ખંડ ૨૧
વૉ, ઈવેલિનથી ષષ્ઠી ઉપક્રમ
વૉ, ઈવેલિન
વૉ, ઈવેલિન (જ. 28 ઑક્ટોબર 1903, લંડન; અ. 10 એપ્રિલ 1966, કૉમ્બે ફ્લોરી, સમરસેટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નવલકથાકાર. તેઓ લંડનના શ્રીમંત સમાજ પરની કટાક્ષમય નવલકથાઓના રચયિતા તરીકે સવિશેષ પ્રખ્યાત છે. એમની આ પ્રકારની કૃતિઓમાં વ્યંગ, હાસ્ય તથા કંઈક અંશે કટાક્ષ સાથે આધ્યાત્મિક અને ધાર્મિક વિષયો પણ સંલગ્ન છે. ઉચ્ચ વર્ગનાં…
વધુ વાંચો >વૉકર કરાર (સેટલમેન્ટ)
વૉકર કરાર (સેટલમેન્ટ) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ કર્નલ વૉકરે કાઠિયાવાડના રાજાઓ સાથે વડોદરાના રાજાને ખંડણી ભરવા અંગે કરેલા કરાર. ઈ. સ. 1802માં પેશ્વા બાજીરાવ બીજા સાથેના વસઈના તહનામાથી અને 1804માં ગાયકવાડ સાથેના કરારથી પેશ્વા અને ગાયકવાડ ઉપર અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી. કર્નલ ઍલેક્ઝાન્ડર વૉકરને મુંબઈની અંગ્રેજ સરકારના પ્રતિનિધિ તરીકે વડોદરાના…
વધુ વાંચો >વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર)
વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ. તેમણે ત્યાં મહત્વની કામગીરી કરી હતી. વડોદરાના રાજા ગોવિંદરાવ ગાયકવાડનું સપ્ટેમ્બર 1800માં અવસાન થયું. એ પછી એમના બે પુત્રો આનંદરાવ અને કાન્હોજીરાવ વચ્ચે ગાદી માટે સંઘર્ષ થયો. એ બંનેએ લવાદી કરવા માટે મુંબઈની અંગ્રેજ સરકારને વિનંતી કરી. તેથી મુંબઈના ગવર્નર જોનાથન…
વધુ વાંચો >વૉકર, જૉન
વૉકર, જૉન (જ. 12 જાન્યુઆરી 1952, પૅપાકુરા, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ઍથ્લેટિક્સના ખેલાડી. તેઓ વિશ્વના સર્વપ્રથમ સબ 3 : 50 માઇલ દોડનાર બન્યા. 12 ઑગસ્ટ 1975ના રોજ ગૉથનબર્ગ ખાતે દોડીને 3 : 49.4 જેટલો સમય નોંધાવ્યો. 1976માં ઑસ્લો ખાતે 4 : 51.4નો સમય નોંધાવીને 2,000 મી.નો વિશ્વઆંક સ્થાપ્યો, તે પૂર્વે મોન્ટ્રિયલ…
વધુ વાંચો >વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest)
વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest) (જ. 7 જાન્યુઆરી 1941, હેલિફેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ અને 1997ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1969માં યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડમાંથી ડૉક્ટરેટ પદવી મેળવ્યા બાદ વૉકરે અમેરિકા અને પૅરિસમાં આવેલ યુનિવર્સિટીઓ ખાતે વિવિધ સંશોધન-યોજનાઓ પર કાર્ય કર્યું. 1974માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મેડિકલ રિસર્ચ કાઉન્સિલ…
