ખંડ ૨૧
વૉ, ઈવેલિનથી ષષ્ઠી ઉપક્રમ
વૉ, ઈવેલિન
વૉ, ઈવેલિન (જ. 28 ઑક્ટોબર 1903, લંડન; અ. 10 એપ્રિલ 1966, કૉમ્બે ફ્લોરી, સમરસેટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નવલકથાકાર. તેઓ લંડનના શ્રીમંત સમાજ પરની કટાક્ષમય નવલકથાઓના રચયિતા તરીકે સવિશેષ પ્રખ્યાત છે. એમની આ પ્રકારની કૃતિઓમાં વ્યંગ, હાસ્ય તથા કંઈક અંશે કટાક્ષ સાથે આધ્યાત્મિક અને ધાર્મિક વિષયો પણ સંલગ્ન છે. ઉચ્ચ વર્ગનાં…
વધુ વાંચો >વૉકર કરાર (સેટલમેન્ટ)
વૉકર કરાર (સેટલમેન્ટ) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ કર્નલ વૉકરે કાઠિયાવાડના રાજાઓ સાથે વડોદરાના રાજાને ખંડણી ભરવા અંગે કરેલા કરાર. ઈ. સ. 1802માં પેશ્વા બાજીરાવ બીજા સાથેના વસઈના તહનામાથી અને 1804માં ગાયકવાડ સાથેના કરારથી પેશ્વા અને ગાયકવાડ ઉપર અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી. કર્નલ ઍલેક્ઝાન્ડર વૉકરને મુંબઈની અંગ્રેજ સરકારના પ્રતિનિધિ તરીકે વડોદરાના…
વધુ વાંચો >વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર)
વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ. તેમણે ત્યાં મહત્વની કામગીરી કરી હતી. વડોદરાના રાજા ગોવિંદરાવ ગાયકવાડનું સપ્ટેમ્બર 1800માં અવસાન થયું. એ પછી એમના બે પુત્રો આનંદરાવ અને કાન્હોજીરાવ વચ્ચે ગાદી માટે સંઘર્ષ થયો. એ બંનેએ લવાદી કરવા માટે મુંબઈની અંગ્રેજ સરકારને વિનંતી કરી. તેથી મુંબઈના ગવર્નર જોનાથન…
વધુ વાંચો >વૉકર, જૉન
વૉકર, જૉન (જ. 12 જાન્યુઆરી 1952, પૅપાકુરા, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ઍથ્લેટિક્સના ખેલાડી. તેઓ વિશ્વના સર્વપ્રથમ સબ 3 : 50 માઇલ દોડનાર બન્યા. 12 ઑગસ્ટ 1975ના રોજ ગૉથનબર્ગ ખાતે દોડીને 3 : 49.4 જેટલો સમય નોંધાવ્યો. 1976માં ઑસ્લો ખાતે 4 : 51.4નો સમય નોંધાવીને 2,000 મી.નો વિશ્વઆંક સ્થાપ્યો, તે પૂર્વે મોન્ટ્રિયલ…
વધુ વાંચો >વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest)
વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest) (જ. 7 જાન્યુઆરી 1941, હેલિફેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ અને 1997ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1969માં યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડમાંથી ડૉક્ટરેટ પદવી મેળવ્યા બાદ વૉકરે અમેરિકા અને પૅરિસમાં આવેલ યુનિવર્સિટીઓ ખાતે વિવિધ સંશોધન-યોજનાઓ પર કાર્ય કર્યું. 1974માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મેડિકલ રિસર્ચ કાઉન્સિલ…
