ખંડ-૨૩
સાગરથી સૈરંધ્રી
સેન્ટ્રલ બોર્ડ ઑવ્ ડાઇરેક્ટ ટેક્સીઝ (કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ)
સેન્ટ્રલ બોર્ડ ઑવ્ ડાઇરેક્ટ ટેક્સીઝ (કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ) : ભારત સરકારે પ્રત્યક્ષ કરવેરાના અધિનિયમો હેઠળ વૈધિક અધિકારો સાથે રચેલું બોર્ડ. આયકર અધિનિયમ અને સંપત્તિકર અધિનિયમ જેવા વિવિધ અધિનિયમો મહેસૂલી આવક મેળવવા માટે કેન્દ્ર સરકારે ઘડેલા છે. આ પ્રકારના અધિનિયમો બનાવવા માટે પ્રત્યેક દેશની વિધાનસભા, પૂરતા સમયના અભાવે અને સૂચિત…
વધુ વાંચો >સેન્ટ્રલ માઇનિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશન ધનબાદ
સેન્ટ્રલ માઇનિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશન, ધનબાદ : ભારત સરકારની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદે સ્થાપેલ રાષ્ટ્રીય પ્રયોગશાળાઓમાંની એક. આ સંસ્થાની સ્થાપના 10મી મે, 1956માં કરવામાં આવી. આ સંસ્થામાં ખનનપ્રક્રિયાને સલામત, ઉત્પાદકીય, સસ્તી, બિનપ્રદૂષક તેમજ પર્યાવરણસંગત બનાવવા આવશ્યક સંશોધનનાં તથા વિકાસનાં કાર્યો હાથ ધરવામાં આવે છે. આ સંસ્થાનું મુખ્ય કાર્ય ખનિજ-સંલગ્ન ઔદ્યોગિક…
વધુ વાંચો >સેન્ટ્રલ મિકૅનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દુર્ગાપુર
સેન્ટ્રલ મિકૅનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દુર્ગાપુર : વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ(Council of Scientific & Industrial Research, C.S.I.R.)ના નેજા હેઠળ ફેબ્રુઆરી 1958માં સ્થપાયેલ કેન્દ્રીય યાંત્રિક ઇજનેરી સંશોધન સંસ્થા. ઇજનેરી ક્ષેત્રો પૈકી યાંત્રિક ઇજનેરી એ આયાત કરાતી તકનીકોનો ત્રીજો ભાગ રોકી લે છે. આ ક્ષેત્રમાં સ્વનિર્ભરતા તથા સમજૂતી કેળવવાના હેતુસર આ…
વધુ વાંચો >સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કટક
સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કટક : ઈ. સ. 1942માં બંગાળ પ્રાંત(હાલનો બાંગલાદેશ અને ભારતનું પશ્ચિમ બંગાળ)માં એપિફોઇટોટિક બ્રાઉન સચોટ નામના ચોખાના કૃષિરોગને કારણે ચોખાની તીવ્ર અછત ઊભી થઈ હતી. આવી દુ:ખદાયક પરિસ્થિતિને પહોંચી વળવામાં તંત્રની નિષ્ફળતા 1943માં બંગાળમાં તીવ્ર દુષ્કાળમાં પરિણમી. આ પશ્ર્ચાદભૂના અનુસંધાનમાં કેન્દ્ર સરકારે ઈ. સ. 1944માં ચોખાના…
વધુ વાંચો >સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CRRI)
સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CRRI) : માર્ગોના વિકાસને લગતા સંશોધન માટેની કેન્દ્રીય સંસ્થા. ભારતમાં માર્ગોના આયોજન, અભિકલ્પન, બાંધકામ અને નિભાવ માટેની એવી સમસ્યાઓ ઉપસ્થિત થાય છે કે જેમનું સમાધાન વિશ્વના અન્ય દેશોમાં થયેલાં સંશોધનોનાં તારણોનો ઉપયોગ કરીને થઈ ન શકે. તે અંગે સ્થાનિક પરિબળોને ધ્યાનમાં લઈને આગવો ઉકેલ શોધવો જરૂરી…
વધુ વાંચો >સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આડિયાર ચેન્નાઈ
સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આડિયાર, ચેન્નાઈ : વિશ્વની સૌથી મોટી કેન્દ્રીય ચર્મસંશોધન સંસ્થા. તેની સ્થાપના 24મી એપ્રિલ, 1948ના રોજ કરવામાં આવી હતી. આજે આ સંસ્થા ભારતીય ચર્મક્ષેત્રનું કેન્દ્રબિંદુ છે. શિક્ષણ, સંશોધન, તાલીમ, ચકાસણી, નકશાકૃતિ, ડિઝાઇન, સામાજિક સજ્જતા અને ચર્મઉદ્યોગને લગતા વિજ્ઞાન અને તકનીકીમાં આ સંસ્થાનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. ભારતના આર્થિક…
વધુ વાંચો >સેન્ટ્રલ વૉટર ઍન્ડ પાવર રિસર્ચ સ્ટેશન પુણે (Central Water and Power Research Station – CWPR Pune)
