ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અલ્લુ અર્જુન

Jan 21, 1989

અલ્લુ અર્જુન (જ. 8 એપ્રિલ 1982, ચેન્નાઈ) : તેલુગુ સિનેમાના પ્રસિદ્ધ કલાકાર. તેલુગુ સિનેમામાં ‘સ્ટાઇલિશ સ્ટાર’ અને ‘આઇકોન સ્ટાર’ તરીકે પ્રસિદ્ધિ મેળવ્યા પછી હાલ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ‘પુષ્પા – ઝુકેગા નહીં સાલા’ તરીકે પ્રસિદ્ધ અલ્લુ અર્જુનનો જન્મ ચેન્નાઈમાં દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ નિર્માતા અને વિતરક અલ્લુ અરવિંદ અને નિર્મલાને ત્યાં થયો.…

વધુ વાંચો >

અલ્-સૂફી યા અસ્સૂફી

Jan 21, 1989

અલ્-સૂફી યા અસ્સૂફી (જ. 7 ડિસેમ્બર 903, રે, ઇરાન; અ. 25 મે 986, સિરાઝ, પર્સિયા) : ઈરાનનો ખગોળશાસ્ત્રી અબુલ-હુસેન અસ્સૂફી (એઝોફી). કેટલાક સંદર્ભોમાં એનાં બીજાં બે નામ પણ જોવા મળે છે : અબદુર્ રેહમાન સૂફી અને અબ્દુલ રહેમાન સૂફી. આમ તો મોટાભાગના પ્રાચીન તથા મધ્યયુગીન આરબ ખગોળશાસ્ત્રીઓ આકાશમાં ગ્રહોના વેધ…

વધુ વાંચો >

અલ્સેસ્ટિસ

Jan 21, 1989

અલ્સેસ્ટિસ (ઈ. પૂ. 438) : યુરિપિડીસનું ગ્રીક નાટક. તેમાં કરુણ અને હાસ્યરસનું મિશ્રણ થયું છે. નાટક સુખાંત છે. વૃદ્ધ રાજા એડમેટ્સની પત્ની અલ્સેસ્ટિસ પતિ, બાળકો અને રાજવંશને ચાલુ રાખવા તથા મૃત્યુના મુખમાંથી પતિને બચાવવા પોતાનું બલિદાન આપવા તૈયાર થાય છે. રાજાને બચાવવા એપૉલોએ ફેટ્સ(ભાવિ)ને કહ્યું, ત્યારે તેને બદલે બલિદાનની માંગણી…

વધુ વાંચો >

અલ્સ્ટર

Jan 21, 1989

અલ્સ્ટર (Ulster) : આયર્લૅન્ડના ચાર પ્રાંતો પૈકીનો એક. ભૌગોલિક સ્થાન : તે 54° 35´ ઉ. અ. અને 7° 00´ પ.રે.ની આજુબાજુનો 21,778 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે નવ પરગણાંનો બનેલો છે; આ નવ પૈકીનાં છ પરગણાં યુ.કે.ના ભાગરૂપ ઉત્તર આયર્લૅન્ડનાં અને ત્રણ પરગણાં આયર્લૅન્ડ પ્રજાસત્તાકનાં છે. છ પરગણાંમાં…

વધુ વાંચો >

અલ્-હમ્-બ્રા

Jan 21, 1989

અલ્-હમ્-બ્રા : સ્પેનના ગ્રેનેડા શહેરમાં આવેલો કિલ્લેબંધ મહેલ. લાલ પથ્થર(હમ્બ્ર)થી બનેલો હોવાને કારણે એને અલ-હમ્-બ્રા કહે છે. સ્પેનના ઉમય્યા વંશના સુલતાન અલ્-ગાલિબે આ અત્યંત ખૂબસૂરત ઇમારત બંધાવેલી અને પછીના મૂરવંશના સુલતાનોએ તેને સજાવીને ભવ્ય બનાવી હતી. ઊંચી ટેકરી પર રચાયેલ આ ઇમારત મૂળ સ્થાપત્યનો ગણનાપાત્ર નમૂનો છે. તેનો બાહ્ય દેખાવ…

