ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >અરવિંદદર્શન
અરવિંદદર્શન : જુઓ, ઘોષ (શ્રી)અરવિંદ.
વધુ વાંચો >અરળુમરળુ
અરળુમરળુ (1956) : જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કન્નડ કવિ ડી. આર. બેન્દ્રેનો કાવ્યસંગ્રહ. તેને માટે એમને સાહિત્ય અકાદમીનો 1958નો પુરસ્કાર પ્રાપ્ત થયેલો. ‘સૂર્યપાન’, ‘હરિદયાસમુદ્ર’, ‘મુક્તકાંતા’, ‘ચૈત્યાલય’ અને ‘જીવનલહરી’ – એ પાંચ કાવ્યસંગ્રહોમાંથી પસંદ કરેલી 273 રચનાઓનો આ સંગ્રહ છે. કવિની કાવ્યધારાએ રંગદર્શી ઊર્મિકવિતામાંથી આધ્યાત્મિક દિશામાં કેવો વળાંક લીધો તેનો તબક્કાવાર પરિચય…
વધુ વાંચો >અરાજકતાવાદ
અરાજકતાવાદ (anarchism) : રાજ્યસત્તાવિહીન તંત્રની હિમાયત કરતી વિચારધારા. કોઈની પણ અધિસત્તા નહિ સ્વીકારવાનું વ્યક્તિ કે સમૂહનું વલણ અરાજકતાવાદના પાયામાં રહેલું છે. આ મતના પુરસ્કર્તાઓ માને છે કે સાર્વભૌમત્વ અને સરકાર દ્વારા રાજ્ય મુખ્ય અધિસત્તા બને છે. આથી અરાજકતાવાદીઓ આ બંને(સરકાર અને રાજ્ય)ના વિસર્જનની માંગ કરે છે. તેઓ માને છે કે…
વધુ વાંચો >અરાની જાનોસ
અરાની જાનોસ (જ. 2 માર્ચ, 1817, નાગીઝલોન્ટા, હંગેરી; અ. 22 ઑક્ટોબર, 1882, બુડાપેસ્ટ, ઑસ્ટ્રિયા, હંગેરી) : હંગેરીનો મહાન કવિ. ખેડૂત કુટુંબમાં જન્મ. ડેબ્રેસેનની શાળામાં ભણતો હતો ત્યાં વચ્ચેથી ભણતર છોડીને એક પ્રવાસી નાટકમંડળીમાં જોડાયો. 1847માં તેણે લોકપ્રિય ‘ટોલ્ડી’મહાકાવ્ય લખી જનતાની પ્રીતિ સંપાદન કરી. એ કાવ્યમાં રાષ્ટ્રીય સાહિત્યના પ્રભાવક ગુણો હતા.…
વધુ વાંચો >અરાફત યાસેર
અરાફત, યાસેર (જ. 24 ઑગસ્ટ 1929, કેરો, ઈજિપ્ત; અ. 11 નવેમ્બર 2004, પેરિસ, ફ્રાન્સ) : 1969થી ‘પૅલેસ્ટાઇન મુક્તિ સંગઠન’(પી.એલ.ઓ.)ના અધ્યક્ષ અને સંગઠનના સૌથી મોટા જૂથ ‘અલ-ફતહ’ના નેતા. કેરો યુનિવર્સિટીમાં સિવિલ ઇજનેર થયા બાદ કુવૈત સરકારમાં ઇજનેર તરીકે કામ કરેલું અને પોતાની એક પેઢી પણ સ્થાપી હતી. ‘અલ-ફતહ’ના તેઓ સહસ્થાપક રહ્યા…
વધુ વાંચો >અરાલવાળા રમણીક બલદેવદાસ
અરાલવાળા, રમણીક બલદેવદાસ (જ. 6 સપ્ટેમ્બર 1910, ખેડાલ, જિ. ખેડા; અ. 24 એપ્રિલ 1981, અમદાવાદ) : કવિ. વતન વાત્રક-કાંઠાનું ગામ અરાલ. કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પિતાના ધીરધાર ને ખેતીના વ્યવસાયમાં જોડાયા. તે પછી અમદાવાદમાં કાપડમિલમાં જૉબરની કામગીરી. દરમિયાન કાવ્યસર્જન. માતાનું અવસાન અને પછીથી ‘કુમાર’ની બુધસભા તેમાં પ્રેરકબળ. 7 ધોરણ…
વધુ વાંચો >અરાહ
અરાહ : ભારતમાં બિહારના ભોજપુર જિલ્લાનું વડું મથક. વસ્તી : 1,56,871 (1991). રેલવે અને માર્ગવાહનવ્યવહારથી તે રાજ્યનાં અન્ય શહેરો સાથે જોડાયેલું છે. ખેતપેદાશો અને ખાસ કરીને તેલીબિયાંના વ્યાપારનું મોટું કેન્દ્ર છે. 1857ના અંગ્રેજો સામેના બળવાનું અરાહ એક મહત્વનું કેન્દ્ર બન્યું હતું. કુંવરસિંહ સામેની લડાઈમાં અંગ્રેજોએ ‘લિટલ હાઉસ’ નામક મકાનને બચાવ્યું…
વધુ વાંચો >અરિષ્ટનેમિ
અરિષ્ટનેમિ : જૈનપરંપરામાં 24 તીર્થંકરો પૈકીના 22મા તીર્થંકર. કુશાર્ત દેશના શૌર્ય નગરના હરિવંશના રાજા સમુદ્રવિજય અને તેની પત્ની શિવાદેવીના પુત્ર અરિષ્ટનેમિનો જન્મ કાર્તિક વદ બારશે થયો હતો. તેઓ કૃષ્ણ વાસુદેવના પિત્રાઈ ભાઈ થતા હતા. એમનું સગપણ ઉગ્રસેનની પુત્રી રાજિમતી સાથે થયું હતું, પણ લગ્નોત્સવના ભોજન અર્થે થતી પશુહિંસા જોઈ વૈરાગ્ય…
વધુ વાંચો >