ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >અલ્બેટ્રૉસ ટાપુઓ
અલ્બેટ્રૉસ ટાપુઓ : અલ્બેટ્રૉસ નામથી ઓળખાતા બે ટાપુઓ, જે ભિન્ન ભિન્ન સ્થળે આવેલા છે. તેમાંનો એક આર્જેન્ટીનાના કિનારા નજીક તો બીજો ઑસ્ટ્રેલિયાના કિંગ ટાપુ અને તાસ્માનિયા ટાપુની વચ્ચે છે. આર્જેન્ટીનાના કિનારા નજીકનો અલ્બેટ્રૉસ ટાપુ બ્રિટનની સત્તા હેઠળ છે અને તે દક્ષિણ જ્યૉર્જિયાનો ભાગ છે. તેનું ભૌગોલિક સ્થાન આટલાન્ટિક સમુદ્રની દક્ષિણે…
વધુ વાંચો >અલ્મા-આતા
અલ્મા-આતા : રશિયામાં અગ્નિ કઝાખમાં આવેલો પ્રદેશ અને તેનું પાટનગર. વસ્તી : પ્રદેશ 18,66,000 (1980); શહેર 11,47,000 (1990). વિસ્તાર 1,04,700 ચોકિમી. ઉત્તરમાં બાલ્ખાશ સરોવરથી શરૂ કરી ઇલી નદીના બંને કાંઠે, અગ્નિએ ચીનની સરહદ સુધી આ પ્રદેશ વિસ્તરેલો છે. કૃષિ અને પશુપાલન આ પ્રદેશના મુખ્ય વ્યવસાયો છે. ઉદ્યોગો અલ્મા-આતા શહેરમાં કેન્દ્રિત…
વધુ વાંચો >અલ્-મૂત
અલ્-મૂત : ઈરાનમાં કઝવીન પાસેનો પ્રાચીન દુર્ગ. હસન બિન સબ્બાહ નામના એક બાતિની ધાર્મિક ઉપદેશકે પોતાના અંતિમવાદી ધાર્મિક સિદ્ધાંતોના પ્રચારાર્થે ઈરાનની કઝવીન નામની જગ્યાની વાયવ્ય દિશામાં 1090માં અલ્-મૂત (ગરુડનો માળો), જે પર્વતમાં મજબૂત અને અભેદ્ય કિલ્લા જેવો હતો, તેનો કબ્જો લીધો અને ત્યાંથી ઇસ્લામી જગતને ધાકધમકી અને ખૂનરેજીથી ભયભીત કરવા…
વધુ વાંચો >અલ્મોડા
અલ્મોડા : ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું શહેર. જિલ્લો : હિમાલયના પર્વતીય પ્રદેશમાં આવેલા આ જિલ્લાનું ક્ષેત્રફળ 3,139 ચોકિમી. અને વસ્તી 6,22,506 (2011) છે. આ શહેરની વસ્તી 35,513 (2011) છે. તેની ઉત્તરે ચમોલી, પૂર્વે પિથોરાગઢ, દક્ષિણે નૈનીતાલ તથા પશ્ચિમે ગઢવાલ જિલ્લાઓ આવેલા છે. અલ્મોડા શહેર જિલ્લાનું…
વધુ વાંચો >અલ્લમ-પ્રભુ
અલ્લમ-પ્રભુ (બારમી સદી) : મધ્યકાલીન કન્નડ કવિ. કર્ણાટકમાં બારમી સદીમાં થઈ ગયેલા કવિઓમાં અલ્લમ-પ્રભુ શ્રેષ્ઠ ગણાય છે. વીરશૈવ સંપ્રદાયના ગુરુસ્થાને ગણાતા અલ્લમ-પ્રભુ અથવા પ્રભુદેવે પોતાના સમકાલીન બસવેશ્વર વગેરે સાધકો પર ઘેરો પ્રભાવ પાડ્યો હતો. એમનાં કાવ્યોએ સામાજિક તથા ધાર્મિક ક્રાન્તિ માટે પર્યાપ્ત માત્રામાં સામગ્રી પૂરી પાડી હતી, એ દૃષ્ટિએ એમની…