વધુ વાંચો >વૉકરની (પોલાદ-પટ્ટી) તુલા (Walker’s steelyard balance)
વૉકરની (પોલાદ–પટ્ટી) તુલા (Walker’s steelyard balance) : વિશિષ્ટ ઘનતા માપવા માટેનું સાધન. ખનિજો(કે ખડક-ટુકડા)ની વિશિષ્ટ ઘનતા માપવા માટે વૉકરે તૈયાર કરેલી પોલાદપટ્ટીની તુલા ઉપયોગમાં લેવાય છે. આ સાધનનો મુખ્ય ભાગ તેની અંકિત પટ્ટી હોય છે. આ પટ્ટીના એક છેડાનો થોડોક ભાગ ઉપર તરફની ધારમાં દાંતાવાળો રાખીને, તેને બીજી એક ઊભી…
વધુ વાંચો >વૉકિહુરી, ડગ્લાસ
વૉકિહુરી, ડગ્લાસ (જ. 26 સપ્ટેમ્બર 1963, મૉમ્બાસા, કેન્યા) : કેન્યાના ઍથ્લેટિક્સના ખેલાડી. 1987ની વિશ્વ મૅરથોન વિજયપદકમાં તેમનો વિજય આશ્ર્ચર્યજનક હતો, પરંતુ પછીનાં 3 વર્ષ તેમણે પ્રભાવક રેકર્ડ દાખવ્યો અને ઑલિમ્પિક રજતચન્દ્રક 1988માં અને કૉમનવેલ્થ સુવર્ણચન્દ્રક 1990માં જીત્યા. 1983માં તેઓ વિશેષ તાલીમ માટે જાપાન ગયા. 1986માં તેમની પ્રથમ મૅરથોન દોડમાં તેમણે…
વધુ વાંચો >વૉગેલ, પોલા (ઍન)
વૉગેલ, પોલા (ઍન) (જ. 16 નવેમ્બર 1951, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાનાં મહિલા નાટ્યકાર. શિક્ષણ : પેન્સિલવૅનિયા 1969-70, 1971-72; કૅથલિક યુનિવર્સિટી, વૉશિંગ્ટન ડી.સી. 1972-74, બી.એ., કૉર્નેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂયૉર્ક 1974-77, એ. બી. ડી. તેમણે નીચે મુજબ અનેકવિધ કામગીરી બજાવી : સેક્રેટરી, મુવિંગ વૅન કંપની પૅકર, ફૅક્ટરી પૅકર, 1960-71; વિમેન્સ સ્ટડિઝ તથા…
વધુ વાંચો >વોગેલિયા
વોગેલિયા : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લમ્બેજિનેસી કુળની મુખ્યત્વે ઉષ્ણપ્રદેશોમાં મળી આવતી ક્ષુપ પ્રજાતિ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં તથા આબુનાં જંગલોમાં થાય છે. તે 1.8 મી.થી 3.0 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેની છાલ રાખોડી રંગની હોય છે. પ્રકાંડ અને શાખાઓ ગોળાકાર અને ઊભી રેખાઓવાળાં હોય છે. પર્ણો કંઈક અંશે…
વધુ વાંચો >વૉગ્લર, એબી