વધુ વાંચો >વૉકરની (પોલાદ-પટ્ટી) તુલા (Walker’s steelyard balance)
વૉકરની (પોલાદ–પટ્ટી) તુલા (Walker’s steelyard balance) : વિશિષ્ટ ઘનતા માપવા માટેનું સાધન. ખનિજો(કે ખડક-ટુકડા)ની વિશિષ્ટ ઘનતા માપવા માટે વૉકરે તૈયાર કરેલી પોલાદપટ્ટીની તુલા ઉપયોગમાં લેવાય છે. આ સાધનનો મુખ્ય ભાગ તેની અંકિત પટ્ટી હોય છે. આ પટ્ટીના એક છેડાનો થોડોક ભાગ ઉપર તરફની ધારમાં દાંતાવાળો રાખીને, તેને બીજી એક ઊભી…
વધુ વાંચો >વૉકિહુરી, ડગ્લાસ
વૉકિહુરી, ડગ્લાસ (જ. 26 સપ્ટેમ્બર 1963, મૉમ્બાસા, કેન્યા) : કેન્યાના ઍથ્લેટિક્સના ખેલાડી. 1987ની વિશ્વ મૅરથોન વિજયપદકમાં તેમનો વિજય આશ્ર્ચર્યજનક હતો, પરંતુ પછીનાં 3 વર્ષ તેમણે પ્રભાવક રેકર્ડ દાખવ્યો અને ઑલિમ્પિક રજતચન્દ્રક 1988માં અને કૉમનવેલ્થ સુવર્ણચન્દ્રક 1990માં જીત્યા. 1983માં તેઓ વિશેષ તાલીમ માટે જાપાન ગયા. 1986માં તેમની પ્રથમ મૅરથોન દોડમાં તેમણે…
વધુ વાંચો >વૉગેલ, પોલા (ઍન)
વૉગેલ, પોલા (ઍન) (જ. 16 નવેમ્બર 1951, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાનાં મહિલા નાટ્યકાર. શિક્ષણ : પેન્સિલવૅનિયા 1969-70, 1971-72; કૅથલિક યુનિવર્સિટી, વૉશિંગ્ટન ડી.સી. 1972-74, બી.એ., કૉર્નેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂયૉર્ક 1974-77, એ. બી. ડી. તેમણે નીચે મુજબ અનેકવિધ કામગીરી બજાવી : સેક્રેટરી, મુવિંગ વૅન કંપની પૅકર, ફૅક્ટરી પૅકર, 1960-71; વિમેન્સ સ્ટડિઝ તથા…
વધુ વાંચો >વોગેલિયા
વોગેલિયા : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લમ્બેજિનેસી કુળની મુખ્યત્વે ઉષ્ણપ્રદેશોમાં મળી આવતી ક્ષુપ પ્રજાતિ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં તથા આબુનાં જંગલોમાં થાય છે. તે 1.8 મી.થી 3.0 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેની છાલ રાખોડી રંગની હોય છે. પ્રકાંડ અને શાખાઓ ગોળાકાર અને ઊભી રેખાઓવાળાં હોય છે. પર્ણો કંઈક અંશે…
વધુ વાંચો >વૉગ્લર, એબી
વૉગ્લર, એબી (જ. 1749, વુર્ઝબર્ગ, જર્મની; અ. 1814) : અઢારમી સદીના જર્મન સંગીતકાર અને સ્વરનિયોજક. વુર્ઝબર્ગના એક વાયોલિન બનાવનારના તે પુત્ર હતા. 1771માં તેમને ઇટાલીના બોલોન્યા નગરમાં સંગીતનું શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ મળી. બોલોન્યા અકાદમી ઑવ્ મ્યુઝિકમાં ખ્યાતનામ ગણિતજ્ઞ તથા સંગીતજ્ઞ પાદરી જિયામ્બાતિસ્તા માર્તિની તથા પછીથી પાદુઆમાં વાલોત્તીની રાહબરી નીચે…
