્યમાં રાયસેન, પશ્ચિમે વિદિશા, વાયવ્યમાં ગુના…
વધુ વાંચો >સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો
સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો : બંગાળમાં સાગરદિગ્ધીમાંથી ધાતુનાં અનુપમ વિષ્ણુશિલ્પો. કૉલકાતાના બંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં સંગૃહીત ષડ્ભુજ વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ભારતીય શિલ્પના વિશિષ્ટ નમૂના તરીકે પ્રખ્યાત છે. ષડ્ભુજ શિલ્પમાં વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા, પદ્મ ઉપરાંત ગરુડધ્વજ અને હાથી ધારણ કરેલ છે. દેવના મુકુટની પાછળ આવેલ આભામંડળમાં સાત નાગપુરુષોનાં શિલ્પો કોતરેલાં છે. દેવના…
વધુ વાંચો >સાગરનંદિન્
સાગરનંદિન્ (12મી સદી) : પ્રાચીન ભારતીય નાટ્યશાસ્ત્રી અને ‘નાટકલક્ષણરત્નકોશ’ નામના ભારતીય નાટ્યવિવેચન વિશેના ગ્રંથના લેખક. તેમના જીવન વિશે વિગતો મળતી નથી. તેથી તેમના સમય વિશે પણ અનુમાનનો આશ્રય લેવો પડે છે. ‘અમરકોશ’ પરની ‘પદાર્થચંદ્રિકા’ નામની ટીકામાં રાયમુકુટ નામના તેના ટીકાકારે ‘નાટકલક્ષણરત્નકોશ’નો ઉલ્લેખ કર્યો છે. આ ટીકા 1431માં લખાઈ છે, તેથી…
વધુ વાંચો >સાગર મૂવીટોન
સાગર મૂવીટોન : સ્થાપના 1930. ભારતીય ચલચિત્રનિર્માતા સંસ્થા. ભારતીય ચલચિત્રોનો સવાક યુગ શરૂ થવા આડે માંડ એકાદ વર્ષની વાર હતી ત્યારે સાગર ફિલ્મ કંપનીની સ્થાપના ચિમનલાલ વી. દેસાઈએ કરી હતી. તેમના ભાગીદાર અંબાલાલ પટેલ હતા. ચિમનલાલ દેસાઈ મૂળ તો બૅંગાલુરુમાં કોલસાનો વેપાર કરતા હતા. ચલચિત્રો સાથે આમ કોઈ લેવાદેવા હતી…
વધુ વાંચો >સાગર, રામાનંદ
સાગર, રામાનંદ (જ. 29 ડિસેમ્બર 1917, અસલ ગુરુ કે નામ, લાહોર ઇલાકો, હવે પાકિસ્તાનમાં; અ. 12 ડિસેમ્બર 2005, મુંબઈ) : ચલચિત્ર અને દૃશ્ય-શ્રાવ્ય ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક તથા પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક. મૂળ નામ ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પક્ષના પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું.…
વધુ વાંચો >સાગર સંગમે
સાગર સંગમે : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1958. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી. દિગ્દર્શક : દેવકી બોઝ. પટકથા : દેવકી બોઝ, પ્રેમેન્દ્ર મિત્ર. સંગીત : આર. સી. બોરાલ. છબિકલા : બિમલ મુખોપાધ્યાય. મુખ્ય કલાકારો : ભારતી દાસ, મંજુ અધિકારી, નીતેશ મુખોપાધ્યાય, ઝહર રૉય, તુલસી લાહિડી, શૈલેન મુખરજી. બંગાળી ચિત્રજગતમાં નોંધપાત્ર…
વધુ વાંચો >સાગરા, ઈશ્વર
સાગરા, ઈશ્વર (જ. 1936, અમદાવાદ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. અમદાવાદમાં હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરતા મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. બાળપણ અમદાવાદમાં વીત્યું. ઈશ્વર સાગરાનું ઍબ્સર્ડ ચિત્ર કલાના કોઈ પણ પ્રકારના વૈધિક અભ્યાસ વિના જ એમણે ચિત્રકલાની સાધના કરી. એમાં એમના મોટાભાઈ અને જાણીતા ચિત્રકાર પિરાજી સાગરાનાં માર્ગદર્શન…
વધુ વાંચો >સાગરા પિરાજી
સાગરા, પિરાજી (જ. 1931, અમદાવાદ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પકાર. હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરનાર મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળની કલા-શાળા ગુજરાત કલાસંઘમાં કલાની તાલીમ લેવા માટે જોડાયા. 1953માં તેમણે ‘ડ્રૉઇન્ગ ટીચર્સ ડિપ્લોમા’ પ્રાપ્ત કર્યો અને અમદાવાદની…
વધુ વાંચો >સાગોળ (lime)
સાગોળ (lime) : મકાનના બાંધકામમાં વપરાતા માલસામાનમાં એક અગત્યનો પદાર્થ. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો રહ્યો છે. જ્યારે તે રેતી અને પાણી સાથે યોગ્ય પ્રમાણમાં ભેગો કરવામાં આવે છે ત્યારે સાગોળ કોલ બને છે. તેનો ઉપયોગ બંધક તરીકે પથ્થર, ઈંટ, દીવાલ તથા છતનું પ્લાસ્ટર કરવામાં થાય છે. સાગોળ કૉન્ક્રીટ એ…
વધુ વાંચો >