વધુ વાંચો >અલ્લાઉદ્દીનખાં ઉસ્તાદ
અલ્લાઉદ્દીનખાં, ઉસ્તાદ (જ. 8 ઑક્ટોબર 1882, શિરપુર, ત્રિપુરા; અ. 6 સપ્ટેમ્બર 1972, મૈહર) : પ્રસિદ્ધ ભારતીય સંગીતકાર. તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. શિવભક્ત અને સંગીતપ્રેમી પિતા સાધુખાં ત્રિપુરા દરબારના સંગીતકાર હતા. તેઓ રબાબ-વાદક કાજિમઅલીખાં પાસે સિતારવાદન શીખ્યા હતા. પિતાએ અલ્લાઉદ્દીન માટે સંગીતશિક્ષણની ગોઠવણ કરી. અલ્લાઉદ્દીનને સંગીતમાં એટલો રસ…
વધુ વાંચો >અલ્લાદિયાખાં
અલ્લાદિયાખાં (જ. 10 ઑગસ્ટ 1855, ઉણિયારા, જયપુર રિયાસત; અ. 16 માર્ચ 1946, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક તથા અત્રોલી-જયપુર ઘરાનાના સ્થાપક સંગીતકાર. સંગીત-પરિવારમાં જન્મ. મૂળ નામ ગુલામ અહમદ. પિતા ખ્વાજે અહમદ તથા મોટા ભાઈ હૈદરખાં બંને સારા ગાયક હતા. શરૂઆતનું સંગીતનું શિક્ષણ પિતા પાસેથી લીધું, પરંતુ નાનપણમાં…
વધુ વાંચો >અલ્લાબન્દેખાં
અલ્લાબન્દેખાં (જ. 1850 ?; અ. 1927, અલ્વર) : ભારતીય સંગીતકાર. અલ્વરનરેશના દરબારી ગાયક. જન્મ ઓગણીસમી સદીના અંતમાં થયો હોવાનો અંદાજ છે. તેઓ લોકપ્રિય ધ્રુપદ-ગાયક હતા અને શ્રુતિઓનું ગાન ઉત્તમ રીતે કરતા હતા. તેમના મોટા ભાઈ ઝાકિરહુસેનખાં પણ જાણીતા સંગીતકાર હતા. સંગીતના ક્ષેત્રે અલ્લાબન્દેખાંએ અવિસ્મરણીય સેવાઓ આપી છે. તેમના બે પુત્રો…
વધુ વાંચો >અલ્લાબેલી
અલ્લાબેલી (1946) : ત્રિઅંકી ઐતિહાસિક નાટક. લેખક ગુણવંતરાય આચાર્ય. રજૂઆત ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન, 1946. લાંબાં મૌલિક નાટકો ગુજરાતમાં જ્યારે અવેતન રંગભૂમિ માટે ઓછાં લખાતાં હતાં ત્યારે આ નાટક ઘણું સફળ ગણાયેલું. જસવંત ઠાકરે ઇન્ડિયન પીપલ્સ થિયેટર દ્વારા એની ફરી રજૂઆત (1947) કરી હતી. ઓખાનો પદભ્રષ્ટ માણેક કુળનો છેલ્લો વારસ…
વધુ વાંચો >અલ્લારખાં ઉસ્તાદ
અલ્લારખાં, ઉસ્તાદ (જ. 29 એપ્રિલ 1920, રતનગઢ, ગુરદાસપુર જિલ્લો, પંજાબ; અ. 3 ફેબ્રુઆરી 2000, મુંબઈ) : તબલાવાદનના પંજાબી ઘરાનાના વિખ્યાત કલાકાર. પિતા હાશિમઅલીની ઇચ્છા પુત્ર પણ ખેતી કરે એમ હતી, પરંતુ બાળપણથી જ પુત્રનો ઝુકાવ સંગીત તરફ હતો. 15–16 વર્ષની ઉંમરે તેઓ પઠાણકોટની એક નાટક કંપનીમાં જોડાયા. તેમણે તબલાવાદનની તાલીમ…
વધુ વાંચો >