ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >અધિચ્છદીય પેશી (ઉપકલા ઉતક)
અધિચ્છદીય પેશી (ઉપકલા ઉતક) : પ્રાણી શરીરના ફરતે બધાં જ અંગોનું બાહ્ય આવરણ તેમજ અંગોની અંદરની સપાટી રચતી પેશીને અધિચ્છદીય પેશી અથવા ઉપકલા ઉતક કહેવામાં આવે છે. દા. ત., ચામડી(ત્વચા)નું બાહ્યસ્તર, મુખગુહાનું અંત:સ્તર અથવા અસ્તર, પાચનમાર્ગનું અસ્તર, સ્રાવી ગ્રંથિઓ, હૃદય, ફેફસાં, આંખો, કાન, શ્વસનાંગોની સપાટીઓ તથા મૂત્રજનનતંત્રનાં તમામ અંગોનાં પોલાણ…
વધુ વાંચો >અધિનિયમાનુસારી અહેવાલ
અધિનિયમાનુસારી અહેવાલ (statutoary report) : બાંયધરીથી અગર શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીએ કંપનીની અધિનિયમાનુસારી સામાન્ય સભા સમક્ષ રજૂ કરવાનો અહેવાલ. કંપનીઓ સંબંધી ધારાકીય જોગવાઈઓ અનુસાર કંપનીના ધંધાની શરૂઆત કરવાની પાત્રતાની તારીખથી એક મહિના પછી પરંતુ ત્રણ મહિના પહેલાં કંપનીની અધિનિયમાનુસારી સામાન્ય સભા બોલાવવાની હોય છે. આ સભાની તારીખના ઓછામાં ઓછા ચૌદ…
વધુ વાંચો >અધિનિયંત્રક
અધિનિયંત્રક : જુઓ, ગતિનિયંત્રક.
વધુ વાંચો >અધિન્યાસ
અધિન્યાસ (assignment) : કોઈક અસ્કામત યા મિલકત યા હક્કમાંના હિતાધિકારની અન્ય કોઈક વ્યક્તિને અવેજી કે બિનઅવેજી સોંપણી કરવાની પ્રક્રિયા. એ અંગેના દસ્તાવેજી લખાણને પણ એસાઇનમેન્ટ અગર અધિન્યાસખત કહે છે. અધિન્યાસ લખી આપનાર વ્યક્તિને એસાઇનર અગર સ્વત્વદાતા કહે છે; અધિન્યાસ પ્રાપ્ત કરનારને ઍસાઇની અગર સ્વત્વગ્રહિતા કહે છે. અદાલત દ્વારા અધિન્યાસને કરાર…
વધુ વાંચો >અધિરોહણ
અધિરોહણ (epitaxy) : કોઈ પદાર્થના એકાકી (single) સ્ફટિક ઉપર બીજા પદાર્થનું અત્યંત પાતળું સ્તર નિક્ષિપ્ત (deposit) કરવું તે. સ્ફટિકના પદાર્થ અને સ્તરના પદાર્થ વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. અધિરોહણ કરેલા સ્તરનું સ્ફટિકીય બંધારણ, જે સ્ફટિક ઉપર તેને નિક્ષિપ્ત કરેલ હોય તેના બંધારણથી નિયંત્રિત થાય છે. આ પદ્ધતિમાં સિલિકોન અને…
વધુ વાંચો >અધિશુક્રગ્રંથિ-શુક્રગ્રંથિશોથ