વૉગ્લર, એબી (જ. 1749, વુર્ઝબર્ગ, જર્મની; અ. 1814) : અઢારમી સદીના જર્મન સંગીતકાર અને સ્વરનિયોજક. વુર્ઝબર્ગના એક વાયોલિન બનાવનારના તે પુત્ર હતા. 1771માં તેમને ઇટાલીના બોલોન્યા નગરમાં સંગીતનું શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ મળી. બોલોન્યા અકાદમી ઑવ્ મ્યુઝિકમાં ખ્યાતનામ ગણિતજ્ઞ તથા સંગીતજ્ઞ પાદરી જિયામ્બાતિસ્તા માર્તિની તથા પછીથી પાદુઆમાં વાલોત્તીની રાહબરી નીચે…
વધુ વાંચો >શેખ, અહમદ ખટ્ટુ ગંજબક્ષ
શેખ, અહમદ ખટ્ટુ ગંજબક્ષ (જ. 1338, દિલ્હી; અ. 1446, સરખેજ, અમદાવાદ) : ગુજરાતના સુલતાન અહમદશાહ સાથે અમદાવાદની સ્થાપનામાં ભાગ લેનાર ચાર ઓલિયા અહમદોમાંના એક અને ભારતના પ્રસિદ્ધ છ મુસ્લિમ સંતોમાંના એક. તેમના પિતા મલિક ઇખ્તિખારુદ્દીન સુલતાન ફિરોજશાહના દૂરના સગા થતા હતા. તેમનું નામ વજીહુદ્દીન હતું. પિતાના અવસાન બાદ મોટી મિલકત…
વધુ વાંચો >શેખ, અહમદ જહૉ
શેખ, અહમદ જહૉ : ચૌલુક્ય શાસક સિદ્ધરાજના શાસનકાળ દરમિયાન અણહિલપુર પાટણમાં સ્થાયી થયેલ સૂફી સંત. ગુજરાતમાં ઇસ્લામના આદ્યપ્રચારક. તેમનો મકબરો અત્યારના પાટણના કનસડા દરવાજા બહાર બતાવવામાં આવે છે. સ્થાનિક અનુશ્રુતિ અનુસાર શેખ અહમદ જહાઁ બ્રાહ્મણોના જેવો વેશ ધારણ કરીને સિદ્ધરાજ જયસિંહની સેવામાં રહ્યા હતા. વીસ વર્ષ સુધી તેમણે શાહી રસોડામાં…
વધુ વાંચો >શેખ, ઇબ્ન અરબી
શેખ, ઇબ્ન અરબી (જ. 1165, મુરસિયહ, સ્પેન; અ. 1240, દમાસ્કસ) : ઇસ્લામ અને ગ્રીકશાસ્ત્રના વિદ્વાન અને અરબી કવિ. તેઓ અબૂ બક્ર મુહિયુદ્દીન મુહમ્મદ ઇબ્ન અલી, ઇબ્ન અલ-અરબી અથવા ઇબ્ન અરબીના નામે ઓળખાતા હતા. 8 વર્ષની વયે તેમણે સ્પેનના ઇસ્લામી વિદ્યાના તત્કાલીન સૌથી મોટા કેન્દ્ર ઇશબિલિયામાં 30 વર્ષ સુધી ઇસ્લામી અને…
વધુ વાંચો >શેખ, એહમદ સરહિંદી
શેખ, એહમદ સરહિંદી (જ. 26 જૂન 1564, સરહિંદ શરીફ, ઉત્તર ભારત; અ. 10 ડિસેમ્બર, 1624) : ઇસ્લામી વિદ્યાના વિદ્વાન અને સૂફી સંત. તેઓ હજરત ઉંમર ફારુકે-આઝમ અમીરૂલ મોમિનના વંશજ હતા. એ રીતે કાબૂલના શ્રેષ્ઠ ખાનદાનના એ હતા. ખાનદાની રિવાયત પ્રમાણે તેઓ પશ્ચિમ પાકિસ્તાનના મશહૂર સૂફી સંત હજરત બાબા ફરીદગંજ શકરના…
વધુ વાંચો >શેખ, કબીરુદ્દીન
શેખ, કબીરુદ્દીન (ઈ. સ.ની 15મી સદી) : ગુજરાતના ઇસ્માઇલી નિઝારીઓ એટલે કે ખોજાઓના ‘સતપંથ’ સંપ્રદાયના એક પીર. ગુજરાતમાં ઈસુની 12મી સદીમાં નૂર સતગરે પાટનગર પાટણથી ઇસ્લામનો પ્રચાર શરૂ કર્યો હતો. એમનું મૂળ નામ નૂરુદ્દીન અથવા નૂરશાહ હતું અને ‘નૂર સતગર’ એમણે ધારણ કરેલું ઉપનામ હતું. એમણે એમના પંથમાં કેટલાંક હિંદુ…
