અલ્લાબન્દેખાં

January, 2001

અલ્લાબન્દેખાં (જ. 1850 ?; અ. 1927, અલ્વર) : ભારતીય સંગીતકાર. અલ્વરનરેશના દરબારી ગાયક. જન્મ ઓગણીસમી સદીના અંતમાં થયો હોવાનો અંદાજ છે. તેઓ લોકપ્રિય ધ્રુપદ-ગાયક હતા અને શ્રુતિઓનું ગાન ઉત્તમ રીતે કરતા હતા. તેમના મોટા ભાઈ ઝાકિરહુસેનખાં પણ જાણીતા સંગીતકાર હતા. સંગીતના ક્ષેત્રે અલ્લાબન્દેખાંએ અવિસ્મરણીય સેવાઓ આપી છે. તેમના બે પુત્રો નસીરુદ્દીનખાં ડાગર અને રહીમુદ્દીનખાં ડાગર પણ જાણીતા ગાયકો છે.

કૃષ્ણવદન જેટલી