અધિશુક્રગ્રંથિ-શુક્રગ્રંથિશોથ (epididymo-orchitis) : શુક્રગ્રંથિ અને તેના ટોપનો ચેપ. શુક્રગ્રંથિકોશા(scrotum) એટલે કે શુક્રગ્રંથિકોથળીમાં બે શુક્રગ્રંથિઓ (testes) તથા તેમનાં અધિશુક્રગ્રંથિ અને શુક્રવાહિની આવેલાં છે. દરેક શુક્રગ્રંથિ 5 સેમી. × 2.5 સેમી.ની, 10થી 15 ગ્રામ વજનની, અંડાકાર પિંડની હોય છે. દરેક શુક્રગ્રંથિની ઉપર ગૂંચળું વાળેલી નળી(શુક્રવાહિની)ની ટોપના રૂપમાં સાતડા જેવી (comma-shaped) અધિશુક્રગ્રંથિ આવેલી…
વધુ વાંચો >અધિશોષણ
અધિશોષણ (adsorption) : ઘન, પ્રવાહી અથવા વાયુરૂપ પદાર્થ(અધિશોષ્ય, adsorbate)નું, બીજા ઘન અથવા પ્રવાહી પદાર્થ(અધિશોષક, adsorbant)ની સપાટી કે આંતરપૃષ્ઠ (interface) ઉપર આસંજન દ્વારા સંકેન્દ્રિત થવું. અધિશોષણ પ્રાવસ્થા વચ્ચેનાં આંતર-આણ્વિક બળો(intermolecular forces)ને આભારી હોય છે. તે એક પૃષ્ઠઘટના છે. વિશોષણ (desorption) એ અધિશોષણથી વિરુદ્ધની પ્રક્રિયા છે. ઘણી જૈવિક તથા ઔદ્યોગિક ઉત્પાદન-પ્રક્રિયાઓમાં અધિશોષણ…
વધુ વાંચો >અધિશોષણ-સૂચકો
અધિશોષણ-સૂચકો (adsorption-indicators) : અવક્ષેપન (precipitation) અનુમાપનમાં તુલ્યબિંદુ(equivalent point)એ અવક્ષેપ ઉપર અધિશોષિત થઈને તેને વિશિષ્ટ રંગ આપનાર સૂચકો. ફેજાન્સે સૌપ્રથમ 1923-24માં આ પ્રકારના સૂચકો દાખલ કર્યા. કલિલ પ્રણાલી(colloids)ના ગુણધર્મો ઉપર તેમની ક્રિયાવિધિનો આધાર છે. ક્લોરાઇડના દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરતાં સિલ્વર ક્લોરાઇડ અવક્ષિપ્ત થાય છે, જે વધુ પ્રમાણમાં હાજર એવા ક્લોરાઇડ આયનોનું અધિશોષણ…
વધુ વાંચો >અધિસ્વર
અધિસ્વર (over-tone) : પ્રાકૃતિક આવૃત્તિ(natural frequency)ની ગુણક અધિક આવૃત્તિનો આંશિક સ્વર. પદાર્થની સપાટી ઉપર કોઈ જગ્યાએ ટકોરો મારી તેને કંપન કરાવતાં તેમજ તાર કે હવાના સ્તંભને કંપન કરાવતાં તે પોતાની પ્રાકૃતિક કે મૂળભૂત (natural) આવૃત્તિના સૂર કાઢે છે અને સાથે સાથે પ્રાકૃતિક આવૃત્તિની ગુણક અધિક આવૃત્તિનો તીણો સૂર પણ સંભળાય છે.…
વધુ વાંચો >અધોગામી અને ઊર્ધ્વગામી સ્તંભ
અધોગામી અને ઊર્ધ્વગામી સ્તંભ (stalactites and stalagmites) : ગુફામાં ભૂગર્ભજળ-નિક્ષેપને કારણે રચાતા, છત ઉપરથી નીચે અને તળિયાથી છત તરફ જતા સ્તંભો. અનુકૂળ ભૂસ્તરીય તેમજ અનુકૂળ આબોહવાના પ્રદેશોમાં ભૂગર્ભજળ નિક્ષેપક્રિયાના એક સક્રિય પરિબળ તરીકે કાર્ય કરતું રહે છે. આ પ્રકારે તૈયાર થતા નિક્ષેપો ખનિજપટ્ટા, ખનિજરેખા કે ખનિજપડ સ્વરૂપે ખડકોની તડોમાં કે…
વધુ વાંચો >