વધુ વાંચો >શેખ, ગુલામ મુહમ્મદ
શેખ, ગુલામ મુહમ્મદ : જૂનાગઢના બાબી શાસન સમયનો સ્થાનિક ઉર્દૂ તવારીખકાર. જૂનાગઢમાં બાબીઓનું સ્વતંત્ર શાસન સ્થપાતાં ત્યાં વિવિધ લેખનપ્રવૃત્તિને વેગ મળ્યો અને બ્રિટિશ સમયમાં ત્યાં ઉર્દૂ ભાષામાં રચનાઓ થઈ. તેમાં શેખ ગુલામ મુહમ્મદનો ફાળો વિશેષ હતો. તેમણે ઉર્દૂમાં ‘મિરાતે મુસ્તફાબાદ’ તથા ‘મિરાતે મોહમદી’ અને ગુજરાતીમાં ‘જૂનાગઢનો ઇતિહાસ’ લખ્યા છે. સોરઠનો…
વધુ વાંચો >શેખ, ગુલામમોહમ્મદ નૂરમોહમ્મદ
શેખ, ગુલામમોહમ્મદ નૂરમોહમ્મદ (જ. 16 ફેબ્રુઆરી 1937, વઢવાણ, ગુજરાત) : ગુજરાતના અગ્રણી આધુનિક ચિત્રકાર, કલાગુરુ અને ગુજરાતી કવિ. એક ગરીબ પરિવારમાં જન્મ અને ઉછેર થયેલો. સુરેન્દ્રનગરમાં મૅટ્રિક્યુલેશન કર્યા પછી વડોદરા ખાતેની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં કલાના વિદ્યાર્થી તરીકે જોડાયા અને કલાગુરુ રવિશંકર રાવળની નાણાકીય સહાય…
વધુ વાંચો >શેખ, જમાલુદ્દીન
શેખ, જમાલુદ્દીન (અ. ઈ. સ. 1533) : ચિશ્તિયા ફિરકાના એક સૂફી સંત. ખાનકાહની મદરેસામાં તેઓ શિક્ષણકાર્ય કરતા હતા. તેમણે જુદા જુદા વિષયો ઉપર અનેક ગ્રંથો લખ્યા હતા. તે ગ્રંથોમાંનું એક ‘રિસાલએ મુઝાકિરા’ (ચર્ચાનો રસાલો) મજહબ વિશેની એક અગત્યની પુસ્તિકા છે. આ પુસ્તિકામાં તેમણે સરળ ભાષામાં ઇસ્લામના મહત્ત્વના સિદ્ધાંતો સમજાવ્યા છે.…
વધુ વાંચો >શેખ, નૂરુદ્દીન
શેખ, નૂરુદ્દીન (જ. 1377, ખેજોગીપોરા, તા. કુલગામ, જિ. જમ્મુ; અ. 1441, રૂપવન, તા. બેરવા, કાશ્મીર) : મહાન કાશ્મીરી સંત અને કાશ્મીરી યૌગિક સંસ્કૃતિના પ્રતીક. તેમનું મૂળ નામ નંદ ઋષિ હતું. તેઓ ‘શેખ-ઉલ્-આલમ’, ‘આલમદારી કાશ્મીર’, ‘શમ્સ-ઉલ્-આરિફિન’, ‘કાશુર વાઝખાન’, ‘પિરાની પીર’, ‘પીરી ઋષિ’ અને ‘સહજ આનંદ’નાં વિવિધ ઉપનામે ઓળખાતા હતા. ધર્મ-શ્રદ્ધા અને…
વધુ વાંચો >શેખપુરા
શેખપુરા : બિહાર રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 25° 09´ ઉ.અ. અને 85° 51´ પૂ.રે.ની આજુબાજુનો 689 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નાલંદા, પટણા અને લખીસરાઈ જિલ્લાઓના ભાગો; પૂર્વમાં લખીસરાઈ જિલ્લો; દક્ષિણે જામુઈ અને નવદા જિલ્લા…
વધુ વાંચો >