વધુ વાંચો >શેખલિન બૉરિસ
શેખલિન બૉરિસ (જ. 23 જાન્યુઆરી 1932, ઇશિમ, યુએસએસઆર) : જિમ્નૅસ્ટિક્સના રશિયાના ખેલાડી, ઑલિમ્પિક રમતોત્સવમાં તેઓ જિમ્નૅસ્ટિક્સની 6 વ્યક્તિગત સ્પર્ધાઓમાં 6 સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા : 1956માં 1, 1960માં 4 અને 1964માં 1. વળી એમાં ઉમેરા તરીકે 1956માં ટીમ-સુવર્ણચંદ્રક પણ જીત્યા. આ ઉપરાંત 4 રૌપ્ય અને 2 કાંસ્યચંદ્રકો પણ જીત્યા. ઑલિમ્પિકમાં આવું…
વધુ વાંચો >શેખ, વજીહુદ્દીન અહમદ અલવી
શેખ, વજીહુદ્દીન અહમદ અલવી (જ. ઈ. સ. 1504, ચાંપાનેર, ગુજરાત; અ. 1589, અમદાવાદ) : ગુજરાતના મુઘલ કાલ(1573-1758)ના સૂફી સંત અને અરબી-ફારસીના વિદ્વાન. ગુજરાતમાં મુઘલ હકૂમત દરમિયાન કેટલાક મુસ્લિમ સૂફી સંતો અને અરબી-ફારસીના વિદ્વાનો થઈ ગયા. તેઓમાં અમદાવાદના શેખ વજીહુદ્દીન અહમદ અલવી આગલી હરોળમાં હતા. તેઓ અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા હતા.…
વધુ વાંચો >શેખ, વજીહુદ્દીનનો રોજો
શેખ, વજીહુદ્દીનનો રોજો : અમદાવાદમાં ખાનપુર વિસ્તારમાં આવેલું મુઘલકાલીન સ્થાપત્ય. મૌલાના વજીહુદ્દીન સૂફી સંત હતા. તેઓ ચાંપાનેરના વતની હતા અને 1537થી અમદાવાદ આવી વસ્યા હતા. તેમણે અહીં મદરેસા સ્થાપી હતી. તેઓ ‘અલવી’ના ઉપનામે સાહિત્ય-રચના પણ કરતા. 1589માં તેમનું અવસાન થતાં તેમના નિવાસ પાસે જ તેમને દફનાવવામાં આવ્યા હતા. ગુજરાતના તત્કાલીન…
વધુ વાંચો >શેખ, સલાહુદ્દીન
શેખ, સલાહુદ્દીન (પંદરમી સદી) : ગુજરાતના સુલતાન અહમદશાહના સમયના અમીર. એ હિંદુ હતા અને એમનું મૂળ નામ તુકાજી હતું. તે નાના હતા ત્યારે એક વખત અમદાવાદના સ્થાપક સુલતાન અહમદશાહના ગુરુ શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ સાહેબને મળવા ગયા હતા. એ વખતે ગંજબક્ષ સાહેબે એમને ‘બાબા તાલીબ’ (શોધક) તરીકે સંબોધીને એમના હાથમાં…
વધુ વાંચો >શેખ, સાંદી
શેખ, સાંદી (જ. 1184; અ. 1291) : તૈમૂરી યુગના મહાન સૂફી કવિ અને સાહિત્યકાર. તેમનું મૂળ નામ મુશરફુદ્દીન બિન અબ્દુલ્લાહ હતું. ‘મુસલેહ લકબ’ (ખિતાબ) અને ‘સાંદી’ તખલ્લુસ (ઉપનામ) ધરાવતા હતા. તેમણે બાળપણમાં પિતાને ગુમાવ્યા હતા. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ ઘર પર અને મદરેસાઓમાં મેળવ્યું. ઉચ્ચ શિક્ષણ મેળવવા તેઓ બગદાદ ગયા.…
વધુ વાંચો >શેખ હસીના