સેન્ટ્રલ વૉટર ઍન્ડ પાવર રિસર્ચ સ્ટેશન, પુણે (Central Water and Power Research Station – CWPR, Pune) : રાષ્ટ્રીય કક્ષાએ જલશક્તિવિદ્યાનું ઉત્તમ કેન્દ્ર (CWPR) પુણે ખાતે આવેલું છે. 1916માં નાના પાયે સ્થપાયેલ આ કેન્દ્ર શરૂઆતથી જ સિંચાઈ અને જલનિકાલના પ્રશ્નો હલ કરે છે. આજે આ કેન્દ્ર જલશક્તિ બાબતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું બની…
વધુ વાંચો >સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઑર્ગેનાઇઝેશન ચંડીગઢ (Central Scientific Instrument Organisation – CSIO Chandigarh)
સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઑર્ગેનાઇઝેશન, ચંડીગઢ (Central Scientific Instrument Organisation – CSIO, Chandigarh) : વૈજ્ઞાનિક તેમજ ઔદ્યોગિક સાધનો અને યંત્રોના નિર્માણ, તેમજ તેમની રચના (design) અંગે સંશોધન માટે, ભારત સરકારની વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી મંત્રાલય દ્વારા સ્થાપિત સ્વાયત્ત સંસ્થા. Council of Scientific and Industrial Research(CSIR)ની એક લેબૉરેટરી તરીકે આ સંસ્થાની સ્થાપના 1959માં…
વધુ વાંચો >સેન્ટ્રલ સૉઇલ ઇન્સ્ટિટ્યૂટ નાગપુર
સેન્ટ્રલ સૉઇલ ઇન્સ્ટિટ્યૂટ, નાગપુર : જમીન-સર્વેક્ષણ અને ભૂમિ-ઉપયોગ-આયોજન સાથે સંકળાયેલી એક ભારતીય સંસ્થા. તેની સ્થાપના ભારતીય કૃષિ-સંશોધન પરિષદ દ્વારા 1976માં નવી દિલ્હી ખાતે કરવામાં આવી હતી અને 1978માં તેનું મુખ્ય મથક નાગપુર ખાતે ખસેડવામાં આવ્યું હતું. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ દેશ, રાજ્ય, જિલ્લા અને ગ્રામીણ સ્તરે જમીનનું સર્વેક્ષણ કરી તેના…
વધુ વાંચો >સેન્ટ્રલ સૉલ્ટ ઍન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર
સેન્ટ્રલ સૉલ્ટ ઍન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ભાવનગર : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (C.S.I.R.) (ન્યૂ દિલ્હી) હેઠળની રાષ્ટ્રીય પ્રયોગશાળા. 1947માં સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના ઘણા ભાગોમાં મીઠાની તીવ્ર અછત ઊભી થઈ હતી. આ અછત નિવારવા માટે C.S.I.R.-એ મીઠાના ઉત્પાદન અને ઉપયોગ અંગે સંશોધન કરવા માટે એક અલગ કેન્દ્રીય…
વધુ વાંચો >સાગર
સાગર (જ. 7 ફેબ્રુઆરી 1883, જંબુસર; અ. 17 ઑગસ્ટ 1936) : મસ્તરંગના ગુજરાતી કવિઓમાંના એક. મૂળ નામ જગન્નાથ. પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ રુક્મિણી. અવટંકે ત્રિપાઠી. અભ્યાસ સાત ધોરણ સુધીનો. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે પણ તેઓ સંકળાયેલા. કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન. બાળપણથી હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય બન્યા પછી…
વધુ વાંચો >સાગર
સાગર : મધ્યપ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 50´ ઉ. અ. અને 78° 43´ પૂ. રે.ની આજુબાજુનો 10,252 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઝાંસી (ઉ. પ્ર.) જિલ્લો, પૂર્વમાં દમોહ જિલ્લો, દક્ષિણે નરસિંહપુર, નૈર્ઋત્યમાં રાયસેન, પશ્ચિમે વિદિશા, વાયવ્યમાં ગુના…
વધુ વાંચો >સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો
સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો : બંગાળમાં સાગરદિગ્ધીમાંથી ધાતુનાં અનુપમ વિષ્ણુશિલ્પો. કૉલકાતાના બંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં સંગૃહીત ષડ્ભુજ વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ભારતીય શિલ્પના વિશિષ્ટ નમૂના તરીકે પ્રખ્યાત છે. ષડ્ભુજ શિલ્પમાં વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા, પદ્મ ઉપરાંત ગરુડધ્વજ અને હાથી ધારણ કરેલ છે. દેવના મુકુટની પાછળ આવેલ આભામંડળમાં સાત નાગપુરુષોનાં શિલ્પો કોતરેલાં છે. દેવના…
વધુ વાંચો >સાગરનંદિન્
સાગરનંદિન્ (12મી સદી) : પ્રાચીન ભારતીય નાટ્યશાસ્ત્રી અને ‘નાટકલક્ષણરત્નકોશ’ નામના ભારતીય નાટ્યવિવેચન વિશેના ગ્રંથના લેખક. તેમના જીવન વિશે વિગતો મળતી નથી. તેથી તેમના સમય વિશે પણ અનુમાનનો આશ્રય લેવો પડે છે. ‘અમરકોશ’ પરની ‘પદાર્થચંદ્રિકા’ નામની ટીકામાં રાયમુકુટ નામના તેના ટીકાકારે ‘નાટકલક્ષણરત્નકોશ’નો ઉલ્લેખ કર્યો છે. આ ટીકા 1431માં લખાઈ છે, તેથી…
વધુ વાંચો >સાગર મૂવીટોન
સાગર મૂવીટોન : સ્થાપના 1930. ભારતીય ચલચિત્રનિર્માતા સંસ્થા. ભારતીય ચલચિત્રોનો સવાક યુગ શરૂ થવા આડે માંડ એકાદ વર્ષની વાર હતી ત્યારે સાગર ફિલ્મ કંપનીની સ્થાપના ચિમનલાલ વી. દેસાઈએ કરી હતી. તેમના ભાગીદાર અંબાલાલ પટેલ હતા. ચિમનલાલ દેસાઈ મૂળ તો બૅંગાલુરુમાં કોલસાનો વેપાર કરતા હતા. ચલચિત્રો સાથે આમ કોઈ લેવાદેવા હતી…
વધુ વાંચો >સાગર, રામાનંદ
સાગર, રામાનંદ (જ. 29 ડિસેમ્બર 1917, અસલ ગુરુ કે નામ, લાહોર ઇલાકો, હવે પાકિસ્તાનમાં; અ. 12 ડિસેમ્બર 2005, મુંબઈ) : ચલચિત્ર અને દૃશ્ય-શ્રાવ્ય ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક તથા પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક. મૂળ નામ ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પક્ષના પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું.…
વધુ વાંચો >સાગર સંગમે
સાગર સંગમે : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1958. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી. દિગ્દર્શક : દેવકી બોઝ. પટકથા : દેવકી બોઝ, પ્રેમેન્દ્ર મિત્ર. સંગીત : આર. સી. બોરાલ. છબિકલા : બિમલ મુખોપાધ્યાય. મુખ્ય કલાકારો : ભારતી દાસ, મંજુ અધિકારી, નીતેશ મુખોપાધ્યાય, ઝહર રૉય, તુલસી લાહિડી, શૈલેન મુખરજી. બંગાળી ચિત્રજગતમાં નોંધપાત્ર…
વધુ વાંચો >સાગરા, ઈશ્વર
સાગરા, ઈશ્વર (જ. 1936, અમદાવાદ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. અમદાવાદમાં હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરતા મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. બાળપણ અમદાવાદમાં વીત્યું. ઈશ્વર સાગરાનું ઍબ્સર્ડ ચિત્ર કલાના કોઈ પણ પ્રકારના વૈધિક અભ્યાસ વિના જ એમણે ચિત્રકલાની સાધના કરી. એમાં એમના મોટાભાઈ અને જાણીતા ચિત્રકાર પિરાજી સાગરાનાં માર્ગદર્શન…
વધુ વાંચો >સાગરા પિરાજી
સાગરા, પિરાજી (જ. 1931, અમદાવાદ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પકાર. હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરનાર મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળની કલા-શાળા ગુજરાત કલાસંઘમાં કલાની તાલીમ લેવા માટે જોડાયા. 1953માં તેમણે ‘ડ્રૉઇન્ગ ટીચર્સ ડિપ્લોમા’ પ્રાપ્ત કર્યો અને અમદાવાદની…
વધુ વાંચો >સાગોળ (lime)
સાગોળ (lime) : મકાનના બાંધકામમાં વપરાતા માલસામાનમાં એક અગત્યનો પદાર્થ. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો રહ્યો છે. જ્યારે તે રેતી અને પાણી સાથે યોગ્ય પ્રમાણમાં ભેગો કરવામાં આવે છે ત્યારે સાગોળ કોલ બને છે. તેનો ઉપયોગ બંધક તરીકે પથ્થર, ઈંટ, દીવાલ તથા છતનું પ્લાસ્ટર કરવામાં થાય છે. સાગોળ કૉન્ક્રીટ એ…
વધુ વાંચો >