ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અમીરખાં (2)

Jan 16, 1989

અમીરખાં (2) (જ. 15 ઑગસ્ટ 1912, ઇન્દોર, મધ્યપ્રદેશ; અ. 13 ફેબ્રુઆરી 1974, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : ઇન્દોર ઘરાનાના અગ્રણી ગાયક. પિતા શાહમીરખાં ઉત્તમ સારંગીવાદક અને વીણાવાદક હતા. તેમની ઇચ્છા પુત્ર અમીરખાંને સારંગીવાદક બનાવવાની હતી, પરંતુ અમીરખાંએ સંજોગોવશાત્ કંઠ્ય સંગીત શીખવાનું પસંદ કર્યું. શાસ્ત્રીય સંગીતજગતમાં પિતાની ખ્યાતિને લીધે ઇન્દોરના તેમના નિવાસ…

વધુ વાંચો >

અમીર ખુસરો

Jan 16, 1989

અમીર ખુસરો [જ. 1253, પટિયાળી (ઉ.પ્ર.); અ. ઑક્ટોબર 1325, દિલ્હી] : ‘તૂતી-એ-હિન્દ’ (હિન્દ કા તોતા) નામથી વિખ્યાત ફારસી કવિ અને સંગીતકાર. તેમના પિતા સૈફુદ્દીન મહમૂદ લાચી તુર્ક સરદાર હતા અને તેઓ ઇલ્તુત્મિશના રાજ્યઅમલ દરમિયાન મધ્ય એશિયામાંથી હિંદમાં આવી વસ્યા હતા. ખુસરોનું મૂળ નામ અબૂલહસન હતું અને તેઓ સુપ્રસિદ્ધ સૂફી સંત…

વધુ વાંચો >

અમીર મીનાઈ

Jan 16, 1989

અમીર મીનાઈ (જ. 21 ફેબ્રુઆરી 1829, લખનૌ, ઉ.પ્ર.; અ. 13 ઑક્ટોબર 1900, હૈદરાબાદ) : ઉર્દૂ ગઝલકાર. મૂળ નામ મુનશી અમીર અહમદ. ‘અમીર’ તખલ્લુસ. પિતાનું નામ કરમ મોહંમદ. લખનૌના સુપ્રસિદ્ધ ઓલિયા હજરત મખદૂમશાહ મીનાઈના તેઓ શિષ્ય હતા. તેથી ‘અમીર મીનાઈ’ના નામે જાણીતા છે. ઉર્દૂ ગઝલની શિષ્ટ (classical) પરંપરાના અંતિમ ચરણના તેઓ…

વધુ વાંચો >

અમીર મુઆવિયા

Jan 16, 1989

અમીર મુઆવિયા (જ. 602 મક્કા, અરેબિયા; અ. એપ્રિલ 680, દમાસ્કસ) : ઉમૈયા વંશના પ્રથમ ખલીફા. મક્કાના એક સરદાર અબૂ સુફયાનના પુત્ર, પયગંબરસાહેબનાં પત્ની ઉમ્મે હબીબાના ભાઈ, હજરત મુહમ્મદના મંત્રી તેમજ વહી(કુરાનના દિવ્ય સંદેશ)ની નોંધ લખનાર અને પયગંબરસાહેબના દસ સાથીઓમાંના એક. બીજા ખલીફા હજરત ઉમર ફારૂકના સમયમાં તેમને સીરિયાના સૂબેદાર નીમવામાં…

વધુ વાંચો >

અમીર મુસોલિયમ્સ

Jan 16, 1989

અમીર મુસોલિયમ્સ (1303-04) : કેરોમાં મામલુક યુગ દરમિયાન બંધાયેલ સાલાર અને સંજાર અલ-જાવલી નામના હજીરા. અલ-કબ્શના ઢાળ પર બંધાયેલા આ બંને હજીરા ઊંચા લાક્ષણિક ઘૂમટો ધરાવે છે. હજીરાઓનો આગળનો ભાગ ખાસો ઊંચો છે અને એક બાજુએ મિનારો જુદા જુદા આકારો વડે સુશોભિત કરવામાં આવ્યો છે, જે બાજુઓની ઇમારતો સાથે સુસંગત…