શેખ હસીના (જ. 28 સપ્ટેમ્બર, 1947, ટુંગીપરા, બાંગ્લાદેશ) : બાંગ્લાદેશના વર્તમાન પ્રધાનમંત્રી અને અવામી લીગ રાજકીય પક્ષનાં સર્વેસર્વા શેખ હસીના દુનિયાના રાજકીય ઇતિહાસમાં કોઈ પણ દેશની સરકારના વડા તરીકે સૌથી લાંબો સમય શાસન કરનાર મહિલા શાસક. તાજેતરમાં જગપ્રસિદ્ધ મૅગેઝિન ‘ધ ઇકૉનૉમિસ્ટ’એ એશિયાનાં લોખંડી મહિલા ગણાવ્યાં છે તેમણે સૌપ્રથમ વર્ષ 1996થી…
વધુ વાંચો >શેખાવત, ભૈરોસિંગ
શેખાવત, ભૈરોસિંગ (જ. 23 ઑક્ટોબર 1923, ખાચરિયાવાસ ગામ, સિકર જિલ્લો, રાજસ્થાન) : ભારતના 11મા ઉપરાષ્ટ્રપ્રમુખ. ભારતીય જનતા પક્ષના અગ્રણી અને અનુભવી નેતા તેમજ 1977માં અને 1993માં રાજસ્થાનના પૂર્વમુખ્યમંત્રી. માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ તેમના પિતાનું અવસાન થતાં અભ્યાસ છોડવો પડ્યો અને પોલીસ-કૉન્સ્ટેબલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. નાની ઉંમરથી…
વધુ વાંચો >શેખાવત, સુમેરસિંહ
શેખાવત, સુમેરસિંહ (જ. 1933, સરવાડી, સિકર, રાજસ્થાન) : રાજસ્થાની કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘મારુ મંગલ’ને 1984ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ શેખાજી શેખાવતના વંશના છે. તેમનું પ્રારંભિક જીવન બિનાસર, રાજસ્થાનમાં પસાર થયું. આનંદીલાલ શર્મા તથા નેમનારાયણ જોશીના વિદ્વત્તાપૂર્ણ માર્ગદર્શન હેઠળ તેમણે શિક્ષણ મેળવ્યું હતું. વ્યવસાયે તેઓ શિક્ષક રહેલા અને…
વધુ વાંચો >શેખાવત, સૌભાગ્યસિંગ
શેખાવત, સૌભાગ્યસિંગ (જ. 22 જુલાઈ 1924, ભગતપુરા, જિ. સિકર, રાજસ્થાન) : રાજસ્થાની પંડિત. તેઓ રાજસ્થાન શોધ સંસ્થાન, જોધપુરના નિયામકપદેથી સેવાનિવૃત્ત થયા. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : રાજસ્થાની ભાષા સાહિત્ય એવમ્ સંસ્કૃતિ અકાદમી, બિકાનેરના અધ્યક્ષ; રાજસ્થાની સાહિત્ય અકાદમી, નવી દિલ્હી માટેની જનરલ કાઉન્સિલ અને સલાહકાર બોર્ડના સભ્ય (1998-2002); ‘સંઘર્ષ’ માસિકના…
વધુ વાંચો >શેખા શૈખા અલી જબર અલ-સબા (મહામહિમ)
શેખા શૈખા અલી જબર અલ-સબા (મહામહિમ) (જ. 8 નવેમ્બર 1976, કુવૈત) : વર્ષ 2025માં ‘પદ્મશ્રી’ મેળવનાર પ્રથમ કુવૈતી નાગરિક. આરોગ્ય સંવર્ધનમાં વિશિષ્ટ સેવા માટે આ પુરસ્કાર એનાયત થયો. યોગનું શિક્ષણ આપવા માટે કુવૈતનો પ્રથમ માન્યતાપ્રાપ્ત લાઇસન્સ ધરાવતો યોગ સ્ટુડિયો ‘દરાત્મા’નાં સ્થાપક. માનવસેવાનો મંત્ર અપનાવીને પોતાનું જીવન પરિવાર, સમુદાય અને દુનિયાની…
વધુ વાંચો >