ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અનાવૃત બીજધારી વનસ્પતિઓ

Jan 9, 1989

અનાવૃત બીજધારી વનસ્પતિઓ (Gymnosperms)  તે બીજધારી (Spermatophya) વનસ્પતિઓનો એક વિભાગ છે; જેનાં બીજ ખુલ્લાં હોય છે, બીજાશયના પોલાણમાં હોતાં નથી. ‘Gymnosperm’ બે ગ્રીક શબ્દનો બનેલો સંયુક્ત શબ્દ છે. Gymno-naked; sperma-seed તેનાથી વિરુદ્ધ આવૃતબીજધારી (Angiosperm)માં બીજ બીજાશયના પોલાણમાં હોવાથી આવરિત હોય છે. આ વિભાગની જીવંત વનસ્પતિઓને ચાર વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવી…

વધુ વાંચો >

અનિક બિસ્તર

Jan 9, 1989

અનિક બિસ્તર (1980) : આધુનિક પંજાબી કવિતાસંગ્રહ. પંજાબીના 1960 પછીના ગાળાના કવિ પ્રીતમસિંહ ‘સફીર’નાં 48 કાવ્યો આ સંગ્રહમાં સમાવિષ્ટ છે. આ સંગ્રહમાં એક તરફ રંગદર્શિતા છે, તો બીજી તરફ રહસ્યવાદ છે. રંગદર્શિતાની પાંખે ઊડીને કવિ આધ્યાત્મિક ગૂઢજ્ઞાનને આંબવા મથે છે, જોકે કૃષ્ણગોપીનાં કે સૂફીવાદનાં કાવ્યોમાં આ પરંપરા દૃષ્ટિએ પડે છે.…

વધુ વાંચો >

અનિદ્રા

Jan 9, 1989

અનિદ્રા (insomnia) : ઊંઘ ન આવવાની તકલીફ. અનિદ્રા સાપેક્ષ તકલીફ છે. કાયમ ચારથી પાંચ કલાક સૂવા ટેવાયેલા માટે તેટલી ઊંઘ પૂરતી હોય છે. પણ છથી સાત કલાક સૂવા ટેવાયેલા માટે ચાર કલાકની ઊંઘ અપૂરતી હોઈ શકે. નવજાત શિશુ આશરે 18 કલાક ઊંઘે છે. નાનાં બાળકો દિવસના બાર કલાક કે તેથી…

વધુ વાંચો >

અનિરુદ્ધ

Jan 9, 1989

અનિરુદ્ધ : કૃષ્ણ વાસુદેવનો પૌત્ર. પ્રદ્યુમ્ન તથા શુભાંગી(વિદર્ભરાજ રુક્મીની કન્યા)નો પુત્ર. શોણિતપુરના રાજા બાણાસુરની પુત્રી ઉષા અનિરુદ્ધના પ્રેમમાં હતી, તેથી એણે અનિરુદ્ધનું હરણ કરાવી એને પોતાના મહેલમાં રાખ્યો. આની જાણ બાણાસુરને થતાં એણે અનિરુદ્ધને કેદ કર્યો. અનિરુદ્ધને છોડાવવા કૃષ્ણે શોણિતપુર પર ચડાઈ કરી, બાણાસુરનો પરાભવ કર્યો અને અનિરુદ્ધને છોડાવ્યો. ઉષા-અનિરુદ્ધ…

વધુ વાંચો >

અનિર્દેશાત્મક મનશ્ચિકિત્સા

Jan 9, 1989

અનિર્દેશાત્મક મનશ્ચિકિત્સા : જુઓ, મનશ્ચિકિત્સા.

વધુ વાંચો >

અનિશ્ચિતતા સિદ્ધાંત

Jan 9, 1989

અનિશ્ચિતતા સિદ્ધાંત (uncertainty principle) : પરમાણ્વિક કક્ષામાં કોઈ વિશિષ્ટ ઇલેક્ટ્રૉનનું ચોક્કસ સ્થાન, વેગમાન કે અન્ય પ્રાચલો નક્કી થઈ શકે નહીં. આથી દ્રવ્યની મૂળભૂત પ્રકૃતિનું તટસ્થપણે માપન શક્ય નથી. પરમાણુના ઇલેક્ટ્રૉન સતત ગતિશીલ હોવાને લીધે આમ બને છે. આથી ઇલેક્ટ્રૉનના સંભવિત વિસ્તાર માટે કક્ષક સિદ્ધાંતનો ઉદભવ થયો. કક્ષક સિદ્ધાંતની યથાર્થતા ઈ.…

વધુ વાંચો >

અનિષ્ટ

Jan 9, 1989

અનિષ્ટ : ઇષ્ટ નહિ તે. ઇષ્ટનો મુખ્ય અર્થ ‘ધર્મકાર્ય’ થાય છે. તેથી અનિષ્ટ એટલે અધર્મ એવો અર્થ થાય. શ્રીમદ્ભગવદ્ગીતામાં ‘समचितत्वमिष्टानिष्टोपपतिषु’ (‘સારા અને માઠા પ્રસંગે સમચિત્તત્વ’) એમ ઉલ્લેખ છે તે ઉપરથી અનિષ્ટ એટલે વિષાદપ્રેરક એવો અર્થ નીકળે. સુપ્રસિદ્ધ મીમાંસક મંડનમિશ્રે કહ્યું છે કે કોઈ પણ કાર્યમાં પ્રવૃત્તિ ત્યારે જ થાય છે,…

વધુ વાંચો >

અનુઆધુનિકતાવાદ

Jan 9, 1989

અનુઆધુનિકતાવાદ : જુઓ આધુનિકતા,અનુઆધુનિકતા અને અનુઆધુનિકતાવાદ

વધુ વાંચો >

અનુઍક્ટિનાઇડ (અથવા પરાઍક્ટિનાઇડ) તત્વો

Jan 9, 1989

અનુઍક્ટિનાઇડ (અથવા પરાઍક્ટિનાઇડ) તત્વો (postactinide or transactinide) : આવર્તક કોષ્ટકમાંના 103 કરતાં વધુ પરમાણુક્રમાંક (પ.ક્ર., Z) ધરાવતાં તત્વો. આજ સુધીમાં પ.ક્ર. 112 સુધીનાં તત્વો પારખી શકાયાં છે. જોકે તે પછીનાં તત્ત્વો માટે પણ દાવો કરાયો છે. આ તત્વોમાંનાં ઘણાં તો અલ્પ જથ્થામાં (કેટલાક કિસ્સાઓમાં તો થોડાક પરમાણુઓ જેટલા) મેળવી શકાયાં…

વધુ વાંચો >

અનુઓ

Jan 9, 1989

અનુઓ (પુરાણોમાં) : યયાતિના પુત્ર અનુના વંશજો. વાયુ, બ્રહ્માંડ, બ્રહ્મ, હરિવંશ, મત્સ્ય, વિષ્ણુ વગેરે પુરાણોમાં અનુઓ વિશે માહિતી મળે છે. અનુ યયાતિનો પુત્ર હતો અને તેને ગંગા-યમુનાના દોઆબનો ઉત્તર ભાગ મળ્યો હતો. તેના વંશમાં થયેલા ઉશીનર અને તિતિક્ષુ નામના બે ભાઈઓથી શાખાઓ પડી. ઉશીનરના વંશજો યૌધેયો, શિબિ, મદ્રક, કેકય, ગાંધાર,…

વધુ વાંચો >