વધુ વાંચો >

અમીરહુસેનખાં

Jan 16, 1989

અમીરહુસેનખાં (1899–1969) : ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તબલાને એકલ વાદ્યવાદનનો દરજ્જો અપાવનાર તથા સેંકડો તબલાગતોનો આવિષ્કાર કરનાર ભારતના અગ્રણી તબલાનવાજ. પિતા અહમદ બખ્શ નામવંત સારંગીવાદક હતા. તબલામાં ફસ્નખાબાદ શૈલીનું નામ રોશન કરનાર ઉસ્તાદ મુનીરખાંસાહેબ અમીરહુસેનખાંના મામા હતા. નાની ઉંમરમાં સારંગીવાદક પિતા સાથે સંગત કરનાર અમીરહુસેનખાંનું તબલાવાદન સાંભળીને મુનીરખાંસાહેબ એટલા બધા ખુશ…

વધુ વાંચો >

અમૂર ગુરુરાજ શ્યામાચાર્ય

Jan 16, 1989

અમૂર, ગુરુરાજ શ્યામાચાર્ય (જ. 8 મે 1925, ધારવાડ, કર્ણાટક; અ. 28 સપ્ટેમ્બર 2020, બૅંગાલુરુ, કર્ણાટક) : અંગ્રેજી તથા કન્નડ ભાષાના વિદ્વાન, વિવેચક તથા અનુવાદક. તેમને તેમની શ્રેષ્ઠ વિવેચનાત્મક કૃતિ ‘ભુવનદ ભાગ્ય’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે કન્નડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી અને તેમનું પોસ્ટ-ડૉક્ટરલ સંશોધનકાર્ય…

વધુ વાંચો >

અમૂલ ડેરી

Jan 16, 1989

અમૂલ ડેરી : આણંદમાં આવેલી ગુજરાતની શ્રેષ્ઠ અને એશિયાની ઉત્તમ ડેરી. ઓગણીસ સો પિસ્તાલીસના વર્ષ દરમિયાન આણંદની આસપાસના વિસ્તારનું દૂધ કૉન્ટ્રૅક્ટરો દ્વારા એકત્ર કરી, પાશ્ચુરીકરણ કર્યા બાદ મુંબઈ દૂધયોજનામાં મોકલવામાં આવતું. પરંતુ રાજ્ય સરકારે દૂધના ભાવમાં કરેલ વધારાનો લાભ દૂધ-ઉત્પાદકોને ન મળતાં તેમને અસંતોષ થયો. આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલની…

વધુ વાંચો >

અમૃત ઔર વિષ

Jan 16, 1989

અમૃત ઔર વિષ (1956) : હિન્દી નવલકથા. અમૃતલાલ નાગરકૃત આ નવલકથાને 1956ની શ્રેષ્ઠ હિન્દી કૃતિ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ સામાજિક નવલકથામાં, સમાજના બધા જ વર્ગનાં પાત્રો લઈને, સાંપ્રત કાળમાં કેટલું અમૃત છે અને કેટલું વિષ છે, તેનું વિશ્લેષણ કરેલું છે. માનવી સમાજથી વિખૂટો પડી ગયો છે અને…

વધુ વાંચો >

અમૃત ઘાયલ

Jan 16, 1989

અમૃત ઘાયલ (જ. 19 ઑગસ્ટ 1916, સરધાર, જિ. રાજકોટ; અ. 25 ડિસેમ્બર, 2002, રાજકોટ, ગુજરાત ) : ગુજરાતી ગઝલકાર. અમૃત ‘ઘાયલ’નું મૂળ નામ અમૃતલાલ ભટ્ટ. માતાનું નામ સંતોકબહેન અને પિતાનું નામ લાલજીભાઈ હતું. તેમણે સાત ધોરણ સુધીનું શિક્ષણ તેમના વતન સરધારમાં જ લીધું હતું. તે પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી તેમણે…

વધુ વાંચો >