વધુ વાંચો >

અલ્-હસન

Jan 21, 1989

અલ્-હસન (જ. 1 જુલાઈ 965, બસરા, ઇરાક; અ. 6 માર્ચ 1040, કેરો, ઇજિપ્ત) : આરબ ભૌતિકશાસ્ત્રી. મૂળ આખું અરબી નામ અબુ-અલી-અલ્-હસન ઇબ્ન અલ્-હેયતામ (યા હૈશમ). એની પાછલી જિંદગી કેરો(કાહિરા, મિસર)માં વીતી હતી. અલ્-હસન અને મિસરના તત્કાલીન ખલીફા અલ્-હકીમ અંગે બે વિરોધાભાસી કિંવદંતીઓ પ્રચલિત છે. નાઈલ નદીનાં વિનાશકારી પૂરને ખાળી શકે…

વધુ વાંચો >

અવકાશ જીવવિદ્યા

Jan 21, 1989

અવકાશ જીવવિદ્યા (exobiology) : અન્ય ગ્રહો ઉપરનું જીવનું અસ્તિત્વ તપાસતું વિજ્ઞાન. જીવવિજ્ઞાનની આ શાખા અવકાશમાં અન્ય ગ્રહો પર જીવની સંભાવનાને લગતી શોધ સાથે સંકળાયેલી છે. અવકાશયાનોના વિકાસ બાદ વિજ્ઞાનની આ શાખાનો વિશેષ વિકાસ થયો છે. અન્ય ગ્રહો પર જીવનની શક્યતા, બુદ્ધિ ધરાવતા સજીવોની સંભાવના વગેરે બાબતો અંગેનું સંશોધન તેનો વિષય…

વધુ વાંચો >

અવકાશસમૂહ

Jan 21, 1989

અવકાશસમૂહ (space group) : સ્ફટિકશાસ્ત્રમાં પરમાણુઓ-(અણુ/આયન)નાં મૂળ સ્થાનો દેખીતી રીતે બદલ્યા વગર સ્ફટિકનો દિગ્વિન્યાસ (orientation) ફેરવવાની એક રીત. પૂર્ણ રીતે વિકસેલ સ્ફટિક સપાટ પૃષ્ઠો(planar faces)થી પ્રતિબદ્ધ (bounded) હોય છે. સ્ફટિકોના સમમિત (symmetrical) ભૌમિતિક આકાર તેના બંધારણીય કણો(પરમાણુ, અણુ, આયન)ની નિયમિત અને આવર્તક (periodic) ગોઠવણીનું પ્રતિબિંબ છે. ત્રિપરિમાણ(three dimensions)માંની બિંદુઓની વિસ્તૃત…

વધુ વાંચો >

અવકાશ સંબંધી કાયદો

Jan 21, 1989

અવકાશ સંબંધી કાયદો : બાહ્યાવકાશમાંની પ્રવૃત્તિનું નિયમન કરતો આંતરરાષ્ટ્રીય કાયદો. આ પ્રકારના કાયદાનો પ્રારંભ વીસમી સદીની શરૂઆતમાં થયો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) પહેલાં રાજ્યોનું પ્રાદેશિક સાર્વભૌમત્વ આકાશથી પાતાળ સુધી ગણાતું. આ સિદ્ધાંત 1919ના પૅરિસ સંધિનામામાં સ્વીકારાયો હતો; જોકે કેટલાંક રાજ્યો તેમાં સંમત નહોતાં. વિમાનવ્યવહારની બાબતમાં 1944માં શિકાગોમાં ‘બે સ્વાતંત્ર્યો’નાં તથા ‘પાંચ…

વધુ વાંચો >

અવકાસિકલ

Jan 21, 1989

અવકાસિકલ (1980) : મલયાળમ નવલકથા. ‘વિલાસિની’ તખલ્લુસથી લખતા એમ. કે. મેનનની ચાર ભાગોમાં લખાયેલી ચાર હજાર પૃષ્ઠની આ બૃહદ નવલકથા છે. તેની પાર્શ્વભૂમિ મલયેશિયા છે. કથા પાત્રપ્રધાન છે. એનો નાયક વેલ્લુન્ની જે કથારંભે સિત્તેર વર્ષનો છે, તેને મુખે પોતે અત્યંત દરિદ્ર અવસ્થામાંથી કોટ્યધિપતિ શી રીતે બન્યો, તેનું કથન થયેલું છે.…

વધુ વાંચો >